________________
( ૧૯૬ )
સુશીલા આશ્ચર્ય પામી. “ એટલે ? ” એનાં માતાપિતા આશ્ચર્ય પામ્યા.
“ એટલે એ જ કે જેને તે વરમાળ પહેરાવી એ જ મારા ભાણેજ જાવડશાહ ! મધુમતીના માલેક મારા બનેવી ભાવડશાહ અને મારી બેન સોભાગ્ય-ભાગ્યવતીના પુત્ર.
“ એ....મ ? ” સુશીલા અને એનાં માતાપિતા એક સાથે ચમક્યાં.
“ સેમચંદ શેઠ તમે પણ જખરા, વાતને ખુબ સાચવી રાખીને મારી સુશીલાની ખુબ કસેાટી તમે કરી. ” પેાતાની જ જ્ઞાતિમાં આવેા વર મળવાથી સર્વને! આનદ એહદ હતા. એ આનંદમાં ને આનંદમાં સુરચંદ શેઠે સામચદ શેઠને કહ્યુ, “ ભાવડશાહની વાત મેં સાંભળેલી તા ખરી. માળવાના ધણી એમની ઉપર તુષ્ટમાન થયેલા એ પણ જાણેલુ. પણ એમના પુત્ર આવા પરાક્રમી ને કળાકોશલ્યવાન હશે એ ખબર નહી. પણ હવે જ મને જણાયું કે વિધિ જ્યાં સત્તા, સાહેબી ને ઠકુરાઇ આપે છે તેને ત્યાં એવા લાયક પુત્ર પણ આપે છે.
,,
સુશીલા અને જાવડશાહના આનન્દ્વની તેા વાત શી ? એમની તે રીતભાત જ જુદી. કાઇ ન સાંભળે માટે આંખાથી તે એમની વાતો થતી. હૃદયા સામસામે અપાઇ ગયાં. એમની વાર્તાને પાર જ નહેાતા, પણ હજી એક