________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૧
કલશ-૬૯ થી ૮૯ વિકલ્પ મટતાં આકુળતા મટે છે, આકુળતા મટતાં દુ:ખ મટે છે. તેથી અનુભવશીલ જીવ પરમ સુખી છે. ૨૪-૬૯.
* * *
(ઉપજાતિ) एकस्य बद्धो न तथा परस्य चिति द्वयोाविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपात
स्तस्यास्ति नित्यं खलु चिचिदेव ।। २५-७० ।। ખંડાન્વય સહિત અર્થ:- “વિતિ દ્રયો: રૂતિ દૌ પક્ષપાતી” (વિતિ) ચૈતન્યમાત્ર વસ્તુમાં (યો:) દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક-બે નયોના (તિ) આમ ( કૌ પક્ષપાતી) બંને પક્ષપાત છે. “વસ્થ વદ્ધ: તથા ૧૫૨ ન” (પ ) અશુદ્ધ પર્યાયમાત્રચાહક જ્ઞાનનો પક્ષ કરતાં (વડ) જીવદ્રવ્ય બંધાયું છે; (ભાવાર્થ આમ છે કે-જીવદ્રવ્ય અનાદિથી કર્મસંયોગ સાથે એકપર્યાયરૂપ ચાલ્યું આવ્યું છે, વિભાવરૂપ પરિણમ્યું છે-એમ એક બંધાર્યાયને અંગીકાર કરીએ, દ્રવ્યસ્વરૂપનો પક્ષ ન કરીએ, તો જીવ બંધાયો છે; એક પક્ષ આ રીતે છે; ) (તથા) બીજો પક્ષ-(અપરણ્ય) દ્રવ્યાર્થિકનયનો પક્ષ કરતાં (ન) બંધાયો નથી. ભાવાર્થ આમ છે કે-જીવદ્રવ્ય અનાદિનિધન ચેતનાલક્ષણ છે, આમ દ્રવ્યમાત્રનો પક્ષ કરતાં જીવદ્રવ્ય બંધાયું તો નથી, સદા પોતાના સ્વરૂપે છે; કેમ કે કોઈ પણ દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપે પરિણમતું નથી, બધાંય દ્રવ્યો પોતાના સ્વરૂપે પરિણમે છે. “ય: તત્વવેદી” જે કોઈ શુદ્ધ ચેતનામાત્ર જીવના સ્વરૂપનો અનુભવનશીલ છે જીવ, “ચુતપક્ષપાત:” તે જીવ પક્ષપાતથી રહિત છે. ભાવાર્થ આમ છે કે-એક વસ્તુની અનેકરૂપ કલ્પના કરવામાં આવે છે તેનું નામ પક્ષપાત કહેવાય છે, તેથી વસ્તુમાત્રનો સ્વાદ આવતાં કલ્પનાબુદ્ધિ સહજ જ મટે છે. “તસ્ય રિત ચિત્ વ શસ્તિ” (તચ) શુદ્ધ સ્વરૂપને અનુભવે છે તેને “(વિ) ચૈતન્યવહુ (ચિત્ વ સ્ત) ચેતનામાત્ર વસ્તુ છે” એવો પ્રત્યક્ષપણે સ્વાદ આવે છે. ૨૫-૭૦*
* અહીથી હવે પછીના ૨૬ થી ૪૪ સુધીના શ્લોકો ૨૫ મા શ્લોકની સાથે મળતા છે, તેથી
પં. શ્રી રાજમલજીએ તે શ્લોકોનો “ખંડાન્વય સહિત અર્થ ” કર્યો નથી. મૂળ શ્લોકો, તેમનો અર્થ તથા ભાવાર્થ ગુજરાતી સમયસારમાંથી અહીં આપવામાં આવ્યા છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com