________________
( ૧૦૯) ચઢાવી દીધા. જે પુરૂષની લક્ષ્મી નીતિની હોય છે. ભાગ્યથીજ પ્રાપ્ત થઈ હોય છે એવી લક્ષ્મીને જ એ પુરૂષના હાથથી આ સદ્વ્યય થઈ શકે. બીજાઓને આ લાભ નથી મળતો એનું કારણ શું ભલા ? એક દમડી પણ પરકાજે રખે વપરાય એની મતલબ સમજ્યા કે—
પ્રકરણ ૧૫ મું.
પુત્ર જન્મ. કરે જે ધર્મના કામે, જગતમાં ધન્ય છે તે, પરના ઉપકાર કરનારે, જગતમાં ધન્ય જીતે; પ્રભુસેવા સંઘ સેવા જીવનની એ સફળતા છે, ભલાકર તે ભલા હોગા, સાચી એ સફળતા છે.”
ભાવડશાહ પોતાની સમૃદ્ધિને ઉપયોગ કરતા, માનવ જીવનના અણુમેલ સમયને સચ્ચય કરતા હતા. શેઠાણી પણ પિતાનાથી બની શકે તેવી ધર્મ કરશું કરતાં; સાધુ સાધ્વીની ભક્તિ કરતાં જીનેવરની ત્રીકાલ સેવા ભક્તિ કરતાં દિવસ ઉપર દિવસ પસાર કરી રહ્યાં હતાં. પિતાને સંતતિ થાય વા નહી પણ એશ્વર્ય મળ્યું સમૃદ્ધિ મળી તો એને લાભ શામાટે ન લે, એ સમૃદ્ધિનો ઉપયોગ પિતાને માટે