Book Title: Rikhavdev
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jyoti Karyalay
Catalog link: https://jainqq.org/explore/034598/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ બાળસંશાવળી : પ્રથમ શ્રેણી : ૧ છે શ્રી રીખદેવ લેખક : ધીરજલાલ ટોકરશી શાહ સર્વ સ્વાધીન ? શ: જ્યોતિ કાર્યાલય પાડાળ સામે, ગાંધીરોડ, અ ય રા વા . છછછછછછછછછછ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તક મુંબઇ ઇલાકા કેળવણી ખાતામાં તથા વડેદરા - રાજ્યની લાયબ્રેરીએ અને ઇનામ માટે મંજૂર થયેલું છે ? તથા જે. જે. મૂ. ૫. એજયુકેશન બોર્ડ તરફથી કન્યાધોરણ પ્રથમમાં પાઠ્ય પુસ્તક તરીકે મંજૂર થએલું છે. આ પુસ્તકની આવૃત્તિઓ પ્રથમ આવૃત્તિ ૧૦૦૦ આસો સુદ ૯ ૧૯૮૪ બીજી આવૃત્તિ ૫૫૦૦ કારતક સુદી ૧૩ ૧૯૮૫ ત્રીજી આવૃત્તિ ૧૫૦ શ્રાવણ વદ ૦)) ૧૯૮૬ ચોથી આવૃત્તિ ૧૫૫૦ માહ સુદી ૧૫ ૧૯૯૦ પાંચમી આવૃત્તિ ૧૧૦૦ ભાદરવા સુદ ૧ ૧૯૯૨ સુધારાવધારા સાથે હિંદીમાં , પ્રથમ આવૃત્તિ ૧૦૦૦ ફાગણ ૧૯૮૮ બાળગ્રંથાવલીની પ્રકાશિત થયેલી કુલ પ્રતિ સંવત ૧૯૯૨ ના ભાદરવા સુદી ૧ પ્રથમ શ્રેણી ૮૮૮૫૦, બીજી શ્રેણી ૪૭૦૦૦, ત્રીજી શ્રેણી ૪૦૦૦૦ ચોથી શ્રેણી ૨૬૫૦૦, પાંચમી શ્રેણું ૨૫૦૦૦, છઠ્ઠી શ્રેણું ૨૫૦૦૦ હિંદી પ્રથમ શ્રેણી ૨૧૫૦૦ કુલ નકલ ૨૭૩~- બે લાખ તહેતેર હજાર આઠસો ને પચાસ. : : સુતા અને પ્રકાશક : ધીરજલાલ ટોકરશી શાહ .:, .. જ્યોતિ મુદ્રણાલય : ગાંધી રોડ : પાડાપોળ સામે ઃ અમદાવાદ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ પાંચમી આવૃત્તિ પ્રકટ કરતાં નોરં તત્વજ્ઞાન સામાન્ય જનસમાજને પચતું નથી. એને 'તે એ તત્વજ્ઞાન કથાઓ દ્વારા રજૂ થાય તે જ સમજમાં આવે. કદાચ એની સીધી અસર ન જણાય તે પણ સૂક્ષ્મ રીતે એના સંસ્કાર મન પર પડે છે. આથી જૈન સાહિત્યને વિશાળ પ્રદેશ આ કથાઓએ રેકેલે છે. સમય તથા કેની રૂચિ પ્રમાણે એ એ કથાઓમાં વિદ્વાન લેખકોએ બિ તથા ભાષાને ઉપયોગ કર્યો છે, છતાં જેમ માળાના અનેક મણકાઓ એક જ સૂત્રથી ગુંથાયેલ હોય છે તેમ આ કથાઓ એક શાંત રસ-રામ ભાવનાની સિદ્ધિને માટે ગુંથાયેલી છે. આ કથાઓનું લક્ષ્ય મનુષ્યમાં રહેલી પાશવત્તિને ઉશ્કેરીને અધમ આનંદ આપવાનું નથી એટલે એમાં શૃંગાર વીર-કરણ અભૂતાદિ બધા રસેનિ “છુટથી ઉપાબ હોવા છતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ તેમને ગૌણ સ્થાન આપવામાં આવ્યું છે. આ કથાઓનું સાધ્યુ મનુષ્ય જીવનમાં રહેલા કષાયના અગ્નિને શાંત કરી આત્મરસને અનુભવ કરાવવાનું છે, એમાં તેણે ઘણી સફળતા મેળવી છે એ નિર્વિવાદ છે. ભિન્ન ભિન્ન ભૂમિકાપર રહેલા મનુષ્યાને કથાઓના ભિન્ન ભિન્ન સ્વરૂપે જ એધી શકાય : એ મહાન સત્ય લક્ષમાં રાખીને આ કથાઓની ચેાજના થયેલી છે. એમાં કેટલાક વાસ્તવિકતાને જ શોધવા મથતા સાહિત્યકારને અસંભવિત કથાઓ–અડીન કથાઓ લાગે છે. પણ તેઓ ભૂલી જાય છે કે વાસ્તવિકતાના મહાન પૂજારી પશ્ચિમના દેશોમાં પણ પ્રથમ ભૂમિકાને માટે પરીવાર્તાઓના છુટથી ઉપયાગ થાય છે. બધી કથા વાસ્તવિક હાવી જોઇએ એવું કાંઇ જ નથી. કલ્પનાને પૂર્ણુ છુટ આપવા માત્રથી એ વાતનું મહત્વ જરાયે ઓછું થતું નથી. બલ્કે જેને ઉદ્દેશીને લખાઇ છે એ ઉદ્દેશ જોતાં વધે છે, આજથી ઘેાડાં વર્ષો પહેલાં મુદ્રણકળાને પ્રચાર ન હતા ત્યારે આ વાતા કદાચ આજના કરતાં પણ વધારે પ્રમાણમાં જનસમાજને પહોંચતી. તેનાં કારણેા અનેક છે. જીવનવિગ્રહ ગ્ર નહિ હોવાથી શાંત ભાવે વ્યાખ્યાનાદિનું શ્રવણું થતું. પુરસદના સમયમાં એ કથા ષડળીઓમાં કહેવાતી. સંસ્કારી માતાના : બાળકો. ભાગ્યે જ એવાં હશે કે જેણે માતાની ભક્તિભરી ને મીઠી વાણીથી આ મહાન વ્યક્તિઓના ઉત્તમ ચરિત્ર નહિ સાંભળ્યા હોય. લેખકને તો એતા અપૂર્વ લાભ મળેલ છે ને એણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ એવો લાભ બીજાને મળતો જે છે. પરંતુ જીવનની દિશા બદલાતાં આજની માતાઓ ધર્મના સંસ્કારમાં ઉતરતી જાય છે. પિતાના ધર્મનું તથા આવી. કથા આદિનું સંગીન જ્ઞાન હોય તેવી મહિલાએ આજે બહુ થોડી મળશે. એટલે આજના બાળકોને આ અમૂલ્ય વારસાથી વંચિત થવાને પ્રસંગ આવ્યું છે. આ પરિસ્થિતિ અસહ્ય છે. . ધાર્મિક શિક્ષણ તરીકે, જ્યારે બાળકને સહવાસમાં આવતાં મને જણાયું કે મહાનમાં મહાન વ્યક્તિના જીવનચરિત્ર માટે બે બેલ પણ દશ દશ વર્ષની ઉમ્મર સુધી તેમને મળ્યા નથી ત્યારે એ સંબંધી ખૂબ લાગ્યું અને કઇ પણ જાતની આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાં એ દિશામાં નમ્ર પ્રયાસ કરવા પ્રયત્ન કર્યો. આજે એ જાતના સાહિત્યના અર્થાત બાળગ્રંથાવળીનાં ૧૨૦ પુસ્તક તૈયાર થયાં છે. જેને જૈન સમાજના બધા વર્ગે હાર્દિકે સત્કાર આપ્યો છે. એથી જ પાંચ વર્ષ જેટલા સમયમાં તેની લાખે નકલ પ્રસિદ્ધ કરવા શકિતમાન થયો છું. ને આ પુસ્તકની પાંચમી આવૃત્તિ પ્રગટ કરવાનું બન્યું છે. આ સઘળું જોતાં એટલું કહી શકાય કે મારે પ્રયત્ન કાંઈક અંશે સફળ થયે છે. આજે છે કે જેને ભાઈઓને મોટે ભાગે વ્યાપારપ્રિય હેવાથી સાહિત્ય તરફ જોઈએ તેવું લક્ષ આપતો નથી, પણ હવે એ સમય આવી પહોંચ્યો છે કે જ્યારે એની ઉપેક્ષા બિલકુલ ચાલી શકશે નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ જે જે ભાઇઓએ આજ સુધી આ પ્રથાવળા તરફ પાતાની સહાનુભુતિ ને મદદ દર્શાવ્યા છે કે ભવિષ્યમાં પ્રગટ કરવા ધારેલી જુદી પણ તે મદદ કરે તે જૈન સાહિત્યના પ્રચાર ચેાગ્ય ફાળો આપે. વદે વીરમ તેમને એકજ વિનંતી જુદી ગ્રન્થમાળાઓમાં કરવામાં મેતામ ભાદ્રપદ સુદી ૧ : ૧૯૯૨ નાણાવટી બીલ્ડીંગ : ગાંધીાડ ભાવાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat લી. સધસેવક ધીરજલાલ www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રી રીખવઢવ -૧ઃ ધૃણા જુના સમયની વાત છે. જ્યારે આ દેશમાં ન્હાતાં ગામનગર કે ન્હાતાં પુરપાટણ. સઘળે લીલી કુંજાર ઝાડી. જ્યાં જુ ત્યાં અમૃત જેવાં મીઠાં ફળ. જ્યાં જુ ત્યાં અમૃત જેવાં મીઠાં પાણી. માણસા આર્વા અમૃત ફળ ખાય ને મીઠાં પાણી પીએ. જંગલમાં હરે ફરે અને મન્ન કરે, નહિ કોઇને ક કે નહિ કાઇને કંકાસ, જંગલમાં એમ હરેફરે છે અને મા છે કરે છે. એવામાં આવ્યા હાથીભાઈ. એમની સાથે : એક માણસને થઈ દાસ્તી. એટલે દરરોજ તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ શ્રી રીખવદેવ હાથી પર ચડે ને જંગલમાં ફરે. એ માણસનું નામ વિમળવાહન. કાળનો મહિમા અજબ છે. ધીમે ધીમે ફળફળાદિ થયાં ઓછાં ને માણસોએ માંડયું લડવા. એક કહે કે મારું ઝાડ અને બીજે કહે કે મારું ઝાડ. એક કહે એનાં ફળ હું લઉં ને બીજો કહે એનાં ફળ હું લઉં. એવામાં નીકળ્યા વિમળવાહન. તે હાથી પર બેઠા છે ને દેવ જેવા શોભે છે. માણસે લડતા લડતા એમની પાસે ગયા અને કહ્યું : બાપજી ! અમારી તકરાર પતાવો.' વિમળવાહન કહે, “આ ઝાડ તમારું ને આ ઝાડ તમારુ. જા કેઈ લડશો મા ! ખાઓ પીઓ ને મોજ કરો ? આ વિમળવાહન આ ટોળીના–કુળના સ્વામી થયા એટલે ગણાયા કુળકર. આ વાતને વરસ વીતી ગયાં. વિમળવાહન ગુજરી ગયા ને તેમની છ પેઢીઓ પણ ચાલી ગઈ. સાતમી પેઢીએ થયા નાભિ કુળકર. તેમની સ્ત્રીનું નામ મરૂદેવા. તેમને રૂપ રૂપના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્રી રીખવદેવ અંબાર ને કંચન જેવી કાયાવાળા દીકરો જમ્યા. તેમનું નામ રાખવદેવ. તે લાડકોડે ઉછરે છે ને મોટા થાય છે. ૩: એક દિવસ દેવી જેવી એક બાળા વનમાં ફરી રહી છે. નથી બિચારીને મા કે નથી બિચારીને બાપ! બીજા માણસો તેને રખડતી જોઈને લાવ્યા નાભિકુળકર પાસે. તેનું નામ સુનંદા. નાભિ કુળકર કહે, “કન્યા બહુ સારી છે. રીખવને પરણાવીશું. આ એક સુનંદા ને બીજી એક સમંગળા.” રીખવદેવને પરણાવવાની ધામધુમ ચાલી. બધી તૈયારીઓ થઈ ગઈ ને રીખવદેવ સુનંદા તથા સુમંગળાને પરણ્યા. સઘળે જેજેકાર થઈ રહ્યો. સહુ આનંદમાં વખત પસાર કરવા લાગ્યા હવે સુમંગળાને થયું એક પુત્રપુત્રીનું બેડલું. એમનાં નામ પાડયાં ભરત અને બ્રાહ્મી સુનંદાને પણ થયું એક પુત્રપુત્રીનું જોડલું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ શ્રી રીખવદેવ એમનાં નામ પાડ્યાં બાહુબળી ને સુંદરી. સુમં. ગળાને બીજા પણ ઘણુ પુત્રો થયા. એ વાતને વર્ષો વીતી ગયાં. હવે તે અમૃત જેવાં ફળો યે ઘટી ગયાં ને અમૃત જેવાં પાણી યે મટી ગયાં. માણસે પાંદડાં, ફળફુલને જંગલમાં ઉગેલું અનાજ ખાય. પણુ એ અનાજ પચે નહિ. અનાજ ખાય અને દુખી થાય. એક દિવસ બધા રીખવદેવ પાસે આવીને કહેવા લાગ્યા. “દેવ ! કેઈ ઉપાય બતાવે. અમને ખાધું કાંઈ પચતું નથી.’ રીખદેવ કહે, “અનાજને હાથથી મસળી, પાણીમાં પલાળો ને પડીઆમાં લઈને ખાઓ તો અપચો નહિ થાય.” માણસે હવે તેમ કરવા લાગ્યા. પણ થોડા દિવસ થયા ને ફરીથી અપચો શરૂ થયો. એટલે સહુ કહે, “ચાલો રીખવદેવ પાસે; એમના સિવાય આપણું કેણ છે?’ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રી રીખવદેવ ૧૧ સહુ રીખવદેવ પાસે આવ્યા અને કહ્યું કહ્યા પ્રમાણે કર્યું, પણ ભગવન્ ! આપના અનાજ ખાધુ' પચતું નથી. ’ રીખવદેવ કહે. · પછીથી ખાજે. ! મુઠીમાં રાખા ને પલાળેલા અનાજને માણસા કહે, હાશ ! હવે નિરાંત થઇ. ' પણ થાડા દિવસ થયા ને ફરી પાછે! અપ્ચા થવા લાગ્યા. ‘ હવે કરવુ’શુ !' સહુ એ વિચારમાં પડયા. એવામાં થયેા પવન ! શું પવન ? શું પવન ? સામસામી ઝાડની મોટી ડાળેા અથડાય ને જબ્બર કડાકા થાય. જ્યાં આ ત્યાં વા ને ટાળીએ. જ્યાં જુએ ત્યાં ડાળોના કડાકા. એમ ઝાડની ડાળા ખૂબ ધસાણી એટલે થયા દેવતા. એ તા ભડભડાટ સળગવા લાગ્યા. ભેાળા બિચારા માણસા કહે, ‘ અલ્યા! આ કાંઇક લેવા જેવુ આવ્યુ, હવે કેવુ ઝગે છે ને ! ચાલો અને ઉપાડી લઇએ. 1 જ્યાં લેવાને હાથ લખાવ્યાં ત્યાં તેા હાથ દાઝયા. ‘ આય આપરે ! આ તા બહુ ભુડા ! ' એમ કહીને : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રી રીખવદેવ સહુ બુમ પાડવા લાગ્યા. પછી ગયા રીખવદેવ પાસે અને કહેવા લાગ્યા : બાપુજી! જંગલમાં કઈક ભૂત આવ્યો છે, તે બધાને બહુ હેરાન કરે છે. માટે એનું કાંઈકરો.” રીખદેવ કહે, “એને હાથથી અડશે મા. એની આસપાસની ઘાસ કાઢી નાખશે ને તેના પર લાકડાં ઘરજે. એવાં લાકડાં એકઠાં કરજો અને તમારું પલાળેલું અનાજ એનાથી રાંધજો. એ અનાજ ખાશે તો અપચે નહિ થાય.’ માણસો સહ જંગલમાં આવ્યા ને ઘાસ ધુ દૂર. ધીમે ધીમે સળગતાં લાકડાં એકઠાં કર્યો ને બનાવ્યું મોટું તાપણું. પછી પલાળીને પિતાની મુઠીમાં રાખેલાં અનાજ તાપણામાં નાખ્યાં અને રંધાવાની રાહ જોતા બેઠા. પણ અનાજ તે એમ રંધાતાં હશે ? થોડીવારમાં બધું બળીને રાખ થયું. પાછું તે શું મળે ? માણસે કહે, “ આ તો અલ્યા બહુ ભુડે ! જેટલું આપીએ છીએ તેટલું ખાઈ જાય છે ને પાછું તો કાંઈ પણ આપતો નથી !' સહુ નિરાશ થઈને આવ્યા રીખદેવ પાસે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ = = = શ્રી રીખવદેવ ૧૩ રીખદેવ હાથી પર બેઠા છે ને દેવ જેવા શોભે છે. તેમણે કહ્યું : “લાવો માટીને લીલો પડે. ' - થોડી વારમાં પીડે આવ્યા. રીખવદેવે તે પીંડે હાથીના માથા પર મુકયો ને તેનાં સુંદર મજાનાં વાસણો બનાવ્યાં. એ વાસણ માણને બતાવીને કહ્યું કે “આવાં વાસણે બનાવે ને તેમાં અનાજ રાંધે. ' સહુએ હવે તેમ કરવા માંડયું. : ૫ : માણસે વાસણમાં રાંધે છે ને ખાય છે, પણ હવે વાસણે રાખવાં કયાં ? હવે તે પહેલાંનાં જેવા શરીર પણ રહ્યા નહિ. રાતવરત જંગલી જનાવરોને હુમલો થાય ને રક્ષણ કરવું પણ ભારે પડે. રીખવદેવે વિચાર્યું : “આમને હવે ઘર વિના નહિ ચાલે. માટે ઘર બાંધતાં શીખવું. ? એટલે થોડા માણસને બોલાવ્યા ને ઘર બાંધતાં શીખવ્યું. ત્યારથી માણસે ઘર બાંધીને જંગલમાં રહેવા લાગ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રી રીખવદેવ પણ ઘર તે એમને એમ શાભે ? કાંઇક ચિતરામણ હેાયા ઠીક. શ્રી રીખવદેવે એથી કેટલાક માણસેાને ચિતરતાં શીખવ્યું. પણ થાડા દિવસેા ગયા ને બીજી ચિંતા ઊભી થઇ ! માણસાને નાગા રખડતાં શરમ લાગી,તેમણે વિચાયુ કે શરીર ઢાંકવા માટે કાંઇક હાય તા સારું એથી ટાઢ તાપ પણ આછાં લાગે. શ્રી રીખવદેવે જાણ્યુ કે હવે માણસાને કપડાં વિના નહિ ચાલે, એટલે થોડાને મેાલાવીને ઝાડની છાલનાં કપડાં બનાવતાં શીખવ્યું. : : આમ ધીમે ધીમે રીખવદેવે લેકેાને કળા શીખવી. પણ હવે માણસાનાં મન થયાં મેલાં. જ્યાં જીઆ ત્યાં કથ્થૈ ને જ્યાં જુએ ત્યાં લડાઈ. છેવટે માણસા લડી લડીને કંટાળે અને આવે રીખવદેવ પાસે. ૧૪ એક દિવસ કેટલાક માણસેાએ આવીને કહ્યું: • દેવ ! હવે તેા આ કમકકાશ મટે એવુ કરો તા સારું કાઈ કાઇનું માનતુ નથી અને હમેશાં લડાઈ ટટા ચાલે છે. ’ રીખવદેવ કહે, ‘ રાજા હેાય તે આ બધુ મટે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૫ શ્રી રીખવદેવ માણસે કહે, “ તમે અમારા રાજા.” રીખવદેવ કહે, “પિતાની રજા સિવાય રાજા ન થવાય. તમે પિતાજી પાસે જઈને વિનંતિ કરો! એ કહે તેમ કરીશ.” આથી બધા નાભિ કુળકર પાસે આવ્યા ને વિનંતિ કરી. નાભિ કુળકર કહે, “ભલે, રીખવદેવ તમારે રાજા થશે.” પિતાની રજાથી રીખવદેવ રાજા થયા. તેઓ સહુથી પહેલા રાજા થવાથી આદિનાથ કહેવાયા. અત્યાર સુધી લોકો જંગલમાં છુટાછવાયા રહેતા, પણ રીખવદેવ રાજા થયા એટલે એક સુંદર શહેર વસ્યું. શહેરના ફરતે મજબુત કેટ થયા. અંદર મોટાં મોટાં મકાનો ને મોટી મેટી શેરીઓ થઈ મેટી મોટી બજારે બંધાઈ ને મોટા મોટા ચોક બન્યા. આ પ્રમાણે ઠેર ઠેર ગામ વસ્યાં, ને પુરપાટણ થયાં. જોતજોતામાં દેશમાં સઘળે સુધારે ફેલાયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ શ્રી રીખવવ હવે તે લેાકેા હાથથી ખેતી કરે અને અનાજ પકવે. પણુ હાથથી તે ખેતી કેટલે વખત થાય ? એટલે શ્રી રીખવવે લેાકેાને ગાય, ભેંસ, ઘેાડા ઈત્યાદિ જગલમાં રહેતાં જનાવરોને પાળતાં શીખવ્યુ. ૧૬ લેાકેા જનાવર પાસે ખેતી કરાવવા લાગ્યા, ને ગાય, ભેસમાંથી દૂધ પણ મેળવવા લાગ્યા. જનાવરની મદદથી ખેતી ખૂબ થવા લાગી, ને પાક પણ ખૂબ થવા લાગ્યા. પછી તા એક ખીજામાં માલની લેવડદેવડ થઇ ને વેપાર શરૂ થયા. વેપાર પણ જોતજોતામાં ધણા વધ્યા. આ પ્રમાણે બધી જાતના સુધારે। શ્રી રીખવદેવે દાખલ કર્યો, એથી તે આજની માનવજાતિના પ્રથમ સુધારક ગણાય છે. :<: આદિનાથ રાજપાટ ભાગવે છે ને આનંદ કરે છે. એવામાં એમને વિચાર આવ્યા કે, લેાકેાને મેં કળાઓ તે શીખવી, પણ ધર્મ નથી શીખવ્યા; માટે ધર્મ શરૂઆત દાનથી થાય એટલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat શીખવું. ધની રાજમહેલે દાન www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રી રીખવદેવ ૧૭ શાળા માંડીને એક વર્ષ સુધી અઢળક દાન દીધુ. પછી એમણે પેાતાના બધા પુત્રોને જુદા જુદા દેશનું રાજ્ય સાંપી દીધું, ને પાતે બંધા વૈભવ છેાડી તદ્દન સાદુ' જીવન શરૂ કર્યું. તદ્દન સાદું જીવન ગાળનારને સાધુ કહેવાય. મતલબ કે શ્રી રીખવદેવ સાધુ થયા. એમના શરીર પર એક જ કપડું. માથુ ને પગ ઉઘાડા. ન ગણે ટાઢ કે ન ગણે તડકા, ખસ જ્યારે જુએ ત્યારે ધ્યાન. ભિક્ષા લેવા જાય પણ માણસા જાણે નહિ કે તેમને શું અપાય ! કાઈ કહે, ‘આ ઘરેણાં લ્યા, ' કાઇ કહે, ‘આ કન્યા લ્યા. ' પણ સાધુને એ શુ' કામનાં ? એમ કરતાં વરસ એક વીતી ગયું. રીખવદેવ ફરતા ફરતા હસ્તિનાપુર આવ્યા. લેાકેાનાં ટાળેટાળાં એમનાં દર્શન કરવા ઉલટી પડયાં ને પેાતાને ઘેર ભાજન લેવાનાં માતરાં દેવા લાગ્યા. પણ રીખવદેવ કાંઈ ખાલ્યા નહિ. એમ કરતાં આવ્યા શ્રેયાંસકુમારના મકાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રી રીખવદેવ આગળ. શ્રેયાંસકુમાર રીખવદેવના પુત્ર બાહુબળીના પાત્ર થાય. લોકો ચારે બાજુએ ટાળે મળ્યાં છે ને કોલાહલ થાય છે. શ્રેયાંસકુમારે આ કેલાહલ સાંભળી છડીદારને કહ્યું, “બહાર જઈને તપાસ કર ! આટલો બધે અવાજ શેને થાય છે?’ છડીદારે બહાર જઈને તપાસ કરી, અને પાછા આવીને જણાવ્યું : “ જી મહારાજ શ્રી રીખવદેવ ભગવાન જે આપના વડા દાદા છે. તેઓ પધાર્યા છે. તેમની આસપાસ લોકેનાં ટોળે ટોળાં મળ્યાં છે. અને એથી આટલો બધો અવાજ થાય છે.” શ્રેયાંસકુમાર આ સાંભળી એકદમ દેડ્યા ને પ્રભુના પગમાં માથું મૂકી દીધું. તેમનું હૈયું ભક્તિ અને આનંદથી ઉભરાઈ ગયું. આનંદના ઉભરામાં વિચાર કરતાં કરતાં તેમને ખબર પડી કે સાધુને કેવી ભિક્ષા અપાય. આ વખતે શ્રેયાંસકુમારને ત્યાં શેરડીનો રસ આવેલો હૌં. તેમણે શ્રી રખવદેવને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રી રીખવદેવ વિનંતિ કરી કે “ભગવાન મારે ત્યાંથી ભિક્ષા લઈ મને પાવન કરો. આપને લેવા લાયક આ શેરડીનો રસ તૈયાર છે.” આ સાંભળી શ્રી રીખવદેવે પિતાના બેહાથ ધર્યા. હાથે એ જ તેમનું વાસણ હતું. આમ એક વરસની આખરે શ્રેયાંસકુમારે શ્રી રીખવદેવને શુદ્ધ ભિક્ષા આપી. શ્રી રીખવદેવે એનાથી પારણું કર્યું, એટલે સઘળા લોકો હરખાયા, તેમણે બધાએ શ્રેયાંસકુમારને ધન્યવાદ આપ્યો ને કહેવા લાગ્યા કે ધન્ય આવા સુપાત્રને ! ધન્ય આવા દાન દેનારને!' આદિનાથ ભગવાન આ પ્રમાણે ઘણું ફર્યા. ફરતાં ફરતાં તેમને દુનિયાનું સાચું અને પુરું જ્ઞાન એટલે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તેમણે લોકોને ઉપદેશ દીધો. પોતાની ભૂલો સુધારી જીવનને પવિત્ર બનાવવું. કઈ જીવને મારવો નહિ. સહુ સાથે હેતથી વર્તવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ ૨૦ જીરું ખાલવુ નહિ. ચોરી કરવી નહિ. શ્રી રીખવદેવ શીયળવ્રત પાળવું. સતાષથી રહેવુ. વ્યસના પાડવાં નહિ. સતાની સેવા કરવી વગેરે ધણા લાકા આ ધમ પાળવા લાગ્યા. જે લેાકા ઉપર કહેલા ધર્મ પાળવા લાગ્યા તેમના એક સંધ સ્થાપ્યા. એ સધ તીર્થ પણ કહેવાય છે, તેથી આદિનાથ પહેલા તી કરનારા તીર્થંકર થયા. આવી રીતે ઘણા વખત ઉપદેશ આપીને તે નિર્વાણ પામ્યા. આજે પણ લેાકેા સવારમાં ઊઠી તેમનું સ્મરણ કરે છે. છે. શ્રી રીખવદેવનાં ઘણાં ઘણાં તીર્થં શત્રુંજય, આજી, રાણકપુર, કેશરીયાજી, ઝગડીયાજી, વગેરે. ખાલા રીખવદેવ ભગવાનકી જે! ખાલા શ્રીઆદીશ્વર દેવકી જે! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ ©©©©©©©©A બાળ ન્હાવી : પ્રથમ શ્રેણી : ૨ ©ess નેમ-રાજલ 609 © : લેખક : ધીરજલાલ ટોકરશી શાહ, ©©©©©©©©©©©©©©© SA : પા Tags સર્વ હક સ્વાધીન આવૃત્તિ પાંચમી = કુલ ર૦૦: સંવત ૧૯૯૧ મૂલ્ય સવાઆને. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ : ધીરજલાલ ટોકરશી શાહ અતિ કાર્યાલય રતનપોળ, અ મ દ વ દ. પહેલી વાર ૧૨૫૦ કારતક ૧૫-૧૯૮૫ બીજી વાર ૧૧૦૦ ચૈત્ર વદ ૧'-૧૯૮૫ ત્રીજી વાર ૭૫૦ શ્રાવણ સુદ ૧૫-૧૯૮૬ ચોથી વાર ૧૦૦૦ આસો સુદ ૧૫'-૧૯૮૭ પાંચમી વાર ૧૧૦૦ જેઠ વદી ૧)-૧૯૯૧ જેમના સમૃદ્ધ કથાભંડાર માંથી ચેડાં કથારને પામી શકો તે પૂજ્ય માતુશ્રીને આ બાળગ્રંથાવળાની પ્રથમ શ્રેણીનું દ્વિતીય પુષ્પ ભક્તિ પૂર્વક ચડાવું છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ નેમ રાજાલ - ૧ : એક હતું મોટું શહેર. બરાબર જમના નદીને કિનારે. તેનું નામ શારિપુર. ત્યાં એક ભલા રાજા રાજય કરે. તેમનું નામ સમુદ્રવિજય. તેમની રાણુનું નામ શિવાદેવી. શિવાદેવીથી તેમને એક પુત્ર થશે. તેમનું નામ અરિષ્ટનેમિ. તેમને બધા ને મનાથ પણ કહેતા. શું નેમનાથનું જ્ઞાન ! શું તેમનાથના ગુણ કોઈ એનું વર્ણન કરી શકે નહિ. રાજા સમુદ્રવિજ્યને નવ ભાઈઓ હતા. બધા તેમનાથી નાના. તેમાં સહુથી નાના વાસુદેવ. નહિ તેમના રૂપને પાર કે નહિ તેમના ગુણને પાર. એ રૂપગુણને લીધે તેમને ઘણા રાજાઓએ તથા શ્રીમતેએ પિતાની પુત્રીઓ પરણાવી. તેમાં રોહિણીથી બળદેવ થયા અને દેવકીથી શ્રીકૃષ્ણ થયા. બંને ભાઈઓ ખૂબ પરાક્રમી હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ તેમ રાજુલ : ૩ : શૌરિપુરથી ચાડે છેટે મથુરા નામનું ગાવર શહેર હતું. ત્યાંના રાજા કંસ હતેા. તે ધણુા ક્રૂર હતેા. પેાતાના બાપ ઉગ્રસેનને પણ કેદમાં પૂરી સતાવતા હતા. શ્રીકૃષ્ણ અને બળદેવે આ દુષ્ટ કંસને મારી નાખ્યા; અને ઉગ્રસેનને ફરી ગાઢી આપી. કસ મરાયા એટલે તેના સસરા જરાસંધ ખૂબ ચીડાયે!. તે ધણા માટે રાજા હતા. શૌરીપુરનું રાજ્ય તેની સામે લડી શકે તેમ ન હતું. મથુરાનું રાજ્ય પણ તેની સામે લડી શકે તેમ ન હતું. એટલે તે પેાતાના કુટુંબકબીલાને લઇને ચાલી નીકળ્યા. ચાલતાં ચાલતાં તે કાઠિયાવાડમાં આવ્યા. ત્યાં દરિયાકિનારે મેાટી નગરી વસાવી. તેનું નામ દ્વારિકા. શ્રીકૃષ્ણા પરાક્રમી હતા એટલે તેમને દ્વારિકાના રાજા બનાવ્યા. *** દ્વારિકાની શાભા ઘણીજ હતી, તેમાં માટા મેટા મહેલો ને માટી માટી ખારા બાંધી હતી. મોટાં મોટાં દિશ ને મેટાં માટાં ચૌટાં બનાવ્યાં હતાં. કહેવા બેસીએ તેા કહેવાયજ નહિ ! તેમાં પણ શ્રીકૃષ્ણના શસ્ત્રભંડારની તે વાતજ શી ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ તેમ રાજુલ એક દિવસ તેમનાથ મિત્ર સાથે ફરતા ફરતા શસ્ત્રભંડારમાં આવ્યા. તેમણે બધાં હથિયારો જોયાં. તેમાં એક સુંદર શંખ પણ જોયા. શંખ ણાજ સુંદર એટલે તેને લઈને વગાડવાના વિચાર કર્યાં. જ્યારે તે શંખ લેવા તૈયાર થયા ત્યારે ત્યાંના રખેવાળ પગે લાગીને એલ્યો : તમે છે। તા શ્રીકૃષ્ણના ભાઇ. પણુ તમારાથી આ શખ ઉપડે તેમ નથી. એ તે શ્રીકૃષ્ણ મહારાજ જ ઉપાડે. માટે આપ નકામી મહેનત શા માટે કરે છે. ? આ સાંભળી તેમના હરયા. તેમણે તે। દડાની માફક શંખ ઊપાડી લીધા ને જોરથી વગાડયેા. શાંખના અવાજ સાંભળીને લેાકેા બધા વિચારમાં પડયા. શ્રી કૃષ્ણે પણ આશ્ચર્ય પામ્યા ને વિચારવા લાગ્યા કે આ શંખ કાણું વગાડયો હશે ? એવામાં શ×ભડારના રખેવાળે આવી સમાચાર ઢીધા મહારાજ ! શ્રી તેમનાથે રમત માત્રમાં શખ વગાડયા છે. શ્રીકૃષ્ણે આ સાંભળી આશ્ચર્ય પામ્યા ને વિચારવા લાગ્યાઃ આટલું બધું બળ એનામાં ઢાય નહિ. ચાલ એની પરીક્ષા કરું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ નેમ રાજલ શ્રીકૃષ્ણ અને નેમનાથ મળ્યા. વાતચીત થઈ. શ્રીકૃષ્ણ કહે ભાઈ નેમકુમાર ! ચાલે આપણે કુરતી કરીએ. નેમનાથ કહેઃ ચાલે. પણ ભાઈ ! કુસ્તી કરીને ધૂળમાં આળેટીએ એના કરતાં એક બીજાને હાથ લો કરીને નમાવીએ તે ઠીક. શ્રીકૃષ્ણ બોલ્યા : ભલે, તેમ કરો. નેમનાથે કહે: તો લંબાવો આપને હાથે. શ્રીકૃષ્ણ હાથ લંબાવે ને તેમનાથે તે જોતજેતામાં નમાવી દીધું. ભાઈ હવે તમારે વારે. નમાવે આ હાથ. એમ કહીને તેમના હાથ લાંબે કર્યો. શ્રીકૃષ્ણે ઘણી મહેનત કરી પણ હાથ ન નહીં. તેથી તેમને ખાત્રી થઈ કે તેમનાથ જરૂર મારા કરતાં વધારે બળવાન છે. નેમનાથ હવે જુવાન થયા છે. એક દિવસ માતાપિતાએ તેમને બોલાવ્યા અને કહ્યું પુત્ર ! હવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ નેમ રાજુલા તમે મેટી ઉમ્મરના થયા છે. એટલે પરણે તે અમને સતેજ થાય. નેમનાથે કહ્યું માતાજી ! પિતાજી! હું કઈ ઠેકાણે મારે લાયક સ્ત્રી જ નથી. લાયક સ્ત્રી મળશે ત્યારે પરણીશ. આ સાંભળી માતપિતાએ બહુ આગ્રહ કરે છોડી દીધો. : ૭ : ફાગણ માસ આવે છે. ખાખરે કેસુડાં ખીલ્યાં છે. આંબે મહેર બહેકે છે. રાયણનાં ઝાડ લીલાં પાંદડાંથી શોભે છે. કેયલ મીઠું મીઠું ટહૂકે છે. સરોવરમાં હંસે તરે છે. ગિરનાર પર્વત ખુબ શેભે છે. કુદરતમાં સઘળે આનંદ ફેલાઈ રહ્યો છે. આવા વખતે કેણ આનંદ ન કરે? શ્રીકૃષ્ણ મહારાજ તેમની પટરાણીઓ સાથે આનંદ કરવા અહીં આવ્યા છે. સાથે તેમનાથ તથા દ્વારિકાના બીજા ઘણા લેકે છે. શ્રીકૃષ્ણ અને સત્યભામા વગેરે પટરાણુઓ કુદરતની શભા જોતાં જોતાં ત્યાંના કે જેમાં ફરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ == નેમ રાજુલ એવામાં શ્રીકૃષ્ણને નેમનાથને વિચાર આવ્યો નેમનાથે લગ્ન કરે તે સારું. ગમે તેમ કરીને પણ એનું મન લમમાં વાળું. એ વિચાર કરીને શ્રીકૃષ્ણ ફૂલની સુંદર માળા ગૂંથી. ને તેમનાથને પહેરાવી. આથી તેમની રાણીઓને લાગ્યું કે શ્રીકૃષ્ણ મહારાજ પિતાના ભાઈને લગ્ન માટે સમજાવી રહ્યા છે. તેથી તેઓએ પણ નેમનાથને લગ્ન કરવા ઘણું સમજાવ્યા. અને આ દિવસ આનંદમાં પસાર કર્યો. : ૮ : એમ કરતાં ફાગણ ગ, ચિત્ર પણ ગયા અને વૈશાખ માસ આવે. તાપ બહુ પડે. ઉકળાટ ખૂબ થાય. એટલે બધાયે ઠંડકને ઇચછે. ઠંડક સારૂં શ્રીકૃષ્ણ મહારાજ તેમની પટરાણીઓ તથા તેમનાથ સાથે ગિરનાર આવ્યા. ગિરનારના બગીચાઓમાં લતાના સુંદર માંડવાઓ છે. ઝાડની લીલીછમ ઘટાઓ છે. કાચ જેવા ચકખા પાણીના હેજ છે. ગરમી દૂર કરવા સહુ હેજમાં નહાવા પડ્યા. હાતાં ન્હાતાં સત્યભામા વગેરે રાણીઓએ તેમનાથના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ નેમ રાજુલ નહિ પરણવાના વિચારને હસી કાઢયે. હેતભાવે ઘણી મીઠી મશ્કરી કરી. લગ્ન કરવા ઘણું સમજાવ્યા. શ્રીકૃષ્ણ મહારાજે પણ લગ્ન કરવા ખૂબ કહ્યું. લગ્નને આટલે બધે આગ્રહ જોઈ નેમનાથ વિચારવા લાગ્યા કે સગાંવહાલાને શું મોહ છે ને ? તેઓ જે જાતનું જીવન જીવે છે તેવું જીવન ગાળવાને મને આગ્રહ કરી રહ્યા છે. પણ મારે તો આ જીવનથી કાંઈક ઊંચું જીવન જ જીવવું છે. છતાં અત્યારે આ સ્નેહીઓનું વચન રવીકારી લેવું ને તક મળતાં જરૂર આત્માનું ભલું કરવું. આ વિચાર કરીને તેમણે બધાનું કહેવું માન્યું. સર્વેને ખૂબ આનંદ થયે. શ્રીકૃષ્ણ કન્યાની તપાસ કરવા માંડી. તેમાં રાજા ઉગ્રસેનની પુત્રી રાજીમતી (રાજુલ) બરાબર લાયક જણાઈ. નેમનાથના રાજુલ સાથે વિવાહ થયા. જોશીને બોલાવ્યા ને લગ્નને દિવસ જેવરા. પણ ચોમાસામાં લગ્ન આવે નહિ. બધાએ જેશીને કહ્યું કે ગમે તેમ થાય પણ નજીક દિવસ શેધી કાઢે. આ કામમાં ઢીલ કરી પાલવે તેમ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ To નેમ રાજુલ જોશીએ શ્રાવણ સુદ છઠ્ઠનો દિવસ શેધી કાઢ. બધાએ તે બૂલ રાખે. : ૧૦ : નેમનાથના લગ્નની તૈયારીઓ થવા લાગી. વેવાઈઓને ત્યાં તેણે બંધાયાં. ધવળ મંગળ ગવાવા લાગ્યાં. શહેર આખું શણગારાયું ને લગ્નને દિવસ આવી પહોંચે. - રાત વીતી ને વહાણું વાયું. વહાણું વાતજ મીઠા સાદે શરણાઈઓ વાગવા લાગી. મંગળ ચોઘડિયાં પણ ગડગડવા લાગ્યાં. આ મીઠા સંગીતથી સહુ જાગ્યા. સ્ત્રીઓએ મંગળગીત ગાવા માંડ્યાં. અને લગ્નને માટે નેમનાથને તૈયાર કર્યા. માથે ધળું છત્ર ધર્યું. બે બાજુ ધળાં ચમરે વીંઝવા માંડયાં. કિનારીવાળાં બે સફેદ શુદ્ધ વસ્ત્ર પહેરાવ્યાં. મોતીની માળા પહેરાવી. શરીરે ઊંચી જાતના ચંદનના લેપ ક્ય. સુંદર અદ્ભુત તરણીવાળો રથ તૈયાર કર્યો. તેને ધોળા ઘોડા જોયા ને નેમનાથને તેમાં બેસાડ્યા. આગળ જાનૈયા ચાલ્યા. પડખે હાથી પર ચડીને અમીર ઉમરાવ ચાલ્યા. પાછળ રાજા સમુદ્રવિજય ને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ નેમ રાજુલા તેમના ભાઈઓ ચાલ્યા. પાછળ પાલખીમાં બેસીને મીઠાં ગીત ગાતી રાણીઓ ચાલી. શું આ જાનની શોભા? જાન ધીરે ધીરે ચાલવા લાગી. નગરનાં લેક જાન જેવા ટોળે મળ્યાં છે. મેડી ને માળ બાળક તથા ઝીઓથી ભરાયાં છે. બજારમાં પુરુષોને પાર નથી. જાન ધીમે ધીમે ઉગ્રસેન રાજાના મહેલ પાસે આવવા લાગી. અહિંયા રાજુલ પણ સોળે શણગાર સજીને ગોખમાં બેઠાં છે. જાનને જોઈ હ્યાં છે. દૂરથી તેમના થને જોઈ મનમાં હરખાય છે કે મારું નશીબ મોટું છે, નહિતર આવો પતિ ક્યાંથી મળે? એવામાં એમની જમણી આંખ ફરકી. જમણે હાથ પણ ફરકે. અને મનમાં શંકા પડી કે જરૂર કાંઈ ખોટું થશે. મોટું ફીકકું થઈ ગયું. પિતાની સહિયરને વાત કહી. સહિયરે કહેઃ બહેન ! નકામી ચિંતા શા માટે કરે છે? સહુ સારાં વાનાં થશે. ૧૧ જાન ચાલતાં ચાલતાં ઉગ્રસેન રાજાના ઘર આગળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ નેમ રાજુલ આવી. ત્યાં એકાએક જનાવરોને શેરબકોર સંભળાય. બિચારાં બકરાં, મેઢાં, હરણ, તેતર વગેરે બૂમાબૂમ કરે. નેમનાથે પોતાના સારથિને પૂછયું કે સારથિ ! આટલે બધે અવાજ શાને છે? સારથિ કહે, મહારાજ ! આપના લગ્નમાં જમણ કરવાને આ બધાં જનાવરોને પકડયાં છે. તે બિચારાં મરવાની બીકે બૂમાબૂમ કરે છે. આ સાંભળી નેમનાથે કહ્યું: સારથિ ! મારે રથ પ્રાણીઓ પાસે લઈ જા. રથ પ્રાણુઓ પાસે ગયે. ત્યાં જુએ છે તો કોઈને ગળેથી તો કેઈને પગેથી બાંધેલાં છે; કેઈને પાંજરામાં પૂર્યા છે તો કોઈને જાળમાં નાંખ્યાં છે. આ જોઈને તેમનાથનું હૈયું દયાથી ભરાઈ ગયું. તેમને જગતને વિચાર આવે ને જગતના બહારના દેખાવને મેહ ઊડી ગયે. તેમનું મન આત્માનું તથા જગતનું સાચું સ્વરૂપ સમજવા માટે તલપાપડ થયું. એટલે તેમણે કહ્યું સઘળાં જનાવરેને છોડી મૂકે ને મારો રથ પાછો ફેરવો. સઘળાં જનાવરો છૂટી ગયાં ને રથ પાછો ફર્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ નેમ રાજુલા - ૧૩ રથને પાછા ફરતાં જોયો કે તેમનાં માતાપિતા આવીને કહેવા લાગ્યા ભાઈ ! એકાએક આ શું? પ્રાણીઓનું દુઃખ તારાથી ન દેખાયું તે તેમને છોડી મૂક્યાં. હવે ચાલ. પણ નેમનાથે કહ્યું તમે મને જે સંબંધથી જોડવા માગો છે તેના કરતાં પણ વિશાળ ને શુદ્ધ સંબંધ બાંધવા મારી પ્રબળ ઈચ્છા થઈ છે. તેથી મને માફ કરે. આપ એ બાબતને આગ્રહ કરશે નહિ. આવી રીતે તેમનાથ ન પરણ્યા ને બાળ બ્રહ્મચારી રહ્યા. ધન્ય છે તેમના બ્રહ્મચર્યને ! ૧૨ રાજુલે ખબર સાંભળી કેનેમિનાથ પાછા ફર્યા. આ ખબર સાંભળતાં જ તેમને મૂછ આવી. ભાનમાં આવ્યાં ત્યારે ખૂબ રડવા લાગ્યાં. તેનેમનાથને જ સંભારે અને રડયા કરે. આ જોઈને સહિયરોએ રાજુલને કહ્યું કે બહેન ! આવા પ્રેમ વિનાના પતિનો શોક શું કરો છે? બીજે ચગ્ય પતિ થોડા જ સમયમાં શેધી કાઢીશું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૪ નેમ રાજુલ સહિયરોનાં આવાં વેણ સાંભળતાં મહાસતી રાજુલે કાને હાથ દીધા અને કહ્યું કે અરે બહેને! આવાં માઠાં વેણ શું બોલે છે ! પતિ તે તેજ. હવે નેમ વિના બીજે પતિ હેય નહિ. તેના પગલે જ ચાલીશ ને મારું જીવન સફળ કરીશ. ૧૩ હવે તેમનાથને વૈરાગ્ય દિવસે દિવસે વધતો ગયે. એટલે એક વરસ સુધી તેમણે સોનામહોરોનું દાન દીધું અને છેવટે સાધુ થયા. સાધુ થયા એટલે મનથી પવિત્ર થયા. અને માતાપિતા તથા ભાઈને સાથેનો સંબંધ વિશાળ કરીને દુનિયાના બધા માણસે સાથે હેતથી વર્તવા લાગ્યા. તેઓ લખું સૂકું જવું મળ્યું તેવું અન્ન ખાયભેંય ઉપર સૂવે. એકજ કપડું પહેરે. ટાઢ તાપ સહન કરી લે. અને એમ છતાં મનમાં સુખદુઃખ ન લાગે. મનમાં સહુનું ભલું ઈચ્છે બેલે તે પણ તદ્દન સાચું અને મીઠું. આવી રીતે પવિત્ર જિંદગી જીવવા તેઓ એક ઠેકાણેથી બીજે ઠેકાણે ફરવા લાગ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ તેમ રાવલ ૧૫ ૧૪ આ પ્રમાણે ફરતાં થાડાજ દિવસે'માં તેમને દેવળજ્ઞાન થયું. કેવળજ્ઞાન થયું એટલે જગતનુ` સાચુ' અને પૂરેપૂરું જ્ઞાન થયું. તે બધે પૂજાવા લાગ્યા. પેાતાને કેવળજ્ઞાન થવાથી જે આનંદ થયા તે આનદ દુનિયાના બધા માણસાને મળે તે માટે ઉપદેશ દેવા લાગ્યા; બધા સાથે મિત્રભાવ રાખવા. તદ્દન સાચું ને મીઠું કહેવું. રજા સિવાય કાઈની પણ વસ્તુ લેવી નહિ. શિયળત્રત પાળવું. સાષથી રહેવું. જીવન દયામય કરવું. ધર્મ ને જીવ જેવા વહાલા કરવા. અને જરૂર પડે તેા ધર્મ ને માટે જીવ પણ આપી દેવા વગેરે. શ્રીકૃષ્ણ વગેરે ધણાએ આ ઉપદેશ માન્યા. કેટલાક પુરુષા અને સ્રીઓએ સાધુજીવન શરૂ કર્યું. બીજા કેટલાક પુરુષો અને સ્રીઓએ ઘેર બેઠાં પણ બને તેટલું પવિત્ર જીવન ગાળવાનું શરૂ કર્યું. આવાં ખને જાતનાં સ્રી પુરુષાના એક સંધ સ્થાપ્યા. આવા સંધને તીર્થં કહે છે. તેથી તે તીથ કરનારા થયા એટલે કે તીર્થંકર થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ તેમ રાજુલ ૧૫ મહાસતી રાજુલ પવિત્રતાના ભ’ડાર હતાં. તેમને પણ સંસારની લાલચેા વળગી ન હતી. તેમણે તેમનાથનું જીવન જોયું ને તે ખૂબ પવિત્ર લાગ્યું. તેમણે નેમનાથના ઉપદેશ સાંભળ્યે ને તે ખૂબ સુંદર લાગ્યા. આથી તે પ્રભુ તેમનાથની આગળ સાધ્વી થયાં. સાધ્વી તરીકે ઘણા વખત પવિત્ર જીવન ગાળીને તે નિર્વાણ પામ્યાં. પ્રભુ તેમનાથ પણ ધણું જીવી ગિરનાર પર્વતપર નિર્વાણ પામ્યા. ગિરનાર પર્વત આ તેમ–રાજુલનાં પગલાંથી સદાને માટે પવિત્ર થયા. મેલેા બાવીસમા તીર્થંકર તેમનાથ ભગવાનની જે ! બાલે! મહાસતી રાજુલની જે ! F જરૂર વાંચા—આ સરળ તે સુંદર જીવવિચાર પ્રવેશિકા કિ માત્ર સવા આનેા : : પાસ્ટેજ બે પૈસા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ગંગાજી ધીમા ધીમાં વહે છે. તેના કિનારે મોટું શહેર છે. તેનું નામ કાશી. ત્યાં અશ્વસેન નામે રાજા છે, તેમની પટરાણીનું નામ વામાદેવી. બંને એક બીજાપર ખૂબ પ્રેમ રાખે છે અને આનંદમાં વખત પસાર કરે છે. એક દિવસ અંધારી રાત છે. વામાદેવી પિતાના પલંગમાં સુતા છે. એવામાં પડખે થઈને કાળો નાગ નીકળે. એક તે અંધારૂ અને તેમાં વળી કાળો નાગ. એ તે શે દેખાય! પણ આશ્ચર્ય કે વામાદેવીએ એ કાળા નાગને કાળી રાત્રિએ જ. છતાં જરા પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ભયનું નામ નહિ. બીજા દિવસે આ વાત અશ્વસેન રાજાને કહી. અશ્વસેન રાજા કહે, “અંધારી રાતે કાળે નાગ આપણી આંખે તે ન દેખાય. તમને એ દેખાય તે પ્રભાવ નક્કી તમારા ગર્ભને. મને લાગે છે કે જરૂર તમને મહાપ્રતાપી બાળક જન્મશે.' : ૨: સમય થતાં વામાદેવીને પુત્ર થયે. તેની કાન્તિ કહેવાય નહિ, ગુણ ગણાય નહિ, શાન મપાય નહિ. તેમનું નામ પાડયું પાર્થ. રાજાના કુંવરને શેની ખોટ હોય ? તેમની સેવામાં અનેક દાસદાસી હાજર છે. આનંદે ઉછરતાં પાકુમાર થયા મેટા. તેમના પરાક્રમને પાર નહિ દુનિયા આખી તેમનાં વખાણ કરે. : ૩ ? આ વખતે કુશસ્થળ નામે મોટું નામ હતું. તેના રાજાનું નામ પ્રસેનજિતું. પ્રસેનજિતને એક કુંવરી હતી. તેનું નામ પ્રભાવતી. તે જ્ઞાન ગુણ તથા રૂપને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ભંડાર હતી. તેના પિતાએ તેને વિકાસ કરવાને ખબર મહેનત કરી હતી. તે બાળા મટી યુવતી થવા લાગી. હવે રાજારાણી વિચારે છેઃ “દેવી જેવી આ દીકરીને કયાં પરણાવીશું? આને લાયક પતિ કયાં મળશે?” તેઓ લાયક પતિની ખૂબ શોધ કર્યા કરે. અનેક રાજરજવાડા તપાસે. પણ કોઈ જગાએ લાયક પતિ મળે નહિ. : ૪: . એક દિવસ સહિયરે સાથે પ્રભાવતી ઉપવનમાં આવી. ત્યાં રંગબેરંગી ફૂલો છે, મીઠાં મીઠાં ફળે છે, સુંદર લતાના માંડવા છે, નાના નાના હે જ છે. તેમાં રાજહંસ તરે છે, કિનારે સારસ ઊભા ચરે છે, ઝાડ પર પંખી કર્લોલ કરે છે. પ્રભાવતી આ બધી શોભા જુએ છે ને આનંદ પામે છે. એવામાં એક ગીત સાંભળ્યું ( ઢાળ–અમર વાડીમાં ડંકો વાગે છે. ) ધીમાં ધીમાં ગંગાનાં નીર જ્યારે ! એક કાશી સોહામણું શહેર ત્યારે ! ધીમાં ધીમાં. ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ત્યાં રાજ્ય કરે રૂડા રાજ્યારે ! જેના જશ જગતમાં ગાજીયારે ! ધીમાં ધીમાં. ૨ રાજપુત્ર ત્યાં પાર્શ્વકુમાર છે રે ! રૂપગુણ તણું એ ભંડાર છે રે! ધીમાં ધીમાં. ૩ નહિ જેડી જગતમાં જેમની રે ! કરે કવિ કથા શું એમની રે ! ધીમા ધીમાં. ૪ જે પામે સ્ત્રી એ ભરથારને રે ! ધન્ય ધન્ય તેના અવતારને રે ! ધીમાં ધીમાં. ૫ પ્રભાવતીને આ ગીત બહુજ ગમ્યું. તેમાં પાર્શ્વકુમારના પ્રભાવના ખૂબ વખાણ હતાં. આ વખાણ સાંભળીને તેણે મનમાં નક્કી કર્યું કે “પતિ હે તો આજ હૈ.' ૪ ૫ ૬ પ્રભાવતી હવે ગ્ય ઉમ્મરની થઈ છે. પતિની ચિંતામાં જ રહ્યા કરે છે. આ ચિંતાથી તેના શરીર પર અસર થઈ. સહિયરોએ પ્રભાવતીની આ સ્થિતિ જાણી અને તે સ્થિતિ દૂર કરવા તે હકીક્ત પ્રભાવતીના માતાપિતાને કહી. તેઓએ આ વાત જણને કહ્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ પાશ્વ કુમાર પુરુષામાં શ્રેષ્ઠ છે ને પ્રભાવતી કન્યાઆમાં શ્રેષ્ઠ છે. એણે પેાતાને લાયકજ પતિ શેધી કાઢયા છે. આથી અમે ખૂબ હરખાયાં છીએ. ' માતપિતાની આ વાત સહિયરાએ પ્રભાવતીને જણાવી. પ્રભાવતીને એથી આનંદ થા. પણ પા કુમાર વિના ગમે નહિ. બીજા ચેડા દિવસ ગયા અને તેનુ શરીર તદ્ન લેવાઈ ગયું. આ જોઇને માખાપે નક્કી કર્યું કે પ્રભાવતીને પાર્શ્વ કુમાર પાસે મેાકલવી. જે બાળા જાતે પતિને શેાધી કાઢે અને પરણવા જાય તેને સ્વયંવરા કહે છે. : ૬ ઃ પ્રભાવતી એટલે રૂપગુણુ અને જ્ઞાનના ભંડાર. તેના વખાણુ દેશદેશમાં થાય. અને એથી ભલભલા રાજા પણ તેને પરણવાને ઇચ્છે. કલિંગ દેશના રાજ યવન બહુ જખરા હતા. તે પ્રભાવતીને પરણવાના નિશ્ચય કરીને બેઠા હતા. જોતજોતામાં સધળે વાત ફેલાઈ ગઈ કે પ્રભાવતી સ્વયંવરા થઇને પાશ્ર્ચકુમાર પાસે જાય છે, યવનરાજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ આ વાત સાંભળીને ખૂબ ચીડાયો અને કહેવા લાગે: “હું છતાં પ્રભાવતીને પરણનાર પાકુમાર કોણ છે ? અને પ્રસેનજિત રાજા પણ કેણ છે કે મને પ્રભાવતી ન પરણાવે ? હું જઇશ કે પ્રભાવતી પાર્શ્વકુમારને કેવી રીતે પરણે છે?” યવન રાજાએ પોતાનું લશ્કર તૈયાર કર્યું અને કુશળ નગર પર ચડાઈ કરી. થોડા જ સમયમાં લશકર કુશરથળ આવી પહોંચ્યું ને તેને ફરતે ઘેરો ઘાલ્ય. ઘેરે એ સખત કે નગરમાંથી કોઈપણ બહાર નીકળી શકે નહિ. રાજા પ્રસેનજીત ચિંતામાં પડયાઃ “આટલા મોટા લકરની સામે શી રીતે બચાવ થાય ? જે કંઈ પણ રીતે રાજા અશ્વસેનની મદદ આવે તો જ બચાય. પણ તેને મદદને સંદેશે કોણ પહોંચાડે?” વિચાર કરતાં પિતાને મિત્ર પુરુષોત્તમ યાદ આવે. રાજા પ્રસેનજિતે પુરુષોત્તમને બેલા ને પોતાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ વિચાર કહ્યો. પુરુષોત્તમ મિત્રનું કામ કરવાને તૈયાર હતે. જીવની દરકાર કર્યા વિના રાત્રે તે છાનામાને નગરમાંથી બહાર નીકળી ગયેને બને તેટલી ઝડપથી કાશી આવ્યો. અશ્વસેન રાજા સભા ભરીને બેઠા છે. ધર્મની વાતે ચાલે છે. એવામાં સિપાઈ આવ્યું. તે નમન કરીને છેલ્યા “મહારાજ ! બારણે કોઈ માણસ દૂર દેશથી આવ્યું છે. તે આપને કાંઇક અરજ કરવા માગે છે.' અશ્વસેન રાજા કહે, તેને જલ્દી અંદર મોકલે.” પુરુષોત્તમ અંદર આવ્યું ને રાજાને નમસ્કાર કર્યા પછી સઘળી હકીકત જાહેર કરી. આ વાત સાંભળતાં અશ્વસેન રાજા કોપાયમાન થયા અને બોલી ઉઠયાઃ “યવન રાજાના શા ભાર છે કે તે પ્રસેનજિને બીવરાવી શકે? હું હમણું લકર લઇને કુશસ્થળ જઉં છું.” તરતજ લડાઈનાં નગારાં વાગ્યાં. લકર બધું એકઠું થવા માંડયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ પાષકુમાર મિત્રો સાથે આનંદ કરતા હતા. તેમણે લડાઈનાં નગારાં સાંભળ્યાં; લશ્કરની ગરબડ સાંભળી; અને એકદમ રમત પડતી મૂકી પેાતાના પિતા પાસે આવ્યા. ત્યાં સિપાઇને લડાઇ માટે તૈયાર થયેલા જોયા. એટલે પિતાને પ્રણામ કરીને પૂછ્યું': ‘ પિતાજી ! એવા ક્રાણુ શત્રુ છે કે જેના માટે આપ જેવા પરાક્રમીને આવી તૈયારી કરવી પડે છે ? તમારાથી વધારે કે તમારા જેવા પરાક્રમી કાઈ પણ માસ મારા જોવામાં આવતા નથી. ' પિતાએ પુરુષાત્તમને બતાવીને કહ્યું; ‘ આ માણસના કહેવાથી પ્રસેનજિત્ રાજાને યવનરાજાથી બચાવવા જવાની જરૂર પડી છે.' " પાશ્વ કુમારે આ સાંભળીને કહ્યું: “ પિતાજી ! યુદ્ધમાં તમારી આગળ ઢાઈ દેવ કે દાનવ પણુ ટકી શકે તેમ નથી તે આ બિચારા યવન રાજાના શા ભાર છે ? પરંતુ તેની સામે આપને જવાની કાંઇજ જરૂર નથી.હુંજ યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ જઈશ અને બીજાને નહિ ઓળખનારને શિક્ષા કરીશ. રાજા અશ્વસેન કહે, “પુત્ર ! મુશ્કેલીથી ભરેલી લડાઈમાં તને મોકલો તે મારા મનને ઠીક લાગતું નથી. હું જાણું છું કે મારા પુત્રનું બળ અથાગ છે. પણ તે ઘરમાં રહી આનંદ વિનોદ કરે તેજ મને પસંદ છે.” પાર્થકુમાર કહે, “પિતાજી ! યુદ્ધ કરવું તે મારે મન આનંદ વિનોદજ છે. તેમાં મને જરા પણ મહેનત પડવાની નથી. માટે આપ અહિંજ રહે ને મને લડાઈમાં જવાની આજ્ઞા આપે.” પાર્શ્વકુમારના ખૂબ આગ્રહથી રાજા અશ્વસેને તેમની માગણી કબુલ કરી. શુભ ચોઘડીએ પાકુમાર સૈન્ય લઈ કુશસ્થલ તરફ ચાલ્યા. ત્યાં આવીને રાજરીત પ્રમાણે યવનરાજને એક સંદેશ મોકલ્યઃ “હે રાજા! આ પ્રસેનજિત્ રાજા મારા પિતાને શરણે આવેલા છે. માટે તેમને સતાવવા છોડી છે. મારા પિતા યુદ્ધ માટે અહિં આવતા હતા પણ તેમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શ્રી પાર્શ્વનાથ મહામહેનતે રેકીને હું આવે છે. માટે અહિંથી પાછા ફરીને તમારે ઠેકાણે પાછા ચાલ્યા જાવ. જે જલદી જશે તે તમારો ગુહે માફ કરીશું.” પણ અભિમાની યવનરાજ શેને માને? ઉલટ પાર્શ્વકુમારને ધમકી આપવા લાગ્યુઃ “જે પાકુમારને જીવતા રહેવું હેય તો પાછા ફરે.' આ સાંભળીને યવનરાજાને એક ઘરડે પ્રધાન બેલ્યોઃ “મહારાજ ! ગમે તેમ કરે પણ પાર્શ્વ કુમારને લડાઇમાં આપણે પહોંચી શકવાના નથી. વળી આપણું લડાઈ અભિમાનની છે, સાચી નથી. તે નકામી શા માટે માણસેની ખૂનરેજી થવા દેવી! આ સંદેશો માની લે ને પાWકુમારના શરણે જવું તેજ ઠીક છે.” યવન રાજાને વિચાર કરતાં આ વાત સાચી લાગી. તે પાWકુમારને શરણે આવે. હાથ જોડીને કહેવા લાગે કે “મારો ગુન્હો માઝ કરે.” - પાર્થકુમાર કહે, “હે રાજા! તમારું કલ્યાણ થાવ. તમે મારાથી બીશ નહિ. તમારું રાજય સુખેથી ભેગ. પણ ફરીવાર આવું કરશે નહિ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ : ૧૦ : કુશસ્થલ નગર ઉપરથી ધેરા ઉઠી યવન ચાઢ્યા ગયા. રાજા પ્રસેનજીના રહ્યો નહિ. એક તેા શત્રુના ભય ગયા ને કુમાર ધરને આંગણે મળ્યા. ૧ ગયા ને રાજા હરખના પાર બીજી પાર્શ્વ તે પ્રભાવતીને લઇને પાશ્ર્ચકુમારની છાવણીમાં આવ્યા અને પાર્શ્વકુમારને હાથ જોડી વિનંતિ કરીઃ ‘આપે યવનરાજાના ભયમાંથી બચાવીને મારા પર મેટા ઉપકાર કર્યાં છે. પણ આ પ્રભાવતીની સાથે વિવાહ કરીને બેવડા ઉપકાર કરી. એ આપનેજ ચાહે છે તે આપનેજ યાદ કર્યો કરે છે.’ આ સાંભળી પાર્શ્વ કુમારે કહ્યું કે હે રાજા ! હું તે શત્રુથી તમારા બચાવ કરવા અહિં આવેલા છું. પરણવાને નહિ. મારૂં કામ પૂરૂં થયું છે. માટે હું પાછા ફરીશ. ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat આ સાંભળી પ્રભાવતીના દુઃખને પાર રહ્યો નહિ. તે મોટી ચિંતામાં પડી કે હવે મારૂં શું થશે?” રાજા www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ ૧૨. શ્રી પાર્શ્વનાથ પ્રસેનજિત પણ વિચારમાં પડ્યા. આખરે મનમાં નક્કી કર્યું કે પાર્શ્વકુમાર પોતે તે આ વાત માનશે નહિ પણ અશ્વસેન રાજાને મળવાનું બહાનું કાઢીને હું પાકુમારની સાથે કાશી જાઉં.' પાર્વકુમારને વિદાય આપી. વિદાય આપતાં પ્રસેનજિત રાજા બોલ્યા હે પ્રભુ! અશ્વસેન રાજાના ચરણને નમવા હું તમારી સાથે આવીશ.” પાવકુમારે ખુશી થઈને હા પાડી એટલે રાજા પ્રસેનજીત પ્રભાવ તીને લઈ કાશી આવ્યા. ક ૧૧ : પ્રસેનજિત રાજાએ અશ્વસેન રાજાને રાજીત પ્રમાણે નમસ્કાર કરી પિતાની બધી હકીક્ત કહી. રાજા અશ્વસેને આ સાંભળી કહ્યું: “આ કુમાર મૂળથીજ વૈરાગ્યપ્રિય છે. તેથી તે શું કરશે તે હજી અમે જાણી શકયા નથી; અમને પણ હોંશ છે કે જ્યારે તે ગ્ય કન્યા સાથે પરણે છે કે તેને પરણવું પસંદ નથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ૧૩. છતાં તમારા આગ્રહથી પ્રભાવતી સાથે જ તેને વિવાહ કરીશું. ' અશ્વસેન રાજા પ્રસેનજિત સાથે પાર્વકુમારને મળ્યા અને કહ્યું કે પુત્ર! પ્રભાવતીને તારા માટે ઘણી જ મમતા છે. તેને પરણવા માટે તેણે ખૂબ સહન કર્યું છે. ખરેખર ! તારા માટે આથી વધારે લાયક કન્યા કેઈજ નથી. માટે પ્રભાવતી સાથે લગ્ન કરી અને સુખી થા.” પાર્વકુમારે કહ્યુંઃ “પિતાજી મને એ જીવન પસંદ નથી. છતાં પિતાના અતિ આગ્રહથી તેમણે પ્રભાવતી સાથે લગ્ન કર્યો. પ્રભાવતીના આનંદને પાર રહ્યો નહિ. તે ગાવા લાગી કે જે પામે સ્ત્રી એ ભરથારને રે! ધન્ય ધન્ય તેના અવતારને રે!” : ૧૨ : એક દિવસ પાકુમાર મહેલ ઉપર ચઢી ગોખમાં બેઠા છે. કાશી નગરીને જોઈ રહ્યા છે. એવામાં લેકનાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રી પાર્શ્વનાથ ટાળે ટાળાં ફૂલની છાબડીએ ભરી ઉતાવળાં ઉતાવળાં નગર બહાર જતાં હતાં તે જોયાં. પાર્શ્વ કુમારે પાસેના માણસને પૂછ્યું કે આજ શેના તહેવાર છે કે લા આટલા બધા ઉતાવળા થઇ નગર બહાર જઇ રહ્યાં છે ?' માણસે એ જણાવ્યું કે * મઠ નામે એક માટેા તપસ્વી શહેરની બહાર આવેલા છે. તે પેતાની ચારે બાજુ દેવતા સળગાવે છે. માથાપર સૂરજના તાપ લે છે. એટલે કે પંચાગ્નિ તપ કરે છે. માટે લોઢા તેની પૂજા કરવાને જાય છે. " પાવ કુમારને આવું કૈાતુક જોવાની ઇચ્છા થઇ. તેઓ પેાતાના માણસા સાથે ત્યાં આવ્યા. ત્યાં જોયું તે કમઠે પેાતાની ચારે બાજુ મોટાં મોટાં લાકડાં મૂકીને ધુણી ધખાવી હતી. જોઇને તેમનું કુશળ પાર્શ્વ કુમારે પેાતાના જ્ઞાનથી આ લાકડામાં એક મોટા સાપને બળતા જોયા. આ હૈયું ઢયાથી ઉભરાયું. તેએ બેલી ઉઠ્યા કેટલી બધી ગેરસમજ છે? કેવળ શરીરને કષ્ટ આપ ‘ અરે! આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાનાથ વાથી તે તપ થતાં હશે! વગર સમજ્યે પશુની માફક ટાઢ તાપ સહન કરવાથી શું લાભ વાર્? તપ વગેરે ધર્મના અગા અહિંસા વિના નકામાં છે. અહિંસા એજ પરમ ધર્મ છે. ધમ સમજીને ધમ આચરવા જોઇએ.’ ૧૫. આ સાંભળી દેહદમનનેજ ધર્મ ગણનારા કમઠ એલ્સે ‘ હૈ રાજકુમાર ! ધર્મની બાબતમાં તમે શું જાણા ? તમે તેા હાથી ધાડા ખેલવી ાણા. ધમ તે અમારા જેવા તપરવી જાણે.’ આ સાંભળીને પાવ કુમારને વિચાર થાઃ ‘અા ! માણસનું શું અભિમાન છે ને? બિચારાને દયાની તે ખબર નથી ને ધર્મ કરે છે !' તેમણે પેાતાના માણસને કહ્યું: ‘ આ લાકડું ધુણીમાંથી બહાર ખે’ચી કાઢે ને સાચવીને તેના બે ભાગ કરો.’ માણસાએ તેમ કર્યું તા તેમાંથી મોટા નાગ નીકળ્યા. તેનું શરીર દાઝયું હતું. તેને પીડા થતી હતી. પાર્શ્વકુમારે તેને માણુસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શ્રી પાર્શ્વનાથ દ્વારા પવિત્ર રાખ્ખો (નવકારમંત્ર) સંભળાવ્યા. તે નાગ તરતજ મરણ પામ્યા. કમઠ આ જોઈ ઝ ંખવાણા પડી ગયા. તેને લાગ્યું કે પા કુમારે બધા વચ્ચે મારી ફજેતી કરી. એથી ખૂબ ખીજાયા. એણે એ ાતનું તપ ચાલુજ રાખ્યું; થોડા સમયમાં આવું તપ કરીને તે મરણ પામ્યા અને એક જાતના દેવ થયા. તેનું નામ સેમાળી. પેલે નાગ મરીને નાગરાજ થયા. તેનું નામ ધરણેન્દ્ર. : ૧૩ : વસંત ઋતુ આવતાં વનની શાભા ખીલી ઉઠી છે. બધાં ઝાડ નવાં પાંદડાંથી શાભે છે. ફૂલના પાર નથી. મધ ચુસવા ભમરાએ ગુંજારવ કરે છે ને ચારે બાજુ ભમે છે. ઝાડ પર પ`ખી મીઠાં ગીત ગાય છે. મીઠાં મીઠાં પાણીનાં ઝરણાં ખળખળ કરતાં વહી રહ્યાં છે. પાર્શ્વકુમાર પ્રભાવતી સાથે આ વનની શાભા જોવા નીકળ્યા. તેઓ ફરતાં ફરતાં એક મહેલ આગળ આવ્યા. મહેલ ખૂબ રળીઆમા છે. જ્યાં નજર નાંખે ત્યાં કાંઈક સુંદર કાતરણી. જ્યાં નજર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ નાખે ત્યાં કાંઈક સુંદર કારીગરી. એ મહેલમાં પાર્થકુમાર તથા પ્રભાવતી આરામ કરવા દાખલ થયા. મહેલના દિવાનખાનામાં ચિત્ર જોતાં જોતાં તેઓ એક સુંદર ચિત્ર આગળ આવ્યાં. તેમાં તેમનાથની જાન ચીતરેલી છે. તેમનાથ પ્રભુને પોકાર સાંભળે છે. તેમનું હૈયું દયાથી ઉભરાય છે. તેઓ પશુને છોડાવી મૂકે છે ને રથને પાછા ફેરવે છે. પાર્શ્વકુમારને આ જોઈ પિતાના જીવન સંબંધી વિચાર આવ્યા. જગતના મોજશેખમાંજ જીવન પસાર કરવું તે આ જીવનને હેતુ નથી. જીવનનું સાચું સ્વરૂપ સમજી તેને આચરણમાં મૂક્યું એજ ગ્ય છે. એથી જગતના માજશેખમાંથી તેમનું મન ઉઠી ગયું. ઊંચું જીવન ગાળવા દૃઢ ઈચ્છા થઈ. આવી ઇચ્છાને વૈરાગ્ય કહે છે. પાર્શ્વકુમાર દુઃખીને વિસામે હતા. પતિતના ઉદ્ધારક હતા. મન વચન ને કાયાથી કોઈ પણ પ્રાણીને દુઃખ ન થાય તેવું ઇચ્છતા હતા. તેમને વૈિરાગ્ય વધતો જ . વૈરાગ્યની બહારની નિશાની તરીકે તેમણે એક વરસ સુધી સેનામહેરોનું દાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ૧૮ દીધું. છેવટે ત્રણ ઉપવાસ કર્યાં ને માતાપિતાના ટૂંકા સંબંધ છેડી દુનિયા સાથેના પ્રેમભાવથી વિશાળ સઅધ ખાંધ્યા. એટલે કે સ જીવાનું હિત કરવા સાધુ થયા. બીજા પણ માણસે તેમની સાથે સાધુ થયા. તે સાધુજીવન ગાળતાં એક ઠેકાણેથી બીજે ઠેકાણે ફરવા લાગ્યા. * ૧૪ : પાનાથ ફરતાં ફરતાં એક દિવસ શહેરની નજીક તાપસના આશ્રમ પાસે આવ્યા. સાંજ પડી ગઇ હતી ને રાત્રે ફરવું નહિ એટલે કૂવા પાસે એક વડ નીચે ધ્યાન લગાવીને ઊભા. મેધમાળીને પાર્શ્વનાથ પર વૈર હતું એટલે તે રાત્રે પાર્શ્વનાથને અનેક જાતની સતામણી કરી. સિંહું તથા હાથીના ભય બતાવ્યા; રીંછ તથા ચિત્તાના ભય ખતાબ્યા, સાપ ને વીંછીના ભય ખતાવ્યા, એમ ધણા ધણા ભય બતાવ્યા. પણ પાર્શ્વનાથ જરા પણ ધ્યાનમાંથી ડગ્યા નહિ. છેવટે મેધમાળી લયકર વરસાદનું તેાફાન કર્યું. આકાશમાં ધનધાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ વાદળાં થયાં. ચારે બાજુ કાનને ફેડી નાખે તે વાદળાને ગડગડાટ થયે. વિજળી તે જાણે પડી કે પડશે એમ ચમકવા લાગી. મૂશળધાર વરસાદ શરૂ થયે. ઝાડ ઉખડી પડયાં. પંખી ને જાનવરો બિચારાં નાસભાગ કરવા માંડયાં. જયાં જુઓ ત્યાં જળ જળાકાર. પ્રભુ પાર્શ્વનાથની ચારે બાજુ પાણી ફરી વળ્યું. જેતજોતામાં પાણી ઢીંચણ સુધી આવ્યું. બીજી થોડી વાર થઈ ને પાણી કેડ સુધી આવ્યું. પછી તે ગળા સુધી આવ્યું ને છેવટે નાક સુધી આવ્યું પણ પાર્શ્વનાથ તે પિતાના ધ્યાનમાંથી સહેજ પણ ડગ્યા નહિ. ધરણંદ્ર નામે નાગરાજે આ જોયું ને તેણે પ્રભુના ઉપકારને બદલે વાળવા જાતે આવી એ સતામણી બંધ કરાવી. આ વખતે પણ પાર્શ્વનાથ તે શાંત ભાવેજ ઊભા હતા. તેમને તે ધરણંદ્ર પણ સરખે હતે ને મેઘમાળી પણ સરખે હતે. ધન્ય છે. આવા સમભાવી મહાત્માઓને, જે મિત્ર અને શત્રુ તરક પણ સમભાવ રાખી શકે છે! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શ્રી પાર્શ્વનાથ ૧ ૧૫ : શ્રી પાર્શ્વનાથને આ બનાવ બન્યા પછી થોડા જ દિવસે કેવળજ્ઞાન એટલે સાચું અને પૂરેપૂરું જ્ઞાન થયું. એટલે તેમણે બધા લેકેને પવિત્ર જીવન જીવવાને ઉપદેશ આપે. ઘણાં સ્ત્રીપુરુષે પવિત્ર જીવન જીવવા લાગ્યાં. આ પવિત્ર જીવન જીવનારને એક સંઘ સ્થાપે. આવાં સંધને તીર્થ કહે છે. તેથી પાર્શ્વનાથ તીર્થ કરનારા એટલે તીર્થકર થયા. તેમના માતાપિતા તથા પ્રભાવતી પણ આ પવિત્ર સંઘમાં જોડાયા. કુલ સે વરસનું આયુષ્ય ભોગવી શ્રી પાર્શ્વનાથ નિર્વાણ પામ્યા. એટલે સઘળા કર્મોના બંધનથી છુટી મુકિતપદ પામ્યા. બેલે શ્રી પાર્શ્વનાથ ભગવાનકી જે! બોલે શ્રી તેવીસમા તીર્થંકર દેવકી જે! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ મહાવીર અગણિત વંદન હો પ્રભુ મહાવીરને. હિન્દુસ્તાનને બિહાર પ્રાંત ખૂબ રળિયામણું છે. તેની વચ્ચે થઈને ગંગાજી તથા બીજી નાની મોટી નદીઓ વહે છે. જયાં જોઈએ ત્યાં ધાન્યભર્યા ખેતરે. સુંદર મજાનાં આંબાવાડિયાં તથા નાનાં મોટાં ગામડાં ને શહેર નજરે પડે છે. આજથી અઢી હજાર વર્ષ પહેલાં આ ભાગ મગધ દેશના નામથી ઓળખાતો હતો. તે વખતે એની જાહેરજલાલી જગમશહૂર હતી. દુનિયાભરના મુસાફરે એને જોવા માટે આવતા હતા. આ દેશમાં ક્ષત્રિયકુંડ નામે એક સુંદર શહેર હતું. ત્યાં સિદ્ધાર્થ નામે શાત વંશના એક ક્ષત્રીય રાજા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ મહાવીર તેઓ ખૂબ ધર્મિષ્ઠ ને ન્યાયી હતા, તેમજ પ્રજાને પાળનાર અને દીન-દુઃખીને સહાય કરનાર હતાં. તેમને ત્રિશલાદેવી નામે એક બહુ પવિત્ર રાણી હતાં. સમય જતાં ત્રિશલાદેવી ગભ વતી થયાં. તે સમયે તેમને ચૌદ સુંદર સ્વપ્ના આવ્યાં. આથી તેમણે જાણ્યું કે મારે મહાપ્રતાપી બાળક થશે અને તેથી ખૂબ હરખાયો. આ દિવસથી તેમના કુળમાં ધન ધાન્ય ને આનંની વૃદ્ધિ થવા લાગી. ૧: ચૈત્ર સુદ તેરશની રાત્રિ છે. ચાંદ્ર પ્રકાશી રહ્યો છે. આકાશ સ્વચ્છ છે. પવન ધીમા ધીમા વાય છે. પૃથ્વી આખીએ જાણે આનંદથી ઉભરાય છે. આ સમયે ત્રિશલાદેવીએ એક અત્યંત તેજસ્વી પુત્રને જન્મ આપ્યા. તેજ ક્ષણે દુનિયામાં પ્રકાશ ને આનંદની રેલ છવાઇ ગઈ. દેવાએ પુત્રનાં યશોગાન ગાયાં અને મોટા ઉત્સવા ઉજવ્યા. સિદ્ધાર્થ રાજાએ પણ માટે ઉત્સવ ઉજન્મ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ મહાવીર ૩ આ પુત્ર ધનધાન્ય અને આન ંદની વૃદ્ધિ કરનાર હતા એટલે તેનુ નામ રાખ્યું શ્રી વર્ધમાન. વર્ધમાન કુમારનું રૂપ અપાર હતુ. શરીરને બાંધા ધણાજ મજબુત ને માપસર હતા. તેમના મનમાં મેલ ન્હાતા, પેટમાં પાપ ન્હેતું. તેઓ હંમેશાં ગુણમાં વધતાજ જતા હતા. તેમને એક માટાભાઈ અને એક માટી બહેન હતાં. તેમનાં નામ નંદિવર્ધન અને સુદર્શના. વધુ માનકુમાર આનન્દે ઉછરતાં મોટા થવા લાગ્યા. સાતેક વર્ષની ઉમ્મરે તેએ એક વખત મિત્રો સાથે રમવા ગયા.ત્યાં એક ઝાડ આગળ મોટા સાપ પડેલા હતા. બધા મિત્રા આ જોઇને નાઠા પણ શ્રી વર્ધમાન કુમારે તેને પકડીને દૂર ફેષ્ઠી દ્વીધા. બીકને તેા તેએ સમજ્યા જ ન્હાતા. રમત રમવામાં તેઓ એક્કા હતા. આઠ વર્ષની ઉમ્મરે તેમને ભણવા મૂકયા. પણ ત્યાં ઉમ્મરના પ્રમાણમાં તેમને વિકાસ ધણા લાગ્યા. તેમને ભણાવવાની જરૂર જણાઈ નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ મહાવીર શ્રી વમાન માતાપિતાના બહુ ભક્ત હતા. કદી તેમનું મન દૂભવતા નહિ. સૌનું સુખ વિચારતા. કદી કાઈ પર ક્રોધનહિ, કદી અભિમાનને અશ નહિ. સદાયે સરળ, સદાયે સત્તાખી. મુખ સદા શાંત અને હસમુખુ. ભાલે તે પશુ મીઠું'. આવા સ્વભાવ કાને ન ગમે ? તેમને જગતના મેાજોાખ લલચાવી શકતા ન્હોતા. શ્રી વધુ માન ચેાગ્ય ઉમ્મરના થયા ત્યારે માતાપિતાએ તેમનાં લગ્ન યશેાદા નામે રાજકું વરીની સાથે કયા. શું યશેાદાના ગુણુ ! શું યશોદાનાં રૂપ! સમય જતાં તેમને એક પુત્રી થઇ. તેનુ નામ પ્રિયદર્શના. શ્રી વર્ધમાનકુમાર અઠ્ઠાવીશ વર્ષના થયા. આ વખતેતેમના માતાપિતા ધર્મધ્યાન કરીને મરણ પામ્યા. શ્રી વર્ધમાને આ દુ:ખ શાન્તિથી સહન કર્યું પણ નદિવર્ધન અત્યંત શાક કરવા લાગ્યા. શ્રી વર્ધમાને કહ્યું; ‘ભાઇ ! સમજો. શાક કર્યે શું થશે ! હૈયે હિંમત રાખે!. ' ન’દિવ ન સમજ્યા અને શેક આછે કર્યો. હવે પિતાની ગાદી ખાલી પડી હતી તેથી નદિવ ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ મહાવીર કહેવા લાગ્યાઃ “વર્ધમાન ! તમે રાજ્ય ભેગ. એને માટે ખરા લાયક તમેજ છો. ” વર્ધમાન કહે, “ના રે મોટાભાઈ! આપજ ગાદી શોભા. મારે આ રાજ્યને ખપ નથી.' એથી બધાએ ભેગા થઈને નંદિવનને રાજા બનાવ્યા. : ૩ : વર્ધમાનકુમારે હવે વિચાર્યું કે માતાપિતા જીવતાં સુધી દીક્ષા ન લેવાની મારી પ્રતિજ્ઞા પૂરી થઈ છે. હવે તે આત્માને ઉદ્ધારવાને, જગતને ઉઠારવાને સમય આવી પહોંચે છે. માટે મોટાભાઈની રજા લઈને તેમ કરૂં. તેઓ નંદિવર્ધન આગળ આવ્યા ને દીક્ષા માટે રજા માગી. આ સાંભળતાં નંદિવર્ધનના દુઃખને પાર રહે નહિ. તેઓ કહેવા લાગ્યાઃ “વહાલા ભાઈ ! હજી માતાપિતાને વિયેગ મને સાલે છે, એમાં વળી તારા વિયેગી મારાથી એ સહન નહિ જ થાય.” મોટાભાઈના કહેવા પરથી વિચાર કરતાં તરતને માટે શ્રી વર્ધ્વમાનને પિતાને વિચાર મુલતવી રાખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ મહાવીર વાનુ ઠીક લાગ્યું. પણ આ ક્ષથી પેાતાના જીવનની રીતભાત તેમણે બદલી નાંખી અને સાધુની પેઠે રહેવા લાગ્યા. અનેક જાતના સાધન સગવડથી ભરપૂર રાજમહેલ, ખમ્મા ખમ્મા કરતાં સેક્ડા નાકરચાકર અને અત્યંત ગુણવાળી રાણી યશેાદા; એ બધાના સહવાસ છેાડી શ્રી વર્ધમાન રાજમહેલના એકાંત ભાગમાં રહેવા લાગ્યા. અહીં રહી તેમણે ભવિષ્યની તૈયારી કરવા માંડી. ધણેા ખરા વખત આત્મચિંતવનમાંજ ગાળે અને જરૂર પડતાં શુદ્ધ અન્નપાણી વાપરે. આમ કરતાં એક વરસ પસાર થયું. બીજ વર્ષોથી તેમણે દાન દેવા માંડયું. પુષ્કળ સેાનામહેારાનુ દાન દ્વીધું. એથી અનેક ગરીબગરખાંની ભાવટ ભાંગી ગઈ. આ રીતે એક વરસ સુધી દાન દઇને તે સાધુજીવન ગાળવા તૈયાર થયા. આપણી કારતક વદ દશમને દિવસ છે. આખું ક્ષત્રિયકુંડ નગર ઉત્સવ ઉજવી રહ્યું છે. નગરની બહાર શાતશીલ નામે સુ ંદર ખાગ છે. ત્યાં માણસે વધુ માનકુમારના આવવાની રાહ જોઇ રહ્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ મહાવીર સમય જતાં તુજાર ધજાવાળા દ્રધ્વજ આવ્યા,પાછળ નગારાં અને વાજીંત્ર આવ્યાં. પાછળ નદિવર્ધનરાજા ને મંત્રીએ પધાર્યા. પાછળ સામંત ને શેઠ શાહુકારા પધાર્યો. તેની પાછળ સુંદર પાલખી આવી. એમાં શ્રીવ માનકુમાર બેઠેલા હતા. પાછળ અંતઃપુરની અને નગરની સ્રીએ ગીત ગાતી હતી. અહા ! શું તે વખતના દેખાવ ! આંખે આંસુ ને મઢાંએ ગીત 1 વમાનકુમાર પાલખીમાંથી નીચે ઉતર્યાં. શરીરે ખૂબ સુગંધી પદ્માએઁ લગાડેલાં છે, વસઅલ'કારની શોભા અપાર છે. ગંભીરતાથી શ્રીવ માને એ પછી એક વસ અને અલ કાર ઉતારી નાંખ્યા અને એકજ દેવતાઇ વજ્ર રાખ્યું. માથાના વાળ પેાતાના હાથથીજ ચુંટી કાઢયા અને સાધુજીવનની મહાન પ્રતિજ્ઞા લીધી : આજથી હું કાઇપણ જાતનું પાપકામ મન વચન ને કાયાથી કરીશ નહિ. મારી સપૂર્ણ આત્મશુદ્ધિ રીશ. હવે શ્રીન માન ત્યાં પધારેલા સર્વે માણસાને સંબોધીને બાલ્યા : ‘મહાનુભાવા ! મારું જીવન આજથી જુદી દિશામાં શરૂ થયું છે. હવે હું બીજે સ્થળે જવાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ મહાવીર રજા માગું છું. આ સાંભળી સહુએ દુખી દીલે રજા આપી. ગીશ વર્ષના તરુણ રાજકુમાર શ્રી વદ્ધમાન પિતાની આત્મશુદ્ધિ કરવા ચાલી નીકળ્યા. મોટાભાઈ નંદિવર્ધન શ્રી વર્ધમાનની ભાવના સમજયા હતા એટલે રજા આપી હતી. પણ તેમનું હાલ અથાગ હતું. જ્યાં શ્રી વર્ધમાન ચાલવા લાગ્યા ત્યાં નંદિવર્ધનની આંખમાંથી દડદડ આંસુ પડવા લાગ્યા. તેઓ મોટેથી રૂદન કરવા લાગ્યા. પણ શ્રી વર્ધમાનનું મન હવે જગતના મોહ કે શોક્યાં ઘસડાય તેમ હેતુ. તેઓને જે મહાન સાધના કરવાની હતી તેનાજ તરફ લત રાખી તેઓ શાંત ચિત્તથી ચાલવા લાગ્યા. મહાત્મા તે ઘણા થયા પણ શ્રીવર્ધમાનથી હેઠા. એમણે બહુ આકરા તપ આર્યો. કોઈ વખત છે ઉપવાસ તો કઇક વખત ચાર ઉપવાસ. કેઈક વખત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ મહાવીર પંદર ઉપવાસ તો કોઈક વખત ત્રીસ ઉપવાસ, અરે ! છ છ મહિનાના ઉપવાસ પણ તેમણે કરવા માંડયા. શ્રી વર્ધમાન ખૂબ ઉપવાસ કરે અને ધ્યાન ધરે. ધ્યાન પણ કેવી જગાએ? કઈ ખંડેરમાં કે મશાણમાં. કઈ જંગલમાં કે કોઈ ખીણમાં, કોઈ મંદિરમાં કે કોઈ ભયંકર જગામાં. ત્યાં ચાંચડ કરડે અને મચ્છર કરડે. મધમાખ કરડે અને ભમરા કરડે. પણ તેઓ શાંતિથી બધું સહન કરે. ગમે તેવી સતામણી થાય પણ તેમનું ધ્યાન ચૂકે નહિ. એક વખત તેઓ ચાલ્યા જાય. રસ્તામાં ગોવાળ મળ્યા. તેઓ કહેવા લાગ્યાઃ બાપજી ! આ રસ્તે જશો નહિ. આગળ ભયંકર વન આવશે. ત્યાં કાળે મણઝર નાગ છે. ફુફેડે ફોલી ખાય છે. માટે બીજા રતે જાવ. પણ શ્રીવર્ધમાન તે ભડવીર હતા. કોઈથી ગાંજા ન જાય. ભયંકર વન તે શું બીવરાવે? કાળે મણઝર નાગ પણ શું બીવરાવે? એ તો ચાલ્યા આગળ. એવામાં આવ્યું એક ધાર જંગલ. ત્યાં જતાં માણસની છાતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પ્રભુ મહાવોર ન ચાલે. જ્યાં જુએ ત્યાં જાળાંઝાંખરાં. પાંદડાંનાં તા ઢગેઢગ. એમાં મારગ પણ ક્યાંથી જડે ? છતાં શ્રી વ માન તા ચાલ્યા. જંગલમાં એક રાફડા. તેમાં કાળા નાગ બહુ ઝેરીલો. ફુંક મારે તેા ફાટી પડે, શું માણસ કે શુ ઢાર ! એનું નામ ચંડકાશિયેા. ચડાશિયે શ્રી વમાનને જોયા. પછી તે પૂછવું જ શું? મારવા માંડયા છુપાડા. કું~*~~* ટુહું ટુ-ઉ-* -&-૩. પણ તેમને કાંઈ નહિ. ચડકાશિયા કહે, મારું વ્હાલુ* ! આ કોઇ અજબ લાગે છે. ઝેર કેમ નહિ ચડતું હૈાય ? લાવ્ય ડસ'. તે દોડયા ને જમણાં અંગુઠે ડરસ્યા, પણ કાંઇ નહિ. તે તેા સાચા સંત હતા. સાપનું કાંઈ જોર ચાલ્યું નદ્ધિ. એટલે શ્રી વ - માન ખાલ્યા : ' ચંડકોશિક ! કાંઇક સમજ !” આ તા મહાત્માની વાણી. ઝેરીનાં ઝેર મટી ગયાં. ચડકોશિક ડાહ્યો થયા. શ્રી વમાન આગળ ચાલ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ મહાવીર ૧૧ ચાલતાં ચાલતાં તેઓ એક મેાટા શહેરમાં આવ્યા. તેનું નામ રાજગૃહ, તેને હતું માટુ' પરૂ, તેનું નામ નાલંદા. ત્યાં એક વણકરની વણાટશાળામાં શ્રી વધુ માન ઊતર્યો. આગળ ચામાસુ આવે. ચેામાસામાં એક ગામથી બીજા ગામ ન ફરે એટલે ત્યાંજ રહ્યા. ત્યાં આવ્યા એક ચિત્રા બતાવનાર છે।કરી. તેનું નામ ગેાશાળા. તે ભારે અપલખણા ને ભારે અટકચાળા. લેાકાને ચિત્રા બતાવીને તે ગુજરાન ચલાવે. તેણે વિચાર ઢીં : ‘ લાગ્યને આ સતના શિષ્ય થઇ જાઉ`કે કમાવાની બધી માથાકુટજ મટી જાય. ' આથી વધુ માન ધ્યાનમાં ઊભા હતા ત્યાં આવીને એ બેયેઃ ‘ભગવાન! હું તમારા ચેલો. પણ ભગવાન તેા ન મેાલ્યા, ન ચાલ્યા.' ગેાશાળા જાતે તેમના ચેલા બન્યા. ? ચામાસું પૂરું થયું. શ્રી વમાને વિહાર કર્યાં. આ ભાઈ પણ સાથે ચાલ્યા. કાં ગુરુ ? કયાં ચેલા શ્રી વધુ માન ધ્યાનમાં જ રહે. ગાથાળે લેાકાનાં અટકચાળાં કરે ને માર ખાય. સાથે ગુરુને પણ માર ખવરાવે. જુએ ચેલાનાં વન ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પ્રભુ મહાવીર એક દિવસ શ્રી વર્ધમાન ચાલ્યા જાય. ગોશાળે પણ તેમની સાથે હતે. એવામાં મારગે મળ્યા સિપાઈ. તેમણે સવાલ પૂછેઃ “કાણ છો તમે? શ્રી વર્ધમાન તે ધ્યાનમાં હતા એટલે કાંઈ બોલ્યા નહિ. ગોશાળે પણ એ જોઈ ધ્યાન લગાવ્યું. તે પણ કાંઈ બોલ્યા નહિ. સિપાઈઓએ બન્નેને પકડ્યા અને નાંખ્યા હેડમાં, ખૂબ સતાવ્યા. પણ શ્રી વર્ધમાન તો સાચા સંત! સંતનાં પારખાં સિપાઈ શું કરે? થોડીવારમાં સિપાઈઓએ જાણ્યું કે આ તે કોઈ મહાપુરુષ છે. બહુ માઠું થયું. આપણે ઓળખ્યા નહિ. ચાલે એમની માણી માગીએ. તેમણે શ્રી વર્ધમાન આગળ માફી માંગી. શ્રી વર્ધમાનતો ક્ષમાના ભંડાર. તેમને ક્રોધ જ ક્યાં હતું કે ક્ષમા આપવાની બાકી રહે? એક વખત શ્રી વર્ધમાન જંગલી મુલકમાં ગયા. તેનું નામ રાઢ. ત્યાંના માણસો બહુ જંગલી. તેઓ સાધુને જુએ તો મારવા દોડે, કુતરા કરડાવે અને બધા ઉપાય અજમાવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ મહાવીર શ્રી વર્ધમાનને પણ તેમણે ખૂબ સતાવ્યા. વળી ત્યાં ન મળે રહેવાનું સ્થાન કે ન મળે ભિક્ષા. પણ તેમને તે વહાલું તપ. સદા તપ કરે અને ધ્યાન ધરે. ઘણા માસ તેઓ અહીં ફર્યા. ગોશાળા આ વખતે સાથે હોતે. તે જાણતો હતો કે રાઢ કે ભયંકર છે. એથી રાઢમાંથી શ્રી વર્ધમાન પાછા ફર્યા કે તરત તે આવીને ભેગો થ. એક વખત શ્રી વર્ધમાન ધ્યાનમાં મસ્ત થઈને ઊભા હતા. રાત અંધારી ઘેર હતી. ટાઢ તો કહે મારું કામ. એવામાં વેપાર માટે દૂર દેશાવર જતો એક કાફ આવે. એ રાતે કડકડતી ટાઢ પડી. એટલે તેમણે સળગાવ્યાં તાપણું. આખી રાત તાપ્યા. સવારે તેઓ આ ગળ ચાલ્યા. પણ પેલાં તાપણ તે સળગતાં જ રહ્યાં. એટલે તેમની પાસે ઘાસ હતું તે પણ સળગ્યું. શું એના ભડક? શું એને તાપ? એ અગ્નિ તે ચારે બાજુ વધવાજ લાગે. વધતાં વધતાં તે ખૂબ વડ્યો અને આ ગુરુ-ચેલા આગળ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પ્રભુ મહાવીર સાચા સંત વર્ધમાન તો નહાલે કે ન ચાલે. પણ ગશાળાથી તાપસંખા નહિ. તેણે પાડી બૂમ “ગુરુજી! ભાગે. આ કાળમુખ અગ્નિ તે આવી પહોંચે. હમણાં બળીને ભરમ થઈ જઈશું.” આટલું બોલીને ગોશાળે ભાગ્યે; પણ સાચા સંત શ્રી વર્ધમાન શાંતિથી ઊભા રહ્યા. તેમના પગ બળવા મંડયા પણ તેઓ ધ્યાનથી ડગ્યા નહિ. જયારે ધ્યાન પૂરું થયું ત્યારે જ તેઓ આગળ ચાલ્યા. પેલા ભાઈ પણ સાથે ચાલ્યા. પરંતુ પાછળથી એક વિદ્યા સાધવાં જુદા પડયા. : ૫ : શ્રી વદ્ધમાન ધ્યાનમાં ઊભા છે. એવામાં એક ગોવાળ આવે. સાથે બળદ. એને ગામમાં જઈ પાછા ફરવું. થોડી વાર માટે બળદ કોણ લઈ જાય અને લાવે? એટલે તે બોલ્યા “ઓ ભાઈ! જરા બળદ સાચવજે.” શ્રી વર્ધમાન તો ધ્યાનમાં હતા એથી કાંઈ જવાબ મળે નહિ. પણ ગોવાળ સમજો કે તેમણે સાચવવાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ મહાવીર માન્યું છે. એટલે તે ગામમાં ચાલ્યા ગયે. અહીં બળદ પણ ગામમાં ચાલ્યા ગયા. કહ્યું છે કે ધણી વિનાનાં ઢાર સૂનાં. ગોવાળ પાછો આવ્યું. જુએ તો બળદ નહિ. તે બેઃ “અરે સાધુ મહારાજ ! મારા બળદ ક્યાં પણ કાંઈ જવાબ મળ્યો નહિ. ગોવાળ ગુરસે છે. તેણે ફરીને પૂછયું: “અરે મહારાજ ! મારા બળદ કયાં ગયા ? તે ય કાંઈ જવાબ મળે નહિ. આથી ગોવાળ બહુ ગુસ્સે થયો. તે બરાડઃ “કેમ અલ્યા સાધુડા ! નથી સાંભળતો? તારા કાનનાં આ કાણું નકામાં છે કે શું?' છતાં કાંઈ જવાબ મળે નહિ. અહા!