________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૬૯
૯૯ થઈ જાય છે. પોતાની પર્યાયમાં મતિ- શ્રુત જ્ઞાન દ્વારા પ્રત્યક્ષ થાય છે. સ્વ એટલે પોતે અને સંવેદન એટલે પ્રત્યક્ષ વેદના થઈ જવું તે તેનો સ્વભાવ છે, તે તેનો ગુણ છે. આત્મદ્રવ્યમાં એવો ગુણ નામ શક્તિ છે.
એક નય કહે પ્રત્યક્ષ થવા લાયક છે અને એક નય કહે પ્રત્યક્ષ થવા લાયક નથી. પ્રત્યક્ષ થવા લાયક નથી એ વ્યવહારનો એક પક્ષ છે, પ્રત્યક્ષ થવા લાયક છે એ નિશ્ચયનો એક પક્ષ છે. વીસમો છેલ્લો કળશ તેમાં આ લીધું છે. “જીવ “ભાત' (પ્રકાશમાન અર્થાત્ વર્તમાન પ્રત્યક્ષ છે) એવો એક નયનો પક્ષ છે અને જીવ “ભાત' નથી એવા બીજા નયનો પક્ષ છે.” ભાત એટલે પ્રત્યક્ષ થવા લાયક છે અને અભાત એટલે પ્રત્યક્ષ થવા લાયક નથી. પ્રત્યક્ષ થવા લાયક નથી તેવા વ્યવહારના પક્ષને તો છોડાવ્યો છે પરંતુ અહીંયા તો પ્રત્યક્ષ થવા લાયક છે એવા નિશ્ચયના વિકલ્પને છોડાવે છે. આવો માર્ગ છે! સાંભળવાય મળે નહીં. તે ક્યારે પ્રયોગ કરે. બધા કહે– વ્યવહારથી થાય; વ્યવહારથી થાય. જ્યારે અહીંયા તો વ્યવહાર કેવો છે... એ પણ સમજમાં ન આવે. - અત્યારે તો સાધુ માટે ચોકો રાખે અને ભોજન બનાવે. ભોજન કરવા આવો! અરેરે... આ શું છે ભાઈ ! આ કોઈ વ્યક્તિ માટેની વાત નથી હોં! વસ્તુનું સ્વરૂપ જ આવું છે નાથ! મુનિરાજને ખ્યાલ આવે કે- આ પાણીનું બિંદુ મારા માટે બનાવ્યું છે તો તે લે નહીં.
અહીંયા તો પર્યાયનો વ્યવહારનો પક્ષ કરે તે છોડાવે છે, નિશ્ચયનો પક્ષ છોડાવે છે.
કેવા છે તે જીવ? “વિત્પનાવ્યુત શાન્તરિતા:” એક સત્વનો અનેકરૂપ વિચાર તેનાથી રહિત થયું છે.”
શું કહે છે? એક સર્વે અર્થાત્ ભગવાન આત્મા છે તે એકરૂપ વસ્તુ છે, તેમાં અનેક વિચાર કરવા કે- વ્યવહારે આવો છું અને નિશ્ચયથી આવો છું એવા અનેક વિચાર તેનાથી રહિત ભગવાન આત્મા એકરૂપ વસ્તુ છે. સમજમાં આવ્યું? આવી વાત છે.
એક સત્ત્વ નામ વસ્તુ એક છે, અભેદ છે, નિશ્ચય છે. આવી વસ્તુમાં અનેકરૂપ વિચાર ઊઠાવવા કે- પર્યાય છે, દ્રવ્ય છે, અભેદ છે, ભેદ છે, વ્યવહાર બંધાયેલ છું, નિશ્ચય અબંધ છું; એકરૂપ વસ્તુમાં આવા અનેકરૂપ વિચાર- વિકલ્પ ઉઠાવવા તે નયપક્ષ છે. આવો માર્ગ છે પછી લોકો વિરોધ કરે.
અમારા જ્ઞાનચંદજી, પાટનીજી તેને તો લોકો સાંભળવા ઇચ્છે છે. તે બન્ને જણાં કહેતાં હતાં કે- લોકો સાંભળવા માગે છે. જ્ઞાનચંદજી જબલપુર ગયા હતા. ત્યાં વ્યાખ્યાનમાં દશ દશ હજાર માણસો સાંભળવા આવે. ગામમાં બીજા બે પંડિતો હતા તેને બસ્સો માણસો- અઢીસો માણસો સાંભળવા જાય. આ ભાઈ કહેતા હતા કે- પાંચપાંચ હજાર માણસ સાંભળવા આવે છે.
આ તો એમ કે લોકો હવે સાંભળવા માગે છે. લોકોને એમ થાય છે કે આ ક્યું તત્ત્વ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com