________________
(૨૫) આજે અસ્તિત્વમાં છે વાતો વૈરાગ્યની અને લાતો ઉપદેશની. “હેશે વહિત્ય” જેવી દશા છે.
ત્યાગ વૈરાગ્યની ઠેકડી સહુ કરે; ‘મુંડને મોક્ષ એ સૂત્ર સોધું થયું, ભોગમાં મસ્ત થઈ ગત ડોલે
વ્યાસ શાંડિલ્ય ગમ કોણ દોડે? ગુરુતણો રાફડો ચોદિશે ફાટીઓ આપપંથી બધા આત્મ નવ ઓળખે જેહને જે ગમે તેને મૂડ,
દેવને ભૂલી મંદિર પૂજે.”
-શ્રી રંગ અવધૂત નિર્મળ વૈરાગ્ય તો હતો નચિકેતાનો. તેને કાગડાની વિઝાની જેમ સમગ્ર બ્રહ્માંડના ભોગ તુચ્છ જણાયા. તેને લગની લાગી આત્મજ્ઞાનની; તેને જાણવું હતું રહસ્ય જીવનું, આત્માનું મૃત્યુનું અને તે પણ સાક્ષાત્ કાળ પાસેથી, યમરાજ પાસેથી. કઠોપનિષદમાં તેણે યમરાજને જ મૃત્યુનું રહસ્ય પૂછી મૂંઝવી નાખ્યા – આ તો ટ્રડ સિક્રેટ', સૌની “ફાઈનલ ફોર્મ્યુલા.” નચિકેતાનો પ્રશ્ન હતો કે મૃત્યુ પામેલાના વિષયમાં એવો જે સંદેહ છે કે મરણ પામ્યા બાદ આ આત્મા રહે છે – અને કોઈ કહે છે રહેતો નથી. હું આપના દ્વારા જ સમજવા માગું છું કે ખરેખર છે શું? આ જ મારું ત્રીજું વરદાન છે.” પ્રશ્ન સાંભળી યમરાજ આશ્ચર્ય પામ્યા. છતાં નચિકેતાને વિષય-લાલચ આપી અને ટ્રડ સિક્રેટ” સાચવી રાખવાના હેતુથી તેમણે કહ્યું : “જિતો મi માનુBક્ષ' 'નચિકેતા, મરણ સંબંધી પ્રશ્ન ન પૂછીશ.” તેના બદલામાં હું તને મનુષ્યલોકમાં દુર્લભ છે તે સર્વ આપીશ. તે બધું તું સ્વચ્છંદતાથી માગી લે. આ રમણીઓ, અપ્સરાઓ, વાજિંત્રો, રથ, અરે “મામિ મwત્તામિક પરિવાયત્ત્વ' મારા દ્વારા અપાયેલ (આ નારીઓ) થી તું તારી સેવા કરાવ. પણ મરણ સંબંધી પ્રશ્ન ન પૂછ.' નચિકેતા તો વૈરાગ્યનો સાક્ષાત્ અગ્નિ હતો. તરત જ કહ્યું: “પિ સવ નીતિમત્વમેવ તવ વાહિતવ નૃત્યતે – આ સંપૂર્ણ આયુષ્ય પણ અલ્પ જ છે, માટે આપની અપ્સરાઓ, વાહનો, રથો, નાચગાન આપની પાસે જ રહેવા દો.”
જ્યાં સુધી વિવેક દ્વારા જન્મેલો આવો વૈરાગ્ય નહીં જાગે ત્યાં સુધી અપરોક્ષાનુભૂતિના આંગણમાં પણ પ્રવેશ બંધ દેખાશે અને દરવાજા ખૂલેલા દેખાશે દૂરથી.