________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૮
કલશામૃત ભાગ-૩ હું એક છું અનાદિ અનંત છું, જીવ સાન્ત નથી તેવો પણ ત્યાં વિકલ્પ નથી. આહાહા ! ત્યાં તેનું જાણવું છે અને તેનું નામ ધર્મ છે. આવી વાત છે ભાઈ ! તેણે પહેલા શ્રદ્ધામાં એવો નિર્ણય કરવો પડશે કે- ભગવાન આત્મા વિકલ્પાતીત છે. (આવી વસ્તુનો) અનુભવ થવો તેનું નામ સમ્યગ્દર્શન ને જ્ઞાન છે.
કલશ - ૮૩ : ઉપર પ્રવચન જીવ નિત્ય છે તેવો એક નયનો પક્ષ છે.” એક નયનો પક્ષ છે કે –આત્મા નિત્ય છે. આત્મા નિત્ય છે તે વાત ત્રિકાળીની અપેક્ષાએ યથાર્થ છે. પરંતુ તેનો પક્ષ છે, વિકલ્પ છે તે છોડી દે! વસ્તુ છે તે પક્ષાતિક્રાંત ચીજ છે –માટે પક્ષપાત છોડી દે એમ કહે છે.
જીવ નિત્ય નથી એવો બીજા નયનો પક્ષ છે.” જીવ નિત્ય નથી અનિત્ય છે અર્થાત્ પર્યાયે અનિત્ય છે. એ પર્યાયે અનિત્ય છે તો તે વ્યવહારનયનો વિષય થયો. ત્રિકાળી દ્રવ્ય તે તો નિશ્ચયનયનો વિષય થયો.
રાજકોટમાં ૯૯ ની સાલમાં ચોમાસું હતું. તો (પ્રવચનમાં) અધ્યાત્મની વાત તો ચાલતી હતી. ત્યારે એક વેદાંતી બાવો-સાધુ હતો તેણે સાંભળ્યું કે – મહારાજ આત્માની વાત કરે છે. કેમ કે બહારમાં જૈનની છાપ એવી થઈ ગઈ છે કે –વ્રત-તપ-ક્રિયા કરે તે જૈન. જૈનમાં અધ્યાત્મની વાત ક્યાં? જૈનમાં આવું ક્યાંથી? એટલે તે સાંભળવા આવ્યો. પછી ચર્ચા કરતાં ચર્ચામાં એમ આવ્યું કે- ભગવાન આત્મા નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. અનિત્ય છે તેમ સાંભળીને તે ઊઠીને બહાર ચાલ્યો ગયો. ભાઈ ! પર્યાયે અનિત્ય છે. જો પર્યાયે અનિત્ય ન હોય તો નિર્ણય શેમાં કરવાનો ? ધ્રુવમાં નિર્ણય કરવાનો છે? જો અનિત્ય જ ન હોય અને નિત્ય જ હોય તો નિર્ણય કરવાનો શું? નિર્ણય અનિત્યમાં કરવાનો છે. આત્મા નિત્ય છે તેનો સમ્યક નિર્ણય કરવાનો છે પર્યાયમાં, નિર્ણય અનિત્યમાં થાય છે. એટલે અનિત્યમાં નિત્યનો નિર્ણય થાય છે. અનિત્યથી નિત્ય જાણવામાં આવે છે. નિત્યથી નિત્ય જાણવામાં નથી આવતું. સમજમાં આવ્યું?
એક મોતીલાલભાઈ હતા. તેમને વેદાંત બેસી ગયેલું અને પછી તે પરમહંસ થઈ ગયા. પછી અમારી પાસે ચર્ચા માટે આવ્યા. દ્રવ્ય છે તે દ્રવ્યમાં જાણવામાં આવે છે કે પર્યાયમાં જાણવામાં આવે છે? જો આત્મા એક જ હોય અને પર્યાય ન હોય તો નિર્ણય કોણ કરે? નિર્ણય ધ્રુવ કરે? જો ભૂલ ન હોય તો ભૂલ ટાળવાનો ઉપદેશ કેમ આવે?
વેદાંત એમ કહે છે કે- આત્મા આત્યાંતિક દુઃખથી મુક્ત છે. તેનો અર્થ શું થયો? આત્યાંતિક દુઃખ છે, અને જે દુઃખ છે તે અનિત્ય ક્ષણિક છે. જો નિત્ય હોય તો પર્યાયમાં દુઃખ નિત્ય થઈ જાય! વસ્તુ તો વસ્તુમાં છે. એક છે તેની ચર્ચા નથી. અહીં નિત્ય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com