________________
| (૬૭). જે ગરીબોને આધાર છે, અનાથોનો નાથ છે અને જે દુઃખીયાઓને તારણહાર છે તે જરૂર આપણું ભેટ હજમ નહિજ કરે, આપણું કિંમત કરતાં મને લાગે છે કે ઘણેજ સારા બદલે આપશે.” . “ભેટ કરે એ પણ સારી વાત કહેવાય, ત્યાં ગયા પછી સમય જોઈ આપને જેમ ઠીક પડે તેમ કરવું. પણ હવે એ વાત ખોરંભે ન જવા દેતાં એ માટે જરૂર ઉદ્યમ કરે.”
ઠીક છે, એ ઉપર હવે જરૂર ધ્યાન આપીશું જેમ બને તેમ જલદીથી એને પ્રબંધ કરશું, એ તે શુભસ્ય શીધ્રમ.
પ્રકરણ ૧૦ મું.
અવંતિમાં
“જનની જણ તો ભક્ત જન, કાં દાતા કાં શૂરા નહી તો રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર.”
અવંતિનું બીજું નામ ઉજયિની, આ ઈતિહાસ પ્રસિદ્ધ શહેર ભારતનાં તેજ, ગૌરવ સમું દુનિયામાં અદ્વિતીય હતું. બાણ લાખ માળવાની રાજધાની તે આ અવંતી. મોટા મોટા