________________
(૨૩)
વૈરાગ્ય ब्रह्मादिस्थावरान्तेषु वैराग्यं विषयेष्वनु। यथैव काकविष्टायां; वैराग्यं तद्धि निर्मलम्॥४॥ # વિષયાં યથા પ્રાપ્ત ] =કાગડાની વિટ્ટામાં જેવો વૈરાગ્ય છે તેવો જ तथाएव દ્રાવિ રાવરાન્તપુ વિષયેy=બ્રહ્માથી માંડીને તૃણ સુધીના સ્થાવર, પશુ, .
પક્ષી તમામ વિષયોમાં વૈરાગ્ય થાય. તત રાજ્ય હિ નિર્મત =સે જ શુદ્ધ વૈરાગ્ય છે. “બ્રહ્માથી લઈને (વાણ સુધીના) તમામ સ્થાવર વિષયોમાં (સત્યલોક, મર્યલોકાદિનાં સર્વ ભોગસાધનોમાં) વૈરાગ્ય હોવો જોઈએ. જેવો તટસ્થ વૈરાગ્ય કાગડાની વિઝામાં છે તેવો સર્વ વિષયોમાં થાય તે જ નિર્મળ વૈરાગ્ય છે.”
વૈરાગ્ય સમજાવતાં ભગવાન શંકરાચાર્ય “વિવેક ચૂડામણિમાં જણાવે છે કે “હામુત્ર નમોવિયા આ લોક અને પરલોકના કોઈ વિષય ભોગની ઇચ્છા ન થવી તે વૈરાગ્ય છે-“દ વમોms છાદિત્ય .” જે “સ્વ”
સ્વરૂપના સાક્ષાત્કારની યાત્રા કરવા તત્પર થાય છે તેને સ્વરૂપના વિચારો જકડી રાખે છે અને આત્મજ્ઞાનની તાલાવેલીમાં ચિંતન કરતાં સમજાય છે કે “સ્વરૂપને ખોઈને જે મારા આત્મજ્ઞાનના ભોગે, પોતાને ગુમનામ કરીને મોટામાં મોટો સૂષ્ટિનો વૈભવ કે બ્રહ્માનો ખજાનો પ્રાપ્ત થાય તો પણ તે શા ખપનો? નિજાનંદના ભોગે સૃષ્ટિની સમસ્ત સલ્તનત કે દોલત વ્યર્થ છે, અનર્થ છે, નિરર્થક છે. અને તૃણમાત્ર પણ ન હોય છતાં જો મને મારું નિજ સ્વરૂપ મળે તો જ જીવન સાર્થક છે. જે સ્વ-રૂપ સમજાય તો શું મારું નથી? મમત્વના - મમતાના વર્તુળમાં જ, મમ-માવના કૂંડાળામાં જ અજ્ઞાનથી મેં મારી જાતને “વ્યષ્ટિ' તરીકે કેદ કરી છે. હું કેમ ભૂલ્યો કે મમત્વના વર્તુળને વીંધી હું સમષ્ટિ થઈ શકું તેમ છું અને મન-માવના કુંડાળાને તોડું તો હું વ્યક્તિથી વિરાટ છું. સમષ્ટિ અને વિરાટ ભાવના પાસે શું નથી કે તે વિષયભોગની ઇચ્છા કરે? અરે, વિષયદોડ છે વૈરાગ્યના અભાવમાં, ભય છે વૈરાગ્યના વિયોગમાં, આસક્તિ છે વૈરાગ્યની અનુપસ્થિતિમાં.
વૈરાગ્યનો અર્થ વિરાગ ન જ થાય. રાગ અર્થાત્ વિષય, વ્યક્તિ કે પરિસ્થિતિની સમીપ દોડવું અને વિરાગ અર્થાત્ વિષય, વ્યક્તિ કે પરિસ્થિતિથી વિરુદ્ધ દિશામાં દોડવું. બન્નેમાં મનની દોડ ચાલુ છે. રાગમાં આકર્ષણ છે.