આટઆટલું સંકટ પણ વર્ધમાનના મુખ માંથી અરેકોરે નહિ. શું ક્ષમા ! શું સહનશીલતા ! ધ્યાન પૂરું થતાં તે ગામમાં ગયા અને ઘેર ઘેર ફરીને ભીક્ષા લીધી. ત્યાં બેચતુર મિત્રએ એમને જોયા. એમણે તરત પારખી લીધું કે આ મહાત્માના શરીરમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ ૧૬ પ્રભુ મહાવીર કાંઈક પીડા છે. પણ સત કાંઇ બોલતા નથી, એ તે પાછો ગામ બહુાર આવ્યા ને ધ્યાનમાં જોડાયા. પેલા ભાઈબંધીથી આ દુઃખ ન જોવાયું. તે પાછળ પાછળ આવ્યા અને કુશળતાથી સળીએ ખેચી કાઢી. પણ અહા પીડા ! સિડુસમા શ્રી વર્ધમાનના મેઢામાંથી પણ ચીસ નીકળી ગઇ. પરંતુ ઘડીકમાં તે શાંત થઇ ગયા અને ધ્યાનમાં જોડાયા. અહ્વા ધ્રુવી વીરતા ! આવી વીરતા કદી બેઇ નથી કે સાંભળી નથી. શ્રી વર્ધમાન આવી વીરતાથી જ મહાવીર કહેવાયા. પ્રભુ મહાવીર, એક શાલના ઝાડ નીચે ડાંગરના ખેતરમાં ધ્યાન લગાવીને બેઠા છે. પાસે ધીમી ધીમીનઢી વહે છે. દિવસના ચાથા પહેાર છે. પાતાને છઠ્ઠનુ તપ છે, આ વખતે તેમની મહાન તપશ્ચર્યાં પૂળી. દેવળજ્ઞાન થયું. એટલે બધું બરાબર જાણવા લાગ્યા. સાચા સુખના માર્ગ તેમને મળી ગયે. આ વખતે હિંદમાં ધનધાન્ય ખૂબ હતાં, કલાકો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ મહાવીર ૧૭ શલ્ય ઘણું હતું, પણ સાચે ધર્મ દુર્લભ હતા. લેકે હોમહવન ખૂબ કરતા અને પ્રાણુઓને બહુ સંહાર થતું. બ્રાહ્મણે તથા બીજા ઊંચી જાતના લેકે શ્રદ્ધને ઘણી હલકી દ્રષ્ટિએ જોતા. તે કોઈ પણ જાતને અધિકાર ભેગવી શકતો નહિ. સ્ત્રીઓનું સ્થાન ઘણું નીચું હતું. ધર્મશાસ્ત્રો વિદ્વાનની ભાષામાં જ લખાતાં, એટલે તેને લાભ સામાન્ય લેકે ઉઠાવી શકતા નહિ. વળી અનેક સંપ્રદાય ને અનેક ધર્મો એ વખતે ચાલી રહ્યા હતા. પ્રભુ મહાવીરે આ બધી સ્થિતિ ધ્યાનમાં લઈ ઉપદેશ દેવો શરૂ કર્યો – હિંસાથી ભરેલા હોમહવન ને ક્રિયાકાંડથી ખરે ધર્મ થતો નથી પણ આત્માની શુદ્ધિ કરવાથી જ થાય છે. જે સદ્ગણી છે તે જ બ્રાહ્મણ છે, જે દુરાચારી છે તે શક છે. ધર્મનો ઈજારે કઈ પણ માણસને હોઈ શકે નહિ. દરેક મનુષ્ય ધર્મ કરી શકે છે.શું બ્રાહ્મણ! શું શુદ્ર ! શું પુરુષ! શું સ્ત્રી ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ મહાવીર અહિંસા એજ પરમ ધર્મ છે.* પરંપરા વિકાસ થાય તો આત્મા જ પરમાત્મા બને છે. વસ્તુની બધી બાજુ જેવાથી જ તેનું સાચું સ્વરૂપ સમજાય છે વગેરે. પ્રભુ મહાવીર સામાન્ય લેકેની ભાષામાં જ પિતાને ઉપદેશ દેવા લાગ્યા. કેવલજ્ઞાન થયા પછી ત્રીસ વર્ષ સુધી તેમણે દેશના જુદા જુદા ભાગમાં ફરીને ઉપદેશ આપે. ચારે વર્ણના સ્ત્રીપુરુષો તેમના શિષ્ય થયા. ઈંદ્રભૂતિ ગૌતમ, સુધર્મા આદિ બ્રાહ્મણે ઉદાયી, મેઘકુમાર આદિ ક્ષત્રિયે, ધન્ના, શાલિભદ્ર વગેરે વૈ, મેતારજ, હરિકેશી વગેરે શદ્રો પ્રભુના ત્યાગી શિષ્ય હતા. વૈશાલિપતિ ચેડા મહારાજ, રાજગૃહપતિ શ્રેણિક, તેમને પુત્ર કાણિક વગેરે ક્ષત્રિયો, આનંદ કામદેવ વગેરે વેપાર ને ખેતી કરનાર વૈ, રાકડાલને સંક વગેરે કુંભારો પ્રભુના ખાસ ગૃહરશિષ્ય હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ મહાવીર ત્યાગી શિષ્યાઓમાં ચંદનબાળા તથા પ્રિયદર્શના ક્ષત્રિય પુત્રીઓ હતી. દેવાનંદ બ્રાહ્મણી હતી. ગૃહસ્થ શ્રી શિષ્યાઓમાં રેવતી, સુલસા, જયન્તી વગેરે વિદુષી બાઈઓ હતી. કુલ ૧૪૦૦૦ સાધુ અને ૩૬૦૦૦ સાધ્વીઓ પ્રભુ મહાવીરને હાથે રિક્ષા પામ્યા હતા. ગહરથ મી પુરુષે તો ઘણા જ હતા. પ્રભુ મહાવીરે આ બધાને સંધ સ્થા. આ સંધ તીર્થ કહેવાય છે એટલે તેઓ તીર્થકર કહેવાયા, એમના પછી બીજું કોઈ તીર્થકર થયું નથી. એટલે તે ચરમ તીર્થકર કહેવાય છે. તેમણે પિતાના રાગષ પૂરેપૂરા જીતી લીધા હતા એટલે તેઓ જિન પણ કહેવાય છે. સડેલા સમાજ આગળ આદર્શ જીવન ગાળનારને આ સંધ સ્થાપી પ્રભુએ જગતસુધારણાની ઘોષણ કરી. અનેક વહેમે ને અનેક કુરિવાજે ઉખડી ગયા. લેકે અહિંસાનું રહસ્ય સમજવા લાગ્યા. જ્ઞાન અને સાચા ત્યાગને ભારતવર્ષમાંથી ફરીથી પ્રકાશ . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ ૨૦. પ્રભુ મહાવીર વિહાર કરતાં પ્રભુ મહાવીર પાવાપુરી ગયા. ત્યાં ઘણ રાજાઓ એકઠા થયેલા હતા. તેમને પ્રભુ મહાવીર અમૃતવાણીથી દેશના દીધી. આ છેલ્લી દેશના દઈ પ્રભા મહાવીર નિર્વાણ પામ્યા. આહ ! ભારતવર્ષને સૂરજ આથમી ગયે. ભકતોએ તેમની ખોટ પૂરી પાડવા લાખ દીવા પ્રગટ કર્યા. આ દિવસથી દિવાળીનું પર્વ શરૂ થયું. જે મહાપુરુષે અજોડ જીવન ગુજારી આત્માનું અને જગતનું કલ્યાણ કર્યું તેના ગુણ કોણ ગાઈ શકે? જગત જીવશે ત્યાં સુધી આ ઉપકાર યાદ કરશે અને એમના ઉપદેશને અનુસરી પિતાનું કલ્યાણ સાધશે. અગણિત વંદન હે પ્રભુ મહાવીરને ! અગણિત વંદન હૈ એ માનવજાતિના ઉદ્ધારકને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ વીર ધન્નો દક્ષિણ દેશમાં ગેાદાવરી નામે મનહર નદી છે. તેના કિનારે એક માટું શહેર હતું. તેનું નામ પૈઠણુ. ત્યાં રહે એક શેઠ. તેમનું નામ ધનસાર. તેમને કેલૈયા કુંવર જેવા ચાર ઢીકરા. તેમાં સહુથી નાનાનું નામ ધો. ધન્નામાં નામ પ્રમાણેજ ગુણ હતા. તે જન્મ્યા ને ધનસાર શેઠના ઘરમાં ધન વધવા માંડ્યુ. મીજના ચંદ્રમાની માફક ધન્નો વધવા લાગ્યા. કહેવત છે કે પુત્રના લક્ષણ પારણામાંથી વરતાય. તે મુજબ ધવામાં ચતુરાઇ સાહસ વગેરે ગુણ્ણા નાનપણથીજ જણાવા લાગ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ વીર ધને તે આઠ વર્ષને થયે ત્યારે ભણવા મૂકો. ત્યાં લખતાં શીખે, વાંચતાં શીખે, ગણિત શીખ્યો, ગાતાં શીખે, બીજું પણ ઘણું ઘણું શીખે. શું ધન્નાની હોંશિયારી ! સહુ કે તેની બુદ્ધિના વખાણ કરે. ધન્નાના મોટા ભાઈઓ આ સાંભળે અને દાગે બળે. તેઓ અંદર અંદર વાતો કરે : “અલ્યા ધન્નાનાં આટલાં બધાં વખાણ શાં? એમાંયે બાપાજીની તે હદ ! જ્યારે જુઓ ત્યારે એજ વાત કરતા હોય કે મારે ધન્ના આવ ને મારે છે તે પણ અલ્યા એ નાનકે શું કરે છે ? એ તો ખાય છે, પીએ છે ને ફરતો ફરે છે, અને આપણે તો આખો દિવસ મહેનત મજૂરી ને વેપારમાંથી ઉંચા જ આવતા નથી. પિસા આપણે પેદા કરીએ ને વખાણ ધન્નાના થાય એ કેવું ? ધનસાર શેઠ ઘણી વખત આવી વાત કાનેકાન સાંભળે. એમણે જાણ્યું કે છોકરા છે દાઝીલા. પિતાનામાં ડહાપણ નથી ને બીજાનું ડહાપણ સંખાતું નથી, માટે એક વખત એમની પરીક્ષા લેવા દે. એક દિવસ સવારે ધનસાર શેઠે ચારે પુત્રને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ - THE વીર બન્ને એકઠા કર્યા અને કહ્યું : “દીકરાઓ ! આપણે વેપારી માણસ છીએ. વેપારીના દીકરાને પારજ શેભે, તમે બધા એ વિદ્યામાં કેટલા કુશળ થયા છે તે આજે મારે જેવું છે. માટે દરેક આ સોનામહેરે . તેનાથી ગમે તે વેપાર કર ને એમાંથી થયેલી કમાણીમાંથી સાંજે ઘેર આવી સહુને જમાડજે. પિતાની પાસેથી સોનામહોર લઈ ચારે ભાઈઓ વેપાર કરવા ચાલ્યા. સહુ જુદા જુદા વિખરાઈ ગયા. ચતુર ધ ફરતે ફરતે બજારમાં આવ્યું. ત્યાં એક દુકાન આગળ ઊભો રહીને વિચાર કરે છે ત્યાં સામે નજર પડી. એક શેઠ બેઠાં બેઠાં કાગળ વાંચે. ધન્નાને તેના અવળા અક્ષર દેખાય. પણ ધન્નો મહાચતુર ! અવળા અક્ષરોથી પણ તેણે આ કાગળ વાંચી લીધે. એમાં લખેલું કે આજ રોજ અમુક ઠેકાણે વણઝારાની પિઠે આવશે. માંહિ મોંઘામાં મેધાં કરિયાણાં ભરેલાં છે. અને તેને ખરીદવાથી ઘણો લાભ થાય તેમ છે માટે જલ્દી જજે ને બધાં કરિયાણું ખરીદી લેશે. ધન્નો કહે, “ચાલે, આપણે બેડે પાર થયે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ વીર ધને તે બહારગામ ગયે ને વણઝારાને મળે.“જુહાર ! શેઠ જુહાર!” કહીને ઊભો રહ્યો. વણઝારાએ કહ્યું: “કેમ શેઠજી ! શું કામ છે ? ધન્નાએ જરા પણ અચકાયા વિના કહ્યું : “કરિયાણું ખરીદવા છે. અને વાટાઘાટ ચાલી. થોડી વારે સેદે નક્કી થયે ને ધન્નાએ પિતાની પાસેની સેનામહોર આપી કરિયાણ ખરીદી લીધાં. એવામાં ગામમાંથી પેલા શેઠ આવી પહોંચ્યા. તેમણે વણઝારાને પૂછ્યું “અરે! ભાઈ વણઝારા! વેચશે કે કરિયાણું ? વાઝારાએ કહ્યું: “શેઠ! સદે તે થઈ ગયે. આ ઊભા ખરીદનાર.” આ સાંભળી શેઠ તાજુબ થયા. “આ મારો હાલ કયાંથી પહે ? એને શી રીતે ખબર પડી હશે? ચાલે, થયું તે ખરું. હવે એની પાસેથી જ કરિયાણાં ખરીદી લઉં.' તેમણે પૂછયું: “કેમ ભાઈ વેચવા છે કરિયાણાં ?” ધન્ન–હા. વેપારી–શું મૂલ્ય લેશે? ધન્ન-નફાની સવા લાખ સેનામહોર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ ૫ વીર ધને વેપારી—એમ તે એમ. પણ ભાઈ મને કચિાણ આપી દે. ધન્ને સેનામહોર લઈને કરિયાણાં આપ્યાં અને ગામમાં આવ્યું. ત્યાં રસ્તામાંથી ભાતભાતની મીઠાઈઓ તથા નવનવાં વસ્ત્ર અને ઘરેણાં ખરીદ્યાં. પછી ગમે છે. આ વખતે બીજા ત્રણ ભાઈઓ પણ આવી ગયા હતા. તેમાં એક લા હતા વાલ, બીજે લાવ્યા હતા ચોળા ને ત્રીજે લાવ્યા હતે અડદ. ધન્નાની કમાણી જોઈ સહુ ઠરી ગયા. ધન્નાના પિતાને આથી બહુ આનંદ થયો ને બધી હકીકત પૂછી. બન્ને જેવી હતી તેવી હકીક્ત કહી સંભળાવી. આ સાંભળી પેલા ભાઈઓ બોલી ઉઠયાઃ “પિતાજી ! આ તે ઠગાઈ કરી, ઠગાઈ ! અમારી પરીક્ષા તે વેપારમાં લેવાની હતી. બિચારા વણઝારાનો કાગળ વાંચી લીધા ને કરિ ચાણું ખરીદી લીધાં એ તે કાંઈ વેપાર કહેવાય ! અમારી ખરી પરીક્ષા કરવી હોય તે વેપારમાં જ કરે. ધનસાર શેઠ કહે, “ તમે દાઝીલા ન થાવ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ વીર ધને તમારી ઈરછા હશે તે વળી બીજી વાર પણ પરીક્ષા કરીશ.” ધન્નાની ચડતી કળા જોઈ તેના ભાઈઓ બહુ અદેખાઈ કરવા લાગ્યા. આ જોઈ ધનસાર શેઠે બધા છોકરાઓને બોલાવીને થોડી થોડી સેનામહોરો આપી અને કહ્યું: “આ વખતે હોશિયારીથી કામ લેજે. જે જે, પાછળથી કહેવાનું ન રહે.” બધા છોકરાઓએ કહ્યું : “વારૂ, આ વખતે જરૂર પાણી બતાવી આપીશું.” અને તેઓ બજારમાં ચાલ્યા ગયા. હૈયાને ઉકેલ વિના વેપાર ડે જ થાય? બિચારા ત્રણે ભાઈઓ ખૂબ રખડયા, અથડાયા, કુટાયા પણ કંઈ દહાડે વળે નહિ. આ બાજુ ધન્નો વિચાર કરતે ચાલ્યા જાય છે ત્યાં ઘેટાનું એક ટોળું જોયું. તેમાં વાંકડી શીંગડીવાળો એક સંઘલો ઘેટે બહુ મજાને. ધજાને વિચાર આ થયો કે લાવ્ય, આ ઘેટાજ ખરીદું. એણે થોડી સેનામહોર આપીને ઘેટે ખરીદ્યો. એ ઘટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ વીર અને લઈ તે રાજમહેલ ભણી ચાલ્યું. એ ગામના રાજકુંવરને ઘેટા લડાવવાને બહુ શેખ. રસ્તામાં જ તેને ભેટ થયો. રાજકુંવરે ધન્નાની પાસે સુંદર ઘેટે જોઈ કહ્યું “અલ્યા વાણિયા ! લડાવે છે આ ઘેટાને ?' ધને કહે, “ ઘણી ખુશીથી. ” રાજકુંવર, “પણ શરત છે ?”ધને કહે, શું?” રાજકુંવર કહે, “હારે તે સવા લાખ સોનામહોર આપે!” ધજો કહે, “કબુલ છે. ” બંને ઘેટાની ત્યાં કુસ્તી થઈ, જોર જોરથી ધકે લે ને સામસામાં શીંગડાં અફાળે. લોકો એ જોવા મળે મળ્યાં. થોડીવાર તો એક બીજાથી કેઈ ગયું નહિ પણ પુછી રાજકુંવરને ઘેટે હારી ગયો. રાજાને કુંવર એ જોઈ એશિયાળો થઈ ગયે. ધન્નાના આનંદને પાર ર નહિ. તે સવા લાખ સોના મહોર જીતી ગયે. રાજાના કુંવરે એ ઘેટે ખરીદી લઈને બીજી પણ સારી રકમ આપી. સાંજ પડી એટલે બધા ભાઈઓ ઘેર આવ્યા. પણ કોઈના મોઢપર હૅશ નહિ. એક બીજા સામું બાઘાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ વીર ધન્ના જેમ જોયા કરે. એવામાં હસતા હસતા ધન્ના ઘેર આવ્યા ને ધન્નાની આગળ સેાનામહેારની શૈલીએ રજુ કરી. ધનસાર શેઠ એ જોઇ ખૂબ હરખાયા પણ ભાઇએના મહેાં લેવાઈ ગયા. એક ભાઇએ પૂછ્યું: ‘ ધન્ના ! આ મઢારા ક્યાંથી લઈ આવ્યા ?' ધન્નાએ જેવી હતી તેવી વાત કહી સંભળાવી. એ સાંભળી મી ભાઇએ બેલી ઉઠયાઃ હ્યા, આ તે। જુગાર રમ્યા જુગાર ! àાડ રમવી એ જુગાર નહિ તે બીજી શું? અમારી પરીક્ષા તે વેપારમાં કરવાની હતી ! ’ ( ધનસાર શેઠ કહે, ‘ઢીકરા ! ગાંડા ન થાય. કાઈને સારા જોઇને રાજી થઇએ. એની અદેખાઈ કરવાથી શું વળે? આ સાંભળી પેલા ભાઇએ બેાલી ઉઠયાઃ ‘હા, બાપા!' અમે તે ગાંડા જ છીએ ! ફત તમારા આ નાનકડા દીકરા જ ડાહ્યો છે !' :8: ધન્નાનાં વખાણ તે ચારે ખાજી થવા લાગ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ કન – વીર ધને સગા વહાલામાં, નાત જાતમાં ને વેપારી વર્ગમાં પણ તેની પ્રશંસા થવા લાગી. પેલા ભાઇઓ આ સાંભળીને મનમાં બળી જાય ને કંકાસ કરે. ધનસાર શેઠ કહે, “લાવ્ય, હજી એક વખત પારખું લઉં.” બધાને તેમણે બોલાવ્યા ને થોડી સોનામહેરે આપી કહ્યું: “આ વખતે ન ભૂલશે. સહુ ધ્યાન રાખજે. સાંજે ઘેર આવજે ને કમાણી દેખાડ. સહુ સેનામહેર લઈને ચાલ્યા. એક ગયે આમ. બીજો ગમે તેમ. સહુ પડયા છુટા. ધને ગયે બજારમાં. ત્યાં એક સુંદર ઢોલિયે વેચાય. પણ વેચનાર માણસ જાતનો ભંગી. એટલે કોઈ લે નહિ. ધને વિચાર્યું. “આ ટ્રેલિયામાં નક્કી કાંઈ કરામત છે માટે એજ લેવા દે.” તેણે એ ઢોલિયે વેચાતે લીધે. પેલા ભાઈઓ ખૂબ રખડયા પણ કાંઈ કમાયા નહિ. આખરે આવ્યા ઘેર. ત્યાં પેલો ટેલિયા જેવામાં આવ્યું. એટલે તરતજ બેલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ ૧૦ વીર પન્ના. ઉઠ્યા ‘ બાપા ! એ તમારા ડાહ્યા દીકરા. ઢાલિયેા છે. ક્રાઇ એને લેવું આ તે। મડદાંને ન હતું તે આ તમારા ડાહ્યા ઢીકરા લઇ આગે. ધલાય ? અમે નહિ રહેવા દઈએ. એને તે ધરમાં અમારું ઘર અપવિત્ર થાય. ' એમ કહીને તે ઉઠયા ને ઢાલિયે। પછાડયા. એટલે ઇસ ને ઉપળાં જુદાં પડયાં. એજ વખતે તેમાંથી ઝળળાટ કરતાં અમૂલ્ય રત્ના નીકળી પડયાં. આ જોઈ બધા ભાઈ ભેાંઠા પડયા. તે માંમાં આંગળી ધાલીને જોઇ રહ્યા. શેઠ મેલ્યાઃ ‘કેમ અદેખાએ ! કરી ધન્નાની પરીક્ષા ? ભાઈએ કહે, ‘ હા, બાપા ! હા. અમે બધા દેખા. એક તમારા ધન્ના જ સારા ! અમને કાર્ય દિવસ વખાણુશા નહિ હૈ !! | ' : ૫ ઃ એક વખત ગાદાવરી નદીમાં કરિયાણાથી ભરેલું એક વહાણુ ખેંચાઈ આવ્યું. પણુ તેના ધણી મરી ગયેલા એટલે રાજાએ કબજે કર્યું. પછી બધા વેપારીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ વીર ધનો હુક્ત કર્યો કે કરિયાણ તમે ખરીદી લે. રાજાને હુકમ સાંભળી બધા વેપારી ભેગા થયા. વનસાર શેઠના ઘર પણ રાજાનું કહેણ આવ્યું કે રાજાનાં કરિયાણાં વેચાય છે ને સહુ ભાગ પડતાં લે છે, માટે તમારે ત્યાંથી પણ કોઈને મેકલે. એટલેધનસાર શેઠે મેટા છોકરાને કહ્યું “ધનદત્ત ! તું જા ને કરિયાણાં ખરીદી લાવ.” ધનદત્ત કહે, “બાપુ! વખાણ કરતી વખતે ધન્ને ને કામ કરાવતી વખતે ધનદત્ત ! હું તો કાઈ જતો નથી. જશે તમારો ડાહ્યો દીકરો !” શેઠે બીજા પુત્રને કહ્યું. ત્રીજાને કહ્યું. પણ સહુને સરખે જવાબ મળે. એટલે થાકીને ધન્નાને કહ્યું બેટા ! તું જા.” ધન્નો કહે, “જેવી બાપુની આજ્ઞા.' ધને તૈયાર થઇને કરિયાણું ખરીદવા ગયે. વહાણ પર બધા ભેગા થયા હતા. તેમાંથી એકે લીધું કેશર ને બીજાએ લીધી કસ્તુરી. ત્રીજાએ લીધે બરાસ ને ચેથાએ લીધું કપૂર. પાંચમાએ લીધું સુખડ ને છઠ્ઠાએ લીધું અગર. સહુએ સારાં કરિયાણું લઈ લીધાં. પાછળથી રહ્યો ખારા જેવી માટીને ઢગલે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ વીર ધના બધા કહે, વળગાડા આ ધન્નાને. તે કરા 6 શું સમજવાના છે!' એક વેપારી બોલ્યાઃ ‘ ધન્ના | તું વેપારનું મુહૂત કરે છે. એટલે આ મીઠું લઈ જા. શુકન બહુ સારા થશે. ’ બીજો કહે, ‘શેઠ બરાબર કહે છે. ' ધન્ના મનમાં સમજ્ગ્યાઃ । આ બધા મને છેતરે છે, પણ ફીકર નહિ. જોઇશું કેાણ છેતરાય છે ! ’ ધન્ના કહે, ભલે, મારા ભાગમાં આ ખારા, ’ ૧૨ ધન્ના ખારી લઇને ઘેર આવ્યેા. બધા ભાઈ મેલ્યાઃ ‘જુએ તમારા ડાહ્યો દીકરી. ખરા વેપારમાં પારખાં થાય ! ગામે સારાં સારાં કરિયાણાં લીધાં ત્યારે ભાઇએ લીધી માટી. શું ઢાશિયાર છે ને ! ’ ' શેઠ પણ પૂછવા લાગ્યાઃ ધન્ના ! માટી કેમ લાભ્યો ? સારૂં કરિયાણું કાંઈ ન મળ્યું ?' ધન્ના કહે, પિતાજી ! આ ન ઢાય માટી. આ તે છે તેજ તુરી, લાલુ કરીએ ગરમ તે માંહી નાંખીએ તેજ તુરી તે અની જાય સાનું.' તે પ્રમાણે કરી જોયું તે સેાનું થયું. તેથી બધા બહુ રાજી થયા ને ધન્ના એકદમ માલદાર ખની ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ વીર ધને પેલા ભાઈએ અદેખાઈ છેડે નહિ. રોજ કંકાસ કરે. બન્ને કહે, “આ સારૂં નહિ. મારા લીધે બીજા દુભાય છે માટે પડદવા દે છુટા. પરદેશ જઈશું ત્યાં માઈશું ને મજા કરીશું.' તે એક દિવસ વહેલા ઉઠોને ઘર બહાર નીકળી ગયો. ચા ચાલે દેશાવરમાં ગયે. - ત્યાં ઘણું જોયું, ઘણું ચાલ્યું. એમ કરતાં આ એક મોટા શહેરની ભાગોળે. શહેરનું નામ રાજગૃહ. ત્યાં એક વાડી સાવ સૂકી. ધનો ત્યાં રાત રહ્યો. સવારે જુએ ત્યાં સુકી વાડી લીલી બની ગયેલી જયાં ભાગ્યશાળી જાય ત્યાં શું ન થાય! માળીએ શેઠને ખબર આપી. શેઠ બહુ હરખાયા. ધન્નાને તેડું મોકલ્યું. બને ત્યાં ગયે. શેઠે તેને જમાડ અને ખૂબ માન આપ્યું. પછી વાતચીત કરી. તેમાં તેમને લાગ્યું કે આ પ્રતાપી પુરુષ છે. એટલે પરણાવી પિતાની દીકરી. ધન્ને ખૂબ નશીબદાર. જયાં તેના પગલાં ત્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ ૧૪ વીર પન્ના ધનનાં ઢગલાં. અને તે અહીં પણ ખૂબ ધન મળ્યું. તે મેટા શેઠ થયા. એક વખત રાજાના હાથી ગાંડા થયા. કાઇ વશ કરી શકે નહિ. તેથી ઢંઢેરો પીટા કે હાથીને જે વશ કરશે તેને મારી કુવરી પરણાવીશ. ધન્ને ખૂબ સાહસિક. તેણે ઢ ંઢેરા ઝીલ્યે ને હાથીને કર્યો વા. રાજાએ તેને પેાતાની કુંવરી પરણાવી. આ પરાક્રમથી ધન્નાનું માન આખા નગરમાં બહુ વધ્યું. તે નગરમાં ગેાભદ્ર નામના એક શેઠ હતા. આખા નગરમાં રાહુથી તે પૈસાદાર. તેમને ત્યાં એક વખત એક કાણીએ આવીને કહેવા લાગ્યાઃ ' શેઠ ! તમારા એક લાખ રૂપિયા ને લાવેા મારી ધરેણે મૂકેલી આંખ. ' શેઠ કહે, ‘ વાત તદ્દન ખોટી. એમ તે કદી બનતું હશે ?' પણ પેલે। માણસ શેના માને ! એને તે ગળે પડવું હતું. એટલે તકરાર કરી. અને રાજા પાસે જઇ ન્યાય મામ્યા. રાજાએ જાણ્યું કે આ માસ ઠગ છે પણ તેને ખાટા શી રીતે હરાવવા ? તે ખૂબ વિચારમાં પડયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ વીર ના ધન્નાએ એ વાત જાણી. એથી રાજદરબારમાં આવ્યા અને કહ્યું: ‘મહારાજ ! હુકમ હૈાય તે ન્યાય કરૂ’ રાજા કહે, ‘તમારાજ પાડ. કરી ને એને ન્યાય. ૧ન્ને તે! શેઠ અને હગ અનેને બેાલાવ્યા અને ન્યાય ચૂકવ્યાઃ ‘શેઠને ત્યાં ઘણી આંખે ધરેણે પડી છે. તેમાં શી ખબર પડે કે કઇ આંખકાની ! માટે આંખને નમુના લાવા અને તમારી આંખ લઇ જાવ.' પેલા ઠગ પકડાયા. આંખને નમુના ક્યાંથી આપે ? બીજી આંખે પણ આંધળા થાય. રાજાએ તેને ઠગ જાહેર કર્યો ને શિક્ષા કરી. ૧૫ ગાભદ્ર શેઠ આથી ખૂબ હરખાયા ને તેને પેાતાની સુભદ્રા નામે પુત્રી પરણાવી. ૮ : એક દિવસે ધન્ના ગેાખે બેઠા બેઠા નગરને જોઇ રહ્યો છે. તેમાં થાડા ભિખારી જોયા. માણસે બરાબર પેાતાનાં કુટુંબ જેવા જ લાગ્યા. તે વિચારવા લાગ્યુંઃ ‘મારું કુટુ’બ આવી હાલતમાં કેવી રીતે આવી પડયું હશે ?' તપાસ કરતાં વાત સાચી નીકળી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ વીર ધને તેણે પિતાના પિતાને વાત પૂછી. પિતાએ જવાબ દીધે “દીકરા ! નશીબની બલીહારી ! તું હતું ત્યાં સુધી લીલા લહેર હતી. તું ગેયે એટલે ધન પણ ગયું. તારા જવાની રાજાને ખબર પડી એથી અમને હેરાન ક્ય. ધન પડાવી લીધું. ભિખારી થયા. કાંઈ ગામમાં એમ રહેવાય ? એટલે પરદેશ નીકળ્યા ! ધને એ બધાને સાથે રાખ્યા. તેઓને સારું સારું પહેરાવે. સારું સારૂં ખવરાવે ને દરેક રીતે રાજી રાખે. પણ કેલસા કદી ઉજળા થતા હશે? બધા કામમાં ધન્નાની સલાહ લેવાય અને પિતાને તે કઈ ભાવ પણ ન પૂછે એથી તેમને અદેખાઈ આવી. એથી એક દિવસ પિતા પાસે જઈ તેમણે કહ્યું : “બાપા! અમારે ભાગ વહેંચી આપો. અમારે ધન્નાની સાથે નથી રહેવું.' - પિતા કહે, “અલ્યા તમારે ભાગ શેને ? શરીર પર પહેરવા કપડું ન હતું. આ તે બધી ધન્નાની મિલકત છે. તેના ભાગ નહિ પડે.” પેલા ભાઈઓ કહે, “અમે બધું જાણુએ છીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ ૧૭ વીર ધને રને ચોરીને ધને નાઠો તે અહીં આવ્યું છે ભાગ આપે નહિતર ફજેતી થશે.' ઘને કહે, “આતે ફરીથી થયો કંકાસ. આપણે કંકાસ જોઈએ નહિ. ચાલે પરદેશ. ત્યાં કમાઈ શું ને મજા કરીશું.” સવારમાં વહેલા ઉઠી તેણે ચાલવા માંડયું. ચાલતે ચાલતે તે કૌશામ્બી નગરીમાં દાખલ થયે. ત્યાં રાજદરબારે મણિની પરીક્ષા થાય. પણ કેઈ સાચી પરીક્ષા કરી શકે નહિ. ધને મણિની બરાબર પરીક્ષા કરી. રાજાએ આથી પ્રસન્ન થઈ પિતાની કુંવરી પરણાવી. - હવે ધન્નાએ વસાવ્યું ધનપુર ગામ. ત્યાં બધી વાતે સુખ પણ પાણીનું મોટું દુખ. એટલે એક તળાવ ખોદાવવા માંડયું. તે હંમેશ તળાવ પર આવે ને કેટલું કામ થયું તે જુએ. ત્યાં એક દિવસ પોતાનું કુટુંબ જોયું. તળાવ પર મજૂરી કરે અને ગુજરાન ચલાવે. ધને પહેલા તે ઓળખાણ ન પડી પણ પાછળથી ઓળખાણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ વીર પન્ના પાડીને બધી વાત પૂછી. પિતાએ કહ્યું: ‘ભાઇ ! તું ગયા તેની રાજાને ખબર પડી એટલે તેણે નકારા દ્વીધા. અને અમારી આ હાલત થઇ ! ' ધન્ના આ વાત જાણી ખૂબ ઢીલગીર થયેા. તેણે પૂરી કુટુંબને સાથે રાખ્યું અને સુખી કર્યું. ૧૮ ધન્ના બીજી પણ ચાર સ્ત્રીઓ પરણ્યો. ભૂખ ઊંચા કુટુંબની. તેને કુલ આઠ સ્રીઓ થઇ. તે હવે રાગૃહમાંજ રહેવા લાગ્યા. ત્યાં તેના માતા પિતા ઉપવાસ કરી મરણ પામ્યા. : ૧૦ : એક વખત ધન્ના બેઠા ન્હાવા. સુભદ્રા વાંસે ચાળે. પણ આંખમાંથી ટપટપ આંસુ પડે. તેણે પાછું જોયું તે સુભદ્રાને રડતી દીઠી, ‘પ્રિયે ! આજે ઉદાસીન કેમ ?” ધન્નાએ કારણ પૂછ્યું. સુભદ્રા કહે, ‘ મારા ભાઈ શાળિભદ્રને થયા છે વૈરાગ્ય. તે હંમેશાં એક એક સ્ત્રીને છેડે છે. ખત્રીશ સ્ત્રીઓને એ એ રીતે છે।ડવાના છે. ધન્ના કહે, ‘ એ તે બહુ કાયર. ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ વીર ધન એ તે કાંઈ વૈરાગ્ય કહેવાય? બધી સ્ત્રીઓને સાથે કેમ નથી છોડતો ?” સુભદ્રા કહે, “વામનાથ! બેલવું સહેલું છે. પણ કરવું મુશ્કેલ છે.” ધને કહે, “એમ ? સુભદ્રા કહે, “હા.” ધને કહે, ત્યારે બધી સ્ત્રીઓ છેડી.” સુભદ્રાએ જાણ્યું કે હાંસી કરતાં ખાંસી થઈ તેણે બહુ બહુ સમજાવ્યું. બીજી સ્ત્રીઓએ પણ ખૂબ સમજાવ્યું પણ ધને ફર્યો નહિ. એટલે સ્ત્રીઓએ કહ્યું: “ત્યારે અમે પણ દીક્ષા લઇએ.' ધને કહે, બહુ આનંદની વાત.” એથી સ્ત્રીઓ પણ દીક્ષા લેવા તૈયાર થઈ. તે આ શાળિભદ્રને ઘેર અને બૂમ મારીઃ “અરે કાયર ! વૈરાગ્ય તે આ હતો હશે ? હું તો આઠ સ્ત્રીઓ સાથે આ ચાલ્યું. તારે પણ આવવું હોય તે નીકળ ઘર બહાર. શાલિભદ્રના મનમાં વ્રત લેવાને ઉંમગ તે હજ અને આ સાંભળ્યું એટલે વધારે થયો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ વીર પન્ના. એવામાં સમાચાર મળ્યા કે પ્રભુ મહાવીર પાસેના પહાડપર પધાર્યા છે. આ વાત સાંભળી અનેેને ખૂબ આનંદ થયા. ધન્ને પાતાની સ્ત્રીઓ સહિત ત્યાં ટીક્ષા લીધી. શાળિભદ્રે આવીને પણ દીક્ષા લીધી. ૨૦ હવે ધન્ને તથા શાળિભદ્રે આકરાં તપ આદર્યો. ઢાઈ વખત માસના ઉપવાસ તા ઢાઇ વખત બે માસના ઉપવાસ, ઢાઈ વખત ત્રણ માસના ઉપવાસ તે કાઇ વખત ચાર માસના ઉપવાસ. આ પ્રમાણે એક વખતના મહાવિલાસી હવે મહાતપસ્વી થયા. અન્ને મહાતપરવીઓએ ધણા વખત સુધી તપ કર્યું. પોતાના મન તથા વચનને ખૂબ પવિત્ર બનાવ્યાં અને મહાતપસ્વી તરીકેજ પેાતાનું જીવન પૂર્ણ કર્યું. ધન્ય છે વીર ધન્નાને ! ધન્ન છે વીર શાળિભદ્રને ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ મહાત્માં દૃઢપ્રહારી બ્રાહ્મણને એક છોકરો. તેનું નામ દુર્ધર. જાતને એ બ્રાહ્મણ પણ સ્વભાવે બહુ હલછે. ભણવું–ગણવું ગમે નહિ. તેફાન મરતીમાં હંમેશા પહેલે. માબાપનું કહ્યું માને નહિ. સામે થાય ને ગાળો દે. જુઠું બોલે ને ચોરી કરે. ગોઠિયાઓ સાથે લડે ને વાતવાતમાં લડાઈ લઈ આવે. કોઈને એકલે જુએ કે ઝટ થપાટ લગાવે. કંઇ વસ્તુ પડેલી જુએ કે ઝટ ખીસામાં સેરવી દે, એ મેટ થશે અને નિશાળે મૂળે. પણ એને તે ભણવું ગમે? કોઈ દિવસ પાઠ જ ન કરે. મહેતાજી ખૂબ ઠપકે દે ને માર મારે, પણ દુર્ધરને કશું ન થાય. માબાપ એને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ મહાત્મા દઢપ્રહારી સમજાવે. બ્રાહ્મણને દિકરો કે હેય એવી વાત કહે પણ એના મનમાં કંઇજ ન ઉતરે. ઉલટો રીસે બળે, ગાળે દે ને અપમાન કરી નાસી જાય. કોઈની શીખામણ પણ ન સાંભળે. દુધની ઉંમર વધી એમ એની કુટેવો પણ વધી. જુગાર રમવાની ટેવ પડી. નિશાળમાં ગોઠિયાઓ સાથે છાને છાને જુગાર રમે. ગામમાં પણ રમે. ધીરે ધીરે આ ટેવ વધતી ગઈ. તે પાકો જુગારી બની ગયે. પણ જુગારમાં તે પૈસા જોઈએ. એ લાવવા ક્યાંથી ? એટલે દુધરે ચેરી કરવી શરૂ કરી. પહેલાં ઘરમાંથી પાઈપઈસે ઉઠાવવા માંડશે. પછી પાડોશીઓનાં ઘરમાંથી લેવા મંડ. ઘેર મહેમાન આવે કે એણે ખીસામાંથી પસા ચોર્યાજ છે. પણ જુગારમાં એટલા પૈસાથી પુરૂં ન પડે. એથી દુધરે મટી ચેરીઓ કરવા માંડી. તે ચાલાક જબરે એટલે બધે ફાવી જાય. ચેરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ મહાત્મા દઢપ્રહારી કરી આવે પણ કોઇ તેને પક્કી ન શકે. દુર આથી ફૂલા ને મોટી મોટી ચેરીઓ કરવા લાગે. ગામમાં તેને જુલમ વધવા લાગ્યો. તેના માટે ખૂબ ફરિયાદ કરવા લાગ્યા. જ ગામની રાડે આવવા લાગી. કાં તે કોઈને માર્યો હેય; તે કોઈની ચીજ ઉપાડી લીધી હેય. કોઈ એનું નામ પણ લે તે માર માર્યા વગર એ ન મુકે! મન થાય તે કોઈના ઢોર છોડી મૂકે. ઈચ્છા થાય તે કોઇના તબેલામાંથી ઘડા ઉઠાવી ને સહેલ કરી આવે. મરજી થાય તો ચીભડાં ને શાકભાજીની વાડીઓને કચ્ચરઘાણ કાઢી આવે. આથી ધીમે ધીમે તે લેકેને બહુ અળખામણું થઈ પડશે. કોઈ ડાહ્યા માણસોએ તેને શીખામણ દીધી ભાઈ નઠારી ટેવ છોડી દે ! તારી બુદ્ધિને સારો ઉપયોગ કર ! તારી ચાલાકી સારા કામમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ મહાત્મા દઢપ્રહારી જોઇએ, ધર્મ હવન જાણવાં પ્રાયદે છે ! તું કલ્યાણ “ થશે. ચલાવ ! બ્રાહ્મણના દીકરાએ ભણવું મેં શીખવાં જોઇએ, હામ જોઇએ. તું સુધરીશ તે। તને સારા રસ્તે જઇશ । તારૂં માણુસે। તને વખાણશે.. નાતજાતમાં તું પ’કાશ મૈં તારૂ નામ થશે. ’ પણ દુ`રને આ શીખામણુ પત્થર પર પાણી જેવી હતી. એને શીખામણ ન ગમી. એ સુરસે થયા. શીખામણ આપનાર બિચારા ચૂપચાપ રસ્તે પડયા. ચારી કરતાં જે ગાઠિયા મળ્યા તે બધા બદમાશ, એટલે તે ખૂબજ બગડયા. હવે તે દારૂ પીએ, માંસ ખાય ને ર'ડીબાજી કરે. લેાકાને તેનાથી ખૂબ ત્રાસ થયા. રાજાને તેની જાણ થઈ. એટલે હુક્મ કર્યાં. એ ૮ દુષ્ટને અવળે ગધેડે બેસાડા, માથે કરાવે મુંડા, તેના પર ચોપડે ચુના, માઢ ચાપડે મેશ, ગળામાં નાંખા ખાસડાને હાર અને વગાડા ખાખરાં હાંડલાં. પછી આખા ગામમાં ફેરવી કાઢી મૂકા બહાર. ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ મહાત્મા દૃઢપ્રહારી રાજના અમલના હુકમ થયા. દુરના વરવાડા નીકળ્યા. સાથે ડાંડી પીટાણીઃ હું જે કાઇ દુરના જેવું કરશે તેને આવું ફળ મળશે. - લેાકાએ તેના ઉપર વિક્કાર વરસાવ્યા. ભૂંડા હાલે ગામ બહાર કાઢી મૂકયા. નહારાની આ હાલત થાય ! આથી દુર બન્યા દાઝે. મનમાં વાળી ગાંઠ. આ ગામનું વેર વાળું તાજ હું ખરો. વેર લેવાના વિચારમાં ને વિચારમાં તે આગળ ચાલ્યેા. : ૧ઃ ચાલતાં ચાલતાં આવ્યા ડુંગરી મુલકમાં, ત્યાં પર્વતની મોટી ખીણુ. ધણી 'ડી, ધણી વિકરાળ. કાચાપેાચાની તાકાત નહિં કે ત્યાં ડગલું પણ ભરે. પણ દુરની છાતી બહુ મજબૂત એટલે અંદર દાખલ થયા. ઝાડી વધવા લાગી. તેમાં અનેક જાતનાં ઝાડ. અનેક જાતના વેલા. વેલા ઝાડે વીંટળાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ ૬ મહાત્મા દૃઢપ્રહારી ને પાંજરા બનાવે. નીચે માથેાડું, રરતા કાઈક ઠેકાણે ઠેકાણે નીચેા. દુર આવા રસ્તે વટાવી આગળ ઉગેલું ધાસ. માથેાડુ, ઊંચા, કાઇક ચાા. રસ્તા એથી પણ ભયંકર આન્યા. મોટા મોટા ખડકા આવ્યા, ધાધમાર ઝરણાં આવ્યાં. મહામહેનતે તે બધાં પસાર કર્યો, ત્યાં ઝાડી કહે મારૂં કામ. આકાશમાં સૂરજનારાયણ પ્રકાશે પણ અહીં અંધારૂં ધાર. ચાલતાં ચાલતાં સાંજ પડી. દુર એક ઝાડ પર ચઢા. રાત ત્યાંજ ગાળવા વિચાર કર્યો. ચાડી વારમાં જંગલી જનાવરાના અવાજ સળળાયા. ઘડીકમાં સિંહની ગર્જના તા કડીકમાં વાધની ત્રાડ. ધડીકમાં શિયાળની કિકિયારી તા ધડીકમાં ચિત્તાના અવાજ. આખી રાત જંગલી પશુ આન્યા તે ગયા. દુધરે એમને જોતાં જોતાં રાત પસાર કરી. વ્હાણું વાયું. જંગલી જાનવરા પાત- Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ ७ મહાત્મા દૃઢપ્રહારી પેાતાની ખેડમાં ભરાયા. ભરાયા. પંખીઓ ઝાડ પર ગીત ગાવા લાગ્યા. એટલે દુર નીચે ઉતર્યાં. આગળ ચાલવા લાગ્યા. ચેાડીવારમાં ભીલનાં ઝુપડાં દેખાયાં. દુરને ખૂખ આનંદ થયો. તે અહીં આવવાજ નીકળ્યા હતા. જયાં ધાડું ચાલે છે ત્યાં આવ્યા કેટલાક ભીલ, રંગે કાળા ભૂત. કપડામાં એક લંગાટી ને હાથમાં તીરકામઠાં. તેમણે દુČરને પકડા અને લઇ ચાલ્યા રાજા પાસે. ચાડું ચાલતાં એક અંધારી ગુ। આવી. ત્યાં ભીલાનું ટાળુ બેઠેલું. તેમણે આ દુરને જોયા એટલે રાજી થયા. માંહી માંહી વાતે કરવા લાગ્યા: ‘ આ નવલોહિયા જુવાન છે. માતાને બેગ દેવામાં કામ આવશે. ’ પેલા ભીલે। દુરને લઇ ગુડ્ડામાં પેઠા. અંધારામાં ચાલવા લાગ્યા. થાડી વારમાં અજવાળા વાળી જગા આવી. ત્યાં એક લo ભીલ બેઠેલા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ મહાત્મા પ્રહારી જાણે જમના અવતાર. તેની પાસે એક સ્ક્રી ખેડેલી. તે પણ કદાવર. તેણે શરીર એકજ કપડું પહેરેલુ. ગળામાં ને હાથમાં પત્થરનાં તથા રૂપાનાં ધરેણાં, આ બંને ભીલનાં રાજારાણી. < રાજાએ દુરને જોયા. એનું કદાવર શરીર, લાલ સુરખ ચહેરા, માટુ જખરૂં માથું. આ બધાથી રાજાએ પારખ્યું કે આ માણસ ચારીમાં ખૂબ ઢાશિયાર છે. આપણને બહુ કામના છે. તેણે પૂછ્યું: ‘કેમ ! તારા શું વિચાર છે !' દુધરે કહ્યું: ‘ આપની સાથે રહેવાના ને આપના ધંધા કરવાના. ’ ભીલ રાજાએ રાજી થઇને તેને પેાતાની પાસે રાખ્યા. દૂર ખૂબ જબરા નીકળ્યેા. ચારી કરવામાં કે ધર ફાડવામાં તે એકકા. ગમે તેટલું ચાલે પણ થાક નહિ. ગમે તેટલી લડાઈ થાય તેાય થાકે નહિ. અધારી ધાર રાત તા અને મન દિવસ જેવી. જ્યાં કહા ત્યાં જઈ આવે. જે કામ કરવાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ મહાત્મા દઢપ્રહારી કોઈ હિંમત ન કરે તે કામ દુર્ધર કરે. ભલભલા ભડવીરે સામે એ બાખડે. જેવા તેવાને તે ચપટીમાં મસળી નાંખે. રાજમહેલે લૂંટવા એ તો એને મન રમત. રાજમહેલના ચોકીદારો જોતા રહે ને એ લૂંટીને નાસી જાય. દુર્ધરના હાથમાં જે આ એના પૂરા ભોગ મળ્યા સમજી લે. - દુર્ધર ધીરે ધીરે સહુને વહાલો થશે. એટલે ભીલ રાજાએ તેને પુત્ર બનાવ્યું અને પિતાની બધી મિલકત સેંપી. દુર્ધર મટી મોટી ચોરીઓ કરે. તેમાં કોઈએ સામું થાય તો માર્યું જાય. તેને પ્રહાર કદીએ ખાલી ન જાય એટલે તેનું નામ પડયું દૃઢપ્રહારી. એક વખત મોટી ધાડ લીધી. ગ કુશળ નગર લુંટવા. ત્યાં એક બ્રાહ્મણનું કુંટુંબ. બિચારું ખૂબ ગરીબ. ઘરમાં એક દિવસના પણ તાકડા નહિ. મુડીમાં એક વસુકેલી ગાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ મહાત્મા દૃઢપ્રહારી તેવામાં આવ્યેા તહેવાર. એટલે છેકરાઓએ 9 કર્યો કજીએ આપા ૬ ! ખીર ખાવી છે. બ્રાહ્મણે તેમને ખૂબ સમજાવ્યા. પણ બાળક શું સમજે ! એટલે તે થાડા ઘેર ફર્યાં. દૂધ, ચેાખા ને સાકર એકઠાં કર્યા. તેની રધાવી ખીર. પછી સ્ત્રીને કહ્યું: * ખીર તૈયાર થાય એટલે ઉતારજે. હું નદીએ નાહીને આવું છું. ' બ્રાહ્મણ ગયા ન્હાવા. એવામાં દૃઢપ્રહારીની ધાડ આવી. લોકા ત્રાસ પામ્યા. નાસવા લાગ્યા. બધા ચારા જુદા ઠેકાણે લૂટવા લાગ્યા. એમાં એક બ્રાહ્મણને ઘેર આવ્યો. ત્યાં લૂટવાનું શું મળે ? એવામાં બરાબર તૈયાર થયેલી ખીર જોઇ. ૧૦ જુદા ચાર ચારે ખીર ઉપાડી. ાકરા કળવા લાગ્યા. એવામાં આળ્યે બ્રાહ્મણ. જુએ તે ચારે ખીર ઉપાડેલી ને છેકરાં ઊભાં ઊભાં કકળે. એથી તેને ચડયા બહુ ક્રોધ. એટલે હાથમાં લીધી ભાગળ ( કમાડ આડી દેવાની ) ને મારવા દોડયા. ત્યાં થઈ સખત મારામારી. આને મારામારી કરે છે ત્યાં આન્યા દૃઢપ્રહારી. તેણે કર્યાં તરવારનો એક ધા કે બ્રાહ્મણનુ માથુ જુદુ થયું. છેકરાઓએ ચીસ પાડી. સ્ત્રી ઊભી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ મહાત્મા દૃઢપ્રહારી ૧૧ થરથરવા લાગી. ફળીમાં બાંધેલી ગાય. તેનાથી આ ન ખમાયું એટલે આવી ઉફરાંટે. તેણે પૂછડું ઊંચું ને મારી દેાટ. સીધી દૃઢપ્રહારી સામે. કર્યું બીકને પણ દૃઢપ્રહારી વા છાતીના. જીંદગીમાં પણ નહિ એળખેલી. આવી ગાયથી તે તે શું બીએ ? ગાય પાસે આવતાંજ તરવારને ધા કર્યાં એટલે ગાયનું માથું જુદું ! દોડી. સ્રીથી આ જોયું ન યુ. ગાળાના વરસાદ વરસાવવા લાગી. ધમપછાડા કરતી તે સામી ખિચારીને શું ખખર કે તેનું પણ માત હો ! દૃઢપ્રહારીને સ્રી પર ખૂબ ગુરસા યે એટલે તેના પર પણ ધા કર્યાં. વાગ્યા બરાબર પેટ પર. ગર્ભવતી સ્રી ઢગલા થઈ હૅડી પડી. શ્રી ને બાળક અને ઝાર થયા ! થતાં તે થઇ ગયું. ક્રોધમાં દુરે હત્યા કરતાં પાછું ન જોયું. પણ પછી વિચાર થયો. " અરે ! મેં આ શું કર્યું ! ક્રોધમાં આંધળે થઈ ગયા. મારે હાથે ચાર મહા હત્યા થઈ. બ્રાહ્મણને મારી મેં બ્રહ્મહત્યા કરી, ગાયને મારી મે ગૌહત્યા કરી. બ્રાહ્મણની પત્નીને મારી મે’સ્ત્રી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ ૧૨ હત્યા કરી ને તેના ગર્ભની હત્યા વારી. અરેરે ! મેં પેટ જોતામાં ચાર હત્યા કરી નાંખી.’ મહાત્મા દૃઢપ્રહારી હત્યા કરી ખાલભરવા માટે જોત દુર ખૂબ પશ્ચાતાપ કરવા લાગ્યું. એનું પત્થર જેવું હૃદય મીણુ જેવું થઇ ગયું. એ પોતાને નિવા લાગ્યા. જેણે પાપ કરતાં પાકું નહેાતું જોયું, અને આજે ખૂબ વલાપાત થવા લાગ્યા. તે લૂટ પૂરી કરી નગર બહાર નીકળ્યા. પણ પેલી હત્યાએ નજર આગળ તર્યાંજ કરે. તેનું હૃદય ખૂબ વલેાવાયું. જમ જેવા દૃઢપ્રહારી ઠંડાગાર બની ગયા. ચાલતાં ચાલતાં વનમા આવ્યા. ત્યાં જોયા એક સાધુ મુનિરાજ. તે સમતાના ભંડાર, પ્રેમની મૂતિ . એમને જોતાંજ દઢપ્રહારીનું હૈયું ભરાઈ આવ્યું. તેમના ચરણમાં પડી શકે ને શકે તે રાવા લાગ્યા. મુનિ બેલ્યા : ‘ હૈ મહાનુભાવ ! શાંત થા. આટલા શાક શેના છે? ' દૃઢપ્રહારી બોલ્યા : પ્રભા ! હું મહાપાપી છું. મારે માટે જગતમાં સ્થાન નથી. ' મુનિ કહે, ‘ ભાઈ ! નિરાશ ન થા. પાપીમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ મહાત્મા દઢપ્રહારી ૧૩ પાપીને માટે પણ આ જગતમાં સ્થાન છે. કરેલી ભૂલો સંભારી રોદણાં ન . શાંતિથી તારા જીવનને વિચાર કર. અને તેને અમલ કરવા લાગી જા.” દૃઢપ્રહારી કહે, “મુનિવર, હું મહાપાપી છું. જિંદગીમાં કદી પાપ કરતાં પાછું જોયું નથી. મેં હજારે માણસોની હત્યા કરી છે. કેટલાયના ભંડાર લૂંટી લીધા છે. કેટલીય સ્ત્રીઓને વિધવા બનાવી છે. કેટલાંય બાળકોને અનાથ બનાવ્યાં છે. હજારોને રોટલો ઝૂંટવી લીધું છે. વગર વાંકે બીજાને માર માર્યો છે. કેટલાંય નિર્દોના જાન લીધા છે. છતાં મહારાજ કાલ સુધી મને દુઃખ ન હતું. પણ ગઈ કાલે જ મારા હાથે ચાર મહહત્યાઓ થઈ. બ્રહ્મહત્યા, સ્ત્રીહત્યા, ગૌહત્યા ને બાલહત્યા. આ હત્યાઓ કર્યા પછી જીવ જંપતો નથી. મનમાં કંઈ ને કંઈ થયા કરે છે. આ હત્યામાંથી હવે કેમ છુટાય? આ મારાં પાપ નાશ પામે તેવો કોઈ રસ્તે હશે ?” મુનિએ શાન્તિથી કહ્યું: “ભાઈ ! પાપનું પ્રાયશ્ચિત કર તારો ધંધે છોડી દે ! તારી કાયા ઉપરથી મોહ દૂર કર ! જગતના સૌ છો પાસે ક્ષમા માગ ! મન, વચન અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૪ મહાત્મા દૃઢપ્રહારી ત્યાગ કર ! સાધુ કાયાથી પાપચ્યાપારને જીવનની દીક્ષા લે, કષ્ટ સહન કર. સંયમ અને તપનું આરાધન કર! જરૂર જીવને શાન્તિ થશે. તારૂં કલ્યાણ થશે. ' આ સાંભળી ઢપ્રહારીનું મન પીગળી ગયું. તેણે ત્યાંજ દીક્ષા લીધી. લૂંટારાના વેશ તજી સાધુ વેશ ધારણ કર્યું. ક્રોધને તજી સમતા ધારણ કરી. અને બહુ આકરી પ્રતિજ્ઞા લીધી! ‘ પેલી ચાર હત્યાએ યાદ આવે ત્યાં સુધી અન્નપાણી લેવાં નહિ. ' ક્ષણ વારમાં તે દૃઢપ્રહારી શયતાન મટી સાચા સાધુ થઇ ગયા. હવે દૃઢપ્રહારી ધ્યાન ધરીને ઊભા. પેલા નગરના દરવાજે. પહેલાં તે લેાકેા એમને જોઈ ને ગભરાયા. કંઇ પ્રપંચ તે ન િહાય, કઇ રમત તા નહિ રમાતી હૈાય. સૌ મનમાં ને મનમાં ગભરાવા લાગ્યા. પણ દૃઢપ્રહારી તેા શાન્ત ભાવે ઊભા રહ્યા. ન ફ્રાઈ સામે જોયું કે ન ફાઈની સાથે વાત કરી. આખા ગામે આ વાત જાણી. સૌ જોવા આવ્યા. લૂંટારાને ચુપચાપ ઊભેલા જોઈ પથરા મારવા લાગ્યા. એ મહાદુષ્ટ છે. ભૂડા કામેાના કરનાર છે. આપણને ખૂબ ત્રાસ ' આપ્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ મહાત્મા દૃઢપ્રહારી ૧૫ હું, મારા એ હત્યારાને ! ' લેકે આમ ખેલતા જાય ને પથરા, ઈંટ, કાંકરા મારતા જાય. પાસે જવાની તા કાઈનીચે હિંમત ન ચાલે ! કદાચ પકડાઇ જઇએ તેા જીવતા ન છુટીએ ! આધેથી કાઈ લાકડીઓના ધા કરવા લાગ્યા. પણ દૃઢપ્રહારી શાન્તિથી ઊભા રહ્યા. ડીવારમાં તે પથરા, ઈંટ ને લાકડાંના ઢગલા થઇ ગયા. શરીરમાંથી લાહી ટપકવા માંડયું. ઢગલા વધતા વધતા ગળા સુધી આવ્યેા. દૃઢપ્રહારીએ ધ્યાન પૂરૂં કર્યું. ત્યાંથી ચાલીને બીજે દરવાજે આવ્યા. તેની પાસે ઊભા રહી ધ્યાન આદર્યું. લોકા અહીં પણ આવી પહેાંચ્યા ને પથરા તથા ઇંટાના મારા શરૂ કર્યું. જેમ જેમ વધુ પથરા લાગે એમ એમ દૃઢપ્રહારી વધુ મક્કમ ઊભા રહે. અહીં પણ ગળા સુધી ઢગલે થતાં ધ્યાન પૂરું કરી બીજે દરવાજે ગયા. એમ બધા દરવાજે જઈને ધ્યાન ધર્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ મહાત્મા દઢપ્રહારી આમ એક દિવસ નહિ, બે દિવસ નહિ, લાગલાગટ છ માસ સુધી સહન કર્યું. નિશ્ચયમાંથી જરા પણ ન ડગ્યા. અને લોકે થાક્યા. તેઓને સમજણ પડી. આ લૂંટારે નહિ પણ સાધુ છે. આજે પથરા મારવા બંધ કર્યા. ગાળે દેવી બંધ કરી. લેકે દૃઢપ્રહારીને ખૂબ માનની નજરથી જોવા લાગ્યા. છ માસ વીતતાં તે બધે પૂજનીય થઈ પડયા. એમને એકે દુશમન ન રહ્યા. એ પણ કોઈના દુશ્મન ન રહ્યા. હવે મહાત્મા દૃઢપ્રહારી એક ઠેકાણેથી બીજા ઠેકાણે ફરવા લાગ્યા. તેમણે ઘણા લોકોને ઉપદેશ દીધે. ઘણાના જીવન સુધાર્યા અને છેવટે નિર્વાણ પામ્યા. ધન્ય છે સહનશીલ દૃઢપ્રહારીને ! ધન્ય છે મહાત્મા દૃઢપ્રહારીને ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર વેણાતટ નામે ગામ હતું. ત્યાં હતો એક છોકરો. તેનું નામ અભય. તે બહુજ ચાલાક, બહુજ હોંશિયાર. શું ભણવામાં ! શું રમવામાં ! તે એક દિવસ રમવા ગયો. ત્યાં દાવ માટે લડાઈ થઈ. તેમાં એક જણ બેઃ “બેસ, બેસ નબાપા બહુ જોર શેનું કરે છે? ” અભય કહે, “ વિચારીને બોલ. મારા પિતા એ રહ્યા. શું ભદ્રશેઠને નથી ઓળખતો?” પેલે કહે, “એ તો તારી માને પિતા છે. તારે પિતા ક્યાં છે?' અભય ઘેર આવી પિતાની મા નંદાને પૂછવા લાગ્યાઃ “બા ! મારા પિતાજી કયાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર છે?' નંદા કહે, “બેટા ! તે દુકાને હશે. અભય કહે, એ તે તારા પિતા છે. પણ મારા પિતા કયાં?' આ સાંભળી નંદા ગળગળી બની ગઈ. આંખમાં આંસુ લાવી કહેવા લાગી સાંભળ ભાઈ ! એક આવ્યા'તા મુસાફર. અહા ! શું તેમનું રૂપ ! શું તેમના ગુણ! શું તેમને પ્રતાપ ! બધી રીતે તે લાયક. એટલે પિતાજીએ તેમની સાથે મારા લગ્ન કર્યા. હજી લગ્નને થોડા દિવસ થયા હતા એવામાં પરદેશથી સાંઢણીઓ આવી. તેમાંથી થોડા સવાર નીચે ઉતર્યા. તેમણે તારા પિતાને એકાંતમાં લાવ્યા અને કાનમાં કાંઈક વાત કરી. એટલે તે જવા તરત તયાર થયા. તેમણે મને કહ્યું: “મારા પિતા મરણ પથારીએ છે તેમને મળવા હું જઉં છું. તું શરીર સાચવજે ને સારી રીતે રહેજે. એમ કહી તેમણે એક ચીકી આપી, અને આવેલા સવાર સાથે ચાલ્યા ગયા. તે ગયા તે ગયાજ, આજે કેટકેટલાં વરસનાં વહાણાં વાયાં પણ વહાલા અભય! તેમને કાંઈજ પત્તો નથી!” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર અભય કહે, “બા ! મને તે ચીકી બતાવ. હું જોઉં તે ખરે કે એમાં શું લખેલું છે ?” માતાએ ચીકી આપી. તે વાંચી અભય બે ઃ અહે ! મારા પિતા તે રાજગૃહીના રાજા છે. બા ચિંતા કરીશ નહિ.' નંદા કહે, “શું ! તારા પિતા રાજગૃહીના રાજા છે?” અભય કહે, “હા. આ ચીકીને અર્થ એ થાય છે.” નંદે આ સાંભળી હરખાણી. સાથે જ આવા પતિના વિયેગે ખૂબ દુખી થઈ. અભયે નંદાને પહેલી વાર આવી દુઃખી જોઈ હતી. એટલે તેને ખૂબ લાગી આવ્યું. તે કહેવા લાગેઃ “બા ! તું જરાએ ચિંતા કરીશ નહિ. ચાલ અહિંથી આપણે રાજગૃહી જઈએ. ત્યાં જરૂર મારા પિતાને મેળાપ થશે.' રાજગૃહી મગધદેશની રાજધાની છે. તેની શોભા અપાર છે. શું તેના મહેલે શું તેના મંદિરે ! શું તેનાં બજારો ! શું તેના એક ! અભય અને નંદા રાજગૃહી તરફ આવ્યા. એક માણસને ઘેર ઉતારો કર્યો. પછી અભય ચાલ્યા શહેરની શોભા જેવા. ત્યાં એક ચોકમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર લેકેનું મોટું ટોળું જોયું. “આ ટોળું કેમ થયું હશે ? નક્કી કાંઇક જોવા જેવું હશે માટે લાવ્ય પૂછીને ખાતરી કરું.” અભયે વિચાર કર્યો અને તેણે શાળામાં આવી એક ઘરડા ડોસાને પૂછયું “કેમ કાકા ! અહીં પતાસાં બતાવ્યાં વહેંચાય છે કે શું ?” તે ડોસો કહે, “ભાઈ ! તને પતાસાં બહુ ભાવતાં લાગે છે ! પણ અહીં તે પતાસાંથી પણ કાંઈક વધારે વહેંચાય છે.” અભયે પૂછયું કે એવું શું છે? પેલે ડોસ કહે, “ મહારાજા શ્રેણિકનું પ્રધાનપદ, જે, વાત એમ બની છે કે મહારાજા શ્રેણિકને ચાર નવાણું રાજ ચલાવનારા છે. પણ તેમાં કોઈ વડા પ્રધાનની જગા લે એવું નથી. એ જગાએ તે બુદ્ધિના ભંડાર જે જ માણસ જોઇએ. એટલે એવા માણસની શોધ કરવા ખાલી કૂવામાં એક વીંટી નાંખી છે. અને જાહેર કર્યું છે કે જે માણસ કાંઠે ઊભા રહીને કૂવામાંથી એ વીંટી કાઢશે તેને વડા પ્રધાનની જગા આપીશ.' આ સાંભળી અભય ટળામાં પેઠે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર માણસાને કહેવા લાગ્યા. • અરે ભાઇએ ! તમે બધા ચિંતામાં ક્રમ પડયા છે! કૂવામાંથી શું મુશ્કેલ છે! ' માણસા તમારી રમત ન હેાય. બુદ્ધિશાળીની પણ બુદ્ધિ કહે, • ભાઈ ! મારે મન વીંટી લેવી એમાં કહે, ' ભાઈ ! આ આમાં તા ભલભલા ચાલતી નથી. ’ અભય તે આ રમતજ છે. પણ મારા જેવા પરદેશી આ વીંટી લઈ શકે ખરા ? ' માણસા કહે, 4 એમાં શું ? ગાય વાળે તે ગાવાળ. ’ ' લેકા અભય કૂવા આગળ આવ્યા. અંદર અંદર વાતેા કરવા લાગ્યા ' આ છે રા શ કરશે !' એટલામાં અભયે તાજું છાણુ મંગાવી બરાબર વીંટી ઉપર નોંધ્યું. પછી એક ધાસના પૂળા મંગાવી તેને સળગાન્યા અને બરાબર છાણુ ઉપર ફે. છાણુ સુકાઇ ગયું. અને વીંટી તેમાં ચોંટી ગઇ. પછી પાસેના એક પાણી ભરેલા કૂવામાંથી નીક ખાદાવી. અને તે વાટે ખાલી કૂવામાં પાણી ભરવા માંડયું. પાણી કાંઠે આવતાં છાણું પણ ધાસના કું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ધાસના તાપથી www.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ ક = = == = = = == = અભયકુમાર કાંઠે આવ્યું. અમે તેને લઈ લીધું અને વીંટી અંદરથી કાઢી લીધી. બધા બોલી ઉઠ્યાઃ ધન્ય છે આ છોકરાની બુદ્ધિને !” ત્યાં રહેલા સિપાઈઓએ આ વાત રાજાને જણાવી. એટલે રાજાએ અભયને બોલાવે અને પૂછ્યું: “ભાઈ કર્યું તમારું ગામ ? શું તમારું નામ?” અભય–વેણાતટ મારું ગામ. અભય મારું નામ. રાજા શ્રેણિક–ત્યાં ભદ્રશેઠને ઓળખો છો? અભય—હા, મહારાજ ! બહુ સારી રીતે. શ્રેણિક–તેમની નંદા નામે પુત્રી ગર્ભવતી હતી. તેને શું અવતર્યું? અભય–મહારાજ ! તેને પુત્ર અવતર્યો. શ્રેણિક –તેનું નામ શું પાડયું છે ? અભય-સાંભળે મહારાજ ! તમે લડાઇમાં જંગ મચાવતા હે તે વખતે શત્રુ તમારાથી બહી જાય. પછી મોઢામાં તરણું લે અને આવે તમારી આગળ. તે વખતે તે શું માગે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ અલયકુમાર ७ શ્રેણિક——અભય. અભય—મહારાજ ! ત્યારે એનું નામ પણ એજ. એને અને મારે બહુ મિત્રાચારી છે. કાઈ મિત્રાનાં મન એકજ ઢાય પણ શરીર જુદાં હાય. પરંતુ મારાં ને તેનાં તે મન પણ એક છે ને શરીર પણ એક છે. શ્રેણિક—ત્યારે તું પોતેજ એ અભય ? અભય—હા, પિતાશ્રી ! આપનું ધારવું બરાબર છે. શ્રેણિક—ત્યારે નંદા ક્યાં છે ? અને તેને કેમ છે ? અભય—પિતાશ્રી ! તે નગર બહાર માલણુને ત્યાં છે. આપના વિજોગે એ ખૂબ દુઃખી છે. આ સાંભળી રાજા શ્રેણિક ખૂબ હરખાયા. ગાજતેવાજતે નદાને ગામમાં લાવ્યા. પછી તેને બનાવી પટરાણી અને અભયને બનાન્યે વડા પ્રધાન. : 3: પ્રધાન જ્યાં અભય જેવા બુદ્ધિશાળી થાય ત્યાં શેનું દુ:ખ રહે ? રાન્ત શ્રેણિકને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર કાંઈ પણ મુશ્કેલી આવે કે અભય તૈયારજ હેય. પોતાની બુદ્ધિથી જરૂર તે મુશ્કેલી દૂર કરે. એક વખત શ્રેણિક ચિંતામાં બેઠા છે. ત્યાં આવ્યા અભયકુમાર. તેમણે પૂછ્યું: “પિતાજી ! ચિંતામાં કેમ બેઠા છો?” શ્રેણિક કહે, “વૈશાલિના ચેડા રાજાએ મારું અપમાન કર્યું. તેને બે સુંદર કન્યાઓ છે. તેમાંથી એક કન્યાનું મેં માગું કર્યું. એટલે તે બેલ્યા “તમારું કૂળ મારાથી હલકું છે. માટે મારી કુંવરી નહિ મળે.” અભય કહે, “ હે ! એમાં શું મોટી વાત ! છ માસની અંદર એ કુંવરી આપને પરણાવીશ. પિતાજી ! ચિંતા કરશે નહિ.” અભયે ઘેર આવી સારા સારા ચિતારાએને બોલાવ્યા અને તેમને કહ્યું: “મહારાજા શ્રેણિકની એક સુંદર છબી તૈયાર કરે. તમારી બધી કળા વાપરજે. તેમાં જરાએ કચાશ રાખશે નહિ. ચિતારાઓએ રાતદિવસ મહેનત કરીને સુંદર છબી તૈયાર કરી. અભયે તેમને ખૂબ ધન આપી રાજી કર્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #121 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર અભયકુમાર એ છબી લઈ વૈશાલિ ચાલે. ત્યાં ધનશેઠ નામે વેપારી બન્યા અને રાજમહેલ પાસે દુકાન નાંખી. તેની દુકાને ભાતભાતનાં અત્તરફૂલેલ વેચાય. ભાતભાતની બીજી વસ્તુઓ પણ વેચાય. શું ધનશેઠની મીઠી વાણી ! ઘરાક માલ લેવા આવે તો ખુશ ખુશ બની જાય. વળી ભાવ સરતે અને માલ સાર એટલે દુકાન થડા વખતમાં જામી ગઇ. અંતઃપુરની દાસીઓ પણ તેની ઘરાક બની. જ્યારે દાસીઓ વસ્તુ ખરીદવા આવે ત્યારે ધન શેઠ પેલી છબીની પૂજા કરે. એક વખત એક દાસીએ પૂછયું: “ધનશેઠ કેની પૂજા કરો છો ? ” ધનશેઠ કહે, “અમારા દેવની.” દાસી કહે, “શું એમનું નામ ?” ધનશેઠ કહે, “શ્રેણિક.” દાસી કહે, “બધા દેવના નામ મેં સાંભળ્યાં છે. પણ એમાં કોઈ શ્રેણિક નામના દેવ નથી. આ દેવ તે કાઈ નવા જેવા લાગે છે?' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #122 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર ધનશેઠ કહે, “હા, તમારા અંતઃપુરની સ્ત્રીઓ માટે મગધ દેશના મહારાજા શ્રેણિક નવાજ દેવ છે.' દાસી કહે, “શું મહારાજ શ્રેણિક આટલા રૂપવાન છે? આવું રૂપ તો કોઈ દિવસે મેં જોયું નથી' એમ કહી તે ચાલી ગઈ. તે દાસીએ આવી ચેટક રાજાની પુત્રી સુષ્ઠાને વાત કરી. સુષ્ઠાને એ છબી જોવાનું મન થયું. એણે છબી મંગાવીને જોઈ અને શ્રેણિકપર તે મોહિત થઈ. તેણે ઘનશેઠને કહેવડાવ્યું: “કોઈ પણ ઉપાયે મારા લગ્ન શ્રેણિક સાથે થાય તેવો ઉપાય કરો.' અભયકુમારે શહેર બહારથી અંતઃપુર સુધી એક ભેંયરું ખોદાવ્યું અને ત્યાં એક રથ તૈિયાર રાખે. એગ્ય સમયે રાજા શ્રેણિક ત્યાં આવ્યા અને રથમાં બેઠેલી ચેટક રાજાની પુત્રીને લઈ ગયા. તેનું નામ ચિલ્લણા. સુજયેષ્ઠાને બદલે ચલણ કેમ આવી તેની હકીક્ત “રાણી ચેલેણા ની વાતમાં આપી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #123 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર એક વખત શ્રેણિકના બાગમાં ચોરી થઈ. કઈ સારામાં સારી કેરીઓ તોડી ગયું. રાજા કહે, “અભય ! આને ચાર જલદી પકડી લાવ.” અભય કહે, “જેવી આજ્ઞા.' અભય વેશ બદલીને ફરવા મંડ. એક વખત ફરતાં ફરતાં તે લેકની મિજલસ આગળ આવ્યું. ત્યાં બધાએ આગ્રહ કર્યો કે ભાઈ એક વાત માંડે. એટલે અભયે એક વાત માંડી : “એક કન્યા હતી. તેણે એક માળીને વચન આપ્યું કે હું ગમે ત્યાં પરણીશ પણ પહેલી રાતે તને મળીશ. થોડા વખત પછી તે કન્યા પરણી. એટલે માળીને ત્યાં જવા પતિની રજા માંગી. પતિએ પિતાની સ્ત્રીનું બોલ્યું પળાય તે માટે રજા આપી. એટલે સ્ત્રી ચાલી માળીને મળવા. રસ્તામાં મળ્યા ચાર. આવ્યા લૂંટવા. એટલે તે સ્ત્રી બોલીઃ “ભાઈ ! લૂંટવી હેય તો મને લૂંટ પણ મારું એક વચન પાળવા દે. પરણીને પહેલી રાતે માળીને મળવાનું વચન છે. ” ચોર કહે, “આવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૨ અક્ષયકુમાર આકરું વચન પાળનારી જુઠું ન બેલે. જવાઘો એને. વળતી વખતે એને લૂંટીશું.' તે સ્ત્રી આગળ ચાલી. ત્યાં મને એક રાક્ષસ. તે કહે, “તને ખાઉં.' સ્ત્રી કહે ખાવી હોય તો મને ખાજે. પણ મારું વચન પાળવા ઘો. જરૂર વળતી વખતે અહિં આવીશ.” રાક્ષસ કહે, “ભલે ત્યારે. વળતી વખતે જરૂર આવજે.' પછી ગઈ માળી પાસે. માળી કહે, “ધન્ય રે ધન્ય! આવી વચન પાળનારી તે તેને એકને જ જોઈ. જા તારું વચન પાળ્યું. ' એટલે તે પાછી ફરી. રાક્ષસ કહે, “વાહ ! આ તે ભારે સત્યવાદી. સત્યવાદીને કણ ખાય? તે બોલ્યાઃ “બહેન ! તને જીવતદાન છે.” પછી મળ્યા ચોર. ચોર કહે, “ આ તે ખરેખરી સાચાબેલી. સાચાબોલીને કેણુ લુટે તેમણે કહ્યું: જા, બહેન જા. અમારે તને નથી લૂંટવી. તે ચી ઘેર આવી. હવે ચીને ઘણી, ચોર, રાક્ષસ અને માળી એ ચારમાં કેણ ચડે ! કઈ કહે, “માળી. કારણ કે રાતે જુવાન બાઈ પાસે આવી તેને બહેન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ - અભયકુમાર ૧૩ સમાન ગણી. કોઈ કહે, “એને ઘણું. કારણકે વચન પાળવા આવી જાતની રજા આપી.” કઈ કહે, “રાક્ષસ. કારણ કે જુવાન બાઇને જીવતી * મૂકી.” ત્યારે એક જણ કહે, “ચર કે આવાં ઘરેણાંગાંઠાં લૂટવાના મળ્યાં પણ છોડી દીધાં.” અભય કહે, “જરૂર આજ કરીને ચાર.” તેને તરત જ પકડયે. તે પણ માની ગયા કે હુંજ કેરીને ચાર છું. એક વખત રાજગૃહી પર ઉજેણીના રાજા ચંડપ્રદ્યોતે મેટી ચડાઈ કરી. અભયકુમારે વિચાર્યું “આની સાથે લડાઈ કરવામાં સાર નથી. બંને બાજુનાં લાખો માણસે મરશે. છતાં કેણ જીતશે તે કહેવાય નહિ. માટે એક યુકિત કરવા દે.” તેણે સોનામહેરાના ઘડા કર્યા. અને રાત્રે છાનામાના શત્રુની છાવણીમાં દટાવ્યા. બીજા દિવસે ચંડપ્રદ્યોતને એક કાગળ લખે વડીલ માસાને માલમ થાય છે આપનું હેત ઘડી પણ વિસરતું નથી. હાલમાં આપના પર એક મોટી આફત આવી છે. તેથી આ પત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર ૧૪ લખ્યા છે. મારા પિતાએ ખૂબ પૈસા આપ્યા છે એટલે તમારૂં લશ્કર ફૂટી ગયું છે. તમે તપાસ કરશો એટલે બધું જણાશે. ચડપ્રધોતે છાવણીમાં તપાસ કરી. ત્યાંથી સાના મહારાના ષડા મળ્યા એટલે તે સમયે છે. વાત ખરી તરતજ લરકરને ફરવાના હુકમ આપ્યો. પાછા * ૭ ; ચ'પ્રદ્યોતને થાડા વખત પછી ખબર પડી કે અભયકુમારે મને છેતર્ચો. એટલે તેને ખૂખ ગુરસે થયા. તેણે પોતાની સભાને પૂછ્યું: 6 છે કાઇ તૈયાર જે અભયકુમારને જીવતા પકડી લાવે ? ત્યારે વેશ્યા બેલી: ‘હા મહારાજ ! હું તૈયાર છું. અભયકુમારને જીવતા પકડીને આપણી પાસે હાજર કરીશ. ’ તેણે બે દાસીઓ સાથે લીધી. રાજગૃહી. ત્યાં બની એક શ્રાવિકા. શું ધર્મિષ્ઠ ખાય ? ખૂબ ઠાઠથી પ્રભુની પૂજા કરે, વ્રત ઉપવાસ કરે. આખા દિવસ ધર્મની ચર્ચા કરે. આવી આહે ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #127 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર ૧૫ એક વખત અભયકુમાર દેહેરે પૂજા કરવા આવ્યા. ત્યાં આ શ્રાવિકાની ભકિત જોઈ તે બહુ રાજી થયા. તેમણે પૂછયું: “બહેન ! તમે કોણ છે ? અને કયાંથી આવો છો ?” તે વેશ્યા બલી: “ભાઈ ! ઉજજેણું મારું ગામ. ભદ્રા મારું નામ. પતિ મરણ પામ્યા. દિકરા પણ બે મરણ પામ્યા. એટલે દિકરાની બંને વહુને લઈ જાત્રા કરવા નીકળી છું. કર્યા કર્મ ભગવ્યા વિના કાંઈ છુટકે છે? અભય કહે, “બહેન! જમવાનું આજે મારે ત્યાં રાખજો. ' ભદ્રા કહે, “આજે તો અમારે ઉપવાસ છે. અભય કહે, “તે પારણું મારે ત્યાં કરજો.” ભદ્રાએ તે કબુલ કર્યું. બીજા દિવસે તેણે અભયને નોતરું દીધું. અભયે પણ તે રવીકાર્યું. અભયકુમાર બીજા દિવસે જમવા ગયા. ત્યાં ખૂબ પ્રેમથી શ્રાવિકાએ જમાડયા. પણ જમણમાં ઘેનની દવા નાખેલી એટલે અભયકુમારને ઘેન ચડયું. તે વખતે પેલી ધૂતારીએ તેને દોરડાથી બાંધી લીધે અને નાંખે રથમાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #128 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર થોડા વખત પછી અભયકુમારનું ઘેન ઉતરી ગયું. તે જુએ તે પિતે કેદીની હાલતમાં. તે તરત જ સમજી ગયા કે ધર્મને દેખાવ કરી આ ધૂતારીએ મને છેતર્યો છે. પેલી વેશ્યાએ ઉજજેણે આવી અભયકુમારને ચંડપ્રદ્યોત આગળ હાજર કર્યો. ચંડપ્રદ્યોતે તેને કેદમાં પૂર્યો. પ્રદ્યોત રાજાને અનલગિરિ નામને સુંદર હાથી હતો. તે એક વખત ગાડે છે. પ્રદ્યોત રાજાએ ઘણું ઘણા ઉપાય કર્યા પણ હાથી વ થાય નહિ. હવે કરવું શું ? વિચાર કરતાં પ્રદ્યોતને અભયકુમાર યાદ આવ્યું. એટલે તેને બોલાવીને કહ્યું: “ અભયકુમાર ! અનલગિરિને વશ કરવાને કઈ ઉપાય બતાવે.” અભય કહે, “ઉદયન નામને એક રાજા આપને ત્યાં કેદી છે. તેની ગાયનવિદ્યા અજબ છે. તેની પાસે ગાયન કરાવો તે હાથી વશ થઈ જશે. રાજાએ તેમ કર્યું એટલે હાથી વશ થ. આથી પ્રદ્યોત ખૂબ રાજી થયે. તેણે કહ્યું: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #129 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર 1 ૧૭ ! માગેા, માગેા ! છુટા થવા પણ વચન માગેા. - અભય કહે, પાસે રાખું છું. અભયકુમાર સિવાયનું કાઇ • એ વચન હમણાં આપની વખત આવ્યે માગીશ. અભયે બીજા પણ ત્રણ કામ કર્યાં. ખધી વખતે પ્રદ્યોતે વચન આપ્યાં. કુલ ચાર વચન થયાં એટલે અભયે ' કહ્યું: ‘મહારાજ ! હવે મારાં વચન પાછાં માણું છું.' ' પ્રદેાત કહે, ‘ ખુશીથી થવા સિવાયનું વયન ‘ભલે તે પ્રમાણે માગીશ. ’ માગેા. પણ છુટા માગજો. ' અભય કહે, ' તેણે કહ્યુંઃ આપ અને આપની શિવાદેવી રાણી અનગિરિ હાથી ઉપર બેસે. આપની બંનેની વચ્ચે હું બેસું. પછી આપતા રત્ન ગણાતા અગ્નિભીરૂ રથ મગાવે અને તેની રચાવે ચિતા. તેમાં આપણે બધા સાથે ખળી મરીએ. બસ આટલુંજ હું માગું છું.' માગવામાં કાંઈ બાકી રાખી ? પ્રવેાત આ સાંભળી વિચારમાં પડી ગયા. છેવટે તેણે કહ્યું: • અભયકુમાર ! તમે આજથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૨ અભયકુમાર અહીંથી છુટા. અભય છુટા થા. પણ જતાં જતાં તેણે પ્રતિજ્ઞા કરી: ‘ પ્રવેાતને ધેાળા દિવસે ઉજ્જૈણીમાંથી ઉપાડી લાવું તેાજ હું અભય ખરા. ’ : ૯ : અભય પેાતાની પ્રતિજ્ઞા પૂરી કરવા એક વેપારી બન્યા. સાથે બે રૂપાળી સ્રીએ લીધી. અને આવ્યા ઉદ્દેણી. ત્યાં ધારી રસ્તા ઉપર ઘર લીધું. પેલી સ્ત્રીએ ઠાઠમાઠથી હરે ३२ લેાકાના મનનું હરણ કરે. એક વખત પ્રધાતે આ સ્રીઓને જોઇ એટલે તેણે પેાતાની દાસી સાથે હેવડાવ્યું કે રાજા 'ડપ્રધેાત તમને મળવા ઇચ્છે છે. તે ક્યારે ખાઇએએ કહ્યું: ‘ અરે આવી વાત શું કરા ? તમારા માઢામાં આવી વાત શાબે ?' દાસી તે દિવસે પાછી ગઇ. આવે ! ' પેલી ભાઈ ! બીજો દિવસ થયા એટલે દાસીએ ફરી પાછી આવી. ત્રીજા દિવસે પણ આવી. ત્યારે આ સ્રીઓએ કહ્યું: ‘ બહેન ! અમારી સાથે અમારા એક ભાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #131 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર છે.તે આજથી સાતમે દિવસ બહારગામ જવાનો છે. તે વખતે મહારાજ ભલે પધારે. પ્રદ્યોત સાતમા દિવસની રાહ જોવા લાગ્યું. અહીં અભયકુમારે એક માણસને બનાબે ગાંડો. ખાટલામાં બાંધીને હંમેશા વૈદને ત્યાં લઈ જાય. તે વખતે પેલે પાડે બૂમ: હું પ્રોત છું. મને આ લઈ જાય છે. કોઈ છોડાવો ! ” લોકો આ વાત સાંભળી હસે. સાતમે દિવસે પ્રદ્યોત અભયકુમારને ઘેર આવે એટલે તેને પકડીને ખાટલા સાથે બાંધી દીધે. પછી ખાટલે ઉપાડી અભયકુમાર બહાર નિકળે. પ્રદ્યાત બૂમ પાડવા લાગ્યાઃ “હું પ્રોત છું, મને આ લઈ જાય છે. કોઈ છોડાવો રે !” લેકે આ સાંભળી હસવા લાગ્યા. તેઓ સમજતા હતા કે આ બિચારો ગાડો છે. એટલે બૂમ પાડયા કરે છે ! . અભય પ્રદ્યોતને રાજગૃહી લાગે. પ્રદ્યોતને જોતાંજ શ્રેણિક ખૂબ ગુસ્સે થયા અને મારવા દેડયા. પણ અભયે કહ્યું: “પિતાજી એ આપણું મહેમાન છે. તેમના ઉપર જરાએ ગુસ્સે ન થશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #132 -------------------------------------------------------------------------- ________________ ૨૦ અભયકુમાર મારી પ્રતિજ્ઞા પાળવાજ તેમને અહીં લાવ્યો છું. હવે તેમને માન મરતબાથી વિદ્યાય આપે।.’ અભયકુમારનાં આવાં વચન સાંભળી શ્રેણિક શાંત થયા અને પ્રદ્યોતને માન મરતબાથી વિદાય આપી. : ૧૦ : એક હતા કઠિયારા. તે ખૂબ ગરીબ. એક વખત તેણે મુનિના ઉપદેશ સાંભળ્યેા. એટલે તેને વૈરાગ્ય થયા અને ઢીક્ષા લીધી તે પેાતાના ગુરુ સાથે રાજગૃહી આયે. ત્યાં કેટલાક લેાકેા તેની પહેલાની હાલત જાણતા હતા. એટલે મશ્કરી કરવા લાગ્યા કે ભાઇનું કાંઇ ઠેકાણું ન પડયું એટલે સાધુ થયા. બીજી રીતે પણ તિરરકાર કરવા લાગ્યા. એટલે તેમણે વિચાર કર્યો કે અપમાન થાય ત્યાં રહેવું નહિ. આ વિચાર ગુરુને જણાવ્યેા. ગુરુએ કહ્યું: ‘મહાનુભાવ ! તારા વિચાર સાચા છે. આપણે કાલે વિહાર કરીશું .’ અભય પ્રભુ મહાવીરને! પરમ ભક્ત હતા. પોતે રાજકાજમાં કુશળ હતા તેવાજ ધર્મધ્યાનમાં પણ કુશળ હતા. સદા જીનેશ્વરની પૂજા કરતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #133 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર સાધુ મુનિરાજને વંદન કરતો. તેને આ વાતની ખબર પડી એટલે ગુરુ આગળ આવે અને વિનંતિ કરી. “એકજ દિવસ કૃપા કરીને રહી જાઓ. પછી સુખેથી વિહાર કરજો.” બીજા દિવસે રાજભંડારમાંથી ત્રણ મોંઘા રન લીધાં અને આ ચોકમાં. ત્યાં જાહેર કર્યું કે લેકને આ ત્રણ મોંધા રત્ન આપવાના છે. એટલે લેકનાં ટોળે ટોળાં એકઠાં થયાં અને પૂછવા લાગ્યાઃ “હે મંત્રીશ્વર ! આ રત્નો કોને આપવાનાં છે ? ' અભય કહે, ‘જે ત્રણ વસ્તુ છેડે તેને. એક ઠંડું પાણી, બીજું દેવતા ને ત્રીજું સ્ત્રી.” માણસ કહે, “એ તો ખૂબ મુશ્કેલ છે. હંમેશા ગરમ પાણી પીવું, કેઈ પણ જાતને દેવતા પિતાના માટે સળગાવે નહિ અને સ્ત્રીની સાથેનો સંબંધ છોડી દે એ અમારાથી ન બને.” અભય કહે, “ ત્યારે આ રત્ન કઠિયારા મુનિના થાઓ. જેણે આ ત્રણ વાનાં છોડયાં છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #134 -------------------------------------------------------------------------- ________________ ૨૨ અભયકુમાર લોકે સમજયા કે તે મુનિ ખરેખરા ત્યાગી છે. આપણે નાહક તેમની મશકરી કરી ચીડાવ્યા. પછી અભયે શિખામણ દીધીઃ “હવે કેઈએ એ મુનિની મશ્કરી કે તિરસ્કાર કરવાં નહિ.' એક વખત શ્રેણિક રાજાએ પૂછયું: “મધામાં મેંધી વસ્તુ કઈ ?' કોઈએ કહ્યું. “હીરા.” કેઈએ કહ્યું: “માણેક.” ત્યારે અભયકુમાર કહે, માંસ. બધા કહે, “ખોટી વાત. તે સસ્તામાં સતું છે.' અભયકુમાર કહે, “ઠીક, વખત આચે બતાવીશું.' થોડા દિવસ થયા એટલે એક શેઠને ત્યાં ગયા ને કહ્યું કે રાજા શ્રેણિક માંદા પડયા છે. વૈદ કહે એ કઈ રીતે બચે તેમ નથી. પણ સવા તોલે માણસના કાળજાનું માંસ મળે તે રાજા બચે. માટે તે લેવા આવ્યો છું.’ પેલા શેઠ કહે, “બાપુ ! પાંચ હજાર રૂપિઆ લો પણ મને છોડો. બીજે ઠેકાણેથી મેળવી લેજે એમ અભયકુમાર બધા અમીર ઉમરાવને ત્યાં ફર્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #135 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર ૨૩ પણ કોઈએ માંસ આપ્યું નહિ. સહુ પૈસા આપી છુટી ગયા. અભયકુમારને ધનના ઢગલા મળ્યા. ખીજે દિવસે અભયકુમાર તે લઈ સભામાં આવ્યા અને કહ્યુંઃ મહારાજ ! આટલા, ધનના ઢગલે પણ સવા લેા માંસ મળતું નથી.' અધા શરમાઇ ગયા. અભયે કહ્યું: · માંસ સરંતુ છે પણ બીજાનું, પેાતાનું માંસ તા માંધામાં મોંધું છે.' ' ' અભયકુમારની બુદ્ધિના આવા આવા અનેક દાખલાઓ છે. તેથી લાકા આજે પણ એવી ઈચ્છા કરે છે કે અભયકુમારની બુદ્ધિ હુએ,’ " : ૧૧ઃ * શ્રેણિક રાજાએ અભયને રાજ્ય માટે લાયક જોઇ આગ્રહ કર્યો કે ‘હૈ પુત્ર ! તું આ રાજ્ય ભોગવ. પ્રભુ મહાવીર આગળ મારે દીક્ષા લેવાની મરજી છે. ’ અભયે કહ્યું: ‘ પિતાજી ! મારે રાજ્ય નથી જોઈતું. હું હવે મારા આત્માનું કલ્યાણ કરવા ઇચ્છું છું. પ્રભુ મહાવીર આગળ મને પણ દીક્ષા લેવાનુ ભારે મન છે. અને તે માટે આપ રજા આપે.' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #136 -------------------------------------------------------------------------- ________________ ૨૪ અભયકુમાર શ્રેણિકે રાજ્ય લેવા ખૂબ આગ્રહ કર્યો પણ અભયકુમાર પિતાના વિચારમાં મક્કમ રહ્યા એટલે શ્રેણિકે રાજી થઈ રજા આપી. બુદ્ધિના ભંડાર અભયકુમાર સાધુ બની પવિત્ર જીવન ગાળવા લાગ્યા. સંયમ અને તપથી પિતાની શુદ્ધિ કરવા લાગ્યા. કેટલોક સમય આવું જીવન ગાળી તેમણે પિતાનું આયુષ્ય પૂરું કર્યું. લે આજે પણ એ અભયકુમારને ઘણા માનપૂર્વક યાદ કરે છે ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #137 -------------------------------------------------------------------------- ________________ ©©©©©©©©© ) બાળગ્રંથાવળી : પ્રથમ શ્રેણ :: ૮ રાણી ચેલણા *.. લેખક ".. ધીરજલાલ ટોકરશી શાહ 206..2262696e666.6 સર્વ હકક સ્વાધીન સંવત ૧૯૯૧ આવૃત્તિ ચોથી પ્રત ૧૨૫૦ મૂલ્ય સવા આને. