________________
૪૧૧
સુરસુંદરી ચરિત્ર વળી હૈ મહાશ ! રાગદ્વેષથી વિમુક્ત એવા જિનંદ ભગવાનને તમે ભક્તિ પૂર્વક પ્રણામ કરે જેથી આ ભવ સમુદ્રને પાર આવી જાય.
એ પ્રમાણે બાધ આપતી આ પ્રાચીન સુરસુંદરી કથા સમાપ્ત કરવામાં આવે છે. ગ્રંથકાર સૂચના
હમેશાં જેમના અવલોકનમાં આસક્ત થયેલા, વળી તેઓમાં જ લીન થયેલા અને ત્યાગ કર્યા છે અન્ય પ્રકારના વ્યાપાર જેમણે એવા પુરુષ, અર્થ (પદાર્થ =ધન) પ્રદાન રહિત છતા જેમના વચનને પણ પામતા નથી, તેમજ પિતાને અર્થ (પદાર્થ=ધન) આપે છે, તે પણ [સ્નેહ હીન અને આસક્ત ચિત્તવાળી જેઓ મુગ્ધ પુરુષોને પોતાને સદભાવ આપતી નથી, વળી સુવર્ણ [સેનું=અક્ષર] રત્ન ૨િચના રો] વડે ઉછળતી છે શોભા જેમની એવી વારાંગનાઓ સરખી કથાઓમાં છે કે વિશ્વ [૩] પુરુષનું હદય હંમેશાં આસક્ત હોય છે, તે પણ સરલ એવા હે સજજન પુરૂષે ! અહીં મારી એક વિનતિ તમે સાંભળે !
અલંકાર રહિત, ઈચ્છા પ્રમાણે વર્તનારી, સુંદર અને કમળ છે, શરીર જેનું, તેમ જ દરિદ્રીની ઉત્તમ એવી કુલ બાલિકા સરખી આ સુરસુંદરી કથા અન્યમાં આસક્ત છે, તે પણ તેમને નિવારીને હે સજજને ! તમારી આગળ મેં મૂકી છે, માટે સત્પરુષે ! અવિદગ્ધ .