________________
સુરસુંદરી ચરિત્ર
પુનઃકપિલને સમાગમ
પલિમાં પરિભ્રમણ કરતાં કપિલે બંને મુનિઓને જોયા કે તરત જ તેણે ઓળખ્યા, અને સમરકેતુ મુનિને જોઈને તે એકદમ ક્રોધાયમાન થઈ ગયો.
બાદ પોતાના હૃદયમાં તે વિચાર કરવા લાગ્યા, આ પાપીએ સભા સમક્ષ મારે પરાજય કર્યો છે. તેમજ મને દેશ નિકાલની આજ્ઞા પણ તે સમયે એણે જ કરેલી છે. માટે કેઈપણ કપટવડે હાલમાં હું એનું વૈર લઉં;
એમ વિચાર કરી તે દુષ્ટ બંને મુનિઓને બહુ વિનય વડે વાંદવા લાગ્યા;
પછી બંને મુનિઓને કપટભક્તિથી નમ્ર બનેલો તે દુષ્ટ પતાને ઘેર લઈ ગયો અને વિષમિશ્રિત એવું ભોજન તથા પાણુ તેણે તેઓને હરાવ્યું.
પછી તેણે હાથ જોડીને વિનયપૂર્વક કહ્યું;
હે ભગવન્! અહીંયાં જ આપ ભજન કરો. માર્ગમાં ચાલવાથી આપને શ્રમ પણ બહુ થયે હશે; તેમજ અહીંયાં કેઈ આવે તેમ નથી. વળી એકાંત સ્થલે આપને રહેવા માટે આ સ્થાન પણ સારું છે. | ભજન કર્યા બાદ વિશ્રાંતિ પણ અહીં જ લેવી ઠીક છે, પ્રભાતકાળમાં આપને જવું હોય ત્યાં આપ સુખેથી પધારજો.
આ પ્રમાણે તેના કહેવાથી વિશુદ્ધ સ્વભાવવાળા તે બંને મુનિએ એક ક્ષણ માત્ર વિશ્રાંતિ લઈ સ્વાધ્યાય