________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૭૮
૧૨૫ નથી. અથવબોધરૂપ ગુણ વિશેષ જેમાં નથી, એવી એકરૂપ ચીજ તેને દ્રવ્ય કહે છે. પ્રભુ! એ દૃષ્ટિનો વિષય ગુણભેદ વિનાનો બતાવ્યો.
૧૯માં બોલમાં કહ્યું કે- અર્ચાવબોધરૂપ પર્યાય વિશેષ જેનું ગ્રહણ નથી તે અલિંગગ્રહણ. પર્યાયનાં વિશેષનું ગ્રહણ જેમાં નથી. શબ્દ તો અર્થાવબોધ લીધો છે. બોધ શબ્દ ત્યાં એકલું જ્ઞાન ન લેવું પણ જ્ઞાન શબ્દ અનંતગુણ લેવા... આ પાઠ તો બે હજાર વર્ષ પહેલાંનો છે.
અર્થાવબોધ ગુણ વિશેષ જેમાં નથી તેવું દ્રવ્ય છે. અવબોધની પ્રધાનતાથી આ કથન છે. પદાર્થના જેટલા ગુણ છે... એ ગુણ ગુણીના ભેદથી રહિત ભગવાન આત્મા તે દૃષ્ટિનો વિષય છે. તેમ પર્યાયમાં પણ અર્થાવબોધ વિશેષ, એવો શબ્દ લીધો છે. શાસ્ત્ર ગંભીર છે, શબ્દ ગંભીર છે. વીતરાગી દિગમ્બર મુનિઓએ પરમાત્માનાં પદ ખોલી નાખ્યાં છે.
અર્થાવબોધરૂપ પર્યાય વિશેષ જેમાં નથી અર્થાત્ પર્યાયનો ભેદ નથી એવા દ્રવ્ય સ્વરૂપને સમ્યગ્દર્શનનો વિષય કહે છે. એ તો ઠીક પણ આ વીસમાં બોલમાં તો કહે છેતે પર્યાય દ્રવ્યને અડતી નથી. તેવી પર્યાય પોતાનું વેદન કરે છે. તે પર્યાયને જ અહીં આત્મા કહ્યો બસ. કેમ કે અમને તો વેદનમાં આનંદ આવ્યો. કેમ કે અમને તો વેદનમાં અનંતગુણની શક્તિની વ્યક્તતાનો અંશ પ્રગટયો તે પ્રગટ વેદનમાં આવ્યો તેથી તે જ આત્મા.
અહીંયા તો એ કહે છે કે- હેતુ નહીં. એવો પક્ષપાત છોડી દે!તત્વાર્થ રાજવાર્તિકમાં બે કારણનું કાર્ય એવું કથન આવે છે. પંડિતજી! બે કારણનું એક કાર્ય એવું કથન આવે છે ને? બાહ્ય અને અત્યંતર બન્ને કારણ. એ તો બાહ્યનું જ્ઞાન કરાવ્યું છે. ત્યાં પ્રમાણનું જ્ઞાન કરાવ્યું છે. પ્રમાણજ્ઞાન સાચું ક્યારે થાય છે? તેમાં નિશ્ચય તો રાખ્યું જ છે. ઉપરાંત નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે બાહ્ય- અત્યંતરનું પ્રમાણજ્ઞાન બતાવ્યું છે. પ્રમાણજ્ઞાને નિશ્ચયનો નિષેધ કરીને નિમિત્તનું જ્ઞાન કરાવ્યું તેમ નથી. નિશ્ચય રાખીને જ્ઞાન કરાવ્યું છે. નહીંતર પ્રમાણજ્ઞાન થતું નથી. નિશ્ચયમાં તો આત્મા કોઈનો વેદક છે જ નહીં. તે પોતાની પર્યાયનો વેદક છે બસ. સમજમાં આવ્યું?
નિશ્ચયથી પરનું કારણ બિલકુલ આત્મા છે જ નહીં. રાગનું કારણે નહીં. અરે.. પર્યાયનું કારણ નિશ્ચયથી દ્રવ્ય નથી. આહાહા ! એવી પર્યાય વેદનરૂપ છે તે આત્મા એમ કહ્યું. અમારા વેદનમાં આવ્યો છે તે આત્મા. દ્રવ્ય ઉપર ભલે લક્ષ જતું હોય પણ દ્રવ્ય વેદનમાં આવતું નથી. ઝીણી વાત છે બાપુ ! આ તો વીતરાગી માર્ગ છે બાપુ! સંતો એના વિલાસની વાત કરે છે. એ તો અલૌકિક હોય ને! દિગમ્બર સંતો પરમેશ્વરે કહેલી વાત કરે છે. એ કાંઈ સાધારણ જીવનું સામર્થ્ય નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com