Book Title: Vajraswami Ane Jawad Shah Athva Shatrunjay 13 Mo Uddhar
Author(s): Manilal Nyalchand
Publisher: Jain Sasti Vanchanmala

View full book text
Previous | Next

Page 472
________________ (૫૫) શરીરને પણ પૂજી એમની ઉપરની ભક્તિથી વૃક્ષને નમાવતાં તે પર્વત ફરતી ઇંદ્ર પોતાના રથ સહિત પ્રદિક્ષણું કરી ત્યારથી રથાવત્ત નામે તે પર્વત પ્રસિદ્ધ થયે. એવી રીતે શકેંદ્ર વજીસ્વામી તરફ પિતાની ભક્તિ બતાવી પિતાને સ્થાનકે ગયા. વાસ્વામી સ્વર્ગે જતાં દશમું પૂર્વ અને ચોથું સંઘયણ વિચ્છેદ ગયાં. વાસ્વામી ગયા, જાવડશાહ ગયા, ને તે સમયને કાળ અનુક્રમે ચાલ્યો ગયો પણ શત્રુંજયનો ઉદ્ધાર કરવાથી વજાસ્વામી અને જાવડશાહ અમર નામના મેળવી ગયા. નવા કપદીની તીર્થના અધિષ્ઠાયક તરીકે શત્રુંજય તીર્થ ઉપર સ્થાપના કરી. અને પેલે જુને અસુરનાયક કપદી શત્રુંજય ઉપર અમરપદો મેળવનારની લોખંડી દિવાલ સદાને માટે નાશ પામી ગઈ. એ એની અમર સત્તા હવામાં મળી ગઈ. એ ચિરપરિચિત સ્થાન સર્વ શક્તિમાન અસુરનાયકને છોડવું પડ્યું. આજે તો હવે શત્રુંજય તરફ મીટ માંડવા જેટલી પણ એ અસુર નાયકમાં શક્તિ નથી તેની ખબર લેવાને ન કપદી હમેશાં તૈયારજ છે. એ અસુરનાયકે સગરચકી લાવેલા સમુદ્રને કિનારે ચંદ્રપ્રભાસ તીર્થમાં બીજું નામ ધારણ કરીને નિવાસ કર્યો. સારા નરસા માર્ગોમાંથી માનવી ભવિતવ્યતાને અનુસરી એક રસ્તો પસંદ કરી લે છે અને પછી તે રસ્તે પિતાનું નાવ વહેતું મુકી દે છે. ઉત્તમ માણસો મુક્તિરૂપી

Loading...

Page Navigation
1 ... 470 471 472 473 474