________________
(૨૪) વૈરાગ્યને ભૂલથી પણ ફ્લેષ સાથે ન સરખાવી શકાય, નહીં તો સંસાર, તેના વિષયો અને વ્યક્તિ તરફ નફરત ઊભી થશે અને નફરતથી મન શાંતિ નહીં જ મેળવે - ઉદ્વેગ મેળવશે તો તેવા દ્રેષયુક્ત વૈરાગ્યનો શો અર્થ? રાગ અને દ્વેષ બન્ને અંત:કરણનો મળ છે, કચરો છે. વૈરાગ્યપ્રાપ્તિ કરી આપણે કચરો વીણવાનો પ્રયત્ન નથી જ કરતા. તેથી સાચો વૈરાગ્ય એ જ છે જ્યાં નથી રાગ, નથી જ. વ્યક્તિ વ્યક્તિના સ્થાને, વસ્તુ વસ્તુના સ્થાને, વિષય વિષયના સ્થાને અને હું મારા સ્વરૂપમાં મારા
સ્થાને, જેવી રીતે રસ્તે જતાં કાગડાની અઘાર - વિઝા નજરે ચડે તો નથી તે પર આપણને રાગ, નથી કેષ કે નફરત. પણ તેને જોયું-ન જોયું કરી ચાલતા થઈએ છીએ. વિષ્ટા તેના સ્થાને, હું મારા સ્થાને તેને આપણે મહત્ત્વ જ નથી આપતા, નથી તેને “સિલેક્ટ કરતા, નથી “રિજેક્ટ કરતા પણ પ્રતિક્રિયા વિના “નિગ્લેક્ટ કરીએ છીએ, ઉપેક્ષા કરીએ છીએ, તેવી જ રીતે અંત:કરણના મળ તરફ ઈષ્ટિ ન કરતા રાગદ્વેષથી મુક્ત થઈ, બ્રહ્માથી માંડીને તૃણ સુધીના તમામ વિષયો અર્થાત્ સમગ્ર સૃષ્ટિ પરથી દષ્ટિ ખેંચીને “સ્વ” સ્વરૂપમાં ગોઠવી દેવી; સુષ્ટિ તેના સ્થાને અને આપણે આપણા સ્વરૂપમાં પ્રવાસ કરવો તે જ સાચો વૈરાગ્ય છે. ટૂંકમાં, પદાર્થમાંથી નજર ફેરવી પરમાત્મામાં સ્થિર કરવી તે વૈરાગ્ય છે. કાકવિઝા જેમ સંસારની ઉપેક્ષા અને સર્જનહારની અપેક્ષા કરવી તે વૈરાગ્ય છે. જેની ભોગની દિશામાં કે તેથી વિરુદ્ધ દિશામાં દોડ સમાપ્ત થઈ ગઈ છે તેનો જ વૈરાગ્ય નિર્મળ છે.
ધન કે સ્ત્રી સમીપ દોડે તે “રાગી છે. ધન અને સ્ત્રી જોઈ ભડકે, સ્પર્શ પણ ન કરે અને તે બન્નેથી વિરુદ્ધ દિશામાં દોડે તે “વિરાગી છે. બન્ને દોડે છે. એકની દોડમાં રાગ છે; બીજામાં દ્વેષ છે. બન્નેમાં અંત:કરણનો મળ છે; કોઈ “નિર્મળ” નથી. પણ જેના મનની દોડ જ થંભી ગઈ છે, નથી તે કોઈની સમીપ દોડતો (તથી નથી રાગી), નથી દેષથી તે કોઈથી દૂર દોડતો (તેથી નથી તે વિરાગી), પણ જેણે વિષયદોડ થંભાવી દીધી, મનની માગ મિટાવી દીધી તે “વીતરાગી' છે. જેના જીવનમાં નથી આ લોક-પરલોકની ઈચ્છા, નથી પુત્રેચ્છા, નથી વિરેચ્છા, નથી લોકેચ્છા [=માનમરતબો, પ્રતિષ્ઠા, મોભો, પ્રખ્યાતિ તે જ વૈરાગ્યવાન છે અને તેનો જ વૈરાગ્ય નિર્મળ છે – “તત વરા ફિ નિર્મત',