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #138 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : ધીરજલાલ ટોકરશી શાહ જ્યતિ કાર્યાલય નગરશેઠ મારકીટ, રતનપાળ, અ મ દ વા દ. આ પુસ્તક મુંબઈ ઇલાકા કેળવણીખાતા તથા વડોદરા રાજય કેળવણીખાતા તરફથી ઇનામ-લાઈબ્રેરી માટે મંજૂર થયેલું છે, તેમજ જેને વેટ એજયુકેશનલ બોર્ડની ધાર્મિક પરીક્ષાના બાળ ધારણું પ્રથમ તથા કન્યા ધરણ પ્રથમમાં પાઠયપુસ્તક તરીકે સ્વીકારાયેલું છે. ધી. ટે શાહ, .. મુદ્રક.. મણિલાલ છગનલાલ શાહ. મુદ્રણસ્થાનઃ વીરવિજયઃ પ્રી. પ્રેસ કાળુપુર ટંકશાળ : અમદાવાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com. Page #139 -------------------------------------------------------------------------- ________________ રાણું ચેલણ : ૧ : એક હતું મોટું શહેર. તેનું નામ વિશાલિ. ત્યાં હતા એક રાજા. ન્યાયી અને પ્રજાને પાળનાર. પ્રતાપી ને ખૂબ બળવાન. તેમનું નામ ચેટક પ્રભુ મહાવીરના એ મામા થાય. તેમને સાત કુંવરીએ પાંચ પરણેલી ને બે કુંવારી, તેમાં એકનું નામ સુજયેષ્ઠા ને બીજીનું નામ ચેલશું. બંને બહેને ખુબ ગુણીયલ. બધી કળામાં પારંગત. ધર્મનું જ્ઞાન તે ઘણું જ ઊંડું. તેમને કઈ વાતની ખોટ નહિ. રહેવાને સુંદર મહેલ. ફરવાને સુંદર બગીચા. પહેરવાને સુંદર કપડા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #140 -------------------------------------------------------------------------- ________________ રાણું ચેaણા લત્તાં. ખાવાને મનગમતા એવામીઠાઈ. પણ આ બહેને તેમાં બહુ ન લેભાય. તે તે સારું સારું વાચે. સારું સારું ગાય. દેવદર્શને જાય ને ધર્મની જ વાત કરે. આ બંને બહેનોનાં રૂપગુણ દેશદેશમાં વખણાય. : ૨ : રળિયામણે મગધ દેશ. તેના પર મહારાજા શ્રેણિક રાજ્ય કરે. તે પણ ખૂબ પ્રતાપી, ખૂબ બળવાન. તેમણે આ કન્યાનાં રૂપગુણ સાંભળ્યાં. એટલે એક કન્યાની માગણી કરી. રાજા ચેટકે જવાબ આપેઃ “હે રાજા ! તમારે કુળ અમારાથી ઊતરતું છે એટલે અમારી કન્યા નહિ મળે.” રાજા શ્રેણિકને આ જવાબથી ખૂબ ખૂટું લાગ્યું. વસંતના દિવસો આવ્યા. કુદરત આનદે ઊભરાવા લાગી. બન્ને બહેને હિંડોળાપર બેઠી છે. અંદર અંદર વાત કરે છે. સુચેષ્ઠા કહે, “ચલ્લણ ! કેવા રૂડા વસંતના દિવસે છે?” “ચલ્લણ કહે “બહેન! એમાં પૂછવું જ શું? આખી કુદરત સંગીતથી જ ઊભ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #141 -------------------------------------------------------------------------- ________________ રાણી ચેaણ રાય છે. આ જોઈ મને એમજ થાય છે કે હું પણ આ દિવસ ગાયાજ કરું.' સુષ્મા કહે, “ વાહ ! કે સુંદર વિચાર ! ચલણા ! તારાં મીઠાં ગીતથી કુદરતને આનંદ વધશે. માટે જરૂર એક સુંદર ગીત ગા.' ચેલ્લણાએ ગાવા માંડયું સસ દેશી–હું તો ઢોલે રમુંને હરિ સાંભરે રે. સખિ આવ્યા વસંતના વધામણાં રે, મારાં હઈડાં ફૂલી ફૂલી જાયરે આવ્યા. થયાં ભૂરા આકાશનાં આંગણાં રે, ત્યાં સોનેરી સાથિયા પૂરાયરે આવ્યાં. સખિ ! આંબાનાં વન રૂડાં મરિયાં રે, ત્યાં કાયલ કરે ટહુકાર –આવ્યાં ખીલી જાઈ જઈને વળી માલતી રે, ત્યાં ભમરા કરે ઝંકાર રે–આવ્યાં. સખિ ! ભર્યા સરોવર શોભતા રે, ત્યાં હંસ રહ્યાં હરખાય રે–આવ્યાં. જયાં આવી વસંત ઉર ઊતરે રે, ત્યાં આનંદપૂર રેલાય રે–આવ્યાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #142 -------------------------------------------------------------------------- ________________ ‘ વાહ ! ચલણા વાહ ! કેવુ મધુર છે આમ નિર્દોષ આનંă લૂંટી ખને પડી અને પાતપેાતાના કામે વળગી. રાણી ચણા આ ગીત ! × બહેને જુદી :x: સુજ્યેષ્ઠા પેાતાના ઓરડામાં આવી એટલે એક સખીએ વાત કરી; બહેન ! આજે મે' એક અદ્ભુત આ જોઈ. શું તેનુ રૂપ ! મે તે છઢગીમાં એવુ” રૂપ ક્યાંયે જોયું નથી. ' સુજ્યેષ્ઠાએ કહ્યું: ‘ કર્યાં છે એ છબી? ' સખી–બહેન! એક અત્તરના વેપારીની દુકાને. સુજ્યેષ્ઠા—કાની છે એ છબી ? સખી—મગધ દેશનાં મહારાજા શ્રેણિકની. સુજયેષ્ઠા—તા બહેન ! લઈ આવ એ છબી. મને પણ જોવાનું મન થાય છે. સખી વેપારી આગળથી એ છબી લઈ આવી. સુજયેષ્ઠા એ જોઈ છક થઈ ગઈ. ધારી ધારીને જોવા લાગી. આ જોઈ તેની સખીએ કહ્યું: ‘ બહેન ! શું જૂએ છે ? આખા હિંદમાં આજે એવા કાઈ રાજવી નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #143 -------------------------------------------------------------------------- ________________ રાણી ચેaણા સુજયેષ્ઠાએ કહ્યું: “સાચી વાત છે. આ છબી અહીં પડી રહેવા દે.” “બહેન! પાછી આપવાની શરતે જ આ છબી લાવી છું. એટલે અહીં કેમ રહેવા દેવાયા એમ કહી સખી તે છબી આપવા ગઈ. છબી પાછી ગઈ. સુજયેષ્ઠા તેનાજ વિચાર કરવા લાગી. “અહે! શ્રેણિકનાં વખાણ સાંભળ્યાં હતાં. પણ રૂપ જોયું ન હતું. અહા ! આટલા બધા તે રૂપવાન ! પતાજીએ કુળના અભિમાનમાં તેમનું અપમાન કર્યું. પણ આથી સારે પતિ ક્યાં છે ! પરણવું તે જરૂર એમને જ પરણવું. ” પિતાથી છાનું પરણવું સહેલ નહિ. એટલે તે ચિંતામાં પડી. આ જોઈ તેની સખીએ કહ્યું “બહેન! ચિંતા શું કરે છે? એ વેપારીને હાથમાં લઈશું એટલે બધું કામ થશે. સુચેષ્ઠા કહે, “ જા, શ્રેણિક સાથે લગ્ન થાય એ ઉપાય શોધી કાઢ.” સખીએ વેપારીને મળી એક ઉપાય શોધી કાઢયે. નગર બહારથી રાજમહેલ સુધી ભય પેદાવવું. ત્યાં અમુક દિવસે શ્રેણિક આવે. સુજયેષ્ઠા ત્યાં તૈયાર રહે. એટલે શ્રેણિક લઈ જાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #144 -------------------------------------------------------------------------- ________________ રાણું ચલ્લણ બધી તૈયારી થઈ. દિવસ નક્કી થયે. શ્રેણિક થોડા બહાદુર દ્ધા સાથે આવી ગયા. સુજયેષ્ઠા પણ જવા તૈયાર થઈ એવામાં સુષ્ઠાને ચેલણ યાદ આવી. તેનાથી વાત છાની ન રાખવી એવો વિચાર થયે.એટલે મળવા ગઈ. ચેaણા કહે, “બહેન! આજે ઉદાસ કેમ દેખાવ છો?' સુજયેષ્ઠા કહે, “તારા વિના વિચારે.' ચેલ્લણું કહે, “બહેન! મારા વિગ? અને તમે તો સાથે જ છીએ, અને સાથે જ રહીશું.'સુજયેષ્ઠા કહે, “ચેલ્લણ લગ્ન નથી થયા ત્યાં સુધી. લગ્ન પછી તે છુટાંજ પડીશું.” ચેલણ કહે, “ના રે ! સુજયેષ્ઠા ! આપણે બંને એકજ પતિને પરણીશું. પછી છુટા કેવી રીતે પડીશું? જા, તારો પતિ એજ મારો પતિ.” સુજયેષ્ઠા કહે, “તે થા તૈયાર. મારા પતિ મારી રાહ જોઈને ઊભા છે.' ચેલ્લણાએ પૂછયું : “ ક્યાં ?” સુચેષ્ઠા કહે, “ભૈયરામાં.” પછી બધી વાત કહી. શ્રેણિરાજ બેંયરાના મેઢે ઊભા છે. સાથે પિતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #145 -------------------------------------------------------------------------- ________________ રાણી ચિલ્લણ બહાદુર દ્ધાઓ છે. તેઓ અંદર અંદર વાત કરે છે. “મહારાજ! શત્રુની રાજધાનીમાં બહુ વખત રહેવું સારું નહિ. હજી સુધી કઈ જણાતું નથી. માટે જરૂર કાંઈ દગો હશે.” શ્રેણિક કહે, “દગો ન હોય. ચેટક રાજાની એ પુત્રી દગો કરે તેમ નથી. દ્ધાઓ કહે, “મહારાજ ! આપ વિશ્વાસુ છો. અમને તો લાગે છે કે જરૂર કાંઈક દગો હશે.” શ્રેણિક કહે, “ડીવાર રાહ જેવા દે, સુજયેષ્ઠા આવે કે રથ ઉપાડીશું. શ્રેણિક રાજાને ખબર નથી કે બંને બહેને આવવાની છે. ચલણા ને સુચેષ્ઠા તૈયાર થયા. ભોંયરામાં ચાલવા લાગ્યાં. રથ ડે દૂર રહ્યો એટલે સુજયેષ્ઠા બેલી. “ચલ્લણ ! ઉતાવળમાં મારે ઘરેણાને દાબડે રહી ગયે. ચેલણા કહે, “બહેન! તમે રથમાં બેસે. હું લઈ આવું.” સુજયેષ્ઠા કહે, “ના ચલ્લણા! તું રથમાં બેસ. હું દાબડે લઈ આવું છું.' ચલ્લણ આવીને રથમાં બેઠી. સહુ સમજ્યા કે તે સુજયેષ્ઠા છે, એટલે રથ પવનવેગે ઉપાડ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #146 -------------------------------------------------------------------------- ________________ રાણી ચલુણા અહીં સુજયેષ્ઠા આવી ને જૂએ તેા રથ નહિ. તે સમજી કે મારા બદલે ચેલણાનું હરણથયું અને હું રહી ગઈ એટલે તેણે બૂમ પાડી : • દાંડા ! દાડા ! ચેલણાનું હરણ થયું. ’ ચેટક રાજાના ચાદ્દાએ દોડયા પણ નિષ્ફળ. શ્રેણિક ધણા દૂર નીકળી ગયા હતા. ૧૦ સુજયેષ્ઠાને આ બાબતની ભારે અસર થઈ. વિચાર કરતાં તેને લાગ્યું કે આના કરતાં વધારે ઊંચુ જીવન જીવવાની જરૂર છે એટલે તેણે દીક્ષા લીધી. ઃ ૬ ઃ શ્રેણિકને ધણી રાણીઓ હતી. તેમાં ચેલ્લા સહુથી વહાલી. રાજા શ્રેણિક ધણા વખત તેની સાથેજ ગાળે. ચેલણા પણ પેાતાના પતિને ખૂબ ચાહે. રાજા રાણી આનદમાં વખત પસાર કરવા લાગ્યા. ચેલણાને પ્રભુ મહાવીરને ઉપદેશ ખૂબ ગમતે; એટલે શ્રેણિકને પણ તેઉપદેશ સમજાવવા લાગી. ચેલ્લણાની સમજાવટથી પ્રભુ મહાવીર પર રાજા શ્રેણિકને ખૂબ શ્રદ્દા થઈ. અને આખરે તેએ પ્રભુ મહાવીરના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #147 -------------------------------------------------------------------------- ________________ રાણી ચલણા પાકા ભત બન્યા. ધન્ય છે પતિને ધમ પમાડનારી આવી સ્ત્રીઓને ! ૧૧ પતિની સાચી સેવા કરનાર ચલ્લણાને ગર્ભ રહ્યો. પણ તે વખતે તેને એક ખરાબ ઇચ્છા થઈ કે મારા પતિના કાળજાનું જ માંસ ખાઉ'. આવે ખરાબ વિચાર આવતાં જ ચલ્લણાને ગર્ભ તરફ તિરરકાર છૂટયો. તે સમજી ગઈ કે આ ગભ એના પિતાના વેરી છે નહિતર આવા વિચાર ન આવે. સવાનવ માસ પૂરા થયા. ચેલ્રણાને એક તેજસ્વી પુત્ર જન્મ્યા. પણ તેજ વખતે તેણે દાસીને આજ્ઞા કરીઃ ‘દાસી ! આ દુષ્ટ પુત્રને કાઈક દૂર જગામાં મૂકી આવ. એ એના બાપના વેરી છે. સાપને ઉછેર્યો સારે। નહિ.' દાસીએ આ બાળકનેહાથમાં લીધા. ચાલી નીકળી દૂર. એક આસાપાલવના વન પાસે આવી. ત્યાં હતા એક ઉકરડા. તેમાં તેને મૂકી દીધા. ' દાસી પાછી આવે છે ત્યાં શ્રેણિક મળ્યા. તેમણે પૂછ્યું ‘ આમ કર્યાં ગઈ હતી ?' દાસીએ જેવી હતી તેવી વાત કરી. એટલે શ્રેણિક એક્દમ આસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૨ રાણું ચલ્લણ પાલવના વન આગળ આવ્યા. ત્યાં એક બાળક રડી રહ્યો હતો. તેની કૂણી આંગળી એક મરધીએ કરડી ખાધી હતી. રાજા શ્રેણિકને આ જોઈ ખૂબ દુઃખ થયું. તેમણે તરત જ તે પુત્રને ઉપાડી લીધો. અને તેની લેહીવાળી આંગળી મેંમાં નાખી લેહી ચૂસી લીધું ત્યારે બાળક શાંત થયે. રાજા શ્રેણિકે ઘેર આવી ચલણાને ઠપકો દીધો. “અરે ઉત્તમ કુળવાળી ! આવું કામ તને શેભે ? ચલ્લણા કહે, “સ્વામીનાથ ! આ પુત્ર તમારા વેરી છે. એના બધા લક્ષણે ખરાબ છે. એવા પુત્રને હું કેમ ઉછેરી શકું ! મારા સ્વામી કરતાં મારો પુત્ર વધારે નથી. “રાજા શ્રેણિક કહે, “ગમે તેમ હેય પણ તું એ પુત્રને ઉછેર. આપણાથી એને તજી તો ન જ દેવાય” શ્રેણિકની આજ્ઞાથી ચેāણા તેને ઉછેરવા લાગી. આ પુત્રની એક આંગળી કુકડીએ કરડી હતી એટલે તે બુદ્ધિ થઈ. છોકરાઓ આ જોઈ તેને ચીડવતા કૃણિક! કૃણિક ! એટલે કે બુદ્ધિ આંગળીવાળો ! બુક આંગળીવાળો! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #149 -------------------------------------------------------------------------- ________________ રાણી ચલણા ૧૩ ચેલણાને બીજા પણ બે પુત્રો થયા. એકનું નામ હલ્લ અને બીજાનું નામ વિલ. એ ત્રણે ભાઇ આનંદે ઉછરતાં મોટા થવા લાગ્યા. : ૭ : એક વખત રાજા રાણી સૂતાં હતાં. શિયાળાની રાત. ટાઢ કડકડતી પડે, એટલામાં ચલણાના હાથ સેડમાંથી બહાર નીકળી ગયા. એક તા કામળ હાથ ને તેમાં કડકડતી ટાઢ. એટલે એકદમ તેને પીડા થઈ. પણ તેજ વખતે તેને એક વિચાર આવ્યેઃ એક મુનિરાજ અત્યારે નદી કિનારે ઉભા છે. તેમણે એક પણ કપડુ એાઢયું નથી. આવી ટાઢમાં એમનું શું થયું હરશે ? છેલ્લું વાક્ય માટેથી એલી જવાયું. બરાબર તેજ વખતે શ્રેણિક રાજા જાગતા હતા. તે સાંભળી વિચારવા લાગ્યા : આ ચેક્ષણા અત્યારે કાના વિચાર કરે છે! જરૂર એનું મન બીજા કાઈમાંછે. જેના તરફ઼ હું આટઆટલા પ્રેમ રાખુ` છુ' તે પણ બીજાના વિચાર કરે છે. બસ ન જોઈ એ આ રાણીએ.’તેમણે આવાજ વિચારમાં રાત પસાર કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #150 -------------------------------------------------------------------------- ________________ રાણી ચલણા વહાણું વાતાં પ્રધાન અભયકુમારને બોલાવ્યા. અને તેમને આજ્ઞા કરી કે ‘ભારુ... અંતઃપુર બગડી ગયું છે. માટે તેને બાળી મૂક. ખબરદાર ! માનેા પ્રેમ વચ્ચે લાવીશ નહિ. ’ અભયકુમાર કહે, ' જેવી પિતાની આજ્ઞા.’ બરાબર આજ વખતે નગર ખહાર બગીચામાં પ્રભુ મહાવીર પધાર્યા. એટલે શ્રેણિક રાજા તેમના દર્શન કરવા ગયા. ૧૪ અભયકુમારે વિચાર્યું: ‘ પિતાજી કાંઇક ગુરસામાં આવી ગયા છે. નહિતર આવે! હુકમ ન કરે ! મારી બધી માતાએ સ્વભાવથીજ સતીએ છે. તેમાં લક ઢાય નહિ. નક્કી પેાતાની કાંઈક ગેરસમજ થઈ હશે. માટે સાહસ તા નજ કરવું. ’ તેણે હાથીખાના પાસેની ઘેાડી ઓરડીએ સળગાવી અને ગામમાં પડાવી બૂમઃ રાજાનું અંતઃપુર સળગ્યું, અંતઃપુર સળગ્યું ! " શ્રેણિકે પ્રભુને વંદન કર્યું. પછી સવાલ પૂછ્યા, · પ્રભુ ! ચલણાને એક પતિ છે કે અનેક ? । પ્રભુ કહે, ‘એક. હું અણિક ! એ સતી પર કાઈપણુાતના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #151 -------------------------------------------------------------------------- ________________ રાણી ચેલણ વહેમ લાવીશ નહિ.” શ્રેણિકને પ્રભુના વચનમાં પુરી શ્રદ્ધા હતી એટલે તે સમજયા કે પિતે ભારે ભૂલ કરી છે. તે ઉતાવળા ઉતાવળા ગામમાં આવ્યા. ત્યાં અભયકુમાર સામે મળ્યા. તેમને એકદમ શ્રેણિકે પૂછ્યું: અભય શું કર્યું?” અભય કુમાર કહે, “બરાબર આપની આજ્ઞા ઉઠાવી છે. શ્રેણિક કહે, “અરે મૂર્ખ મારો અવિચારી હુકમ અમલમાં કેમ મૂક્યો? તારી માતાઓને બળતાં તારો જીવ ભલે ચાલ્ય!” અભયકુમારે જાણ્યું કે પિતા પિતાની ભૂલ સમજયા છે. એટલે તેણે બધી હકીક્ત જાહેર કરી. હવે ચેલણ પર શ્રેણિકને વધારે પ્રેમ થે. તેના માટે સુંદર મહેલ બાંધે. સુંદર બગીચો બનાવ્યું. બંને જણ આનંદથી ત્યાં રહેવા લાગ્યાં. ફણિક મટે થયે એટલે તેને ગાદીએ બેસવાની ખૂબ ઈચ્છા થઈ. શ્રેણિક તેનેજ ગાદી આપવાના હતા પણ કણિકને તેમનાં જીવતાજ ગાદી લેવી હતી. એટલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #152 -------------------------------------------------------------------------- ________________ ર રાણી ચલણા તેણે ખટપટ કરવા માંડી. તેમાં તે ફાવ્યા. શું રાજ્યલાભ ! પિતાને કેદ્યમાં પૂરી પુત્ર ગાદીએ બેઠા. પણ એટલેથીજ કૃણિક અટકયા નહિ. પાતાને પૂર્વ ભવતુ વેર હતુ એટલે તેમને બરાબર દુઃખી કરવાના વિચાર કર્યાં. તેણે કેન્દ્રની આસપાસ સખત ચોકીપહેરશ મૂકયા. અને આજ્ઞા કરી કે ‘ખબરદાર ! કોઇ પણ માણુસ શ્રેણિક પાસે જાય નહિ. ' ચેલાએ શરૂઆતથી ધારેલી વાતજ ખરી પડી. ચહ્નણા પતિને પ્રાણથી પણુ વહાલા ગણે. તેનાથી આ નજ ખમાય. પણ રાજ્યની બધી સત્તા કૃણિકના હાથમાં એટલે એને ઉપાય શું ચાલે? છતાં એણે નિશ્ચય કર્યાં કે કૂણિકના અન્યાયી હુકમને તાબે ન થવું. તેહિમ્મત ધરી શ્રેણિકના કેદખાના તરફ ચાલી. ચેલૈંગાને પ્રમાવ એટલા બધા હતા કે સિપાઇઓ તેને અટકાવી શકયા નહિ. ત્યાં પાંજરામાં રહેલા પેાતાના પતિને મળી. આથી તેને આનંદ થયા. પણ સાથે જ તેમની દુદેંશા જોઈ શેાક થયેા. તેણે અહીં જાણ્યું કે પોતાના પતિને અન્નપાણી આપવાનું પણ બંધ કર્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #153 -------------------------------------------------------------------------- ________________ રાણી ચેન્નણા ૧૭ છે. અને હુંમેશાં સવારે ચાબુકના માર પડે છે . એટલે પારાવાર દુ:ખ થયું. તેણે વિચાર કર્યો; ‘બીજું ન બને તેા કાંઈ નહિ પણ પતિનું આ દુઃખ તે જરૂર આછુ કરવું.' તેણે કૂણિક આગળ શ્રેણિકને મળવાની રા માગી. ણિક ના કહી શકયા નહિ. ચેલૈંણા હુ ંમેશ મળવા જાય. તે વખતે પેાતાના વાળ દવાવાળા પાણીથી ભીંજવે અને અખાડામાં અડદના લાડુ ધાલે. તે અડદના લાડુ ભુખ્યા પતિને ખવરાવે ને અંબાડા નીચેાવીને પાણી પાય. આ પાણી પીવાથી શ્રેણિકને ઘેન ચડે એટલે ચાબુકની પીડા ઓછી થાય. : ૯ઃ 6 *ણિક પેાતાના પુત્ર પર ખૂબ પ્રેમ રાખતા. એક વખતે તેણે ચેલણાને પૂછ્યું, માતા મારા જેવા પુત્રપ્રેમ કાઈને હશે ? ' એટલે ચેન્નુણા ખેલી: અરે દુષ્ટ ! તારા પુત્રપ્રેમ શું હિસાબમાં છે ? તું ગર્ભમાં આવ્યા ત્યારથી મેં જાણ્યું હતુ` કે તુ' તારા બાપના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૮ રાણું ચેaણા વેરી છે. એટલે તારે જન્મ થતાંજ મેં તને ઉકરડામાં ફેંકી દીધો હતો. પણ તારા પિતાને તારા પર અથાગ પ્રેમ એટલે તે દેડયા ને તેને ઉંચકી લીધે. તે વખતે તારી કુકડીએ કરડેલી લોહીવાળી આંગળી એમણે મમાં લીધી અને તેને રડતો છાને રાખ્યું. ત્યારબાદ અત્યાર સુધી તેમણે તારા તરફ અનહદ પ્રેમ બતાવે છે. રાજય પણ તને જ આપવાની ઈચ્છા હતી.' આ સાંભળી કૃણિકનું વેર શાંત થઈ ગયું. પિતાની ભારે ભૂલ ખાલમાં આવી. હવે પિતાને કેદમાંથી જલદી છૂટા કરી તેમની ક્ષમા માગવાને વિચાર આવ્યું. લુહારને બેલાવતાં વાર થાય એટલે પિતજ હાથમાં લોઢાને. દંડ લઈ જેલ ભણી દેડ. કૃણિકને આ પ્રમાણે જોઈને ચેકીદારોએ શ્રેણિકને ખબર આયાઃ “ણિક હાથમાં લેઢાને દંડ લઇને આવે છે. એટલે જરૂર આપનું મોત થશે.” શ્રેણિકે વિચાર્યું “ફણિક મા મેત બગાડશે. માટે હું જ મારી જાતે મરી જાઉં તો ઠીક છે.” એમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #155 -------------------------------------------------------------------------- ________________ રાણું ચલ્લણ વિચારી તેમણે પોતાની પાસે છુપાવી રાખેલું હળાહળ ઝેર ખાધું ને તત્કાળ મરણ પામ્યા. કૃણિક આવીને જુએ તો પિતાનું મડદું. તે વિચારવા લાગે “અરરર ! આ શું! પિતાની છેલ્લી મુલાકાત પણ ન થઈ. મને જ્યારે ભૂલ જણાઈ ત્યારે પિતાજી ચાલ્યા ગયા. હા! હું જ મહાદુષ્ટ કે પિતાને કમતે મરવું પડ્યું. પણ હવે શું થાય?' તેને ખૂબ શેક થે. ચેલણાને જાણ થઈ કે શ્રેણિક ઝેર ખાઈ મરણ પામ્યા. એટલે તેને પારાવાર દુઃખ થયું. તે ખૂબ શેક કરવા લાગી. પણ એવામાં પ્રભુ મહાવીર પધાર્યા. તેમની અમૃતવાણી સાંભળી એટલે તેનું મન શાંત થયું અને તેને સમજાયું, “જ્યાં મેહ છે ત્યાં જરૂર શોક છે. માટે મેહ છોડયા વિના શકકે દુઃખ કદી ઓછાં નહિ થાય. એટલે તેણે સઘળે મેહ છોડી દીધું અને સાધુજીવનની પવિત્ર દીક્ષા લીધી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #156 -------------------------------------------------------------------------- ________________ રાણું ચલ્લણ ચેટક રાજાની આ વિદ્વાન પુત્રી અને મગધદેશની મહારાણી ચેલ્લણ પવિત્ર જીવન ગાળવા લાગી. જે પ્રેમ શ્રેણિક તરફ હતો તે પ્રેમ જગતના સઘળા છ પર દર્શાવવા લાગી. તેણે તપ અને સંયમથી પિતાના જીવનને ખુબ સુંદર બનાવ્યું. છેવટે પિતાનું આયુષ્ય પૂરું કરી નિર્વાણ પામી. ધન્ય હે સતી ચેલણાને ! ધન્ય હો ભારતવર્ષની ભૂમિને દીપાવનાર પવિત્ર આર્યાઓને ! જરૂર વાંચે જળમંદિર પાવાપુરીનું સુંદર કાવ્ય ત્રિરંગી ચિત્ર અને બીજા આલેખને સાથે કિ. -૨-૧ કુદરત અને કળાધામમાં વીસ દિવસ સચિત્ર પ્રવાસી ૧-૮-૦ ઈલરાનાં ફામંદિરે સચિત્ર ૦-૮-૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #157 -------------------------------------------------------------------------- ________________ ચંદનબાળા : ૧ : ચંપાનગરીનાં રાજારાણી બહુ ભલાં. દલિવાહન રાજાનું નામ, ધારિણી રાણીનું નામ. ભાંગ્યાના તે ભેરુ ને પ્રજાના તે પાળનાર. તેમના રાજયમાં બધે આનંદ વતે. નહિ ચેરચખારને ભય. નહિ અધિકારીને ત્રાસ. ગંગાજી બારે માસ રેલે ને ફળફૂલના અંબાર કરે. દુકાળનું તે ત્યાં નામજ નહિ. એમને ઘેર દેવી જેવી એક દીકરી અવતરી. કમળ એની કાયા ને અમૃત શી એની વાણી. એને જોતાં આખ ધરાયજ નહિ. નામ એનું વસુમતી. વસુમતી સેનાની પૂતળીએ રમતી મોટી થઇ. માબાપને તે ખૂબ વહાલી. સહિયરને તે જાણે પ્રાણ. માબાપે જાણ્યું કે વસુમતી હવે ખૂબ સમજણી થઈ છે એટલે તેના માટે શિક્ષકો રાખ્યા. તેમની આગળ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #158 -------------------------------------------------------------------------- ________________ ચંદનબાળા તે લખતાં શિખી, વાંચતાં શિખી. ગણિત શિખી, ગાતાં શિખી. ફળફૂલ ઉછેરવામાં તે ખૂબ હોંશિયાર થઈ. વીણું સારંગી વગાડવામાં તે તેની જોડ જ નહિ. પછી તેના માટે ધમપંડિત રાખ્યા. તેમની પાસેથી વસુમતીએ ધર્મસંબંધી ઊંડું જ્ઞાન મેળવ્યું. એક તે પૂર્વભવની સંસ્કારી ને તેમાં સગુણ માતાપિતા મળ્યાં. વળી શિખવાની રુચિ ને શિખવનાર હોંશિયાર. એટલે વસુમતીને વિકાસ ઘણો જ થ. તે હંમેશાં વહેલી ઊડી જિનેશ્વરનું નામ લે, પછી માતાની સાથે પ્રતિક્રમણ કરે. જ્યાં પ્રતિક્રમણ પૂરું થાય ત્યાં તે જિનમંદિરના ઘંટ સંભળાય. એટલે માતાપુત્રી બંને ચેકખાં વસ્ત્ર પહેરીને મંદિર જાય. ત્યાં ભાવથી વંદન કરે અને વસુમતી પિતાની માતાને કહેઃ “ બા ! કેવું સુંદર સ્થળ છે! આપણા રાજમહેલમાં તો બધે ધમાલ ને દેડાદોડ જ, ત્યારે અહીં કેવી પરમ શાંતિ છે ! મને તે એમજ થાય છે કે અહીં જ બેસી રહું ને શાંતિના સાગર જેવી આ પ્રતિમાના દર્શન કર્યા જ કરું.'' એ સાંભળી ધારિણી કહે, “બેટા વસુમતી ! ધન્ય છે તને કે આવી ભાવના ઉત્પન્ન થાય છે. ખરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #159 -------------------------------------------------------------------------- ________________ ચંદનબાળા ખર ! આ રાજ મહેલના સુખવૈભવચાર ઘડીનાં ચટકા છે. ક્યાંથી હેય ત્યાં એ શાંતિ જે જિનેશ્વર દેવના મુખ ઉપર દેખાય છે ! અહે! તેમના નામ માત્રથી દુઃખના દરિયામાં ડૂબેલાને પણ શાંતિ મળે છે. બેટા! એમનું પવિત્ર નામ કદી વિસરીશ નહિ.” આમ માદીકરીની મીઠી મધુરી વાત થાય, પછી ઘેર આવી સારું સારું વચે ને આનંદમાં વખત પસાર કરે. : ૨ : એક વખત રાજારાણું વહેલાં ઊઠી ઈષ્ટદેવનું મરણ કરે છે. ત્યાં સિપાઈએ દોડતા આવ્યા ને નમકાર કરીને હાંફતા હાંફતા કહેવા લાગ્યા “મહારાજ! મહારાજ ! કૌશામ્બીના રાજા શતાનિકનું લશ્કર ચડી આવ્યું છે. અમે નગરના દરવાજા બંધ કરી દીધા છે. હવે ફરમાવો આજ્ઞા !” રાજા કહે, “વગાડ લડાઈનાં નગારાં ને થાઓ લડવા તૈયાર.” ધીનધીન, ધનધન, લડાઈનાં નગારાં વાગવા લાગ્યાં. જોતજોતામાં સહુને જાણ થઈ કે નગરને ઘેરે ઘેલા છે એટલે લડવાને તૈયાર થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #160 -------------------------------------------------------------------------- ________________ ચંદનબાળા કેવી રીતે તૈયાર થયા? શરીરે પહેર્યા બખ્તર ને કમ્મરે લટકાવી ચકચકતી તરવારો. ખભે બાંધી ઢાલ ને તીરના ભાથાં. એક હાથમાં ધનુષ્ય ને બીજા હાથમાં પાણીદાર ભાલા. એ તે ચડયા નગરના કોટ ઉપર ને ફેંકવા માંડયા તીર. સગુણ સણણ બાણને વરસાદ વરસવા લાગે. બાણ વાગે ને માણસ મરે. પણ લશ્કર ઘણું મેટું.બે પાંચ મર્યા છે કે શું? એ તે પુરપાટ દોડતું જ આવે. થોડીવારમાં લશ્કર કોટ આગળ આવ્યું. કેટની આગળ ખાઈ. પાણીથી તે ભરેલી પણ લકર આગળ લાકડાના પુલ ને મેટી મોટી નિસરણીઓ. બાણના વરસાદમાં પણ ખાઈ પર પુલ મંડાયા. તેના પરથી નિસરણીઓકટની રાંગે અડી. ધણોયે બાણને વરસાદ વરસે ને માણસે મરાય. પણ લડવૈયાઓ તે નિસરણી પર ચયેજ જાય. ચયેજ જાય ! કોટના કાંગરે આવતાં ભાલાને મારો શરૂ થયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #161 -------------------------------------------------------------------------- ________________ ચંદનબાળા માણસા ટપોટપ હેઠા પડવા મંડયા, પણ તેચે ખીજા માણસા ચડયેજ જાય, ચડયેજ જાય. એ તા થાડીવારમાં આવ્યા કાટ ઉપર! ત્યાં થઇ તરવારની મારામારી. તેમાં કોશામ્બીનું લશ્કર જીત્યું. કેટલાક સિપાઈઓએ જઈને નગરના દરવાજા ઉઘાડી નાખ્યા. એટલે લશ્કર બધું અંદર પેઠું. દધિવાહન જીવ લઇને નાઠા. તેમનુ લશ્કર પણ જીવ લઇને નાઠું'. તે જાણતા હતા કે શતાનિકના હાથમાં પડયા તા મયે જ છૂટકા છે. શતાનિકે પેાતાના લશ્કરને જાહેર કર્યું: “નગરમાં લૂટ ચલાવા ને લેવાય તે લઇ લ્યે. # ગાંડાતુર બનેલા સિપાઈએ લૂંટ ચલાવવા લાગ્યા. નગર આખામાં હાહાકાર મચી રહ્યો. ચારે બાજુ દોડાદેાડ-ચીસાચીસ થઇ રહી. ધારિણી ને વસુમતી રાજમહેલમાંથી નીકળીને નાઠા. આખા નગરમાં શતાનિક રાજાએ પેાતાની આણુ વર્તાવી. X * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat X www.umaragyanbhandar.com Page #162 -------------------------------------------------------------------------- ________________ તે પછી ધારિણી ને વસુમતીનુ શુ થયુ ? નગરમાંથી બહાર નિકળી ગયાં. પણ એવામાં શતાનિક રાજ્યના એક સાંઢણીસવારે તેમને જોયાં. તેણે ખૂબ રૂપાળાં માદીકરીને જોઇ વિચાર કર્યાં કે ચ’પાનગરીમાંથી લેવા જેવી વસ્તુઓ તે આ છે ! એટલે બનેને પકડયાં ને બાંધીને બેસાડયાં સાંઢણી ઉપર. સાંઢણી મારી મૂકી. ચંદનમાળા :3: સાંઢણી ઝપાટાબંધ રસ્તા કાપી રહી છે. નથી ગણતી નદી નાળાં. નથી ગણતી જાળાંઝાંખરાં. પવનવેગે રસ્તા કાપતી તે એક ધાર જંગલમાં આવી. બિહામણાં ત્યાંનાં ઝાડા, બિડામણેા ત્યાંના રસ્તા. માણુસ તે કાણ ત્યાં નજરે પડે ? પશુ પંખી હરે ફરે ને મા કરે ! અહીં ધારિણીએ પૂછ્યું: “ તમે અમને લઈ જઈને શું કરશેા ?'' સવારઃ “ અરે ભાઈ ! તુ' કાઇ વાતની ચિ'તા કરીશ નહિ. તને સારું સારું ખવડાવીશ, સારું' સારુ પહેરાવીશ અને મારી સ્રી બનાવીશ. ’’ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #163 -------------------------------------------------------------------------- ________________ ચંદનમાળા આ સાંભળતાંજ ધારિણીને માથે જાણે વીજળી પડી. તે વિચારવા લાગી: “અહો ! કયું મારું કુળ ! કા મારા ધર્મ ! આજ મારે આવું સાંભળવા વખત આવ્યા ! ધિક્કાર છે એ જીવ! આવા અપવિત્ર શબ્દ સાંભળવા કરતાં આ શરીરને છેાડી ક્રમ ચા જતા નથી ? શીયળભંગ કરીને જીવવા કરતાં અત્યારેજ મરી જવુ હજાર દરજજે શ્રેષ્ટ છે.” ७ આવા વિચાર કરતાં ધારિણીના હૃદયપર ખખ અસર થઈ. તે શખ થઈને ધરણી પર ઢળી પડી. આ જોતાં જ વસુમતી ચીસ પાડી ઉઠી “આ માતા ! એ વહાલી માતા ! ભર જંગલમાં મને જમના હાથમાં મૂકી કયાં ચાલી ગઈ? રાજ રાળાયું ને બંધનમાં પડી ત્યાં મારે તારાજ આધાર હતા. તે તું પણ આજ ચાલી ગઇ !” એમ વિલાપ કરતાં તે બેભાન થઈ ગઈ. પેલા સાંઢણીસવારે આ જોઇ વિચાર્યું: “ મારે “ આવા શબ્દો આ ખાઈને નહેાતા કહેવા જોઈતા. પણ ખેર ! હવે આ કુંવરીને તે કાંઇજ ન કહેવુ, નહિતર એ પણ એની માની માફ્ક મરણ પામશે.” આમ વિચારી તે વસુમતીની આગતાસ્વાગતા કરવા લાગ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #164 -------------------------------------------------------------------------- ________________ ચંદનબાળા વસુમતી ભાનમાં આવી એટલે તેને મીઠા શબ્દ બોલાવવા લાગ્યો : “અરે બાળા ! ધીરજ ધર, જે થવાનું હતું તે થઈ ગયું. શેક કર્યું શું થશે? શાંત થા! તને કોઈપણ જાતની આંચ નહિ આવે.” આમ મીઠા વચને બેલાવતે બોલાવો તે કેશખી આવ્યું. કૌશામ્બી શહેર તે જાણે માણસને દરિયે. અધધધ ! શું રસ્તા પર માણસની ભીડ ! દેશદેશાવરના માણસે આવે. કાફલા લાવે ને માલના અદલા બદલા કરે. ત્યાં બધી જાતની વસ્તુઓ વેચાય. અનાજ ને કરિયાણું વેચાય, પશુ પક્ષી વેચાય ને માણસે પણ વેચાય! પેલા સાંઢણી સવારે વિચાર કર્યો. “આ કન્યા ખૂબ રૂપાળી છે. એને વેચીશ તો ખૂબ નાણું મળશે. માટે ચાલ આ બજારમાં તેને વેચી દઉં.” વસુમતીને તે બજારમાં લાવ્યા ને વેચવાને ઉભી રાખી. એનું રૂપ અપાર હતું. જે જુએ તે અંજાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #165 -------------------------------------------------------------------------- ________________ ચંદનબાળા જાય. એટલે કેનાં ટોળેટોળાં એકઠાં થયાં. તેનું મૂલ્ય પૂછવા લાગ્યાં. વસુમતીને આ વખતે કેવું થયું હશે? રાજમહેલમાં રહેનારી ને સેંકડો નકરોની સેવા લેનારીને આજે ભરબજારમાં વેચાવાને વખત આવે ! વસુમતી નીચું મહે રાખી ઊભી રહી છે! જગન્ધવ! એ જગનાથ! જે બળે તમે મુકિત મેળવી તે બળ મારામાં પ્રગટ ! મારા શિયળની સંપૂર્ણ રક્ષા થાઓ !” આવી સ્તુતિ તે કરી રહી છે. એવામાં આવ્યા એક શેઠ. તેમનું નામ ધનાવહ. પ્રેમની તે મૂર્તિ. દયાને તે ભંડાર. વસુમતીને જોતાં જ તેમનું હૃદય કંપી ઊઠયું. તે વિચારવા લાગ્યાઃ “અહે! આ કઈ ઉંચા કુળની બાળા છે. બિચારી દુઃખની મારી આ પિશાચને હાથ પડી છે એટલે જરૂર કોઈ નીચના હાથમાં સપડાશે. માટે મેં માગી કિસ્મત આપીને હું જ તેને ખરીદી લઉં. મારે ત્યાં રહેશે તે વખતે તેનાં માબાપ મળશે ને બિચારી ઠેકાણે પડશે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ચંદનબાળા આમ વિચારી તેમણે મેં માગી કિસ્મત આપી વસુમતીને ખરીદી લીધી. ધનાવહ શેઠે પૂછ્યું: “અરે બહેન ! તું કોની પુત્રી છે?” વસુમતીને આ સાંભળી અત્યંત દુઃખ થયું. પિતાનાં માતાપિતા નજર આગળ તરવા લાગ્યાં. કયાં ચંપાનગરીની રાજકુંવરી? ક્યાં કૌશામ્બીના રાજયમાગમાં વેચાયેલી દાસી? તે કંઈ જવાબ આપી શકી નહિ. ધનાવહે જાણ્યું કે આ બાળાનું કુળ ખુબ ઉંચું હશે. એટલે તે કહી શકતી નથી. બિચારીને આ સવાલથી ખૂબ દુઃખ થયું જણાય છે. એટલે તેમણે ફરીથી એ સંબંધી કાંઈ પૂછ્યું જ નહિ. ઘેર આવી પિતાની સ્ત્રી મૂળાને કહ્યું “પ્રિયા ! આ આપણી પુત્રી છે, એને બરાબર રાખજે.” મૂળ તેને સારી રીતે રાખવા લાગી. વસુમતી અહીં ઘર ગણીને જ રહેવા લાગી. પિતાનાં મીઠાં વચનોથી ધનાવહ શેઠને તથા બીજાઓને આનંદ આપવા લાગી. એનાં વચને ચંદન જેવાં શીતળ હતાં એટલે શેઠે તેનું નામ પાડયું “ચંદનબાળા.' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #167 -------------------------------------------------------------------------- ________________ ચંદનબાળા ચંદનબાળા બરાબર જવાન થઈ. રૂપાળી તે હતી જ અને જુવાન થઈ એટલે તેનું રૂપ ખૂબ ખીલ્યું. આ જોઈ મૂળા શેઠાણી વિચારવા લાગ્યાઃ “શેઠ આને દીકરી કરીને રાખે છે પણ તેના રૂપથી મોહિત થઈને જરૂર તેને પરણશે. અને જો તેમ થાય તો મારૂં જીવતર ધૂળ મળ્યું.” આવા આવા વિચારોથી મૂળા શેઠાણ ચિંતામાં પડ્યાં. ગ્રીષ્મ ઋતુ આવી છે. માથું ફાડી નાખે તે તાપ પડે છે. ધૂળના ગોટેગોટ ઉડે છે. અંગારા જે પવન ફૂંકાઈ રહ્યો છે. બિચારાં પશુપક્ષીઓ પણ તાપથી ત્રાસ પામી રહ્યાં છે. આવા વખતમાં તાપથી કંટાળીને શેઠ ઘેર આવ્યા. આમતેમ જોયું પણ પગ ધનારા કોઈ નોકર હાજર નહિ. ચંદનબાળા આ વખતે ત્યાં ઉભી હતી. તે સમજી ગઈ. ખૂબ વિનીત હોવાથી જાતે પાણી લાવી પિતાના પગ ધોવા લાગી. પગ જોતાં તેને કાળ ભમ્મર એટલે છૂટી ગયે ને નીચે કાદવમાં પડયો. શેઠે જોયું કે ચંદનાને ચોટલે કાદવમાં પડે છે એટલે તેને લાકડીથી ઊંચે કર્યો ને પ્રેમથી બાંધી લીધે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #168 -------------------------------------------------------------------------- ________________ ચંદનબાળા મૂળા શેઠાણી ખરાખર ગાખે ઉભાં હતાં. તેમણે આ જોયુ. એટલે પેાતાની ધારેલી શકા મજબૂત થઈ. તે વિચારવા લાગ્યાં: “ શેઠે આના બેડા બાંધ્યા એ જ પ્રેમની નિશાની છે. માટે મારે વેળાસર ચેતી જવું. જો આ બાબતને હવે વધવા દઈશ તે મનેજ ભારે પડશે. ” આવે વિચાર કરીને તે નીચે આવી ને શેઠને જમાડયા. ૧૨ શેઠે જમીને થાડા આરામ લીધા અને ફરીથી પાછા બહાર ગયા. આ વખતે મૂળાએ પેાતાનું કામ શરૂ કર્યું. એક હજામને બેાલાવી ચંદનબાળાના સુંદર વાળ કાપી નંખાવ્યા. માથે કરાવ્યો મુંડા. પછી પગમાં નાંખી બેડીઓ ને લઈ ગઈ દૂરના ઓરડામાં. ત્યાં ખૂબ માર માર્યાં ને કમાડ કર્યાં બધ. પછી શું થયું! પછી બધા નાકરાને મેાલાવીને ધમકી આપી કે ખબરદાર ! જો કાઇએ શેઠને વાત કરી તે વાત કર નાર સુએજ સમજજો.' શેઠાણી બધા નાકરાને આવીધમકી આપી પહાંચી ગયાં પિયર. ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #169 -------------------------------------------------------------------------- ________________ ચંદનમાળા ૧૩ સાંજ પડી એટલે શેઠ ધેર આવ્યા. આડુ અવળુ જોયું પણ કયાંય ચંદનાને ન જોઇ. એટલે પૂછ્યું : “ ચંદના કર્યાં છે! ” શેઠાણીની ધાક ભારે હતી. એટલે કાઇએ ઉત્તર આપ્યો નહિ. શેઠે ધાર્યું કે આડી અવળી રમતી હશે. બીજા દિવસે પણ ચંદનાને ન જોઇ. એટલે નાકરે ને ભેગા કરી પછ્યું: “ ચંદના કર્યાં છે ? '' તે વખતે પણ કાઇએ ઉત્તર આપ્યા નહિ. શેઠે ધાર્યું કે કાંઇક આડી અવળી રમતી હશે; પણ ત્રીન્ન દિવસેય ચંદનાને ન જોઇ ત્યારે બહુ ગુસ્સે થયા. તેમણે નાકરાને ધમકાવીને પૂછ્યું; “ અરે ! સાચુ બાલા, ચંદના કર્યાં છે ? જલ્દી કહી દો નહિતર તમને ભારે શિક્ષા કરીશ. ’' ત્યારે એક વૃદ્ધ ડેાશીએ હિમ્મત લાવીને બધી વાત કહી. શેઠને આ સાંભળી પારાવાર દુ:ખ થયુ. તે બેલી ઉઠયાઃ “ અરે બતાવ તે જગા ! ક્યાં છે મારી વહાલી ચંદના ! હતુ દુષ્ટ સ્ત્રી ! આવા કાળા કામા શું સુઝયા !’ "9 પેલી ડાશીએ ઓરડા બતાવ્યા. એટલે શેઠે તેનું બારણું ઉઘાડી નાંખ્યું. જ્યાં જુએ તેા ચંદનાના પગે બેડી તે માથે મુ ંડા. માઢે નવકાર મત્ર ને આંખે ચાધાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૪ રાણું ચેહૂણા વહાણું વાતાં પ્રધાન અભયકુમારને લાવ્યા. અને તેમને આજ્ઞા કરી કે “મારું અંતઃપુર બગડી ગયું છે. માટે તેને બાળી મૂક. ખબરદાર ! માને પ્રેમ વચ્ચે લાવીશ નહિ.” અભયકુમાર કહે, “જેવી પિતાની આજ્ઞા. બરાબર આજ વખતે નગર બહાર બગીચામાં પ્રભુ મહાવીર પધાર્યા. એટલે શ્રેણિક રાજા તેમના દર્શન કરવા ગયા. અભયકુમારે વિચાર્યું “પિતાજી કાંઈક ગુસ્સામાં આવી ગયા છે. નહિતર આ હુકમ ન કરે! મારી બધી માતાઓ સ્વભાવથી જ સતીઓ છે. તેમાં કલંક હોય નહિ. નક્કી પિતાની કાંઈક ગેરસમજ થઈ હશે. માટે સાહસ તે નજ કરવું.' તેણે હાથીખાના પાસેની થોડી ઓરડીઓ સળગાવી અને ગામમાં પડાવી બૂમ: રાજાનું અંતઃપુર સળગ્યું, અંતાપુર સળગ્યું ! શ્રેણિકે પ્રભુને વંદન કર્યું. પછી સવાલ પૂછયે, “પ્રભુ! ચલણને એક પતિ છે કે અનેક?' પ્રભુ કહે, “એક. હે શ્રેણિક ! એ સતી પર કોઈપણ જાતને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #171 -------------------------------------------------------------------------- ________________ ચંદનબાળા આજે પાંચ માસ ને પચીસ દિવસ થયા કૌશામ્બીમાં કોઈ મહાગી ભિક્ષા માટે ફરી રહ્યા છે. માણસે ભિક્ષા આપવા આવે છે પણ તે યેગી ભિક્ષા દેનાર સામું જોઈને જ પાછા ફરે છે ! એમ કેમ? શા માટે ભિક્ષા નહિ લેતા હોય? તેમણે કાંઈક નિશ્ચય કર્યો હોય તેમ જણાય છે કે અમુક પ્રકારની જ ભિક્ષા મળે તો લેવી. " એવો તે શો નિશ્ચય છે? અરે ! બહુ આકરે ! કઈ સતી ને સુંદર રાજકુમારી દાસી બનેલી હોય, પગમાં લેઢાની બેડીઓ હોય, માથે મુડો કરાબે હૈય, ભૂખી હેય, રોતી હોય,એક પગ અંદર ને એક પગ ઊંબરાની બહાર રાખી બેઠી હોય, તેવી સ્ત્રી સુપડાને એક ખુણેથી જે અડદના બાકળા વહોરાવે તેજ ભિક્ષા લેવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ચંદનબાળા અહા ! કેટલો આકારે નિશ્ચય ! નગરમાં રાજરાણું ને સહુ લેક ઈચ્છે છે કે હવે ગીરાજને પારણું થાય તે સારું. તેઓ આજે પણ નગરમાં ભિક્ષા માટે આવેલા છે. ચંદના ઉપર પ્રમાણે વિચાર કરે છે ત્યાં તો ગીરાજ પધાર્યા. તેમણે જોયું તો બધી શરતે બરાબર પણ એક શરત અધુરી. ચંદનાની આંખમાં આંસુ નહિ એટલે તે પાછા ફર્યા. ચંદનબાળાએ જોયું કે અતિથિ આવીને શિક્ષા લીધા વિના પાછા જાય છે એટલે તેને ઘણું જ દુખ થયું. આંખમાં આંસુ લાવીને બોલવા લાગી “કૃપાનાથ! પાછા કેમ જાઓ છો? મારા પર કૃપા કરે ! આ અડદના બાકળા ગ્રહણ કરે ! શું મને આટલે લાભ નહિ મળે?” તે ગીરાજે જોયું કે ચંદનાની આંખમાં આંસુ છે એટલે એમણે પિતાને હાથ લાંબો કર્યો. ચંદનાએ તેમને અડદના બાકળા વહરાવ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #173 -------------------------------------------------------------------------- ________________ ચંદનમાળા આ યોગીરાજ તે કાણું ! મહાયાગી પ્રભુ મહાવીર. ૧૭ આ જ ક્ષણે ચંદનબાળાની બેડીઓ તૂટી ગઈ. માથે સુદર ચોટલા થયેા. કુદરતમાં સધળે આનદ છવાયા. શેઠ લુહારને ઘેરથી પાછા આવ્યા ત્યાં ચંદનબાળાને પહેલાંના જેવી જોઈ ખૂબ હરખાયા. એટલામાં પિયર ગયેલાં મૂળા શેઠાણી ત્યાં આવી પહેચ્યાં. તે આ બધું જોઈ વિચારમાં પડયાં. ચંદનબાળા બંનેને પગે લાગ્યાં. પછી મૂળા માતાને કહેવા લાગ્યાં. “ માતા ! આપને મારા પર મોટા ઉપકાર થયા. ત્રણ જગતના નાથ પ્રભુ મહાવીરને મારે હાથે પારણું થયું. '' નગરના લાંકાને આ વાતની ખબર પડી. એટલે તેમનાં ટાળેટાળાં આવવા લાગ્યાં. રાજારાણી પણ ત્યાં આવ્યાં અને ચંદનબાળાને ધન્યવાદ દેવા લાગ્યાં. સહુ ધન્યવાદના વરસાદ વરસાવે છે ત્યાં એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ચંદનધ્યમાળા, સિપાઈ આવી ચંદનબાળાને પગે પડયે અને રડવા લાગે. સહુએ પૂછયું: “અરેઆનંદના વખતે તું રડે છે કેમ? તે બેઃ “આ તો રાજકુમારી વસુમતી! ચંપાનગરીના રાજા દધિવાહનની ધારિણી રાણીની પુત્રી! કયાં તેને વૈભવને ક્યાં આજની ગુલામી દશા ! હું તેમને સેવક હતો. ચંપા ભાંગી ત્યારે શતાનિક રાજા મને પકડી લાવ્યા અને તેથી મને ખૂબ દુઃખ થયું. પણ આ રાજકુંવરી આગળ મારું દુઃખ શા હિસાબમાં છે?” રાજારાણી આ સાંભળી આશ્ચર્ય પામ્યાં. શતાનિક રાજાની રાણી બેલીઃ “અરે ! ધારિણું તે મારે બહેન થાય! તેની પુત્રી એટલે મારી પુત્રી. ચાલ પુત્રી ! ચાલ ! મારી સાથે રહે ને આનંદ કર!” ચંદનબાળા મૃગાવતી સાથે રાજમહેલમાં ગયાં. પણ ત્યાં વહાલી માતા યાદ આવી. તેની મધુરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #175 -------------------------------------------------------------------------- ________________ ચંદનબાળા વાણી યાદ આવી. “રાજમહેલનાં સુખ તે ચાર દિવસના ચટકાં છે. તેમાં એ શાન્તિ કયાંથી હોય જે જિનેશ્વરના મુખ ઉપર દેખાય છે. અહો! તેમના નામથી દુઃખના દરિયામાં ડૂબેલાને પણ શાંતિ મળે છે. બેટા ! એમનું પવિત્ર નામ કદી વિસરીશ નહિ !” ચંદનબાળા રાજમહેલમાં રહે, પણ તેમનું મન મહાવરનાજ ધ્યાનમાં. ન ત્યાંના ઘરેણું ગાંઠામાં લેભાય, ન ત્યાંના મેવા મીડાઈમાં. ત્યાંના બાગબગીચામાં લેભાય, ન ત્યાંના નેકર ચાકરમાં. એ તે સદાયે મુખમાં વીર ! વીર ! વીર ! તેમને વીરના જીવનનો રંગ લાગ્યો. પણ વીરને હજી કેવળજ્ઞાન થયું નથી. એટલે કેઇને ઉપદેશ દેતા નથી. કોઈને શિષ્ય કરતા નથી. ચંદનબાળા કેવળ જ્ઞાનની રાહ જોતાં પવિત્ર જીવન ગાળવા લાગ્યાં. થોડા વખત પછી પ્રભુ મહાવીરને કેવળજ્ઞાન થયું. એટલે ચંદનબાળાના મનોરથ પૂરા થયા. તેમણે પ્રભુ મહાવીરની આગળ દીક્ષા લીધી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #176 -------------------------------------------------------------------------- ________________ ચંદનબાળા એજ પ્રભુ મહાવીરનાં પહેલાં ને મુખ્ય સાધ્વી. તેમણે આકરાં તપ ક્યાં. દેહ્યલાં સંજમ ધારણ કર્યો. અને એમ કરીને મન, વચન, કાયાને પૂરાં પવિત્ર બનાવ્યાં અનેક રાજરાણીઓ અને બીજી સ્ત્રીઓ તેમની શિષ્યા બની. છત્રીસ હજાર સાધ્વીઓમાં તે વડેરાં બન્યાં. આયુષ્ય પુરુ થતાં મહાસતી ચંદનબાળા નિર્વાણ પામ્યાં. ધન્ય છે તેમનાં શીયળ, તપ અને ત્યાગને ! એમના જેટલા ગુણ ગાઈએ તેટલાં ઓછાં છે. દરેક બહેન ચંદનબાળાના જીવનને સમજે તથા આદરે અને એમની પેઠે પિતાના આત્માનું કલ્યાણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #177 -------------------------------------------------------------------------- ________________ aess sessessessesses બાળ ગ્રન્થાવળી : પ્રથમ શ્રેણું : ૧૦ *8*108** ઇલાચીકુમાર 24919X19 : : લેખક : : ધીરજલાલ ટોકરશી શાહ BES68518% 9A08684222* 8PCB******DAREIBABA0810 19eneroasa 936E8AEBemasaa : સર્વ હક્ક સ્વાધીન : આવૃત્તિ ચોથો ઃ કુલ નકલ ૪૫૦૦ : સં. ૧૯૯૧ મૂલ્ય સવાઆને. maskeexte REBARBERARENKORB Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #178 -------------------------------------------------------------------------- ________________ :: પ્રાણ ઃ ધીરજલાલ ટારશી શાહ કાર્યાં લ ય જ્યા તિ ર્ ત ન પા ળ, અ મ ા વા ૪. આ પુસ્તક મુંબઇ ઇલાકા કેળવણી ખાતા તથા વડેદરા રાજ્ય કેળવણી ખાતા તરફથી ઈનામ લાયબ્રેરી માટે : ; : મંજીર થયું છે. ::: ઃઃ મુદ્રક ઃ ઃ મણિલાલ છગનલાલ શાહુ ધી વીર્ણવજય' પ્રીન્ટીંગ પ્રેસ " સાગરની ખડી, રતનપાળ : અમદાવાદ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #179 -------------------------------------------------------------------------- ________________ ઈલાચીકુમાર # ૧ ઢીંગ ઢીંગ ઢમ ઢીંગ ઢીંગ ઢમ, ઢોલક વાગવા લાગી. પીઈઈઈ પીઈઈઈ પીઈઈ શરણાઈ બોલવા લાગી. ડીવારમાં વાંસ ખડાયા ને તે પર નટનાં દેરડાં બંધાવાં. ૧ એય ભલા ! એય ભલા ! ' કરતાં નટ લેકે તેના ઉપર ખેલ કરવા લાગ્યા. ઈલાવર્ધન નગરના લેકો આ ખેલ જેવા નગરના ચોકમાં ટોળે મળ્યા. આ ચેકના માથે મેટી મનહર મહેલાતો છે. તેને સુંદર ઝરૂખા છે. નાજુક ગોખ છે. તેની ભીંત ને છતે કારીગરીને ભંડાર છે. ધનથી છલકાતે આ , Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #180 -------------------------------------------------------------------------- ________________ ઈલાચીકુમાર ધનદત્ત શેઠ તેમાં રહે છે. તેને એક નવજુવાન દીકરે છે. તેનું નામ ઇલાચી. નટને મેડી નીચે રમતાં જોઈ ગોખમાં ડકિયું કર્યું. ત્યાં શું જોયું ? એક નટે પગે જમૈયા બાંધ્યા છે. બે હાથે વાંસ પકડ છે ને દેરડા પર ચાલી રહ્યો છે. નીચે નટનું ટોળું “ એય ભલા ! એય ભલા !” બોલી રહ્યું છે. એ ટોળામાં એક નવજુવાન કન્યા છે. રૂપ રૂપને તે ભંડાર છે. ઇલાચી તેને જોતાંજ ઠરી ગયે. આ તે દેવી હશે કે અપ્સરા! આવું રૂપ તે મેં કઈ દિવસ જોયું જ નથી. ઈલાચી તેને ધારી ધારી જેવા લાગે. અને મનમાં નક્કી કર્યું કે પરણું તો આ કન્યાને જ પરણું. જમવાને સમય છે પણ ઈલાચી આવે નહિ. ધનદત્ત શેઠ તપાસ કરવા ઊઠયા કે ઇલાચી કયાં છે ? ભાઈ એક ખૂણામાં જેમ તેમ સૂતા છે. મેટું તદ્દન ઊતરી ગયું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #181 -------------------------------------------------------------------------- ________________ ઇલાચીકુમાર ધનવ્રુત્ત શેઠે પૂછ્યું : ‘ ઈલાચી ! છે શું? આજે તું આટલા બધા દિલગીર પ્રેમ ! ' તેણે દિલ ખોલીને વાત કરી ‘પિતાજી ! ગામમાં નટ લાક રમવા આવ્યા છે. તેમને એક જુવાન કન્યા છે. અહા ! શું તેનું રૂપ તે મને પરણાવેા.’ " ધનદત્ત શેઠ કહે : • ગાંડા ! આવી લત તે કર્યાંથી લાગી ? નટડીને તે આપણા ધરમાં ધલાય ? કર્યાં આપણી નાત ! કર્યાં નટની નાત ! આપણી નાતમાં ધણી કન્યાઓ છે. તેમાંથી તું કહે તેને પરણાવું, ’ પિતાના આવા વિચાર સાંભળી ઈલાચી કાંઇ મેલ્યા નહિ. સાંજે ખાધું ન ખાધું ને ઊઠી ગયા. રાતે નટને છાનામાના બેાલાવ્યા અને વાત કરી: ' માગે। તેટલું ધન આપું પણ તમારી કન્યા પરણાવેા. ’ " નટ કહે, અન્નદાતા ! કન્યાને અમે વેચવા નથી લાવ્યા. ધન તે। આજ છે તે કાલ નથી. કાંઈ રતન જેવી દીકરી એમ અપાય ? વળી તમને કન્યા આપીએ તે અમારા કુળને એમ લાગે. ’ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #182 -------------------------------------------------------------------------- ________________ ઈલાચીકુમાર ઇલાચી કહે, “એ કેવી રીતે ? હું તે છું વાણિયે ને તમે છે નટ.” નટ કહે, “ શેઠ ! તમે ગમે તેવા પણ કાયરની જાત. ને અમે ગમે તેવા પણ સાહસિક. સાહસિકની કન્યા કાયરને ન મળે.' ઇલાચી કહે, “ કઈ પણ રીતે તમારી કન્યા મને પરણા ખરા ?” નટે કહ્યું: “હા. એક રીત છે. તમે પણ અમારા જેવા નટ બને. અને અમારી વિઘામાં કુશળ થાઓ. પછી ખેલ કરીને કોઈ રાજાને રીઝે. તે જે ભેટ આપે તેનાથી અમારી નાતને જમાડે તે અમારી કન્યા આપીએ.’ ઈલાચી કહે, “ કબૂલ ! કબૂલ ! હું તે પ્રમાણે કરીશ ને તમારી કન્યા પરણીશ.' રાત પડી. સહુ જીવજંત જંપી ગયાં. સઘળું સુરસુનાકાર થઈ ગયું. ઈલાચી એ વખતે ઊયો. કપડાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #183 -------------------------------------------------------------------------- ________________ ઈલાચીકુમાર પહેરીને તૈયાર થયે. નથી કે જાગતું કે નથી કોઈ સમસળતું. જયાં જવા માટે ડગલું ભર્યું ત્યાં માબાપ યાદ આવ્યાં “અહા ! વહાલી માતા ! પ્રેમાળ પિતા ! તે જાણશે કે ઈલાચી નાશી ગયે છે તે તેમને કેવું દુઃખ થશે? માટે આવી રીતે ચાલ્યા તે ન જવું.” તે પાછો ફર્યો. ત્યાં તે દિવસે જોયેલી નટકન્યા યાદ આવી. “અહો કેવું રૂપ! ગમે તેમ થાય પણ આ કન્યાને તે પરણું. માબાપને થોડા દિવસ દુઃખ તે થશે. પણ પછી બધું વિસરી જશે. ચાલ જઈને નટ લેકેને મળું?” આમ વિચારી ઈલાચી ચાલવા મંડ. નટના ટોળાને જઈ મળે. નટલેક વહેલા ઊઠી એ નગરમાંથી ચાલ્યા ગયા. ઈલાચીએ બધે પિશાક બદલી નાંખે. મલમલના કડકડતા અંગરખાની જગાએ ગાજીનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #184 -------------------------------------------------------------------------- ________________ ઈલાચીકુમાર જાડું લફ કેડિયું પહેર્યું. રેશમી ધેતિયાને બદલે જાડો મજાને ચરણે પહેર્યો. માથેથી મૂલવંતી પાઘડી ઊતારી મેટું બધું ફીંડલ વીંટયું. ગળામાં નટ લેક જેવી માળા પહેરી. ગઈ કાલનો કોઠાધિપતિને પુત્ર આજે બરાબર નટ બની ગયે. તેણે ધીમે ધીમે નટવિદ્યા શિખવા માંડી. ઊંધી ને ચત્તી ગુલાટો ખાવી. એકપગે કુદકા મારવા ને પગે વાંસ બાંધીને ચાલવું. આ કાંઈ જેવું તેવું કામ નહિ! પણ ઈલાચીના દિલમાં કામ શીખવાનો ભારે ઉમંગ છે. એટલે એક વરસમાં એ બધું શીખી ગયે. પછી શીખે દેરડાની રમત. કેવી સુંદર ! કેવી અદ્દભુત કોઈ પણ જાતના ટેકા સિવાય દેરડા પર ચાલ્યા જવું ને મોટા મોટા કૂદકા મારવા ! પગે શીંગડા કે જમૈયા બાંધીને રડા પર ચાલ્યા જવું. ત્યાર બાદ જનાવરોને લડાવવાની તથા બીજી પણ ઘણી રમતો શીખે. ગામે ગામ તે નટ લેકે સાથે ફરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #185 -------------------------------------------------------------------------- ________________ ઈલાચીકુમાર ને પિતાની કળા બતાવે છે. પેલી નટકન્યા પણ સાથે જ છે. ઈલાચીને તેના પર અપાર પ્રેમ છે. જાણે જળ ને માછલી ! ચાતક ને મેહ ! એને જોયા વિના ઘડી ચેન પડતું નથીનટકન્યાને પણ તેના પર અપાર પ્રેમ થ છે. જેણે પિતાને માટે ઘરબાર છોડયાં, માતાપિતા છોડયાં, ધન વૈભવ છોડયા, તેના પર પ્રેમ કેમ ન થાય ? પણ હજી તેમનાં લગ્ન થયાં નથી. થાય તેમ નથી. ઇલાચી જ્યારે કેઈ રાજાને રીઝવી નાત જમાડે ત્યારે જ લગ્ન થઈ શકે એમ છે! આ વાતને બાર બાર વર્ષનાં વહાણાં વીતી ગયાં. હવે ઈલાચીકુમાર રાજાને રીઝવી શકે એવી નટવિદ્યા શીખી ગયું છે. તેણે વિચાર કર્યો કે “લાવ, હવે બેનાતટ નગર જાઉં ને ત્યાંના રાજાને રીઝવું.” અને બધા નટે ગામનગર વટાવતા બેનાતટ નગરે ગયા. : ૫: ઈલાચીએ રાજાની મુલાકાત લીધી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #186 -------------------------------------------------------------------------- ________________ ઈલાચીકુમાર રાજા કહે, “પધારે નાયક ! તમને જોઈ બહુ આનંદ થયે. અહીં તમારી બધી વિદ્યા બતાવો. જો અમારું મન રીઝવશો તે તમને મોટું ઈનામ આપીશ.” દરબારગઢના ચોકમાં ઈલાચીએ ખેલની તૈયારી કરવા માંડી. પ્રથમ જમીન સાફસૂફ કરી ને પછી ખેડયા વાસ. તેના પર દોરડાં બાંધ્યાં. ચિકની ચારે બાજુ કનાત બંધાણી ને બેઠક ગોઠવાણી. તેમાં રાજા બેઠા, દીવાન બેઠા; શાહુકાર ને શ્રીમંત બેઠા. અધિકારીઓ પણ બધા એકઠા થયા. શું શેઠ, શું નકર ! શું નાનો, શું મોટો ! શહેર આખું ખેલ જોવા ભેગું થયું. રાજાની બધી રાણીઓ ઉપર ગોખમાં બેસી ગઇ. ઇલાચીના દિલમાં ઉમંગને પાર નથી. બાર બાર વર્ષ સુધી કરેલાં આકરાં તપ આજે જરૂર ફળશે એ તેને દૃઢ વિશ્વાસ છે. તેણે સુંદર પિોશાક ધારણ કર્યો. ઇષ્ટદેવનું સ્મરણ કર્યું. પછી ચોકની વચ્ચે આવી પિતાને ખેલ શરૂ કેવી રીતે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #187 -------------------------------------------------------------------------- ________________ ઈલાચીકુમાર તે દેરડા ઉપર ચઢ. પછી પગે પહેરી પાવડી. પછી એક હાથમાં લીધી ઢાલ ને બીજા હાથમાં લીધી તરવાર, અને દોરડા પર ચાલવા માંડયું. થોડું ચાલીને અવળે ફરી ગયે. લેકે અંદર અંદર બોલવા લાગ્યાઃ “વાહવાહ ! વાહવાહ ! કે સુંદર ખેલ છે ને !” - ઈલાચીએ બીજો ખેલ શરૂ કર્યો. પિતાના માથે એક પછી એક એમ સાત બેડાંની હેલ ચડાવી. પછી વાંસની ઘડી પર લાભે વાંસ બાવ્યો અને તે ઉપર ચડશે. ટોચે પહોંચી તેને હલાવવા લાગે. વાંસ આમ ડોલે તેમ ડેલે પણ ઈલાચીના માથા પર બેડું આબાદ ! લેક આ જોઈ આશ્ચર્ય પામી ગયા. રાજા હમણાં ઈનામ આપશે, હમણાં ઇનામ આપશે એવી રાહ જોવા લાગ્યા. પણ રાજા કંઇ બોલે નહિ ! ઈલાચીએ ત્રીજો ખેલ શરૂ કર્યો. પગે બાંધી કટારે અને તે કટારની અણીભેર દોરડા પર ચાલવા લાગ્યો. લેકે આ જોઈ રાજી રાજી થઈ ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ઈલાચીકુમાર પણ રાજા ન બેલે ઉં કે ન બેલે ચું. કેમ વારૂ? શું આવા ખેલ રાજાને પસંદ નહિ પડતા હૈ ? - ના રે ! ના. રાજા તો આ વખતે બીજો વિચાર કરે છે. તેણે નીચે ઊભેલી પેલી નટકન્યાને જોઇ છે. તેના રૂપમાં મેહી પડે છે. તે એમ વિચાર કરે છે કે આ નટ જે દોરડા પરથી પડે ને મરી જાય તો આ કન્યાને પરણી શકાય. માટે કરવા દે ને ખેલ. એમ કરતાં જોઈએ પડે છે અને મરે છે ! નટકન્યા નીચે ઊભી વિચાર કરે છેઃ “અહો ઈલાચીએ મારા માટે માતાપિતાને છેડ્યાં. રિદ્ધિસિદ્ધિ છેડી. પિતાને હાથે અનેકને દાન દેતે તે આજે દાન લેવા હાથ લાંબો કરે છે. હવે રાજા પ્રસન્ન થઈને એને ઈનામ આપે તો સારું. મારા પિતા તેની સાથે જલદી મારાં લગ્ન કરે અને હું તેની સાથે સુખમાં રહી દિવસો પસાર કરું.” ઈલાચી દોરડા પરથી નીચે ઊતરી રાજાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat - WWW.umaragyanbhandar.com. Page #189 -------------------------------------------------------------------------- ________________ ઈલાચીકુમાર પગે લાગ્યું. રાજા કહેઃ “નટરાજ ! તમે બહુ ચતુર છે, પણ મેં તમારે ખેલ જે નથી. મારું મન રાજકાજના વિચારમાં રોકાયું હતું. - ઇલાચી ફરીથી ખેલ કરવા મંડ. નટ લેકે જોરથી પિતાના ઢેલ વગાડવા લાગ્યા. “એય ભલા! એય ભલા !” કહી તેને શૂર ચડાવવા લાગ્યા. ઈલાચીએ અદ્દભુત ખેલ કર્યો. પછી નીચે ઊતરી રાજાને સલામ ભરી. રાજાએ કહ્યું “નાયક ! તમે ખેલ કરવા માંડશે ને હું જરા વાતે વળગે. તમારો ખેલ જોવા નહિ. પરી ખેલ કરે. આ વખતે ધ્યાનથી જોઈશ.” ઈલાચી ત્રીજી વખત ખેલ કરવા લાગે. પણ રાજા પ્રસન્ન થયે નહિ. રાજાના પેટમાં પાપ હતું કે આ કોઈ રીતે મરે છે એટલે તે શેને વખાણે? ઈલાચી નિરાશ થયા. આ જોઈ નટડીએ કહ્યું: “ઈલાચી ! નિરાશ ન થાઓ. થોડા સારું બધું બગાડશે નહિ. એક વખત ફરીથી ખેલ કરીને રાજાને પ્રસન્ન કરે, નહિતર આપણાં લગ્ન નહિ થાય.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #190 -------------------------------------------------------------------------- ________________ ઇલાચીકુમાર ઈલાચી ચાથી વાર દારડે ચડયા. અજાયબી પમાડે તેવા ખેલ કર્યા છતાંયે રાગ્ન રીઝયા નહિ! ૧૪ બધા માણસાને વહેમ પડયા કે રાજાના પેટમાં કાંઇક પાપ છે. પટરાણીને પણ વહેમ પડયા કે જરૂર રાજાના મનમાં કાંઇક દગા છે. ઇલાચીની નિરાશાના પાર રહ્યો નહિ. નટડી આ જોઈ બેલીઃ ઇલાચી ! હૅવે એક વખત ખેલ કરો. કિનારે આવેલુ વહાણ ડૂબાવશે। નહિ. મારી ખાતર પણ એક વખત ખેલ કરી. ’ ઈલાચીએ પાંચમી વખત ખેલ શરૂ કર્યાં. તે વાંસની ટાસે જઇને ઊભે. આ વખતે તેણે એક બનાવ જોયા. એક ધરના બારણે રૂપરૂપના અબાર જેવી એક બાઇ હાથમાં રૂપાના થાળ લઇને ઊભી છે. માંહી ભરી છે મીઠાઇ ને બીજી સુંદર વસ્તુએ. તે આગ્રહુ કરી કરીને એક મુનિરાજને વહેરાવે છે. પણ મુનિરાજ તે લેતા નથી, તેમ પેાતાની આંખ પણ ઊંચી કરતા નથી. ધન્ય આ એઇ ઇલાચીને વિચાર આવ્યાઃ અહા ! મુનિને ! જોખન વય છે, છે આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #191 -------------------------------------------------------------------------- ________________ ઇલાચીકુમાર ૧૫ આગળ આટલી રૂપવતી સ્ત્રી ઊભી છે પણ તેમનું રુવાડું' પણ ફરકતું નથી. અને હું! હું તા એક નટડીને કાજે ધરબાર, ધર્મ ધ્યાન બધુ છેડીને દેશદેશાવર ભટકું છું. પેલા મુનિરાજને એ સ્ત્રી આગ્રહ કરી કરીને વહેરાવે છે પણ એ લેતા નથી. અને હું દાન લેવાને માટે જીવના જોખમે આ વાંસ પર ચડીને ખેલ કરું છું. અને તેમ છતાં યે દાન મળતું નથી.' ' • ખરેખર ! આ માહુમાં ફસાઇ મે મારા અમૂલ્ય વખત નકામા ગાળ્યા. હુવે તા હું પણ એ સાધુરાજ જેવા થાઉં, અને એમના જીવનના આનંદ અનુભવું. ’ આવા વિચારે કરતાં કરતાં ઈલાચીના મનની પવિત્રતા એકદમ વધી ગઇ. અને તેને યાંજ જગતનું સાચું જ્ઞાન–કેવળજ્ઞાન થયું. અહીં નટકન્યા પણ વિચારવા લાગી; ‘બન્યુ આ રૂપ ! આ રૂપને માહી ઇલાચીએ ધરબાર ઢાડયાં અને આટલાં દુઃખ ભાગમાં. વળી આ રાજાને પણ અવળી મતિ સૂઝી. હા ! આ જીવે જન્મીને શું સારુ કર્યું ? હવે કયાં સુધી આવું જીવન જીવવું ? ચાલ હવે તે। મન, વચન ને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ઇલાચીકુમાર કાયાને છતી મારા આત્માનું કલ્યાણુ કરું. ' આવા વિચારો કરતાં તેને પણ કેવળજ્ઞાન થયું. રાજારાણીએ આ તેના જીવનમાં એકાએક ફેરફાર જોયા. અને તેમને પણ પોતપાતાના જીવન સ ંબંધી વિચાર। આવ્યા. તે વિચારાથી હૃદય તદ્દન પવિત્ર થતાં તેમને પણ કેવળજ્ઞાન થયું. આ ચારે . કેવળજ્ઞાનીઓ લાંબા વખત સુધી આ દુનિયા પર ફર્યાં. તે દરમ્યાન તેમના પવિત્ર જીવનની ધણા ઉપર અસર થઇ. તેમના અમૃત શા ઉપદેશથી ધણાનાં જીવન પલટાઈ ગયાં. પેાતાનું આયુષ્ય પૂરું થતાં તે ખધા નિર્વાણ પામ્યા. ધન્ય છે ઇલાચી જેવા સાહસિક નરવીરાને ! शिवमस्तु सर्वजगतः ॥ દરેક શાળા, પાઠશાળા તથા કુટુ બે માહક થવા ચાગ્ય માસિક જૈન શિક્ષણપત્રિકા તંત્રી : ધીરજલાલ ટાકરશી શાહ. વાર્ષિક લવાજમ ફક્ત રૂા. ૧). આજેજ ગ્રાહક અનેા. ચૈાતિ કાર્યાલય, રતનપાળ : અમદાવાદ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #193 -------------------------------------------------------------------------- ________________ માળ થાવળી :: આવૃત્તિ ચાથી પ્રથમ શ્રેણી :: 000 જંબુસ્વામી ... લેખક ધીરજલાલ ટોકરશી શાહ ' સર્વ હક્ક સ્વાધીન પ્રત ૧૨૫૦ મૂલ્ય સવા આના. .... Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat માર ૧૧ સંવત ૧૯૯૧ www.umaragyanbhandar.com Page #194 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક છે. ધીરજલાલ ટોકરશી શાહ જાતિ કાર્યાલય નગરશેઠ મારકીટ, રતનપોળ, અ મ દા વા દ. આ પુસ્તક મુંબઈ ઇલાકા કેળવણીખાતા તથા વડોદરા રાજ્ય કેળવણીખાતા તરફથી ઇનામ-લાઈબ્રેરી માટે મંજુર થયેલું છે. તેમજ જેન વે એજ્યુકેશનલ બેડની ધાર્મિક પરીક્ષાના બાળ ધોરણ પ્રથમ તથા કન્યા ધોરણ પ્રથમમાં પાઠયપુસ્તક તરીકે સ્વીકારાયેલું છે. ધી, ટે શાહ, , મુદ્રકમણિલાલ છગનલાલ શાહ. મુદ્રણસ્થાન વીરવિજય પ્રી. પ્રેસ કાળુપુર ટંકશાળ • અમદાવાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #195 -------------------------------------------------------------------------- ________________ જંબુસ્વામી. : ૧ : સેળ વરસને કેલેએ કુંવર છે. તેમની હિંડોળા ખાટે બેઠે છે. હાથમાં હીરની દેરી છે. કડાક કલાક હિંચકા ખાય છે. એનું નામ જબુ. કોડાધિપતિ ગષભદત્તને તે પુત્ર છે. તેની માતાનું નામ ધારિણી. એકને એક પુત્ર છે. મોટી ઉમ્મરે થયેલ છે એટલે લાડકેડમાં બાકી રાખી નથી. શહેરની સારામાં સારી આઠ કન્યાઓ સાથે ચેડા વખત પહેલાં જ તેનું સગપણ થયું છે. એવામાં ત્યાં વનપાળે આવી વધામણી ખાધી. શેઠજી! સુધર્માસ્વામી વૈભારગિરિ ઉપર પધાર્યા છે.” સમતાના સરેવર ને જ્ઞાનના સાગર ગુરરાજની પધરામણીથી કેને આનંદ ન થાય? જંબુકુમારનું હૈયું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #196 -------------------------------------------------------------------------- ________________ જંબુસ્વામી હરખે ઊભરાયું. હિંડાળા બધ રાખ્યો. ગુરુ આવ્યાની વધામણી બદલ ગળામાંથી મેાતીની કંઠી કાઢી વનપાળને આપી. વનપાળ રાજી થઈ ચાલ્યા ગયા. જંબુકુમાર માલ્યા “સારથિ! સારથિ ! થ જોડ! વૈરારગિરિ પર ગુરુરાજ પધાર્યાં છે. તેમના દર્શને જવું છે. ક કાતરણીવાળા સુંદર રથ જોડાયા. તેમાં બેસી જંબુકુમાર વૈભારગિર તર ચાલ્યા. તે રાજગૃહીની તદ્દન નજીક એટલે થાડા વખતમાં ત્યાં પહેાંચ્યા. સુધર્માંસ્વામી પ્રભુ મહાવીરના ગણધર. આખા જૈન સધના તે વખતના નેતા. એમના ઉપદેશમાં અમૃતના વરસાદ સિવાય ખી` શુ` ઢાય ? જંબુકુમાર એમને વંદન કરી ઉપદેશ સાંભળવા લાગ્યા. જેમ જેમ ઉપદેશ સાંભળતા ગયા તેમ તેમ મન પલટાવા લાગ્યું. ઉપદેશ પૂરા થતાં તે જંબુકુમારનું હૈયું વૈરાગ્યથી ભરાઇ ગયું. તે હાથ જોડીને બોલ્યા : પ્રભા ! મારે દીક્ષા લેવી છે. માતાપિતાની રજા લઇને આવું ત્યાં સુધી શકાવા કૃપા કરો.'' સુધર્માંસ્વામીએ તે સ્વીકાર્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #197 -------------------------------------------------------------------------- ________________ જંબુસ્વામી રથમાં બેસી જ બુકુમાર પાછા પૂર્યાં. જ્યાં નગરના દરવાજા પાસે આવ્યા ત્યાં લશ્કરની ઠઠ. હાથી, ઘેાડા ને પાયદલના પાર નહિ. આવી ભીડમાં તે શે જવાય ? આટલું લશ્કર પસાર થાય ત્યાં સુધી અહીં થાભાય પણ કેમ? એટલે તે બીજા દરવાજે ચાલ્યા. બીજા દરવાજાની પાસે આવ્યા ત્યાં તા એક જબરદસ્ત લાઢાના ગાળેા ધબ લઇને પગ પાસે પડયો. સિપાઈ એ લડાઇની તાલીમ લેતા હતા, ત્યાંથી ગાળા આવ્યા હતા. આ જોઇ જંબુકુમાર વિચારવા લાગ્યા : “ અહા ! આ લોઢાના ગાળા મારા પર પડા હૈાત તા શી વલે થાત ? આવા અપવિત્ર શરીરેજ હું હમણાં મરણ પામત, માટે ચાલ અત્યારેજ ગુરુ આગળ જઇ પ્રતિજ્ઞા લઈ આવું. '' તે સુધર્મારવામી આગળ આવ્યા. હાથ જોડીને બાલ્યા : “ સ્વામી ! જીવું ત્યાં સુધી બ્રહ્મચર્ય પાળવાનું વ્રત આપે ! ” સુધર્મારવામીએ વ્રત આપ્યું. ܕܕ આ વ્રત લઇ મનમાં હરખ પામતા જ બુકુમાર ધર આવ્યા. માતાપિતા આગળ દીક્ષા લેવાની રજા માગી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #198 -------------------------------------------------------------------------- ________________ જંબુસ્વામી માબાપ બેલ્યાઃ “બેટા ચારિત્ર લેવું ખૂબ દેહ્યલું છે. વ્રત ખાંડાની ધાર જેવું છે. તું તે હજી બાળારાજા કહેવાય. તારાથી સાધુનાં આકરાં વ્રત કેમ પળાશે? વળી તારા વિના અમને ઘડીયે ગોઠે નહિ.” જંબુકુમાર બેલ્યા: “પૂજ્ય માતાપિતા ! ચારિત્ર બહુ દેહ્યલું છે એ વાત ખરી. પણ તેનાથી તે કાયરજ ડરે. હું તમારી કૂખે જન છું. વ્રત લઈને જીવ જતાં પણ ભાંગીશ નહિ. આપનું હેત મારા પર અપાર છે. એટલે મારા વિના આપને નજ ગોઠે. પણ એવા વિજોગનું દુઃખ સહન કર્યા વિના છૂટકો નથી. માટે મને રાજી થઇને આજ્ઞા આપ ” માબાપ કહે, “પુત્ર ! જે તને સંજમ લેવાની ખૂબ ઈચ્છા હોય તે પણ અમારું માન રાખ. અમે પણ તારા વડીલે છીએ. તારા માટે જે કન્યાએ અમે સ્વીકારી છે તેની સાથે લગ્ન કર. પછી તારી ઇચ્છા હોય તે સુખેથી દીક્ષા લેજે.” જંબુકુમારે કહ્યું: “આપની આજ્ઞા હું માથે ચડાવીશ. પણ પછી મને દીક્ષાથી આપ રેકશે નહિ.” માબાપે કહ્યું : “બહુ સારુ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #199 -------------------------------------------------------------------------- ________________ જજીસ્વામી G :૨: ઋષભદત્તે આઠે કન્યાઓના પિતાને બેાલાવ્યા. અને કહ્યું: '' અમારા જંબુ પરણીને તરત દીક્ષા લેવાના છે. એ પરણે છે તે પણ અમારા આગ્રહથીજ. માટે આપને જે કાંઈ વિચાર કરવા હાય તે કરા ! પાછળથી અમને કાંઇ કહેશો નહિ. પેાતાના પિતાને વિચારમાં પડેલા જોઇ તે કન્યાએએ કહ્યું: “ પિતાજી ! આપને ચિંતા કરવાની કંઈ જરૂર નથી. અમે તે જબુકુમારને વરી ચૂકી છીએ. હવે જેમ તે કરશે તેમ અમે પણ કરીશું. ’ કન્યાઆના આવો નિશ્ચય થયા એટલે સાત દિવસની વરધે લગ્ન છપાયાં. જંબુકુમારના વિવાહમાં થી મા હૈાય ? વિશાળ મંડપ બંધાયા. તેને અનેકજાતનાં ચિત્રા ને તારણ વગેરેથી શણગાર્યો. સાતમે દિવસ જંબુકુમાર ત્યાં ખૂબ ધામધૂમથી આઠે કન્યાઓને પરણ્યા. રાજગૃહી નગરીમાં આટલા ઠાઠથી ખીજા' લગ્ન બહુ ઓછાં થયાં હશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #200 -------------------------------------------------------------------------- ________________ જ બુસ્વામી પરણ્યાની પહેલી જ રાત. જંબુકુમાર પિતાની પત્નીઓ સાથે રંગશાળા (સુવાને એરડે) માં ગયા. રંગશાળાને ભપકે કીધે કહેવાય નહિ! ભલભલાના તે ચિત્ત ચળાવી દે ! શું ત્યાંનાં ચિત્ર ! શું ત્યાંની મેજશોખની સામગ્રી: જુવાન વય, રાત્રિની એકાંત ને પિતાની પરણેલી જુવાન પત્નીઓ પાસે ! પણ જબુકમારનું ચિત્ત ચળતું નથી ! ૩ : રાજગૃહીથી થોડે છે. એક માટે વડલે છે. ઘનઘેર તેની છાયા છે. વડવાઈને ત્યાં પાર નથી. તેની છાયામાં બરાબર સાંજ પડતાં એક પછી એક માણસે આવવા લાગ્યાં. બધાએ બુકાનીઓ બાંધેલી. શરીર પર રાખોડી રંગનાં કપડાં ઓઢેલાં. આ બધામાં કદાવર કાયાને એક જુવાન. કરડી તેની આંખે. વિકરાળ તેનું મેં. બધા માણસો ભેગા થયા એટલે તે બે “સ્તો ! આજ સુધી આપણે ઘણી ચોરી કરી છે. છતાં જોઈએ તેટલા ફાવ્યા નથી. પણ આજ જબ્બર લાગ મળે છે. ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #201 -------------------------------------------------------------------------- ________________ જભુસ્વામી : 2: ઋષભદત્તે આઠે કન્યાના પિતાને બેાલાવ્યા. અને કહ્યું: '' અમારો જંબુ પરણીને તરત દીક્ષા લેવાના છે. એ પરણે છે તે પણ અમારા આગ્રહથીજ, માટે આપને જે કાંઈ વિચાર કરવા ઢાય તે કરા ! પાછળથી અમને કાંઇ કહેશે નહિ. ” ' પેાતાના પિતાને વિચારમાં પડેલા જોઇ તે કન્યાઆએ કહ્યું: “ પિતાજી ! આપને ચિંતા કરવાની કંઈ જરૂર નથી. અમે તે જંબુકુમારને વરી ચૂકી છીએ. હવે જેમ તે કરશે તેમ અમે પણ કરીશું. ” કન્યાઓના આવો નિશ્ચય થયા એટલે સાત દિવસની વરધે લગ્ન છપાયાં. જબુકુમારના વિવાહમાંથી મણા હૈાય ? વિશાળ મંડપ બંધાયા. તેને અનેકજાતનાં ચિત્રા ને તારણ વગેરેથી શણગાર્યોં. સાતમે દિવસ જંબુકુમાર ત્યાં ખૂબ ધામધૂમથી આઠે કન્યાઓને પરણ્યા. રાજગૃહી નગરીમાં આટલા ઠાઠથી ખીજાં લગ્ન મહુ આછાં થયાં હશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #202 -------------------------------------------------------------------------- ________________ જંબુસવામી માબાપ બોલ્યા: “બેટા ચારિત્ર લેવું ખૂબ દેલું છે. વ્રત ખાંડાની ધાર જવું છે. તું તે હજી બાળારાજા કહેવાય. તારાથી સાધુનાં આકરાં વ્રતો કેમ પળાશે? વળી તારા વિના અમને ઘડીયે ગઠે નહિ.” જંબુકુમાર બોલ્યા: “પૂજય માતાપિતા! ચારિત્ર બહુ દેહલું છે એ વાત ખરી. પણ તેનાથી તે કાયરજ ડરે. હું તમારી કૂખે જનમ્યો છું. વ્રત લઈને જીવ જતાં પણ ભાંગીશ નહિ. આપનું હેત મારા પર અપાર છે. એટલે મારા વિના આપને નજ ઠે. પણ એવા વિજેગનું દુઃખ સહન ર્યા વિના છૂટકે નથી. માટે મને રાજી થઈને આજ્ઞા આપ ” માબાપ કહે, “પુત્ર ! જે તને સંજમ લેવાની ખૂબ ઈચછા હોય તો પણ અમારું માન રાખ. અમે પણ તારા વડીલે છીએ. તારા માટે જે કન્યાએ અમે સ્વીકારી છે તેની સાથે લગ્ન કર. પછી તારી ઇચ્છા હોય તે સુખેથી દીક્ષા લેજે.” જંબુકુમારે કહ્યું: “આપની આજ્ઞા હું માથે ચડાવીશ. પણ પછી મને દીક્ષાથી આપ રોકશો નહિ.” માબાપે કહ્યું : “બહુ સાર.