________________
(૨૭) ब्रह्म सत्यं जगन्मिथ्येत्येवं रूपो विनिश्चयः । તોડ્યું નિત્યનિત્યવહુવિવેઃ સમુદત: ‘વિ. ચૂડામણિ'
બ્રહ્મ સત્ય છે અને જગત મિઆ છે તેવો જે નિશ્ચય છે તેને નિત્યાનિત્યવસ્તુવિવેક કહેવાય છે.”
પરંપરાગત શબ્દનો કેવો છે પરચો!
આ જ છે ખૂબી પરંપરાગત શિક્ષણપ્રણાલીની. વિવેકનો કેવો અજબ-ગજબનો, આતમરંગી અર્થ! અને આપણે ઊભી કરી અનર્થોની, વ્યર્થોની જમાત. વિવેક શબ્દનો આપણે કેવી રીતે દુરુપયોગ કરીએ છીએ, “જોયું ને, મેં તમને જવાની ના પાડી હતી. તેમણે ચા તો શું પાણીનો ભાવ પણ ન પૂછયો. તદ્દન અવિવેકી છે. “મને આશ્ચર્ય થયું! ગઈ કાલે સ્વામીજી આપણે ઘેર ભિક્ષા લઈ ગયા અને છતાં આપણે પ્રવચનમાં થોડા મોડા પડ્યા કે સૌની વચ્ચે ધમકાવી નાંખ્યા, જરા પણ વિવેક રાખ્યો નહીં.”અરે, તેમાં શું? બિચારા સ્વામીજી કેટલાના ચોકા યાદ રાખે? ભૂલી ગયા હશે” –“હવે ડાહી થા મા. શ્લોકો અને ઉપનિષદો કેટલાં યાદ રાખે છે. ચાલો હવે યાદ રાખજો. પ્રથમ “શિક્ષા” મળી.” “તું પણ યાદ રાખ, સ્વામીજીને પણ આ ઘેર છેલ્લી ભિક્ષા મળી. આ સાધુ, સંતો, મહંતોને વ્યવહાર અને વિવેકનો ખ્યાલ જ હોતો નથી.”
હકીકતમાં તો દરેક શબ્દ તેના સંદર્ભ અને અનુસંધાનને લઈ અનુપમ અર્થ આપે છે. જો શબ્દરૂપી વાહનમાંથી સાર તારવતાં આવડે તો સામાન્ય શબ્દમાંથી પણ પરમ અર્થ હૃદયમાં ઉતારી શકાય. દશ્ય અદશ્ય
વ્યક્ત અવ્યક્ત સઅસત્
નામી-અનામી વિનાશી અવિનાશી જડ ચેતન સાકરનિરાકાર
આત્મા–અનાત્મા
અને
નિત્ય –અનિત્ય વસ્તુ વચ્ચે ભેદ પારખવાની શક્તિને વિવેક કહેવાય છે.