________________
૧૧૯
સુરસુંદરી ચરિત્ર એક દિવસ તે રાજાના જોવામાં આવી, ત્યારે રાજાએ તેણીને પૂછ્યું.
હે દેવી ! હાલમાં તું ઉદ્વિગ્નની માફક કેમ દુર્બલ થઈ ગઈ છે ?
આ કિંકર તારે સ્વાધીન છે, છતાં શું તારો મનોરથ સિદ્ધ નથી થતો ?
તે સાંભળી દેવીનાં નેત્રો અશ્રુજલથી ભરાઈ ગયાં. તે બેલી.
હે પ્રિયતમ ! આપની કૃપાથી સર્વ વાંછિત હું સિદ્ધ થયેલાં દેખું છું. વળી આપની પ્રસન્નતાથી જે સુખ મેં ન ગયું હોય તેવું કંઈપણ સુખ આ દુનિયામાં નથી.
પરંતુ સ્વામિન્ ! પુત્રના દર્શનનું સુખ મેં સ્વપ્નમાં પણ જોયું નહીં.
હે નાથ ! આ દુનિયામાં જેઓ રાત્રિદિવસ પિતાના સ્તનનું પાન કરતા એવા બાલકને જુએ છે, તે નારીઓને ધન્યવાદ ઘટે છે.
જુઓ ! શ્રીકાંતા હમણાં પરણીને આવી છે, છતાં તેને પુત્ર ઉત્પન્ન થયો. વળી હું તમારી બહુ માનિતી. છું. પરંતુ મારા મંદભાગ્યને લીધે, હું પુત્ર વિનાની રહી.
હે સ્વામિન્ ! રાજસંપત્તિઓથી ભરેલું એવું પણ આપણું ઘર પુત્ર વિનાનું શુન્ય ગણાય છે. જેમ કે –