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #203 -------------------------------------------------------------------------- ________________ જજીસ્વામી રથમાં બેસી જ બુકુમાર પાછા પૂર્યાં. જ્યાં નગરના દરવાજા પાસે આવ્યા ત્યાં લશ્કરનીઠઠ. હાથી, ઘેાડા ને પાયદલના પાર નહિ. આવી ભીડમાં તે શે જવાય ? આટલું લશ્કર પસાર થાય ત્યાં સુધી અહીં ચાલાય પણ કેમ? એટલે તે ખીજા દરવાજે ચાલ્યા. બીજા દરવાજાની પાસે આવ્યા ત્યાં તે એક જબરદસ્ત લાઢાના ગાળા ધખ લઇને પગ પાસે પડયો. સિપાઈએ લડાઇની તાલીમ લેતા હતા, ત્યાંથી ગાળા આવ્યા હતા. આ જોઇ જ બુકુમાર વિચારવા લાગ્યા : ‘ અહેા ! આ લેાઢાના ગાળા મારા પર પડા હૈાત શી વલે થાત ? આવા અપવિત્ર શરીરેજ હું હમણાં મરણ પામત, માટે ચાલ અત્યારેજ ગુરુ આગળ જઇ પ્રતિજ્ઞા લઈ આવું. }} તે સુધર્માંરવામી આગળ આવ્યા. હાથ જોડીને બાલ્યા : “ સ્વામી ! જીવું ત્યાં સુધી બ્રહ્મચર્ય પાળવાનું વ્રત આપે ! ” સુધર્માવામીએ વ્રત આપ્યું. આ વ્રત લઇ મનમાં હરખ પામતા જ બુમાર ધર આવ્યા. માતાપિતા આગળ દીક્ષા લેવાની રજા માગી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #204 -------------------------------------------------------------------------- ________________ જંબુસ્વામી હરખે ઊભરાયું. હિંડોળે બંધ રાખે. ગુરુ આવ્યાની વધામણી બદલ ગળામાંથી મોતીની કંઠી કાઢી વનપાળને આપી. વનપાળ રાજી થઈ ચાલ્યા ગયે. જંબુમાર બેલ્યાઃ “સારથિ! સારથિ ! રથ જોડા વૈરારગિરિ પર ગુરુરાજ પધાર્યા છે. તેમના દર્શને જવું છે. ” કોતરણીવાળો સુંદર રથે જોડાયે. તેમાં બેસી જંબુમાર વૈભારગિરિ તરફ ચાલ્યા. તે રાજગૃહીની તદ્દન નજીક એટલે થોડા વખતમાં ત્યાં પહોંચ્યા. સુધર્માસ્વામી પ્રભુ મહાવીરના ગણધર. આખા જૈન સંઘના તે વખતના નેતા. એમના ઉપદેશમાં અમૃતના વરસાદ સિવાય બીજું શું હોય? જંબુકમાર એમને વંદન કરી ઉપદેશ સાંભળવા લાગ્યા. જેમ જેમ ઉપદેશ સાંભળતા ગયા તેમ તેમ મન પલટાવા લાગ્યું. ઉપદેશ પૂરો થતાં તે જંબુકુમારનું હૈયું વૈરાગ્યથી ભરાઈ ગયું. તે હાથ જોડીને બોલ્યા : ૮ પ્રભો ! મારે દીક્ષા લેવી છે. માતાપિતાની રજા લઈને આવું ત્યાં સુધી કાવા કૃપા કરે.” સુધર્માસ્વામીએ તે સ્વીકાર્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #205 -------------------------------------------------------------------------- ________________ જંબુસ્વામી. : ૧ : સોળ વરસને કેલૈ કુંવર છે. હેમની હિંડોળા ખાટે બેઠે છે. હાથમાં હીરની દેરી છે. કડાક કડાક હિંચકા ખાય છે. એનું નામ જ બુ. ક્રોડાધિપતિ ગષભદત્તને તે પુત્ર છે. તેની માતાનું નામ ધારિણી. એકને એક પુત્ર છે. મોટી ઉમ્મરે થયેલ છે એટલે લાડકોડમાં બાકી રાખી નથી. શહેરની સારામાં સારી આઠ કન્યાઓ સાથે ચેડા વખત પહેલાં જ તેનું સગપણ થયું છે. એવામાં ત્યાં વનપાળે આવી વધામણું ખાધી. શેઠજી સુધર્માસ્વામી વૈભારગિરિ ઉપર પધાર્યા છે.” સમતાના સરોવર ને જ્ઞાનના સાગર ગુરુરાજની પધરામણીથી કોને આનંદ ન થાય? જંબુકુમારનું હૈયું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #206 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : ધીરજલાલ ટાકરશી શાહ ન્યુતિ કાર્યાલય નગરશેઠ મારકીટ, રતનપેાળ, અમ ા વા . આ પુસ્તક મુંબઈ ઇલાકા કેળવણીખાતા તથા વડોદરા રાજ્ય કેળવણીખાતા તરફથી ઇનામલાઇબ્રેરી માટે મંજુર થયેલું છે. તેમજ જૈન શ્વે એજ્યુકેશનલ મેડ ની ધાર્મિક પરીક્ષાના આળ ધારણ પ્રથમ તથા કન્યા ધારણ પ્રથમમાં પાઠયપુસ્તક તરીકે સ્વીકારાયેલું છે, શ્રી. ટશ શાહ મુદ્રક, મણિલાલ છગનલાલ શાહ, મુદ્રણસ્થાન વીરવિજય પ્રી. પ્રેસ કાળુપુર ટંકશાળ અે. અમદાવાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #207 -------------------------------------------------------------------------- ________________ - - ©©©©©©©©©©A છે. બાળગ્રંથાવલી : પ્રથમ શ્રેણી :: ૧૧ - - - જંબુસ્વામી :લેખક . ધીરજલાલ ટેકરશી શાહ Gooooooooooooooooooook: A ©©©©©©©©©©©©©©© S સર્વ હક્ક સ્વાધીન to-ooooooo સંવત ૧૯૯૧ છે આવૃત્તિ ચોથી પ્રત ૧૨૫૦ મૂલ્ય સવા આને. . આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ઇલાચીકુમાર: " કાયાને જીતી મારા આત્માનું કલ્યાણ કર્યું. ' આવા વિચારા કરતાં તેને પણ દેવળજ્ઞાન થયું. રાજારાણીએ આ બંનેના જીવનમાં એકાએક ફેરફાર જોયા. અને તેમને પણ પોતપાતાના જીવન સંબંધી વિચાર આવ્યા. તે વિચારાથી હૃદય તદ્દન પવિત્ર થતાં તેમને પણ કેવળજ્ઞાન થયું. આ ચારે દેવળજ્ઞાનીઓ લાંબા વખત સુધી આ દુનિયા પર ફર્યા. તે દરમ્યાન તેમના પવિત્ર જીવનની ધણા ઉપર અસર થઇ. તેમના અમૃત શા ઉપદેશથી ઘણાનાં જીવન પલટાઈ ગયાં. પેાતાનું આયુષ્ય પૂરું થતાં તે બધા નિર્વાણ પામ્યા. ધન્ય છે ઇલાચી જેવા સાહસિક નરવીરાને ! शिवमस्तु सर्वजगतः ॥ દરેક શાળા, પાઠશાળા તથા કુટુ બે માહક થવા ચાગ્ય માસિક જૈન શિક્ષણપત્રિકા તંત્રી : ધીરજલાલ ટાકરશી શાહ. વાર્ષિક લવાજમ ફક્ત રૂા. ૧). આજેજ ગ્રાહક બના. જાતિ કાર્યાલય, રતનપેાળ : અમદાવાદ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #209 -------------------------------------------------------------------------- ________________ *G ****** બાળપ્રથાવળી :: પ્રથમ શ્રેણી :: જંબુસ્વામી '. લેખક ... ધીરજલાલ ટોકરશી શાહ આવૃત્તિ ચાથી 卐 સર્વ હક્ક સ્વાધીન પ્રત ૧૨૫૦ મૂલ્ય સવા આના. Ope Jess eve *Quate Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૧ સંવત ૧૯૯૧ popa www.umaragyanbhandar.com Page #210 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : ધીરજલાલ ટોકરશી શાહ જ્યોતિ કાર્યાલય નગરશેઠ મારકીટ, રતનપોળ, અ મ દ વ દ. આ પુસ્તક મુંબઈ ઇલાકા કેળવણીખાતા તથા વડોદરા રાજ્ય કેળવણીખાતા તરફથી ઇનામ-લાઈબ્રેરી માટે મંજુર થયેલું છે. તેમજ જેન વેટ એજ્યુકેશનલ બેડની ધાર્મિક પરીક્ષાના બાળ ઘેરણ પ્રથમ તથા કન્યા ઘેરણ પ્રથમમાં પાઠયપુસ્તક તરીકે સ્વીકારાયેલું છે. ધી, ટે શાહ, મણિલાલ છગનલાલ શાહ. મુદ્રણસ્થાન વીરવિજય પ્રી. પ્રેસ કાળુપુર ટંકશાળ ". અમદાવાદ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #211 -------------------------------------------------------------------------- ________________ જંબુસ્વામી. : ૧ : સેળ વરસને કેલેએ કુંવર છે. હેમની હિંડોળા માટે બેઠે છે. હાથમાં હીરની દેરી છે. કડાક કડાક હિંચકા ખાય છે. એનું નામ જંબુ. કોઠાધિપતિ ગષભદત્તને તે પુત્ર છે. તેની માતાનું નામ ધારિણી. એકને એક પુત્ર છે. મોટી ઉમ્મરે થયેલ છે એટલે લાડકોડમાં બાકી રાખી નથી. શહેરની સારામાં સારી આઠ કન્યાઓ સાથે થોડા વખત પહેલાં જ તેનું સગપણ થયું છે. એવામાં ત્યાં વનપાળે આવી વધામણી ખાધી. શેઠજી સુધર્માસ્વામી વૈભારગિરિ ઉપર પધાર્યા છે.” સમતાના સરોવર ને જ્ઞાનના સાગર ગુરુરાજની પધરામણીથી કોને આનંદ ન થાય? જંબુમારનું હૈયું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #212 -------------------------------------------------------------------------- ________________ જંબુસ્વામી હરખે ઊભરાયું. હિંડળો બંધ રાખે. ગુરુ આવ્યાની વધામણી બદલ ગળામાંથી મોતીની કંઠી કાઢી વનપાળને આપી. વનપાળ રાજી થઈ ચાલ્યો ગયે. જંબુમાર બોલ્યા: “સારથિ! સારથિ ! થે જોડા વૈરારગિરિ પર ગુરુરાજ પધાર્યા છે. તેમના દર્શને જવું છે. ” કોતરણીવાળ સુંદર રથ જોડાયે. તેમાં બેસી જંબુકમાર વૈભારગિરિ તરફ ચાલ્યા. તે રાજગૃહીની તદ્દન નજીક એટલે થોડા વખતમાં ત્યાં પહોંચ્યા. સુધર્માસ્વામી પ્રભુ મહાવીરના ગણધર. આખા જૈન સંધના તે વખતના નેતા. એમના ઉપદેશમાં અમૃતના વરસાદ સિવાય બીજું શું છે? જંબુકમાર એમને વંદન કરી ઉપદેશ સાંભળવા લાગ્યા. જેમ જેમ ઉપદેશ સાંભળતા ગયા તેમ તેમ મન પલટાવા લાગ્યું. ઉપદેશ પૂરો થતાં તે જંબુકુમારનું હૈયું વૈરાગ્યથી ભરાઈ ગયું. તે હાથ જોડીને બેલ્યા : “ પ્રભો ! મારે દીક્ષા લેવી છે. માતાપિતાની રજા લઈને આવું ત્યાં સુધી શેકાવા કૃપા કરે.” સુધર્માસ્વામીએ તે સ્વીકાર્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #213 -------------------------------------------------------------------------- ________________ જંબુસ્વામી રથમાં બેસી જબુમાર પાછા ફર્યા. જ્યાં નગરના દરવાજા પાસે આવ્યા ત્યાં લકરની ઠઠ. હાથી, ઘોડા ને પાયદલને પાર નહિ. આવી ભીડમાં તે શું જવાય ? આટલું લશ્કર પસાર થાય ત્યાં સુધી અહીં ભાય પણ કેમ? એટલે તે બીજા દરવાજે ચાલ્યા. બીજા દરવાજાની પાસે આવ્યા ત્યાં તે એક જબરદસ્ત લેઢાને ગળે ધબ લઈને પગ પાસે પડ્યો. સિપાઈએ લડાઈની તાલીમ લેતા હતા, ત્યાંથી ગેળો આવ્યું હતું. આ જોઈ જબુકુમાર વિચારવા લાગ્યા અહો! આ લેઢાને ગોળી મારા પર પડે છે તે શી વલે થાત? આવા અપવિત્ર શરીરજ હમણાં મરણ પામત, માટે ચાલ અત્યારે જ ગુરુ આગળ જઈ પ્રતિજ્ઞા લઈ આવું.” તે સુધર્મારવામી આગળ આવ્યા. હાથ જોડીને બેલ્યા : “સ્વામી!જીવું ત્યાં સુધી બ્રહ્મચર્ય પાળવાનું વ્રત આપ !” સુધર્માસ્વામીએ વ્રત આપ્યું. આ વ્રત લઈ મનમાં હરખ પામતા જંબુકુમાર ઘેર આવ્યા. માતાપિતા આગળ દીક્ષા લેવાની રજા માગી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #214 -------------------------------------------------------------------------- ________________ જંબુસ્વામી માબાપ બોલ્યા “બેટા ચારિત્ર લેવું ખૂબ દોહ્યલું છે. વ્રત ખાંડાની ધાર જેવું છે. તું તે હજી બાળારાજા કહેવાય. તારાથી સાધુનાં આકરાં વ્રતો કેમ પળાશે? વળી તારા વિના અમને ઘડીયે ગોઠે નહિ.” જંબુકુમાર બોલ્યા: “પૂજય માતાપિતા! ચારિત્ર બહુ દોહ્યલું છે એ વાત ખરી. પણ તેનાથી તે કાયરેજ ડરે. હું તમારી કૂખે જન છું. વ્રત લઈને જીવ જતાં પણ ભાંગીશ નહિ. આપનું હેત મારા પર અપાર છે. એટલે મારા વિના આપને નજ ગેછે. પણ એવા વિજોગનું દુઃખ સહન કર્યા વિના છૂટકે નથી. માટે મને રાજી થઇને આજ્ઞા આપો !” માબાપ કહે, “પુત્ર ! જો તને સંજમ લેવાની ખૂબ ઇચ્છા હોય તે પણ અમારું માન રાખ. અમે પણ તારા વડીલે છીએ. તારા માટે જે કન્યાઓ અમે સ્વીકારી છે તેની સાથે લગ્ન કર. પછી તારી ઇચ્છા હોય તો સુખેથી દીક્ષા લેજે, ” જંબુકુમારે કહ્યું “આપની આજ્ઞા હું માથે ચડાવીશ. પણ પછી મને દીક્ષાથી આપ રોકશે નહિ.” માબાપે કહ્યું : “બહુ સારુ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #215 -------------------------------------------------------------------------- ________________ જજીસ્વામી :R: ઋષભદત્તે આઠે કન્યાના પિતાને એકલાવ્યા. અને કહ્યું: '' અમારી જબુ પરણીને તરત દીક્ષા લેવાના છે. એ પરણે છે તે પણ અમારા આગ્રહથીજ. માટે આપને જે કાંઈ વિચાર કરવા ઢાય તે કરા ! પાછળથી અમને કાંઇ કહેશે નહિ. ” પેાતાના પિતાને વિચારમાં પડેલા જોઇ તે કન્યાઆએ કહ્યું: “ પિતાજી ! આપને ચિંતા કરવાની કંઇ જરૂર નથી. અમે તે જંબુકુમારને વરી ચૂકી છીએ. હવે જેમ તે કરશે તેમ અમે પણ કરીશું. ’ }} કન્યાઓના આવો નિશ્ચય થયે એટલે સાત દિવસની વધે લગ્ન છપાયાં. જંબુકુમારના વિવાહમાંશી મા ઢાય ? વિશાળ મંડપ બંધાયા. તેને અનેકજાતનાં ચિત્ર ને તારણ વગેરેથી શણગાર્યોં. સાતમે દિવસ જંબુકુમાર ત્યાં ખૂબ ધામધૂમથી આઠે કન્યાઓને પરણ્યા. રાજગૃહી નગરીમાં આટલા ઠાઠથી ખીજાં લગ્ન મહુ આછાં થયાં હશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #216 -------------------------------------------------------------------------- ________________ જંબુસ્વામી પરણ્યાની પહેલીજ રાત. જંબુકુમાર પેાતાની પત્નીએ સાથે રંગશાળા ( સુવાના એરડે ) માં ગયા. રંગશાળાને ભપકા કીધા કહેવાય નહિ ! ભલભલાનાં તે ચિત્ત ચળાવી દે ! શું ત્યાંનાં ચિત્રા ! શું ત્યાંની મેાજશેાખની સામગ્રી ! જુવાન વય, રાત્રિની એકાંત ને પાતાની પરણેલી જુવાન પત્નીએ પાસે ! પણ જંબુકુમારનુ ચિત્ત ચળતું નથી ! : 3: રાજગૃહીથી ચાડે છેટે એક માટા વડલા છે. ધનધાર તેની છાયા છે. વડવાઇના ત્યાં પાર નથી. તેની છાયામાં બરાબર સાંજ પડતાં એક પછી એક માણસ આવવા લાગ્યાં. બધાએ બુકાની બાંધેલી. શરીર પર રાખાડી રીંગનાં કપડાં આવેલાં. " આ બધામાં કદાવર કાયાના એક જુવાન. કરડી તેની આંખો. વિકરાળ તેનું મેં. બધા માણસો ભેગા થયા એટલે તે બોલ્યું: “ દાસ્તા ! આજસુધી આપણે ઘણી ચારીએ કરી છે. છતાં જોઈએ તેટલા ફાવ્યા નથી. પણ આજ જબ્બર લાગ મળ્યે છે. ’ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #217 -------------------------------------------------------------------------- ________________ જ ખુસ્વામી “રાજગૃહી નગરીના ઋષભદત્તશેઠને ત્યાં લગ્ન છે. ધણા શેઠ શાહુકાર ત્યાં એકઠા થયા છે. જો ખરાખર હાથ અજમાવીએ તે। જીવીએ ત્યાં સુધી ચારી કરવી પડે નહિ. માટે આજે બરાબર તૈયાર રહેજો ! ' 46 બધા મેલ્યા “ તૈયાર છીએ! તૈયાર છીએ ! આજ્ઞા ફરમાવા તે પ્રમાણે કરવા તૈયાર છીએ. ' આ ખેલનારનું નામ પ્રભવ. મૂળ તે તે રાજાના પુત્ર ! પણ બાપે નાના ભાઈને ગાઢી આપી એટલે રિસાઇને ઘેરથી નીકળેલા. પછી ચડયા ચારી ને લૂંટના રસ્તે. તે એટલે જબરા થયા કે તેનું નામ સાંભળતાં માણસાના ઢાશ ઊડી જતા. તે પેાતાના પાંચસ સાથીઓને લઈને તૈયાર થયા. બરાબર અધારું થતાં શહેરમાં દાખલ થયા, ને જંબુકુમારના મકાન આગળ આન્યા. તેની પાસે બે વિધાઓ હતી. એક ઊંધ મૂકવાની ને બીજી ગમે તેવાં તાળાં ઉઘાડવાની. તેણે આવીને પેાતાની વિધાઓ અજમાવી. તરતજ બધા ઊંધમાં પડયા. તિજોરીનાં તાળાં ટપાટપ ઊધડવા લાગ્યાં. ચાર લેાકાએ તેમાંથી જોઇએ તેટલુ ધન લઈ ગાંસડી બાંધી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૦ જ બુસ્વામી જ્યાં તેઓ ગાંસડી બહાર લઈ જવા જાય છે ત્યાં એકાએક થંભી ગયા. પ્રભવ ચારે તરફ જોવા લાગ્યા. આ શું ? ત્યાં તેણે જ બુકુમારને જાગતા જોયા. તેભારે વિચારમાં પડયાઃ આને ઊંધ કેમ નહિ ચડી ઢાય ? જબુકુમારનુ મન ધણું મજબૂત હતું તેથીવિધાની અસર ન થઇ. જ્યારે ચારા ચારી કરતા હતા ત્યારે તે વિચારતા હતાઃ “ મને ધન પર કંઈ મમતાં નથી. પણ જો આજે માટી ચારી થશે ને કાલે દીક્ષા લઇશ તા લેાકેા શું કહેશે ? ધન બધું ઊપડી ગયું એટલે લીધી ઢીક્ષા !” માટે ચાર લોકેાને આમને આમ જવા તેા નજ દેવા. એથી એમણે પવિત્ર મંત્રના જાપ કર્યાં. અને ચારા બધા થંભી ગયા. પ્રભવ ગભરાયા. હાથ જોડીને બોલ્યેઃ “શેઠજી ! મને જીવતદાન દે. મને અહીંથી પકડીને રાજદૂરખાર માલશા તે કાણિકરાજા ગરદન મારશે. લેા ! આપને હું બે વિદ્યા આપુ; બદલામાં તમે જીવતદાન આપે ને એક સ્તભિની વિદ્યા ( બધા અટકાવી રાખે તેવી ) આપે ! '’ જંબુ કહે, “ અરે ભાઇ ! ગભરાઈશ નહિ ! તને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #219 -------------------------------------------------------------------------- ________________ જંબુસ્વામી ૧૧ જીવતદાન છે. મારી પાસે વિદ્યા કાંઇ નથી. એક ધર્મ વિદ્યા છે, તે તને આપું.” એમ કહી પ્રભવને તેમણે ધર્મ સમજાવ્યું. પ્રભવને જિંદગીમાં આવી વાતે સાંભળવાને પહેલે જ પ્રસંગ હતે. તેણે ધનની ગાંસડીઓ ઉતરાવી નાંખી. ઊંઘ પાછી ખેંચી લીધી. અને હાથ જોડી બોલ્યા “જંબુમાર! ધન્ય છે તમને કે ધનના ઢગલા છેડી, અસરા જેવી સ્ત્રીઓ છોડી દીક્ષા લો છો. હું તો મહાપાપી છું. ધન મેળવવાને નીચમાં નીચ ધંધા કરું છું. પણ આજે મને આખા જીવનનું ભાન થયું. સવારે હું પણ બધા ગેરે સહિત તમારી સાથે દીક્ષા લઈશ.” આ વખતે બધી સ્ત્રીઓ જાગી ઉઠી હતી. તે જબુમારને દીક્ષા ન લેવા સમજાવવા લાગી. એક સ્ત્રી કહે, “વામીનાથ ! આપ દીક્ષા લેવા તૈયાર થયા છે પણ પાછળથી બક ખેડૂતની માફક પસ્તાશો.) પ્રભવ કહે, “બક ખેડૂતની શી વાત છે તે મને જણાવો!” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #220 -------------------------------------------------------------------------- ________________ જંબુસ્વામી 61 તે સ્રીએ વાત કહી: મારવાડમાં એક ખેડૂતે ધાન્યની ખેતી કરી. પાક બહુ સારા થયા. પછી એક વખત પેાતાની દીકરીને ત્યાં ગયા. ત્યાં મન્યા માલપુઆ. તે બહુ મીઠા લાગ્યા. એટલે પૂછ્યું: “ આ વસ્તુ શી રીતે બને ?'' જવાબ મળ્યો કે “ ધઉંના લાટ ને ગાળ હાય તા બને. ’’ ૧૨ તેણે ઘેર આવી ખેતરમાં થયેલું બધુ ધાન્ય ઉખેડી નાખ્યું ને ધઉં` તથા શેરડી વાવ્યાં. પણ પાણી વિના અને સુકાઈ ગયાં. મારવાડમાં તે એટલું પાણી કયાંથી મળે ? બિચારા તે ખૂબ પસ્તાયા. એ પ્રમાણે મળેલું ગુમાવીને ન મળે એવા માટે મહેનત કરે તેને પતાવાના વખત આવે. ’ "I આ સાંભળી જ બુકુમારે જવાબ આપ્યાઃ “હું પવ તના વાનર જેવા નથી કે ભૂલ કરીને બંધનમાં સપડાઉ, શ્ન 'કૃ પ્રભવા કહે: “ પર્યંતના વાનરની શી વાત છે” '' જબુકુમાર કહે: “ એ તે એક પર્વતમાં ધરડા વાનર હતા. તે ધણી વાનરીઓ સાથે રહેતા તે આનંદ કરતા. પણ એક દિવસ ત્યાં દાઈ જુવાન વાનર આન્યા. ને બંનેને લડાઇ થઇ, તેમાં ધરડા વાનર હાર્યાં ને નાઠો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #221 -------------------------------------------------------------------------- ________________ જ બુસ્વામી ૧૩ બિચારાને જંગલમાં ફરતાં ખૂબ તરસ લાગી. એવામાં તેણે શિલારસ ઝરતા જોયા. તે સમજ્યા કે એ પાણી છે એટલે તેમાં માં નાંખ્યું. પણ તે તે તદ્દન ચાટી ગયું. હવે શું કરવું ? પેાતાનુ માઢું ઉખાડવા બે હાથ પેલા રસ પર ઢાખ્યા અને માં ખેચવા લાગ્યા. એટલે માં તે ઉખડયું નહિ પણ હાથ ચાટી ગયા. એ પ્રમાણે પગ મૂકયા ને પગ પણ ચાટી ગયા. એથી તે બિચારા દુ:ખ ભાગવતા મરણ પામ્યા. આ પ્રમાણે બધા મેાજશેખ શિલારસ જેવા છે. એટલે તેમાં ચેટી જનાર જરૂર નાશ પામે છે.” આ વાત સાંભળી એક સ્ત્રીએ કહ્યું; “ રવામીનાથ! આપ આપના લીધેલા વિચાર છેાડતા નથી પણ ગદ્ધાપૂછ પકડનારની માફક દુ:ખી થશેા.” ( પ્રભવ કહે, “ વળી ગદ્ધાપૂછ પક્ડનારની શી વાત છે ?” તે સ્રી બેાલી “ એક ગામમાં એક બ્રાહ્મણના પુત્ર હતા. તે ઘણા મૂખ'. તેની માએ કહ્યું કે ‘ પકડેલુ’ બ્રેડી દેવું નહિ, એ પડિતનુ લક્ષણ છે.' મૂર્ખાએપેાતાની મનુ વચન મનમાં પકડી રાખ્યું. એક દિવસ ઢાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જંબુસ્વામી કુંભારનો ગધેડે તેના ઘરમાંથી ભાગ્યે. કુંભાર તેની પછવાડે દેડ. કુંભારે પેલા બ્રાહ્મણના છોકરાને કહ્યું કે “અરે! આ ગધેડાને પકડજે ! તે મૂર્ખાએ ગધેડાનું પૂછડું પકડયું. ગધેડે પગની લાત મારવા લાગે તો પણ તેણે પૂછડું મૂક્યું નહિ. એ જેઈલેકે કહેવા લાગ્યાઃ “અરે મૂર્ખ ! પૂંછડું છોડી દે !” ત્યારે પેલા છોકરાએ કહ્યુંઃ “મારી માએ મને એવી શિખામણ આપી છે કે પકડેલું છોડવું નહિ. આ પ્રમાણે તે મૂર્મો ખૂબ દુઃખ પામે. જંબુકુમાર આ સાંભળી બોલ્યા “ બરાબર ! તમે બધી તે ગધેડા સમાન છે. તમને પકડી રાખવી એ ગદ્ધાપૂછ પકડી રાખવા બરાબર છે. પણ તમે કુળવાન થઈને આવું બેલો છે તે ઠીક નથી.” આ પ્રમાણે પિતાની સ્ત્રીઓ સાથે ઘણી વાતે થઈ. તેમાં જંબુકુમાર સફળ થયા. બધી સ્ત્રીઓ પણ તેમની સાથે દીક્ષા લેવા તૈયાર થઈ. વહાણું વાયું. જબુકુમારે માબાપની આગળ રજા માગી. માબાપે વચન આપ્યું હતું એટલે તેમણે રજા આપી. પોતે પણ દીક્ષા લેવાને તૈયાર થયાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #223 -------------------------------------------------------------------------- ________________ જંબુસ્વામી ૧૫ જંબુકુમારની સ્ત્રીઓ પોતપોતાનાં માબાપ પાસે ગઈ. અને દીક્ષા લેવા માટે તેમની રજા લીધી. માબાપાએ તેમને રજા આપી. તે બધા પણુ દીક્ષા લેવા તૈયાર થયા. રાજા કાણિકને ખબર પડી કે જંબુકુમાર દીક્ષા લે છે એટલે તેણે ખૂબ સમજાવ્યા. પણ બુકમાર પેાતાના નિશ્ચયમાંથી ડગ્યા નહિ. પ્રભવ પણ પેાતાના પાંચ સાથીમા સાથે દીક્ષા લેવાને તત્પર થયા. ઢીક્ષાના માટા ઓચ્છવ થયા. તેમાં જબુકુમારે પાંચસો ને સત્તાવીશ જણા સાથે ઢીક્ષા લીધી. આવા આચ્છવા ધરતીના પડમાંચે બહુ ઓછા થયા હશે ! જંબુકુમાર સાળ વરસની ઉમ્મરે સુધર્માંસ્વામીના શિષ્ય થયા. સ ંજમ ને તપથી પેાતાનાં મન, વચન અને કાયાને પવિત્ર કરવા લાગ્યા. ગુરુ આગળ તેમણે શાસ્ત્રોના અભ્યાસ કર્યાં ને થાડા વખતમાં તે તે બધા શાસ્ત્રોમાં પારગત થયા. સુધર્માવામીનું નિર્વાણ થતાં તેઓ તેમની પાટે આવ્યા. જૈન સંધના આગેવાન થયા. તેમણે પ્રભુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #224 -------------------------------------------------------------------------- ________________ જંબુસ્વામી મહાવીરના ઉપદેશને ખૂબ પ્રચાર કર્યો. તપ ને ત્યાગનું વાતાવરણ ફેલાવ્યું. અનેકેનાં કલ્યાણ કર્યાં. જંબુસ્વામીને પિતાનું જીવન પૂરેપૂરું પવિત્ર થતાં કેવળજ્ઞાન થયું અને કેટલાક વર્ષ પછી તેઓ નિર્વાણ પામ્યા. કહેવાય છે કે જંબુસ્વામી આ કાળમાં છેલ્લા કેવળજ્ઞાની છે. એમની પછી કઈ કેવળજ્ઞાની થયું નથી. ધન્ય છે અઢળક રિદ્ધિસિદ્ધિ તથા ભોગ વિલાસને લાત મારી સાચા સંત થનાર જંબુસ્વામીને ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #225 -------------------------------------------------------------------------- ________________ અમરકુમાર કથાર પંચપરમેષ્ટિને નમસ્કાર કરીએ. અરિહંતને નમસ્કાર સિને નમસ્કાર. આચાર્યોને નમસ્કાર ઉપાધ્યાયને નમસ્કાર. જગતમાં વિચરતા સઘળા સાધુજનોને નમસકર. સાચા ભાવે આ પાંચને નમસ્કાર કરે તે પ્રાણીનાં સઘળાં પાતક ટળે. નોધારાને આધાર ને દુખિયાને બેલી એવો આ નવકાર મંત્ર. જે સાંભળે ને સંભળાવે તે બન્નેનું કલ્યાણ થાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #226 -------------------------------------------------------------------------- ________________ અમરકુમાર હે નાથ ! આ નવકાર જેમ અમરકુમારને ફળે તેમ સહુને ફળ. રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજા રાજય કરે છે. તેને એક વખત વિચાર “લાવ્ય, એક સુંદર ચિત્રશાળા કરાવું.” તેણે દેશદેશાવરથી સલાટે બોલાવ્યા. કુશળ એવા કારીગર બોલાવ્યા. થોડા વખતમાં મકાન થયું ને તેમાં સુંદર ચિત્ર ચિતરાવ્યાં. પણ એવામાં મુખ્ય દરવાજે તૂટી પડ્યો. કારીગર ફરીથી કામે લાગ્યા. ઘણી મહેનને દરવાજે ઊભે કર્યો. પણ તે પૂરી થયે ને તૂટી પડયો. કારીગરે દરવાજો ચણે ને પૂરો થતાં તે તૂટી પડે. રાજા મુંઝાણે: “હવે કરવું શું?” તેણે કહ્યું: “જોશીને તેડાવો ને જોશ જોવડાવો. ચિત્રશાળાને દરવાજો તૂટી કેમ પડે છે ?' જોશી આવ્યા. કચેરી ભરાઈ. રાજા વિચાર કરે છે : યિત વિચાર કરે છે ? જોશી શું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #227 -------------------------------------------------------------------------- ________________ અમરકુમાર કહેશે? જોશીએ ટીપણું કાઢયું, જેશ જોયા, અને માથું ધુણાવીને ટીપણું બંધ કર્યું. રાજા કહે જોશી મહારાજ ! ડેકું કેમ ધુણો છો? જે હેય તે સાચું કહી દે.' જોશીએ ફરી ટીપણું ઉઘાડ્યું. ફરી જોશ જોયા. ડોકું ધુણાવ્યું ને ટીપણું બંધ કર્યું. રાજા કહે: “ જોશી મહારાજ ! ડોકું કેમ ધુણાવો છો ? જોશમાં શું આવે છે? શું કોઈ દેવ કેપ્યા છે કે ધરતીમાતા ભોગ માગે છે? જે હેય તે સાચે સાચું કહી દે.” જોશીએ વિચાર્યું કે સાચું કહેવા દે. કહ્યા વિના નહિ ચાલે. તે બેલ્યા : “મહારાજ ! ચિત્રશાળાને દરવાજે બત્રીશલક્ષણે બાળ માગે છે. તેને ભોગ આપે તે ચિત્રશાળાને દરવાજે ટકે. નહિતર હરિ ! હરિ! આ સાંભળી સહુ ઠરી ગયા. કોઈ હાલે કે ચાલે. ચારે કાર સુનસુનકાર રાજ કહે, “નગરમાં ઢઢો પીટાવે. જે કોઈ બત્રીસ લક્ષણે બાળ આપશે તેને બાળકની ભારોભાર સેનામહોર આપીશ.' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #228 -------------------------------------------------------------------------- ________________ અમરકુમાર નગરમાં ઢંઢેરો પીટાણો. એજ નગરમાં ઋષભદત્ત નામે એક બ્રાહ્મણ છે. બિચારાને નથી એક ટંકનું ખાવા કે નથી પૂરતું ઓઢવાપહેરવા. સવારે મળ્યું તે સાંજે ન મળે ને સાંજે મળે તે સવારે ન મળે. જ્યારે માણસની વેળા બદલાય ત્યારે કાંઈ બાકી રહે છે? બિચારો આખો દિવસ શિક્ષા માગીને જેમ તેમ પેટ ભરે છે. એને સ્ત્રી પણ કભારજા મળી છે. આ દિવસ મહેનત મજૂરી કરીને ઘેર આવે ત્યારે એ ગાળેને વરસાદ વરસાવે હે દરિદ્ધિા બેસી શું રહે છે? જયાને જીવાડવા તે ખરા ને! આ ચાર દીકરા ને એક દીકરી. એમને મારે શું ખવરાવવું? નથી ઘરમાં મીઠું કે નથી ઘરમાં તેલ. ઘી ગોળની વાત જ શી ? બિચારાં શિયાળામાં નાગા જેવાં રખડે! ઈ વારપરબે ય થોડું પામે છે!” બ્રાહ્મણ બિચારો નીચું મોટું કરીને બધું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #229 -------------------------------------------------------------------------- ________________ અમરકુમાર સાંભળી લે. વળી બ્રાહ્મણી આગળ ચલાવે આ વિસ્તારથી હું કંટાળી ! એમને નિત્ય નવાં મન થાય. એમાયે નાના અમરે તે મને બહુ પજવી. મારાથી એનું પૂરું નથી પડતું.” કેટકેટલાં વરસ આમ વીતી ગયાં, પણ આ બ્રાહ્મણનું કુટુંબ એવું ને એવું ગરીબ રહ્યું. એવામાં બ્રાહ્મણીએ શ્રેણિક રાજાને ઢઢેરે સાંભળે. તેને વિચાર થયેલ “ લાવને આ અમરને આપી દઉં. ચાર દીકરાના ત્રણ દીકરા હતા એમ ગણીશ. પણ આ હમેશનું ભિખારીપણું તે જાય.' તેણે ઝષભદતને કહ્યું: “સાંભળી આ ડાંડી પીટાણી તે? આપણે અમરને આપી દે. ભારભાર સેનું મળશે. સદાની ભાવટ ભાંગશે. બ્રાહ્મણ બિચારે વિચારમાં પડયે. મી પરીથી બોલીઃ “એમાં વિચાર શું કરો છો ? એ છોકરે તે મને આંખના પાટા જે લાગે છે. આપી દે રાજા શ્રેણિકને ને લાવો ભારોભાર સોનું.' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #230 -------------------------------------------------------------------------- ________________ અમરકુમાર બિચારા બહષભદત્ત ગળગળા સાદે સિપાઈઓને કહ્યું: “ભાઈઓ ! બત્રીસલક્ષણે કેલૈ કુંવર હું આપીશ.' અમરકુમાર ઝષભદત્ત જેવા ભિખારીને ત્યાં જ હતો પણ બત્રીસલક્ષણે હતે. તેની બેલીચાલી, તેની રીતભાત સહુને વહાલી લાગતી. પણ માને પૂર્વભવનું વેર એટલે તેને કદી વહાલજ આવે નહિ. અમરને નાનપણથી સંતસમાગમ બહુ ગમે. તે જાણે કે કોઈ સાધુસંત આવ્યા છે તે તેની પાસે પહેલો પહેરો. તેમની સેવાભક્તિ કરે. તેમને ઉપદેશ સાંભળે. એક વખતે નગરમાં એક જ્ઞાની સાધુ પધાર્યા. અમરકુમારે એ સાંભળ્યું એટલે ચાલ્ય તેમના દર્શને. સાધુ મહારાજ ઉપદેશ દેતા હતા. નમસ્કાર મંત્ર સકળ શાસને સાર છે. એને જ સાચા ભાવે મરે તેનાં સઘળાં દુઃખ ટળે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #231 -------------------------------------------------------------------------- ________________ અમરકુમાર ઉપદેશ પૂરા થયા. સાંભળનારા બધા જવા લાગ્યા, એટલે અમરકુમાર તે સાધુ પાસે ગયા. ચરણમાં પડી વન કર્યું. પછી હાથ જોડી બેલ્યાઃ ‘ પૂજ્ય મુનિરાજ ! મારા પર કૃપા કરો. મહામંગળકારી નમરકારમત્ર શીખવેા.' મુનિરાજે અમર સામે જોયું. એમને લાગ્યું કે બાળક તેજવી છે. તેમણે નમસ્કારમંત્ર શીખવ્યેા. અમર હુ'મેશાં તેને પાઠ કરે. આવો બાળક કાને ન ગમે ? શ્રેણિક રાજાના આવ્યા અને કહ્યું: આ ધન.’ ७ : 3: સેવકે તેા ઋષભદત્તને ધેર ‘લાવા તમારા પુત્ર ને લે બ્રાહ્મણી કહે, અમર ! થા તૈયાર ને જા સિપાઇઆ સાથે.’ અમરની એક આખમાં શ્રાવણ ને એક આંખમાં ભાદરવા. તે મેલ્યા: ‘ પિતાજી ! મને બચાવે. આ સિપાઇઓને સપશે નહિ.' " ઋષભદત્ત કહે, હું શું કરું ? તારી માતા તને આપી દે છે. એમાં મારું કાંઇ ચાલે તેમ નથી.’ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #232 -------------------------------------------------------------------------- ________________ અમરે માતાને વેચાણ કરશે નહિ. નથી. મને બચાવેા. " કહ્યુંઃ ધન ા લખણે જ મા કહે, ' તારા કામકાજ કરવું નહિ ને સારું જોઇએ. તને રાખીને હું શું કરું ?' અમરકુમાર · માડી ! મારું આજ છે ને કાલે અમર ધણુ કરાઁ પણ માની છાતી પીગળી નહિ. અમરકુમારને લઈ ચાલ્યા. તું મરે છે. સારું ખાવાને ત્યાં પાસે કાકા કાકી ઊભાં હતાં. તેમને અમરે 6 કહ્યું: કાકા 1 મારા માબાપ મને વેચે છે. તમે મને બચાવા. તમારે ત્યાં રાખા.’ 6 રાફા કાકી કહે, તારા માબાપ તને વેચે એમાં અમારું શું ચાલે ! અમારાથી તને રખાય નહિ. ક વજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat માટી બહેન ત્યાં બેઠી હતી. તે આંખમાંથી આંસુ સારતી હતી, પણ તેય શું કરી શકે ? હાથે પકડીને સિપાઈએ www.umaragyanbhandar.com Page #233 -------------------------------------------------------------------------- ________________ અમરકુમાર ગામ આખામાં હાહાકાર થયા. લેકે કહેવા લાગ્યાઃ “ ચંડાળ માબાપે પૈસા માટે પિતાને પુત્ર વેએ !” અમરકુમાર છાતી ફાટ રૂદન કરે. જે સામું મળે તેને વિનંતિ કરે. પણ તેને કોણ છોડાવી શકે? સહુ એક જ જવાબ આપેઃ “ભાઈ ! તારા માબાપે તને ધન લઈ વે તેમાં અમે શું કરી શકીએ ? ? અમરકુમારને ચિત્રશાળાએ લાવ્યા. ગંગા જળે તેને નવરાત્રે. ગળે ફૂલની માળા નાંખી. કપાળે કેશરચંદન ચર્ચા. બ્રાહ્મણો મંત્ર બોલવા લાગ્યા. હવનમાં ઘીની આહૂતિઓ આપી અગ્નિની જવાળાને વધારે મોટી બનાવવા લાગ્યા. અમરકુમાર ઊભો ઊભે વિચાર કરે છે? “ અરે ! આ જગતમાં સહુ વાર્થનાજ સગાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #234 -------------------------------------------------------------------------- ________________ અમરકુમાર છે. શું મા ! શું બાપ ! શું કુટુંબકબીલે ! શું નાતજાત ! કોઈએ મને બચાવે નહિ ! હવે હું શું કરું?' એવામાં તેને યાદ આવ્યું. ભીડભંજનો નમરકારમંત્ર છે તે લાવ રમશું. તેણે નમસ્કાર જપે શરૂ કર્યો. નમો અરિહંતાણું નમ સિધ્ધાણું નમો આયરિયાણું નમો ઉવજઝાયાણું નમે લોએ સવ્વસાહૂણે એસો પંચ નમુકકારે, સવપાવપ્પણુસણો; મંગલાણં ચ સવૅસિં પઢમં હવઈ મંગલં. » રવાહ ! સ્વાહા ! કરતાં બ્રાહ્મણોએ અમરકુમારને હવનના ભડભડતા અગ્નિમાં પધરા. પણ અમરકુમારનું ચિત્ત હવે પરમેષ્ઠિના સ્મરણમાં ચોટયું છે. સતનું બળ તેના હૈયામાં ઉભરાઈ રહ્યું છે. સત આગળ અસત્વનું શું ચાલે? સાપ હોય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat - WWW.umaragyanbhandar.com. Page #235 -------------------------------------------------------------------------- ________________ અમરકુમાર તેય ફૂલમાળા થાય. અગ્નિ હોય તેય હિમાળો બની જાય. ખરેખર ! તેમજ થયું. ભડભડાટ કરતા અગ્નિ ઠંડાગાર થઈ ગયો. ધ્યાનમાં બેઠેલ અમરકુમાર ઈયેગી જે દેખાવા લાગ્યો. તેની કંચન વરણી કાયાને કયાંઈ ડાઘો યે લાગે નહિ. રાજા ધરણુપર ઢળી પડ. મેએ લેહીના ગળા આવ્યા. કુદરતેય અન્યાય કેટલે સાંખે? સહુને અચરજ થઈ. દેડી દેડીને બાળકના ચરણમાં પડયા. વિનંતિ કરવા લાગ્યા “કૃપા. કરીને રાજાને ઊભું કરે. બનવાની વાત બની ગઈ. પણ તમને કોપ ધટે નહિ.' અમર કહે “ સહુને સન્મતિ આ. સહુનું કલ્યાણ થાવ. મારે કોઈ સાથે નથી કોધ, નથી વેર.” પાણીની અંજલિ ભરી રાજાને છાંટી એટલે રાજ ઊભો થ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #236 -------------------------------------------------------------------------- ________________ અમરકુમાર રાજા અમરકુમારને કહેવા લાગેઃ “માગ ! માગ ! માગ તેટલું ધન આપું.” અમર કહે, “મારે ધનનું કામ નથી. આ બધા અનWજ ધનને છે. હું તે હવે સાધુ થઈશ ને મારા આત્માનું કલ્યાણ કરીશ.” તે ગયે નગર બહાર ને થોડે દૂર જંગલમાં ધ્યાન લગાવ્યું. અહીં રાષભદત્ત ને તેની સ્ત્રી ભદ્રા તે ખાડા ખોદે છે ને ધન દાટે છે. મનમાં બેઠા વિચારે ઘડે છે કે હવે આપણે મહેલ ચણાવીશું ને મજા કરીશું. બધા છોકરાંને સારાં સારાં વચ્ચે પહેરાવીશું ને જમણ જમીશું. એવામાં કોઈએ આવીને વાત કરી: “અમારકુમાર તે સાધુ થઈને વનમાં ગયે. આ સાંભળી માતપિતાના હોશકોશ ઊડી ગયા. “અરર ! અમર પાછો આવે માટે સજા આ આપેલું ધન લઈ લેશે !' તેમના મનમાં ફાળ પડી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #237 -------------------------------------------------------------------------- ________________ અમરકુમાર ધુંધળી સાંજ પડી ને રાત થઈ. ધવાને સમય થયા. પણ બ્રાહ્મણીને ઊંઘ આવે નહિ. તેને અમરકુમાર ઉપર ક્રોધ વરસી રહ્યો છે. મનમાં તે બબડે છે: “આ સેતાન છોકરાને શું કરવું? દુનિયામાં ફજેત થયા ને હવે ધન પણ જશે ? દાણ જાણે હવે શું થશે? માટે એને તે પરેજ કરે.” તેણે હાથમાં એક તણી છરી લીધી ને રાક્ષસી જેવી વિકરાળ થઈને મધરાતે ઘરમાંથી બહાર નીકળી.. તેના ક્રોધથી જાણે ઘડીભર વહેતો પવન પણ બંધ થઈ ગયે. વનચર પશુઓ પણ બોલતા બંધ થઈ ગયા ને સઘળે સુનસુખાકાર થઈ ગયું. ભયંકર ભૂમિમાં ધ્યાન લગાવીને અમરકુમાર ઊભા છે. બ્રાહ્મણી શોધતી શોધતી નજીક આવી પહોંચી. તેને કોઈ માટે નથી. આંખમાંથી અગ્નિ, વરસે છે. તેણે છરી ઉગામી, પણ હાથ થંભી ગયે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #238 -------------------------------------------------------------------------- ________________ * - - - અમરકુમાર જાણે કે તેને પિકાર કરીને બોલાવતું હેય ને ઠપકે દેતું હોય તેમ લાગ્યું. બ્રાહ્મણીએ આડુંઅવળું જોયું પણ ત્યાં ભયંકર શાંતિ છવાઈ રહી હતી. ઝાડપાન પણ હાલતાં બંધ થઈ ગયાં હતાં. કોઈ મનુષ્ય નજરે પડતું ન હતું. બ્રાહ્મણી પૂરી સાવચેત થઈ. એવામાં છેડે દૂર એક શિયાળિયાની કકિયારી સંભબાઈ ને વાતાવરણ વિશેષ ભયંકર બન્યું. રાક્ષસી બનેલી માતાને હાથ ફરી ઉપડયે ને ક્ષણવારમાં ધ્યાનમાં ઊમેલા અમરકુમારની છાતીમાં છરી ભોંકાઈ ગઈ. અમરકુમાર સમજી ગયા કે વેરણ માતાએ આ કારમો ઘા કર્યો છે. પણ તેમણે મનને શાન્ત રાખ્યું. ગઈ . ધર્મ માટે પ્રાણ આપનાર મહાત્માઓનું સ્મરણ કરવા લાગ્યા. અને છેલી ભાવના ભાવવા લાગ્યા. સર્વે જીની ક્ષમા માગું છું. સર્વે જીવો મને ક્ષમા આપજો. જગતના સર્વ છે મારા મિત્ર છે. મારે કોઈની સાથે વેર નથી.