________________
३२७
શત્રુરાજાઓ સાથે મનમાં લડાઈ શરુ કરી. એ મનમાં ચાલી રહેલી લડાઈમાં, બધાં હથિયારે ખુટી જવા પછી, પિતાના મસ્તક ઉપરને મુકુટ મારીને, શત્રુને હરાવવાનો વિચાર થયે. અને તેથી હાથ મસ્તક ઉપર ગયે. મસ્તકે લેચ કરેલ હોવાથી, હાથ ખાલી પાછો પડ્યો, અને પિતાનું મનિપણું યાદ આવ્યું. સાધુદશાનું ભાન થયું. પાંચમી અન્યત્વ ભાવના જાગી, ચાલુ અને આગલાં કર્મોને ક્ષય કરી કેવલજ્ઞાન મેળવ્યું. અહીં પ્રસન્નચંદ્ર રાજર્ષિને ફક્ત દ્રવ્યશથી જ બચાવ થા, તે સ્પષ્ટ સમજાય છે.
મુનિયેશ રાકને રાજા બનાવે છે મહારાંક ભીખારીને, શ્રી આર્ય સુહસ્તિસૂરિ મહારાજ પાસેથી સાંપડેલા મુનિશે, તેને મહારાજાધિરાજ બનાવ્યો. અવિચારક મનુષ્યની દષ્ટિએ, તે વેશ હાંસીપાત્ર જ હતે. ફક્ત તેણે ખાવા માટે જ પ્રાર્થના કરેલી. ખાવા માટે તેણે મુનિવેશ લીધે. ખેરાક વધુ ખાવાથી મરણ પથારીએ પડ્યો. તે વખતે મુનિરાજોને દિલાસે, અતિ પ્રમાણ સેવા, શ્રાવક-શ્રાવિકા વર્ગથી થતી દવાઓ, અને પગચંપી વિગેરે સેવાઓ જોઈને, ભીખારી (સાધુવેશધારી આત્મા) આભેજ બની ગયે. અને વિચારવા લાગ્યા. આ વેશને હજારે ધન્યવાદ છે. હું તો તેને તે જ છું. મારામાં કેઈપણ ગુણ આવ્યા નથી, છતાં મારો આટલો બધો સત્કાર થઈ રહેલ છે. આ ગુરુદેવ, આ મુનિરાજે અને આ શ્રાવક-શ્રાવિકાઓ પણ મારાં ખરેખરાં ઉપકારી આત્માઓ છે. ક્ષણવાર પહેલાં મને પોતાના બારણે ઉભું રહેવાની ના કહેતા હતા, તે જ ધનવાન મનુષ્ય, આ વેશના પ્રતાપે, મારા પગ દાબે છે. ધન્યવાદ છે આ વેશને ! આ પ્રમાણે વેશની અનુ