________________
( ર૯૬) “ખચિત. એ દેવલોકમાંથી આવેલો હશે, તેથી જ આવો પુણ્યવંતો જણાય છે. અહીંયાં પણ ભાગ્યવંતને ઘરે જ આવ્યો છેને, માત્ર એકજ ખામી છે,” બીજી સ્ત્રી બેલી.
તારી વાત હું સમજી, એને પિતા નથી એજ ખામીને, તારી વાત સાચી છે. સુશીલા ! જે એનો પિતા આજે હોત તો આ કર્મવંતા પુત્રને કે જેને જન્મમહોત્સવ થાત ? ”
“એનેય આ શું સુર્યું કે એ સાધુ થઈ ગયો. આવો રૂપાળો સંસાર છોડીને એ સાધુ થયે, શું માણસનીય મતિ છે કંઈ?” એક સ્ત્રીએ વચમાં ટહુકો કર્યો.
મને તો લાગે છે કે એ સિંહગિરિસૂરીજી જંતરમંતર વાળા છે કોણ જાણે એમણે શીયે ભભૂતિ નાખી દીધી કે એને દીક્ષા દીક્ષાજ ઝંખી રહ્યો હતો. પરણાવ્યાય જબરજસ્તીથી, અને પરણ્યો તોય એનેને સુનંદાને જાણે લેવાદેવા ન હોય. એતો કેણ જાણે કે સુનંદાને ભાગ્યે જ આ સારે દિવસ આવ્ય” સુનંદાની ફેઈજીએ બળાપો કર્યો.
આવી સાહ્યબી, આવ રૂપાળો ઠાઠમાઠ, સુનંદા જેવી ગુણીયલ સ્ત્રી, આવો મજેહને પુત્ર છેડી સાધુમાં શું ભર્યું હશે. જેમ લોકે સાધુ થતા હશે અને એ સાધુઓનેય કાંઈ ધંધે છે કે જે આવ્યો તેને આ મુંડ્યો?” એક સંસારની રસીયણ બલી.