________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫ )
દ્રવ્યનું કાર્ય અન્યદ્રવ્ય કેમ કરી શકે? અગ્નિમાં ઉષ્ણતા સ્વભાવેજ રહી છે. તેને કર્તા જેમ અન્ય (ઈશ્વર) નથી. જલમાં શીતતા સ્વભાવે રહી છે, તેને કર્તા અન્ય ઈશ્વરરૂપે નથી. તેમ ઘડદયના સમૂહરૂપ આ જગને કર્તા અન્ય (ઈશ્વર) નથી, પણ પ્રત્યેક દ્રવ્ય પોતપોતાના ધર્મને કર્તા છે, અમુક અને અમુક પદાર્થ ભેગા કરીએ ત્યારે લાલરંગ બને છે. તેમ પુદગલ સ્કંધના ભેગા થવાથી મોટા મોટા પર્વતે વગેરે બને છે. પુદ્ગલદ્રવ્યના મહાન પર્યાય થવામાં પુદ્ગલ દ્રવ્યજ કારણભૂત છે, પુદ્ગલ દ્રવ્ય માં વિચિત્ર શક્તિઓ રહી છે. એક તલમાત્ર હલાહલ વિષથી, મોટામેટા હાથીઓના પ્રાણુ નાશ પામે છે,
ત્યારે વિચારો કે પુગલમાં કેટલી શક્તિ રહી છે. ભિન્ન ભિન્ન વર્ણ, ગંધ, રસ અને સ્પર્શને લઈ પુદગલ કંધે પણ ભિન્ન ભિન્ન શક્તિવાળા બનેલા હોય છે, અને તેથી પુદગલદ્રવ્યના પર્યાયે પણ પરસ્પર એક બીજાથી વિરૂદ્ધ સ્વભાવવાળા હોય છે, કેટલાક પુદ્ગલે શરીરમાં– સરૂધિર રૂપે પરિણમે છે, અને કેટલાંક પુદ્ગલે શરીરમાં ધાતુ રૂપે પરિણમે છે. વળી કેટલાક પરમાણુ પુદ્ગલેને અસ્થિ રૂપ પરિણામ બને છે. વળી કેટલાંક યુગલે પરસેવા રૂપે પરિણમે છે. એમ પુદ્ગલ દ્રવ્યના પર્યાને પરિ. ણામ ભિન્ન ભિન્ન રૂપે પરિણમ્યા કરે છે. જેમ શેલડીના
For Private And Personal Use Only