________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૭)
૧૧૧ સ્વરૂપે છે.” સદા ચૈતન્ય સ્વરૂપ છે. તે અનાદિ અનંત શુદ્ધ પવિત્ર છે. “કેમ કે કોઈ પણ દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્ય- ગુણ- પર્યાયરૂપે પરિણમતું નથી.” અન્ય દ્રવ્યની પર્યાયપણે અર્થાત્ વર્તમાન અવસ્થાપણે પરિણમતો નથી. કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્યની પર્યાયપણે તો પરિણમતો નથી પરંતુ “બધાંય દ્રવ્યો પોતાના સ્વરૂપે પરિણમે
છે.”
“ય: તત્વવેદી” જે કોઈ શુદ્ધ ચેતનામાત્ર જીવના સ્વરૂપનો અનુભવશીલ છે જીવ,” પહેલો બોલ આવી ગયો કે આત્મા કર્મના સંબંધથી બંધ પર્યાયરૂપ છે તે એક વ્યવહારનયનો પક્ષ છે. તેનો તો અમે (પ્રથમથી જ) નિષેધ કરતા આવ્યા છીએ. આહાહા ! કર્મના સંબંધમાં રાગની પર્યાયનો સંબંધ તે બંધ છે, તે વ્યવહારનયનો વિષય છે, તેનો તો અમે નિષેધ કરતા આવ્યા છીએ એમ આચાર્યદેવ કહે છે.
અહીં તો જીવ ચેતના લક્ષણે અબંધ છે. એ પણ એક પક્ષ- વિકલ્પ છે. આહાહા ! હું અબદ્ધ છું. છે તો અબદ્ધ; પણ હું અબદ્ધ છું એવી નયનો પક્ષ એટલે વિકલ્પનો પક્ષ છે. હું અબદ્ધ છું ત્યાં લગી આવ્યો તેથી શું? તેનાથી લાભ શું? સમજમાં આવ્યું?
રાગના સંબંધથી પર્યાયમાં બંધ છે એ તો વ્યવહારનયનો પક્ષ કહો ! વ્યવહારનયનો તો અમે પ્રથમથી જ નિષેધ કરતા આવ્યા છીએ. અહીંયા સાથે બે નય લીધી છે. – અહીંયા કહે છે- નિશ્ચયથી હું અબદ્ધ છું તે પક્ષ છે. સમયસારમાં ૧૪- ૧૫ ગાથામાં આવે
નો પસ્સરિ અપ્પા સદ્ધપુ૬” હું અબદ્ધ છું તેવું છે ખરું પણ તે અબદ્ધના વિકલ્પના પક્ષમાં ઉભો છે. તેનાથી તને શું લાભ છે? નિમિત્તથી તારામાં લાભ થશે એ તો તારામાં છે જ નહીં અને જે વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ જે રાગ છે તેનાથી તને લાભ છે નહીં. બંધનો વિકલ્પ તો વ્યવહાર છે તેનો તો નિષેધ છે પરંતુ ભગવાન અબદ્ધ સ્વરૂપ છે એવા નય પક્ષમાં.. એવા નય પક્ષમાં ઉભા છો તે પણ રાગ છે. ગઈ કાલે કહ્યું હતું- “તત: હિમ્’-તેથી શું? અહીં સુધી આવ્યો તેનાથી તને શું લાભ થયો? સમજમાં આવ્યું?
ચ તત્વવેરી” જે કોઈ શુદ્ધ ચેતનામાત્ર જીવના સ્વરૂપનો અનુભવશીલ છે જીવ, તે જીવ પક્ષપાતથી રહિત છે.”
આહાહા ! આવી ચીજ છે. હું અબદ્ધ છું તેનો જે વિકલ્પ તે નયપક્ષનો છે. “જે કોઈ તત્ત્વવેદી” તત્ત્વનો વેદવાવાળો, ચેતનનો અનુભવ કરવાવાળો, ચૈતન્યનો પર્યાયમાં આનંદનું વેદન કરવાવાળો તેને જીવ અબદ્ધ છે તેવો પક્ષ- વિકલ્પ છૂટી ગયો છે. આહાહા ! સૂક્ષ્મ- અપૂર્વ વાત છે. અનંતકાળમાં ક્યારેય કરી નથી. શાસ્ત્ર ભણ્યો, વ્રતનિયમ એવા કર્યા કે- ચામડી ઉતારીને ઉપર ખાર છાંટે તો પણ ક્રોધ ન કરે એવી ક્રિયા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com