________________
( ) શણુંજય તીર્થનો માર્ગ ખુલ્લો થવાથી દેશ પરદેશ જેમ જેમ સમાચાર પ્રસરતા ગયા તેમ સંઘ ઉપર સંઘ યાત્રા કરવાને આવવા લાગ્યા. જ્યાં જ્યાં એ મંગલમય સમાચાર મળતા ગયા તે બધાનાં મન આનંદીત બની ગયાં હતાં, અનેક ભાવિકે શત્રુંજયનાં દર્શન કરવાને ટમટમી રહ્યા હતા. તેમના મનોરથ હવે સફળ થયા. શત્રુંજય તીર્થને ઉદ્ધાર એ એક મહાભારત કાર્ય કરીને વાસ્વામીએ જેન કેમની મહાન સેવા બજાવી હતી. સિવાય વજીસ્વામીએ શાસનનાં અનેક કર્તવ્યો બજાવ્યાં હતાં. એ મહાન પુરૂષે દુષ્કાળના સમયમાં રોટલા ટુકડા વગર પ્રાણ ગુમાવતા શ્રાવકોને સંઘની વિનંતિથી પોતાની શક્તિથી બીજે ગામ લઈ જઈ સંઘનું રક્ષણ કર્યું હતું. પણ પૂર્વ ભવે પાપ કર્યો હશે માટે આ ભવમાં એમને રોટલા વગર મરવું પડે છે એમ ધારી ઉપેક્ષા કરી નહોતી. તે સમયમાં સાધુ થનારાઓ પણ વૈરાગ્યથી જ દીક્ષા ગ્રહણ કરતા હોવાથી તેઓની દીક્ષા ત્યાગમાર્ગને જ શોભા આપનારી થતી હતી. પોતાની સાધુતાની સલામતી માટે દેહની પણ પરવા કરતા નહિ. સંયમને દૂષણ લાગે તે પહેલાં તો દેહની કુરબાની કરી લેતા હતા પણ ન તો સંયમને દોષિત કરતા અથવા તો સમાજમાં પોતાની નિંદા કરાવતા, કારણકે જેમ પિતાના મોં ઉપર રહેલે ડાઘ પિતાનાથી દેખી શકાતો ન હોવાથી આરીસાની જરૂર પડે
૨૮