Book Title: Sursundari Charitra Part 02
Author(s): Ajitsagarsuri
Publisher: Mahudi Swetambar Murtipujak Trust

View full book text
Previous | Next

Page 428
________________ સુરસુંદરી ચરિત્ર ચપાનગી તેટલામાં વિહાર કરતા શ્રીમાનું ચિત્રવેગ આચાર્ય ચંપાપુરીમાં ગયા. મકરકેતુ મુનિ હમેશાં સ્મશાનભૂમિમાં રહે છે. ચિત્રગતિ ઉપાધ્યાય પણ વાચનાના સમયે મુનિએના મધ્યભાગમાં બેઠા હતા, તે સમયે વિસ્થામાં પ્રમત્ત થયેલા તેમને જાણીને કેઈ એક દેવ હરી ગયે. બાદ વિસ્મિત થયેલા મુનિએ ગુરુની પાસે ગયા અને ઉપાધ્યાયના અપહરણની વાર્તા તેમને સંભળાવી. ગુરુએ પૂર્વગત જ્ઞાનના ઉપયોગ વડે તે વૈરીનું વૃતાંત જાણીને સર્વ મુનિએ તથા સાધ્વીઓ સહિત પ્રવત્તિનીને ઉદ્દેશીને કહ્યું હે સાધુ સાધ્વીએ ! વૈરબુદ્ધિને બહુ દૂરથી તમે ત્યાગ કરે. કારણ કે ગેરને લીધે અનેક દુઃખ ભોગવવાં પડે છે. પરભવમાં રૂઝ થયેલ ધનપતિને જીવ જે થો હત, તે પૂર્વના વૈરને લીધે મહા કેધ વડે મહિલને જીવ જે સુમંગલ થયા, તેને માનુષેત્તર પર્વતની અપર બાજુએ મૂકી આવ્યો હતો. તે ત્યાંથી ચાલતા ચાલતે નિર્જન અરણ્યમાં આવ્યા, એટલે ત્યાં આગળ તેને કુકકુટ જાતિના સર્પે દંશ કર્યો. જેથી તે મરીને સંસારમાં પરિભ્રમણ કરવા લાગ્યો.

Loading...

Page Navigation
1 ... 426 427 428 429 430 431 432 433 434 435 436