________________
, પણ આ જણાય
' કહી ! "એ
છે. સિંહગિરિ
(૩૧૧) ભગવાન ! આપને આ બાળકનું ભવિષ્ય કેવું જણાય છે. અમે બધા અનુમાનથી વાતો કરનારા, પણ આપ જ્ઞાનથી આ બાળકનું ભવિષ્ય કહો !” એક મહાન્ શ્રાવકે કહ્યું. - સિંહગિરિ આચાર્ય જ્ઞાનથી એનું ભવિષ્ય જોઈ બોલ્યા, “ આ બાળક મહાપુરૂષ થશે. શાસનનો નાયક, સંપૂર્ણ દશપૂર્વને ધરનાર છેલ્લે આ બાળક જ છે. આની પછી કઈ દશપૂવ થશે નહી. અનેક શક્તિઓ અને લબ્ધિ અને પ્રાપ્ત થશે, આઠ વર્ષની ઉમ્મરમાં દીક્ષા ગ્રહણ કરી અનેક શાસનનાં કામ કરશે, અનેક રાજાઓ એના ભકત થશે, યુગપ્રધાન એ મહા પ્રાભાવિક થશે. મહાવીર ભગવાન પછી તેવીશ ઉદય થવાના, તેમાં પહેલે ઉદય થઈ ગયા અને બીજો ઉદય આ પુરૂષથી શરૂ થશે. મહાન તીર્થ શત્રુંજયનો ઉદ્ધાર કરવામાં અતિ સહાય કરનાર થશે.”
એ શું કહ્યું આપે, શત્રુંજય તીર્થોદ્ધાર,” શત્રુંજયને ઉદ્ધાર સાંભળી બધા આશ્ચર્ય પામ્યા.
હા! શત્રુંજયનો! એ તિર્થ ભવિષ્યકાળમાં બંધ થશે. ઘણું વર્ષ પર્યત બંધ રહેશે. તે આ પુરૂષની વૃદ્ધાવસ્થામાં એના હાથથી ખુલશે. જાવડશાહ તીર્થનો ઉદ્ધાર કરનાર થશે પણ આ પુરૂષના પ્રયત્નથી, મિથ્યાત્વી અસુરેથી એ તીર્થને વિધ્વંસ થઈ જશે, કઈ પણ યાત્રા કરી શકશે નહી. આ પુરૂષની શક્તિથી એ અસુરે પરાજય પામી