________________
૧૯૪
આપ્યાની ઈતિહાસ સાક્ષી પૂરે છે. વચનના એકેક પ્રસંગે વડે માણસે શૂળી-ફાંસીની શિક્ષાથી બચી ગયા છે. વચને મંત્રાક્ષરમાં પરિણમવાથી સર્પ વિગેરેનાં મહાવિષ ઉતરી જાય છે. - જ્યારે ભગવાન તીર્થકરદેવ વચનરૂપી રત્નોના સમુદ્ર છે. જેમ તમામ રને સમુદ્રમાંથી નીકળે છે, તેમ જગતના તમામ ય પદાર્થોને બતાવનારા વચને ભગવાન જિનેશ્વરદેવથી પ્રકટ થયા છે. માટે જ ત્રણે જગતના છે એટલે સુરાસુર–મનુષ્યથી પ્રભુજી પૂજાય તે વ્યાજબી જ છે. આ રીતે શ્રીજિનેશ્વરમાં પૂજાતિશય પણ ઘટી શકે છે.
દુઃખ માત્રનું અસાધારણ કારણ રાગ, દ્વેષ અને અજ્ઞાનતા જ છે. આ ત્રણે કારણે જેમણે નિર્દૂલ નાશ કર્યા હોય તેમને મનનું, વચનનું કે કાયાનું દુઃખ કયાંથી હોય? કહ્યું છે કે,
“રાગદ્વેષ અજ્ઞાનતા, દુ:ખનાં કારણ તીન,
નાશ કર્યો જે નરવરે તે શા માટે દીન.” ભગવાન જિનેશ્વરદેવેના તમામ અપાયે એટલે દુઃખ નાશ પામી જવાથી અપાયાપમ અતિશય પ્રકટ થાય છે. તે પણ વ્યાજબી જ છે.
શા–જે ભગવાન જિનેશ્વરદેવના અપાયે-દુખે. સર્વથા નાશ પામ્યાં કહેવાય છે, તે પછી પ્રભુમહાવીરસ્વામીને કેવળજ્ઞાન થયા પછી લેહીના ઝાડા થયા તેનું શું કારણ?
સમાધાન–જેટલી વાત કહેવાય છે, તેટલી મોટા ભાગે બનવા એગ્ય વસ્તુનું જ ભારપૂર્વક વર્ણન થાય છે. તેમ જિનેશ્વરદેવેના તમામ અપાયે નાશ થઈ જાય છે. તે પણ કઈક ભાવિભાવની વિચિત્ર પળે ન બનવા 5 બીના પણ