________________
૮ટ
સુરસુંદરી ચરિત્ર દેવનો ઉપદેશ.
ત્યાર પછી દેવ છે .
હે ભદ્ર! દેવોનું દર્શન કેઈ પણ સમયે નિષ્ફળ હોતું નથી. માટે તું બાલ ! જે તારી ઈચ્છા હોય તે તને આપવા ખુશી છું.
ચિત્રવેગ બેલ્યો. જે તમારી એવી ઈચ્છા હોય તો નવાહન રાજા કેઈ પણ પ્રકારે ઉપાધિ ન કરે તેવી રીતે કંઈક આપીને આપ મારો બંદોબસ્ત કરો.
એ પ્રમાણે તેનું વચન સાંભળી દેવે કહ્યું.
સ્ત્રી સહિત એવો તને પ્રહાર કરતો તે વિદ્યાધર ગર્વ વડે બહુ ચામૂઢ થઈ ગયા અને વિદ્યાધરોએ કરેલી મર્યાદાને તેણે ભંગ કર્યો. તે કારણને લીધે જ એની વિદ્યાઓને વિછેદ થયો છે. | માટે હે ભદ્ર ! હાલમાં તારો પરાભવ કરવાને તે શક્તિમાન નથી.
વળી હે ચિત્રવેગ ! પૂર્વ ભવને વૈરી તારી ઉપર બહુ કોપાયમાન થઈ તારું હરણ કરશે, પછી તે વિદ્યાધરેંદ્રને ત્યાં મેટ થઈશ.
એ પ્રમાણે નકકી મારા આગામી ભવને કથન કરતા શ્રી કેવલી ભગવાને તે સમયે મને કહેલું છે. તે ઉપરથી જરૂર વિદ્યાધરોને અધિપતિ થઈશ, - વલી તાઢય ગિરિની દક્ષિણ શ્રેણીમાં સમસ્ત વિદ્યાધરેંદ્રોને સ્વામી તને હાલમાં હું કરીશ.