________________
૩ર૩
ભય હાય, આથી વિશેષ જાણવાના અથએ, માર્ગાનુસારિતાના ૩૫ ગુણ જોઈ લેવા.
સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્ર ગુણોને લાવનારા, અથવા સમ્યગદર્શનાદિકમે પ્રકટ થએલા ગુણે, તે જ વાસ્તવિક ગુણે કહેવાય છે. બાકીના ગુણો, ઘણું ખરી વાર ગુણભાસે બનીને, આત્માના મિત્ર બનવાની જગ્યાએ, આત્માનું શત્રુપણું જ ભજનાર બને છે.
પ્રશ્ન–ઉપર કહેવાયું છે કે, શ્રીજૈનશાસનમાં વેશ કે વ્યક્તિની મહત્તા નથી. તે શું વેશ તન નકામે જ છે?
ઉત્તર જે આત્માઓને ગુણાનુરાગ, ગુણની એલખાણ અને ગુણને આદર જેતે જ ન હય, ગુણ અને ગુણ જીવોની જરૂર જ ન હોય, તેવા આત્માઓને, વેશથી જરાપણ ફાયદે હેય, તેમ કયાંય જાણવા મળ્યું નથી. અને એ જ કારણથી કહેવાય છે કે, આ આપણું જીવે મેરુપર્વત જેટલા ઓઘામુહપત્તિ અને ચરવલા-મુહપત્તિઓ લીધી, પરંતુ જીવને સંસાર ઘટયે નથી. કહ્યું છે કે,
• "संसारसागरमिणं परिभमंतेहिं सव्वजिवेहिं
गहियाणि य मुक्काणि य णन्तसो दवलिंगाई।"
અર્થ-આ સંસાર સમુદ્રમાં પરિભ્રમણ કરતાં સર્વજીએ મનુષ્યજન્મ પામીને અનંતીવાર દ્રવ્યવેશ લીધા અને મુક્યા છે પરંતુ કશે જ લાભ થયો નથી.
ગુણાર્જન માટે મુનિસુંદરસૂરિમહારાજ ફરમાવે છે કે, "स्वाध्यायमाधित्ससि नो प्रमादैः, शुद्धा समिती! गुप्तीश्च धत्से। तपो द्विधा नार्जसि देहमोहा-दल्पेपि हेतौ दघसे कषायान् ॥क्षा