________________
(૨૬)
વિવેક વૈરાગ્યનો પરિચય આપી હવે ગ્રંથ ગતિ કરે છે વિવેકની સમજૂતી માટે. રસ્તો આગળ ધપે ને માઈલસ્ટોન મૂક્યો જાય તેમ ગ્રંથની ગતિ સમસ્યા મૂકી જાય છે. વૈરાગ્ય તો સમજાવ્યો પણ તે જાગે કઈ રીતે? પ્રથમ તો આપણી પાસે સારાસારનો, નિત્ય-અનિત્યનો વિવેક જોઈએ, જેને ‘પાવર ઓફ ડિસ્ક્રિમિનેશન ટુ નો રિયલ એન્ડ અનરિયલ કહેવાય છે. ખરું-ખોટું જાણ્યા પછી જ વૈરાગ્ય આવે – તો પછી કેમ અહીં કમ જુદો છે? વિવેક અને વૈરાગ્ય બન્ને એક જ પંખીની બે પાંખો છે. સતુ-અસહુના વિવેક વિનાનો વૈરાગ્ય તો દૂધના ઊભરા જેવો, સ્મશાનવૈરાગ્ય જ ગણાય. વિવેકરહિત વૈરાગ્ય પાંગળો છે, પણ સાથે જ વૈરાગ્ય વિનાનો વિવેક આંધળો છે. વૈરાગ્યહીન વિવેક માત્ર વાકપટુતા કે વાણીનો વ્યર્થ શ્રમમાત્ર છે. વૈરાગ્ય માટે જેમ પરિપક્વ વિવેનો પાયો જરૂરી છે, તેમ યથાર્થ વિવેક માટે રાગ અને દ્વેષથી મુક્ત, રાગ-વિરાગના વમળથી નિર્મળ થયેલું અંતકરણ પણ આવશ્યક છે. અને રાગ-દ્વેષરૂપી મળથી મુક્ત મન તે જ ઈચ્છા-અપેક્ષારહિત વૈરાગ્યપૂર્ણ મન. જે મન વૈરાગ્યસભર છે, મનની માગોથી શાંત છે તેમાં જ જન્મે છે – સારાસાર-વિવેક.
नित्यमात्मस्वरूपं हि दृश्यं तद्विपरीतगम् एवं यो निश्चय: सम्यग्-विवेको वस्तुन: स वै॥५॥
આત્મિસ્વરૂપ દિ નિત્ય =આત્માનું સ્વરૂપ નિત્ય છે દૃશ્ય તમ વિઘામુ દશ્ય અર્થાત્ જગત તેથી વિરુદ્ધ સ્વભાવવાળું અનિત્ય છે.
હવે ય નિય: તેવો જે નિરચય છે. સ: જે વસ્તુન: તે લખ્યો જ આત્મવસ્તુનો સમક વિવેવ =વિવેક કહેવાય છે. વિવેકના વિચારમાં ઊતરતાં પૂર્વે ભગવાને તત્વબોધ” અને “વિવેક ચૂડામણિમાં આપેલી વિવેકની વ્યાખ્યા પર નજર નાંખી આગળ પ્રવાસ કરીશું “નિત્ય वस्तु एकं ब्रह्म तद् व्यतिरिक्तं सर्वमनित्यम्।अयमेव नित्यानित्यवस्तुविवेकः॥"
“બ્રહ્મ એક જ વસ્તુ નિત્ય છે અને તે સિવાયની બધી જ અનિત્ય છે – આમ સમજવું તે જ નિત્યાનિત્યવસ્ફવિવેક છે.”
–“તત્વબોધ”