________________
(૨૮)
વિવેક અર્થાત પૃથફ કરવાની ક્રિયા
જન્મથી જ. આપણો યોગ થઈ ગયો છે અનાત્મા સાથે. અનાત્મા અર્થાતુ જડ સાથે, નામી સાથે. આકાર સાથે. સાથ-સંગાથ શોધી આપણે શરુ કર્યું છે સંશોધન નિરાકારનું, જે આપણને સરિયામ નિષ્ફળતામાં ડુબાડી દેશે. બચવાનો, તરવાનો માત્ર એક જ ઉપાય છે કે અનાત્માના યોગથી વિયોગ મેળવીએ. જે શરીર સાકાર છે, દશ્ય છે, નાશવંત છે, અનિત્ય છે તેને મેં વિવેકના અભાવમાં મારું માન્યું. એટલું જ નહીં, “હું જ શરીર છું” તેમ માની જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિનું એક સ્વીકારી લીધું અને ખોટા તાદાથી અનાત્માને આત્મા જાગ્યો, અનિત્યને નિત્ય માન્યું. આવી ભ્રાંતિ કે ભ્રમણા માત્ર વિવેક દ્વારા જ ન થઈ શકે. “ચમ્ તત્ વિપરીતા” જે જે દશ્ય છે તે આવેલું – જન્મેલું છે કારણ કે તે નામી અને સાકાર છે; તેથી જ તે નાશ પામનારું –જનારું છે – અનિત્ય છે; જ્યારે તેથી ભિન્ન સ્વભાવ નિત્યવસ્તુ આત્માનો છે. તે અદશ્ય – અનામી – નિરાકાર – અજન્મા છે; જે નથી આવતો કે જતો; જે છે, હતો અને રહેવાનો.
આમ,બન્ને વિરુદ્ધ સ્વભાવવાળા, સંસારી અને અસંસારી, શરીરી અને અશરીરી, આત્મા અને આનાત્માનો મોહ ભ્રાંતિ અને ખોટા તાદાત્મથી યોગ થઈ ગયો છે, ગોટાળો થઈ ગયો છે, બે વચ્ચે ગૂંચ પડી ગઈ છે. અને તે બન્નેનો ભેદ જાણી તેમને છૂટા પાડવાની ક્ષિા વિવેક દ્વારા કરવાની છે. તેમનો અથ ખોટા યોગનો – દશ્યના સંયોગનો –-વિયોગ કરવો તે જ વિવેક છે, આવા સમ્યક વિવેકને જ ભગવાન પણ સમર્થ યોગ કહે છે. શ્રીકૃષ્ણની ભાષામાં અનાત્માથી વિયોગ તે જ યોગ છે.
તે વિદ્યા સંયો વિયોગ યોગાસરિતા (ભ.ગ.અ. ૬–૨૩)
પોતાને શરીર સમજવું અવિવેક છે, ભ્રાંતિ છે – મૂર્ખતાની પરાકાષ્ઠા છે; જ્યારે પોતાના શરીરથી ભિન્ન આત્મા સમજવો વિવેક છે.
જે છે તે કદી ય ન થાય. હું કદી ‘આ’ ન થઈ શકું. હું તો ક્ટા છું – ચેતન છું અને ‘આ’ ઘર, ‘આ’ પૃથ્વી તરીકે જે મને દશ્ય છે તે તો જડ છે. ‘આ’ શરીર દ૨ય છે, જડ છે. તેના મૃત્યુ પછી પણ હું તો રહું જ છું તો પછી હું =મદઅને ‘આ’=લ,દય ને દ્રષ્ટા એક કઈ રીતે હોઈ શકે? અને જો એક થઈ