________________
४७
સુરસુંદરી ચરિત્ર વળી ખરેખર ધિક્કાર તો આ કામદેવને જ ઘટે છે. કારણકે, આ સર્વ અનર્થને ઉત્પાદક કેવળ કામદેવ જ છે.
આ સ્ત્રીઓનું બહુ વૃત્તાંત ખુલ્લું કરવાથી શું ફલ? કારણસર પોતાના પુત્રને પણ તે દુષ્ટાઓ મારી નાખે છે. તેવી ક્ષણિક ચિત્તવાળી સ્ત્રીઓ ખરી પ્રેમદષ્ટિથી કેને જુએ છે ?
માટે હે ભદ્ર! વિઘુલતાની માફક ચંચળ હૃદયવાળી; ઉપરોક્ત પ્રકારની સ્ત્રીઓને માટે કયો પુરૂષ ધર્મ કાર્યમાં શિથિલ આદરવાળો થાય? અનંગવતી
આ પ્રમાણે ગુરુનું વચન સાંભળી કિંચિત્ હાસ્ય કરીને ધનવાહન બેલ્યો.
હે કૃપા ! આપે જે સ્ત્રીઓનાં દૂષણ કહ્યાં, તે દુષ્ટ સ્ત્રીઓ બીજી;
મારી સ્ત્રી તે બહુ સરલ છે. તેમજ પતિવ્રતા છે, વળી સત્ય શીલ અને દયાવડે યુક્ત છે; | મારી ઉપર બહુ જ તે પ્રેમ ધરાવે છે. અન્ય પુરૂષનું મુખ પણ તે જેતી નથી,
વિનયગુણમાં તે પ્રથમ ગણાય છે,
નેહની સ્થિરતા તેના જેટલી પ્રાયે અન્યત્ર સંભવતી નથી;