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #239 -------------------------------------------------------------------------- ________________ અમરકુમાર ૧૫ આવી શુભ ભાવના ભાવતાં તે ધરણી પર ઢળી પડ્યા. જાણે કે કુદરતને પણ આની વેદના થઈ ઢાય તેમ તરતજ ભયંકર ગર્જના થઈ. સિહણુના એ અવાજ હતા. બ્રાહ્મણી ત્યાંથી દેશ ડગલાં ચાલી, ત્યાં તે સિદ્ગુણ સામી દેખાણી. વનવગડામાં નાસે ક્યાં? સિહણુ આગળથી છટકે પણ કર્યાં ? છતાંયે મરણ આવે તેા છુટવાનુ કાણુ ન કરે? તેણે નાસવા માંડયુ. પણ સિંહુણ એક તલપ મારી ખરાખર બ્રાહ્મણીના શરીર પર પડી. બ્રાહ્મણી હૈઠી ને સિંહણુ ઉપર. ઘડી એ ઘડીમાં તે તેનાં હાડકાંજ રહ્યાં. સિહંગુ માઢુ હલાવતી જંગલમાં ચાલી ગઇ. અમરકુમાર શુભ ધ્યાનમાં મર્યાં. એટલે કહે છે કે તે દેવલાકે ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #240 -------------------------------------------------------------------------- ________________ અમરકુમાર પાપિણી મા પાપધાનમાં મરી એટલે કહે છે કે તેની નરકની ગતિ થઈ. આજે પણ અમરકુમારની સઝાય વંચાય છે ને માણસોની આંખમાંથી આંસુ પડે છે. હે નાથ! અમરકુમાર જેવી શ્રદ્ધા મળજો ! અમસ્કુમાર જેવાં મને બળ મળજો ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #241 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ : ૧ : નવપદજી સહુનું કલ્યાણ કરે. તેમના આરાધનનું જે ફળ શ્રીપાળ તથા મયણાસુંદરીને મળ્યું તે સહુને મળે. અંગ દેશમાં ચંપા નામે નગરી છે. ત્યાં સિંહરથ રાજ છે. તેને કમળપ્રભા રાણી છે. તેમને મોટી ઉમ્મરે એક કુંવર થયે. તેનું નામ પાડયું શ્રીપાળ. શ્રીપાળ નાની ઉમ્મરને છે ત્યાં રાજા મરણ પામ્યા. રાણું બહુ શેક કરવા લાગ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #242 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ પ્રધાને ધીરજ આપી ને બાળરાજની આણ ફેલાવી. પણ શ્રીપાળને કોક અજીતસેન બહુ ખટપટી. તેણે કાવત્રાં કર્યા ને લરકરને ફેડયું. અમલદારોને પણ ફાડયા. રાણી તથા કુંવરનું ખૂન કરવાનું નક્કી કર્યું. રાણીને એ વાતની ખબર પડી. એટલે મધરાતે કુંવરને લઈ નાઠી. ચારે બાજુ અછતસેનના માણસે એટલે રસ્તે જંગલને લીધે. અહા ! શું બિહામણું જંગલ ! ઝાડ પર ઝાડ ને જાળાજાંખરાને પાર નહિ ! માંહી સાવજ બોલે ને સિંહ ઘેરે. પણ શું કરે ? જીવ બચાવવા આવા જંગલમાં રાણી નાસે છે. બિચારીએ ઘર બહાર કદી પગ મૂક્યું નથી. તેને વનવગડામાં એકલું રખડવું પડે છે. તેના પગે લેહી નીકળ્યાં, વસ બધાં ફાટી ગયાં. બીજા દિવસનું સવાર થયું એટલે જગલ પૂરું થવા આવ્યું. અહીં શ્રીપાળ કહે, “ બા ! ભુખ લાગી છે. દૂધ, સાકર ને ચોખા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #243 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ આપ. કમળપ્રભા ચોધાર આંસુએ રડતી રડતી બેલીઃ “બેટા ! દૂધ, સાકર તથા ચેખાને ને આપણને હજાર ગાઉનાં છેટાં પડી ગયાં. હવે તે જારબાજરીની ઘૂસ મળે તો પરમાત્માને પાડ.' કુંવર ભુખે થયે છે ને રાણી પાસે કશું ખાવાનું નથી. એમ કરતાં આવ્યાં એક કેઢિયાના ટોળાં પાસે. સાતસો કેઢિયાનું ટાળું ! શરીરે ભયંકર કોઢ ને હાથે પગે ખેડાં. રાણી કહે, “ભાઈ ! વખાના માર્યા અમે તમારી પાસે આવ્યાં છીએ. આશરો આપ.' એમ કહીને બધી વાત કરી. કાઢિયાઓ કહે, “માજી ! અમને આશરે આપવામાં વાંધો નથી. પણ અમારી સાથે રહેશે તેને ભયંકર કોઢ થશે.” રાણી કહે, “જેમ થવું હોય તેમ થાય. પણ અત્યારે જીવ બચાવવા ઘો.” કેઢીયાઓએ પોતાના ટેળામાં તેમને દાખલ કર્યા. રાણુને ધળી પછેડી ઓઢાડી દીધી. એવામાં અજીતસેનના સિપાઈઓ શોધખોળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #244 -------------------------------------------------------------------------- ________________ ૪ શ્રીપાળ કરતાં આવી પહેાંચ્યાં. તેમણે પૂછ્યું: ‘કાઈ ખાઇ તથા કુંવરને અહીંથી નાસી જતાં જોયાં ? ' કાઢિયા કહે, * કાણુ જાણે ભાઈ, અમને કાંઈ ખબર નથી. ’ સિપાઇઓ ચાલ્યા ગયા, રાણી ને કુંવર બચી ગયા. કાઢિયાએ ભૂખ્યા કુંવરને ખાવાનું આપ્યું. કુંવરની ભૂખ ટળી. પણ કાઢિયાનું અન્ન ખાવાથી ઉંબર જાતના કાઢ થયા. જેમ ઉંબરાના થડની છાલ ફાટ તેમ શ્રીપાળકુ ંવરનું શરીર ફાટી ગયુ`. બધાએ તેનું નામ પાડયું ઉંબર રાણેા. માથી આ શે જોયું જાય ? રસ્તામાં કાઇએ વાત કરી કે કૌશામ્બીમાં એક વૈધ છે. તે ગમે તેવા કોઢ મટાડે છે. એટલે રાણી કૌશામ્બી ચાલી નિકળી. તેણે સહુને કહ્યું કે ઉજેણી જઇને થાલજો. ત્યાં હું આવી મળીશ. કોઢિયાનુ ટાળુ ઉર્જાણી ચાલ્યું. : 2: ઉજ્જૈણીમાં પ્રતિપાળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat રાજા છે. તેને એ www.umaragyanbhandar.com Page #245 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ કુંવરીઓ છે. એકનું નામ સુરસુંદરી ને બીજીનુ નામ મયાં. ખંનેને રાજાએ ખૂબ ભણાવી. પછી એક દિવસ પરીક્ષા કરવા રાજસભામાં મેલાવી. અનેને પૂછ્યું: ‘ બાલેા, તમે બાપકર્મી કે આપશ્ચર્મી ! ' સુરસુંદરી કહે, ‘ બાપકર્મી મયાં છે, ‘આપકર્મી.’ આપકર્મી.’ રાજ્ય સુરસુરી પર રાજી થયા. મયણાં પર ખીજાયા. સુરસુંદરીને એક રાજાના કુંવર સાથે પરણાવી. મયણાંને માટે ખરાબમાં ખરાબ વર શેાધવાના વિચાર કર્યાં. રાજ નગર બહાર ફરવા નીકળ્યા ત્યાં કાઢિયાઓનુ ટાળુ જોયુ. જોતાંયે સહુને સુગ ચડે એવા એ માણસો. રાજાએ તેમાંથી ઉબરરાણાને પસંદ કર્યો ને મયણાંને તેની સાથે પરણાવી. પછી રાજા પછી રાજા કહે, ‘ ઢીકરી ! હવે આપકર્મી પણ્ તાવજે. ' મયણાં કહે, · શ્રેણી ખુશીથી પિતાજી ! જો મારામાં મારાપણુ' હશે તે દુઃખ ટળીનેય સુખ થશે. નહિતર આપતું આપ્યુ. કેટલી ધડી ટકવાનું છે ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #246 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાળ માયણ ને ઉંબરરાણે ચાલ્યા. મયણાં કહે, “સ્વામીનાથ ! ગામમાં ગુરરાજ છે. નેધારાને એ આધાર છે. દુખિયાના બેલી છે.' બંને દર્શને ગયા. ભક્તિભાવથી દર્શન કર્યા. પછી મયણએ પૂછયું: “ગુરુરાજ ! કૃપાકરીને કોઈ ઉપાય બતાવો જેથી મારા સ્વામીને રોગ ટળે ને શરીર સારું થાય.” ગુરુ કહે, “નવ આંબેલ કરો ને નવપદજીને આરાધે. સાચા ભાવે એ આરાધના કરશે તે નખમાં એ રોગ નહિ રહે. બંનેએ અબેલ કરવા માંડયા. જ્યાં એક આંબલ, બે આબેલ ને ત્રણ આંબેલ થયા ત્યાં શરીરમાં ફેર પડવા માંડી ને નવ આંબેલ પૂરાં થતાં તે બધે રોગ દૂર થશે. કાયા કંચન વરણી થઈ. સાતસો કેઢિયાઓએ પણ પ્રભુનાં નમણ લીધાં ને તેમના કોઢ દૂર થયા. મયણાસુંદરીને હરખ માય નહિ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #247 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ કમળપ્રભાને આ વાતની ખબર પડી એટલે રસ્તામાંથી પાછી ફરી ને ઉજજેણીમાં આવી મળી. - ગામમાં મયણાસુંદરીનું મોસાળ હતું. મામાને બધી વાતની ખબર પડી એટલે ગાજતે વાજતે ત્રણેને ઘેર તેડયાં. બહુ આદરમાન આપ્યાં ને રહેવાને જુદા રાજમહેલ આપ્યા. : 3: એક વખત શ્રીપાળકુંવર ઘોડે બેસી ગામમાં ફરવા નીકળ્યા છે. ત્યાં એક માણસે આંગળી ચીંધી કહ્યું: “એ ઘોડે બેસી રાજાના જમાઈ જાય!' શ્રીપાળે એ શબ્દો સાંભળ્યા એટલે તેમને એક વિચાર આવે ? ઉત્તમ આપ ગુણે સુણ્યા, મધ્યમ બાપ ગુણેણ અધમ સુણ્યા માઉલ ગુણે, અધમાધમ સસુરેણ. અર્થાત-પોતાના ગુણવડે ઓળખાય તે ઉત્તમ કહેવાય. બાપના ગુણવડે ઓળખાય તે મધ્યમ ગણાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #248 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ મામાના ગુણવડે ઓળખાય તે અધમ ગણાય ને સસરાના ગુણુવડે ઓળખાય તે તે। અધમાધમ ગણાય. • બિકાર છે મને કે સસરાના નામથી એાળખા` છું. ચાલ જીવ, હવે સસરાના ગામમાં ન રહેવું.' તે ઘેર આવ્યા ને મા તથા સ્ક્રીનીરજ માગી : અમે હવે પરદેશ જઇને ધન કમાઈશું ને તેના ખળે રાજ પાછું લઈશું. માટે રજા આપે.' મા તથા ચીને આ ગમે તે ક્યાંથીજ ? પણ આપણને ગમતુજ બધુ માંઈ થાડુ થાય છે ! વરસ દિવસે પાછા આવવાના વાયદા આપી શ્રીપાળક વર ચાલી નીકળ્યા. . ગામ, નગર તે નદીનાળાં પસાર કરતાં એક પહાડ આગળ આવ્યા. ત્યાં જ*ગલની અંદર એક માણસ વિદ્યા સાધે, તેને એક માણસની જરૂર. સારા માણસ સાચવનાર ન ઢાય તે। વિદ્યા બરાબર સાય નહિ. એટલે શ્રીપાળને પાસે રહેવાની વિન ંતિ કરી. શ્રીપાળ ત્યાં રહ્યા ને પેલાની વિદ્યા સિદ્ધ થઇ. એટલે તેણે રાજી થઈને બે વિદ્યાઓ આપી. એક જળતરણી ને બીજી શસ્ત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #249 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ સંતાપહરણી. એકથી પાણીમાં ન ડુબાય ને બીજથી શરીરે ઘા ન પડે. શ્રીપાળ કુંવર અહીંથી ચાલી નીકળ્યા. ચાલતાં ચાલતાં ભરૂચ બંદરે આવ્યા. અહીં ધવળ શેઠ નામને એક જબરદસ્ત વેપારી. પાંચ વહાણો માલનાં ભરીને દરિયાની સફરે જાય. શ્રીપાળને દેશાવર જેવાની હોંશ એટલે મહિને સે સેનામહેર ભાડું આપવાનું ઠેરવી વહાણમાં બેઠા. પવન અનુકુળ વા એટલે વહાણ ઉપડયાં. : 8: વહાણમાં માલિમ બેઠા પટ ને પુરત જુએ છે. સુકાનીઓ સુકાન સંભાળે છે. પ્રવતારો જેનારા ધ્રુવતારે જુએ છે. નિશાનીઓ પાણીનાં ઊંડાણ માપે છે. કરાણીઓ માલ સાચવે છે. માંજરીઓ પવન જુએ છે. પહેરાયતે પહેરા ભરે છે. ખારવાઓ સઢ ને દેર સંભાળે છે. હલકારાઓ હલેસાં મારે છે. વહાણ ભર દરિયે ચાલ્યાં જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #250 -------------------------------------------------------------------------- ________________ १० શ્રીપાળ એવામાં એક માંજરી માલ્સે શેઠજી ! ' આ ખખ્ખરકાટ નાંગરા. એટલે હાય તે લઇ પવન મધુરા મધુરી વાય છે. અંદર દેખાય છે ત્યાં વહાણુને ઘડીક જેને મીઠું પાણી ને ખળતણ લેવા લે. ' ધવળ શેઠ કહે, · વડાણુ ખખ્ખર કાટ બંદરે નાંગરા. ’ વહાણ બબ્બર કાટ ખરે નાંગયા. ત્યાં રાજાના સિપાઇએએ દાણ માગ્યું. ધવળશેઠ કહે, ‘ ક્રાણુ શેનું? અમારે અહીં ક્યાં વેપાર કરવા છે !' પણ સિપાઇએ માન્યા નહિ. ધવળશેઠ પણ માન્યા નહિ. એટલે રાજાએ લરકર માકહ્યું. લશ્કરે આવીને ધવળશેઠને પડયા ને ઝાડે ઉંધા માથે લટકાવ્યા. શ્રીપાળ કહે, ‘ ભુંડું કામ થયું. વાણિયે દાણુ આપ્યું નહિ ને હવે ગરદન મરાશે. વહાણ બધા જપ્ત થશે. ” એટલે તેમણે લશ્કરને આવી પડકાર દ્વીધા - ખબરદાર ! ધવળ શેઠના વાળ પણ વાંકા ક્રૌં તેા ! તમે હજી શ્રીપાળના હાયની સુખડી ચાખી નથી !' એમ કહી સરકરની સામે દાટ દીધી. , ત્યાં ભારે જંગ મચ્યા. પણ શ્રીપાળને ધા પડે નહિ. લશ્કરના માણસે ટપાટપ હેઠા પડે. થોડી વારમાં તે બધું લશ્કર છિન્ન ભિન્ન થઇ ગયું તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #251 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાળ ૧૧ શ્રીપાળે ધવળશેઠને બચાવી લીધા. ધવળશેઠે પિતાને જીવ બચાવવા ખાતર અર્ધા વહાણ શ્રીપાળને આપ્યા. બબ્બરકેટના રાજાને આ પરાક્રમી પુરુષની ખબર પડી એટલે તેમનું સામૈયું કર્યું. ભારે આગતાસ્વાગતા કરી અને પોતાની કુંવરી પરણાવી. હવે ધળવશેઠ બોલ્યા “ શ્રીપાળજી! રત્નદ્વીપ હજી ઘણે દૂર છે, રોકાવું પાલવે તેમ નથી. માટે ઝટ વિદાય લે.” શ્રીપાળે પિતાની સ્ત્રી સાથે વિદાય લીધી અને ધવળ શેઠે વહાણ હંકારી મૂક્યા. કેટલાક વખતે તે રત્નદ્વીપ બંદરે જઈ પહેંચ્યાં. અહીં ધવળશેઠ પિતાના તથા શ્રીપાળના કરિયાણાં વેચવા લાગ્યા. શ્રીપાળ આજુબાજુને મુલક જેવા લાગ્યા. ત્યાં પાસેજ એક પહાડ હતો. તે પહાડપર મંદિરનાં કમાડ બંધ થઈ ગયેલાં તે કઈથી ઉઘડે નહિ. ત્યાંના રાજાએ નક્કી કર્યું હતું કે જેનાથી એ કમાડ ઉઘડે તેને પોતાની કુંવરી પરણાવવી. અભુત પરાક્રમી શ્રીપાળે તે કમાડ ઉધાડયા ને ત્યાંના રાજાએ કુંવરી પરણાવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #252 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રીપાળ ધવળશેઠે પિતાના તથા શ્રીપાળના બધાં કરિયાણાં વેચી નવાં કરિયાણાં ભરી લીધાં. પછી વહાણ પાછા હંકાર્યા. શ્રીપાળ પિતાની બંને સ્ત્રીઓ સાથે કૂવાથંભના ગોખે બેસે છે ને આનંદ કરે છે. અહીં ધવળશેઠ વિચારવા લાગ્યા: “આ શ્રીપાળ હાથે પગે આજે હતો તેને આજ આટલી બધી રિદ્ધિસિદ્ધિ થઈ. બે બે તે રૂપાળી સ્ત્રી પર , અહા ! શું તેનું રૂપ છે ને ! જે બીપળને હું દરિયામાં ફેંકી દઉં તે સ્ત્રીઓ પણ મારી થાય ને ધન પણ મારું થાય. અહીં બીજું કાણ એનું છે? પણ કામ બહુ ખૂબીથી લેવું. આ વિચાર કરી જવળશેઠે શ્રીપાળની સાથે ખૂબ હેતથી વાતે કરવા માંડી. પછી એક વખત વહાણની કોરે માંચડે બાંધ્યો. તેના પર ચડીને ધવળશેઠે બૂમ મારી: “શ્રીપાળજી ! આવો આવો ! જવું હોય તે એક કેતુક છે.” શ્રીપાળકુંવરને મનમાં દગાની ગંધ પણ નહિ. તેઓ માંચડા પર આવ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #253 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ ૧૩ ધવળશેઠે તરતજ તેમને ધક્કો માને શ્રીપાળ દરિયામાં જઇ પડયા, દરિયામાં કાળું ભમ્મર પાણી. મકાન જેવડાં તે માંહિ મેાજા ઉછળે. મગર ને ખીજા ભય'કર પ્રાણીઓ બહાર ડેયિાં કરે. શ્રીપાળજીએ પડતાં પડતાં નવપજીનું ધ્યાન ધરી લીધુંને દરિયામાં તરવા માંડયું. જળતરણી વિદ્યાના પ્રતાપે તે તરતાં તરતાં ઢાંકણ દેશના કિનારે જઈ પહે ંચ્યા. થાકીને તે લેયાય થઇ ગયા છે. એટલે પાસેના જંગલમાં એક ચપાના ઝાડ નીચે જઈને સુતા. : ૬ : કાંકણુ દેશના રાજાની કુંવરી જુવાન થઈ છે. સારા વરની ખૂબ શોધ કરે છે પણ ક્યાંઈ સારા વર મળતા નથી. એટલે જોશીને બેાલાવીને જોશ જોવડાવ્યા. જોશી પણ્ બરાબર જોશ જોનાર. તેમણે કહ્યું કે અમુક વાર તે અમુક તિથિએ અમુક વખતે દરિયા કિનારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #254 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રીપાળ જજે. ત્યાં એક પ્રતાપી પુરુષ મળશે. તેને કન્યા પરણાવજે. આજે બરાબર તે જ તિથિ ને તેજ વાર છે. એટલે રાજાના સિપાઈઓ દરિયા કિનારે આવી પહોંચ્યા. જ્યાં જુએ છે ત્યાં ચંપાના ઝાડ નીચે એક મહા પ્રતાપી પુરુષ સુતે હતો. શ્રીપાળ કુંવર જાગે ત્યાં આજુબાજુ સિપાઈઓનું ટોળું. સિપાઈઓએ સલામ ભરીને કહ્યું: “પધારે રાજમહેલે. તમને રાજનાં આમંત્રણ છે.શ્રીપાળ રાજમહેલે ગયા. રાજા તેમને જઈ પ્રસન્ન થે. અને પિતાની કુંવરી પરણાવી. પછી તેમને એક હૈ સઃ સભામાં જે કંઈ નવીન માણસ આવે તેમને પાનનું બીડું આપવું. : ૭ : શ્રીપાળ દરિયામાં પડતાં ધવળશેઠે નીચ પ્રયત્ન કરવા માંડયા. સતીઓનું સત્ લુંટવા તેણે પ્રયત્ન કર્યા પણ તેમાં ફાવે નહિ. શ્રીપાળની બે સ્ત્રીઓ જીનેશ્વરનું નામ લે છે ને પિતાને વખત પસાર કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #255 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાળ ૧૫ એમ કરતાં ધવળશેઠનાં વહાણ કંકણ દેશના કિનારે આવ્યા. તે મોટી ભેટ લઈ રાજા પાસે ગયે. ત્યાં શ્રીપાળે પાનનું બીડું આપ્યું. ધવળશેઠ આ જોઈ આશ્ચર્ય પામે. મનમાં વિચારવા લાગેઃ “મારે હાલે આ અહીં ક્યાંથી ? દરિયામાં નાખી દીધા તેય જીવતે નીકળે ! ઠીક. બીજી કાંઈ યુકિત કરવા દે.' શ્રીપાળ તો હલકા કુળને છે એમ બતાવવા પ્રપંચ કર્યા. પણ આખરે પાપનો ઘડો ફુટી ગયે. રાજાએ જાણ્યું કે ધવળશેઠ મહાપાપી છે એટલે તેને ગરદન મારવા વિચાર કર્યો. પણ શ્રીપાળને મનમાં થયું કે ગમે તેવા હોય તોય ધવળ શેઠ મને આશરે દેનાર છે. તેમને એવી શિક્ષા ન ઘટે. તેમણે ધવળશેઠને છોડાવ્યા ને પિતાના મહેમાન બનાવ્યા. શ્રીપાળે ધવળશેઠ પર ઘણી મહેરબાની કરી પણ ધવળશેઠના મનમાંથી ઝેર જાય નહિ. તેમણે એક પાળેલી ચંદન મેળવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #256 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ રાત પડી એટલે તેને પુછડે દેરી બાંધી તે ઘોને ઉપર ફેંકી. છે જાણે લોઢાને ખીલે હોય તેમ ચૂંટી ગઈ. પછી વળશેઠે દેરીના આધારે ચડવા માંડયું. જ્યાં અરધે પહોંચ્યા ત્યાં હાથમાંથી દેરી સરકી ને ધવળશેઠ ભાગ લેતાં પત્થર પર પટકાયા. બિચારાના ત્યાં જ રામ રમી ગયા. ઘવળશેઠની બધી મિલકત તેમના મિત્રને સોંપી. રાજાની એક કુંવરીએ એવી પ્રતિજ્ઞા કરી હતી કે વીણા વગાડવામાં મને જીતે તેને જ પરણું. શ્રીપાળ તેને વીણા વગાડવામાં જીત્યા ને તેની સાથે લગ્ન કર્યા. એક અદભુત રૂપવાળી રાજકુંવરીએ સ્વયંવર રચાવ્યું હતું. ત્યાં શ્રીપાળ પહોંચ્યા ને વરમાળા તેમના કઠે પડી. એક રાજાની કુંવરીએ અમુક દૂહા પૂરા કરી આપે તેને પરણવાનું નક્કી કર્યું હતું. તે માટે તેણે એક ખાસ મંડપ તૈયાર કરાવ્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #257 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ ૧૭ હતે. દેશપરદેશથી અનેક માણસોએ ત્યાં આવી દૂહા પૂરા કરવા પ્રયત્ન કર્યો પણ કુંવરીને એકે દૂહે પિતાના મનના ભાવ પ્રમાણે લાગે નહિ. શ્રીપાળકુંવર રાજકુંવરીની આવી પ્રતિજ્ઞા સાંભળી ત્યાં ગયા અને સમશ્યા પછી. રાજકુંવરીની મુખ્ય સખીએ કહ્યું: “મનવાંછિત ફળ હોય ” એ કૂહાનું ચોથું ચરણ છે. એનાં પહેલાં ત્રણ ચરણ પૂરાં કરી આપે. શ્રીપાળે તરતજ નીચેને દૂહ કહ્યો અરિહંતાદિ નવપદે, સમરે જે મન કોય; નિશ્ચય તે નર શ્રેષ્ઠને, મનવંછિત ફળ હોય. આ રીતે બીજા પણ કેટલાક દૂહા પુરા કરી આયા. એથી તે રાજકુંવરી શ્રીપાળ રાજાને વરી. એક રાજાની કુંવરીને ઝેરી સાપ કરડ હતો. શ્રીપાળે તેનું ઝેર ઉતાર્યું ને રાજાએ તેમને એ કુંવરી પરણાવી. એક જગાએ રાધાવેધ સાથે તેને કુંવરી પરણાવવાની હતી. શ્રીપાળે રાધાદેવ સાથે ને કુંવરીને પરણ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #258 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રી પાળ આ પ્રમાણે પરદેશમાં આઠ સ્ત્રીઓ પરણીને ખૂબ ધન મેળવી લશ્કર સહિત ઉજેણીની પાસે તે આવી પહોંચ્યા. ઉજેણીના રાજાએ જાણ્યું કે કોઈ મેટે રાજા ચડી આવે છે એટલે તે શરણે આવે. શ્રીપાળ પિતાની માતા તથા મયણને મળ્યા ને ખૂબ રાજી થયા. આનંદને ત્યાં મોટો ઓચ્છવ માંડે. ત્યાં નાટકીઆઓની એક મંડળી નાટક કરવા લાગી. બધા નટ પોતપોતાના પાઠ આનંદથી ભજવે છે પણ એક નટી ઊભી ન થઈ. તેની આંખમાંથી ચોધાર આંસુ પડતાં હતાં. તપાસ કરતાં બધી હકીકત જણાઈ. તે નટી સુરસુંદરી પોતે હતી. તેને સ્વામી પિતાના શહેર જતાં લૂંટાયે હતું અને લૂંટારાએ તેને પકડીને વેચી હતી. આખરે તેને આ ધંધે કરવા વખત આવ્યો હતે. આ રીતે રાજાને આપકપણાની ને બાપન્મપણાની સાચી પરીક્ષા થઈ ગઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #259 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાળ હવે શ્રીપાળ પિતાનું રાજય લેવા લકર લઇને શુભ મુહૂર્ત ચાલી નીકળ્યા. ચંપાનગરી થોડે છેટે રહી એટલે સંદેશો કહેવડાવ્યેઃ “અજીતસેન રાજને માલમ થાય કે તમારો પુત્ર શ્રીપાળ જેને તમે પરદેશ હોશિયાર થવા મોકલે હતો તે આવી ગયું છે. તમે હવે ઘરડા થયા છે તો રાજ્ય અમને સોંપી ને ધર્મધ્યાન કરો.” અજીતસેને આ માન્યું નહિ. તેથી શ્રીપાળે તરતજ નગારે ઘાવ દી ને મોટી લડાઈ થઈ. તેમાં અજીતસેન હાર્યો. શ્રીપાળ ચંપાનગરીની રાજગાદીએ બેઠા. કાકાએ પોતાના પર જુલમ ગુજાર્યો હતો તે ભૂલી જઈને પણ તેમને માનભરી પદવી આપી. મોટા માણસેના દીલ કેવાં ઉદાર હોય છે? શ્રીપાળે રાજ્યમાં રૈયતને પૂબ સુખ આપ્યું. અને નવપદજીને મોટા ઠાઠમાઠથી ઓચછવ કર્યો. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ નવ વસ્તુઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #260 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ મળીને નવપદ કહેવાય છે. આ નવે પદને સુંદર ગોળ આકૃતિમાં ગઠવીને તેની પૂજા કરવામાં આવે છે. અજીતસેનને સમય જતાં વૈરાગ્ય થયે એટલે તેમણે દીક્ષા લઈને પવિત્ર જીવન ગાળ્યું. રાજા શ્રીપાળ તથા મયણ વગેર રાણીઓ પણ ઊંચું જીવન ગાળી સદગતિએ ગયાં. આજે પણ નવપદજીની એવી થાય છે ને સહુના મઢે શ્રીપાળ મહારાજનું નામ બોલાય છે. ધન્ય છે પરાક્રમી પુરુષોને ! ધન્ય છે સાચા ભાવે નવપદજીને આરાધનારને ! शिवमस्तु सर्वजगतः । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #261 -------------------------------------------------------------------------- ________________ ass=696%E6EGaæ, બાળ ન્યાવળી : પ્રથમ શ્રેણું ઃ ૧૪ @@ાર કુમારપાળ :: લેખક : ધીરજલાલ ટેકરશી શાહ @ @ @@ sw@@@@sex@@@@ઊલ્થકચ્છ @@ @ @ : સર્વ હક સ્વાધીન : @ @ આવૃત્તિ થી : કુલ નકલ ૪૫૦૦ : સં. ૧૯૯૧ @ મૂલ્ય સવાઆને. @ ex ex ole083 082EE22106 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #262 -------------------------------------------------------------------------- ________________ : પ્રકાશક : ધીરજલાલ કરશી શાહ ચિત્રકાર, બુકસેલર એન્ડ પબ્લીશર હવેલીની પોળ રાયપુરઃ અમદાવાદ આ પુસ્તક મુંબઈ ઇલાકા કેળ શું ખાતા તથા વડોદરા રાજ્ય કેળવણી ખાતા તરફથી ઇનામ લાયબ્રેરી માટે : : : મંજુર થયું છે. : : : ધી વીરવિજય પ્રીન્ટીંગ પ્રેસમાં શા. મણીલાલ છગનલાલે છાપ્યું. ઠેઃ રતનપોળ સાગરની ખડકી અમદાવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #263 -------------------------------------------------------------------------- ________________ - કુમારપાળ રૂડે રઢિયાળે ગુજરાત દેશ. તેના પર મહાપ્રતાપી સિદ્ધરાજ જયસિંહ રાજ્ય કરે. તેમને બધી વાતે સુખ પણ એક વાતે દુઃખ. પેટે પુત્ર નહિ. તે ચિંતા કરવા લાગ્યા કે આવું ફાલ્યુંકુલ્યું ગુજરાતનું રાજ્ય કેના હાથમાં જશે? તેમણે જેશીઓને બોલાવ્યા ને જેશ જેવડાવ્યા. જોશી કહે, “ મહારાજ ! આપની ગાદી કુમારપાળને જશે.' આ સાંભળી સિદ્ધરાજ ખેદ પામ્યા. મનમાં વિચાર કર્યો. “કુમારપાળ હલકા કુળમાં જન્મેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #264 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ માટે કોઈ પણ ઉપાયે તેને ગાદીએ ન આવવા દે. જો તે જીવત હશે તે જ ગાદીએ આવશે ને? માટે ચાલ એને મારી નંખાવું.”તે કુમારપાળને મારી નાંખવાને લાગ શોધવા લાગ્યા. કુમારપાળ દેથળીના ધણી ત્રિભુવનપાળના પુત્ર. તેમની સ્ત્રીનું નામ ભેપાળદે. તેમને મહિપાળ ને ને કિર્તિપળ નામે બે ભાઈ હતા. પ્રેમળદેવી ને દેવળદેવી નામે બે બહેન હતી. પ્રેમળદેવીને સિદ્ધરાજના સામંત કૃષ્ણદેવ સાથે પરણાવી હતી. દેવળદેવીને સાંભરના રાજા અર્ણરાજ સાથે પરણાવી હતી. કુમારપાળને ખબર પડી કે મહારાજા સિદ્ધરાજની મારા પર કરડી નજર છે. મને મારી નાંખવાને લાગે શોધે છે. એટલે તે પરદેશ જવાને વિચાર કરવા લાગ્યા. એવામાં સિદ્ધરાજે તેમના પિતાનું ખૂન કરાવ્યું. આ ખૂનની ખબર પડતાં કુમારપાળ સમજ્યા કે હવે મારે વારે આવે એટલે રાતોરાત પિતાનું કુટુંબ છોડીને ચાલી નીકળ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #265 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ કુમારપાળ બાવાના વેશે એક જગાએથી બીજી જગાએ રખડે છે. કોઇ દિવસ ખાવાનું મળે છે તે કઈ દિવસના ઉપવાસ પડે છે. એમ કરતાં કરતાં એજ વેશે એક વખત પાટણ આવ્યા. ત્યાં મહાદેવના મંદિરમાં પૂજારી થયા. બાપુ વધાઈ !” એક દિવસ સવારમાં સિદ્ધરાજને તેમના જાસુસે આવી સમાચાર આપ્યા. શું છે? મહારાજા સિદ્ધરાજે ગંભીરતાથી પૂછયું. કુમારપાળ જેવો જ એક માણસ આજે મહાદેવજીના મંદિરમાં મેં જોયે. મને લાગે છે કે એ પતેજ કુમારપાળ છે ! મહારાજા સિદ્ધરાજ આ સાંભળી થોડીવાર વિચારમાં પડયા. પછી બેલ્યા: “મારા પિતાજીનું પરમ દિવસે શ્રાદ્ધ છે. માટે મંદિરનાં બધા પૂજારીઓને જમણ આપે. તેમને હું મારા હાથે જ દક્ષિણ આપીશ.” મહારાજા સિદ્ધરાજની આજ્ઞા મુજબ મોટું જમણ ગોઠવાયું ને તે માટે ભાત ભાતનાં ભેજ તૈયાર થયાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #266 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ વખત થયો એટલે પંગત પડી ને બધા પૂજારીઓ પિતાંબર પહેરી જમવા બેઠા. કુમારપાળ પણ એમાં સામેલ હતા. એજ વખતે મહારાજા સિદ્ધરાજ લશ્કર લઇને આવી પહોંચ્યા. કુમારપાળ મનમાં સમજી ગયા કે નક્કી આજે મત આવ્યું એટલે જમતાં જમતાં ઉલટીનું બહાનું કાઢી મંદિરના પાછલા બારણે ગયા ને ત્યાંથી જીવ લઈને નાઠા. માથું ઉઘાડું, પગ ઉઘાડા, શરીર ઉઘાડું ને ખરા બપોર પણ શું કરે છે જે નાસતાં વાર થાય તે સિદ્ધરાજના સિપાઈઓ પકડી પાડે ને ભૂંડા માતે જ મરવું પડે. મહારાજા સિદ્ધરાજની બેઠક મંદિરના મુખ્ય દરવાજા પર ગોઠવાઈ હતી. તેમની આગળ સોનામહોરોથી ભરેલું એક વાસણ હતું. આસપાસ અધિકારીઓ ગેઠવાઈ ગયા હતા. બધા પૂજારીઓને કહી દેવામાં આવ્યું કે જમી રહ્યા બાદ મહારાજા પાસેથી દક્ષિણે લઈ જવી. જમી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #267 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ રહ્યા બાદ બધા પૂજારીઓ એક પછી એક ત્યાં આવવા લાગ્યા ને દક્ષિણા લઈ જવા લાગ્યા, પણ તેમાં કુમારપાળ ક્યાંએ જણાયા નહિ. મહારાજા સિદ્ધરાજે અધિકારીઓને ઈસારે કર્યો : કઈ હવે બાકી રહે છે? અધિકારીઓ બધા સ્થળે ફરી વળ્યા પણ કોઈ બાકી રહેલું જણાયું નહિ. એવામાં કેઈએ કહ્યું કે અમુક પૂજારીને જમતાં જમતાં ઉલટી થઈ હતી એટલે તે બહાર ગયેલ છે પણ હજી સુધી પાછા આવ્યું નથી. એથી સિદ્ધરાજને વહેમ પડે કે નક્કી કુમારપાળ છટકી ગયે. તેણે તરતજ ચારે બાજુ ઘોડેસવારો દેડાવ્યા. - કુમારપાળ નાસતાં નાસતાં બેએક ગાઉ દૂર નીકળી ગયા. પણ પાછળ ઘોડાની પડધીઓ સંભનાણું. તેમણે વિચાર્યુંહવે દેડયે પાર નહિ આવે. ક્યાંઈક સંતાવા દે.” ત્યાં નજર નાંખી તે ભીમસિંહ નામે એક ખેડૂત કાંટાની વાડ કરતો હતો. કુમારપાળ તેની પાસે ગયા ને પિતાને જીવ બચાવવા વિનંતિ કરી. ખેડૂતને દયા આવી એટલે કાંટાના ભારાની નીચે કુમારપાળને સંતાડી દીધા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #268 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ થોડીવારમાં પગલું શોધતાં રાજના સિપાઈઓ ત્યાં આવી પહોંચ્યા. તેમણે ભાલે મારી કાંટાને ભારે તપાસી છે. પણ કાંઈ પત્તો લાગે નહિ. એટલે શોધ કરવાનું છોડી દઈ ઘેર ચાલ્યા ગયા. રાતના વખતે ભીમસિંહે કુમારપાળને બહાર કાયા. તેમનું શરીર કાંટા વાગવાથી લોહીલુહાણ થઈ ગયું હતું. પીડાને પાર હેત. પણ અહીં ભવાને વખત હેતે એટલે મોટા પરોઢિયે તેમણે નાસવા માંડયું. ભૂખ્યા પેટે ને દુખતા શરીરે નાસતાં તે ખૂબ થાકી ગયા. મધ્યાન્ડ સમયે તે એક ઝાડ નીચે આરામ લેવા બેઠા. ત્યાં એક કેતુક જોવામાં આવ્યું. એક ઉંદર દરમાંથી એક પછી એક એમ એકવીશ રૂપિયા બહાર લાવ્યા. પછી તેમાંથી અંદર લઈ જવા લાગ્યો, તે એક રૂપિયે પાછો લઈ ગયે કે કુમારપાળે બાકીના વીસ રૂપિયા લઈ લીધા. ઉંદરે બહાર આવીને જોયું તે રૂપિયા નહિ એટલે તે માથું પટકીને મરણ પામે ! કુમારપાળ આ જોઈ દીલગીર થયા અને વિચારવા લાગ્યાઃ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #269 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ અહો ! આ પ્રાણીને પણ ધનપર કેટલે બધો મેહ છે. ને?' આ ધન લઇને તે આગળ ચાલ્યા. આજે ત્રીજો દિવસ હતો પણ હજી કાંઈ ખાવાનું મળ્યું નહોતું. પગ લથડિયા ખાતા હતા, આંખે અંધારાં આવતાં હતાં, શરીર આખું તૂટું તૂટું થઈ રહ્યું હતું. કુમારપાળ રસ્તા પરના એક ઝાડ નીચે આરામ લેવા બેઠા કે નીચે પડી ગયા ને બેભાન જેવા થઈ ગયા. તે હવે થાકીને લેથ પોથ થઈ ગયા હતા. એવામાં રૂમઝુમ કરતે એક રથ ત્યાંથી પસાર થયે. શ્રીદેવી નામની એક દયાળુ બાઈ તેમાં બેઠી હતી. સાસરેથી પિયેર જવા તે નીકળી હતી. તેણે જોયું કે કોઈ મુસાફર ભૂલથી નીચે પડી ગયો છે એટલે તેને તેણે ખાવાનું આપ્યું. કુમારપાળને આથી કાંઈક શાંતિ વળી. તે બોલ્યા “બહેન! તમારે ઉપકાર હું કદી નહિ ભૂલું.' અહીંથી કુમારપાળ પિતાના ગામ દેથી ગયા. પણ સિદ્ધરાજને ખબર પડતાં તરત જ ત્યાં લકર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #270 -------------------------------------------------------------------------- ________________ ૧૦ કુમારપાળ માલ્યું. કુમારપાળને લશ્કરની ખખર પડી. તેથી છુપાવાની જગા શેાધવા લાગ્યા. તે વખતે સજ્જન નામના કુંભારે તેમને પેાતાના નિંભાડામાં સંતાડી ઢીધા. રાજાનું લશ્કર આખું ગામ ઢુંઢી વળ્યું પણ કુમારપાળના પત્તો ન મળ્યા. એથી તે નિરાશ થઈને પાછું ગયું. : ૪ * અહીંથી પેાતાના કુટુંબને માળવા તરફ માકલીં કુમારપાળ પરદેશમાં નીકળી પડ્યા. ત્યાં વાસિરી નામના એક બ્રાહ્મણ સાથે દાતી થઈ. વાસિરીને લાગ્યું કે આ કાઈ પ્રતાપી પુરુષ છે. એથી ગામમાંથી ભિક્ષા માગી લાવીને કુમારપાળને ખવડાવે. પણુ આ હાલત વધારે વખત રહી નહિ. સિરી છુટા પડી ગયા ને કુમારપાળ ખૂબ દુ:ખી થવા લાગ્યા. તે રખડતાં રખડતાં ચિંથરેહાલ બની ભૂખથી પીડાતા ને દુઃખથી રીખાતા ખંભાત આવ્યા. અહીં હેમચંદ્રાચાર્ય' નામે એક જૈન આચાર્ય હતા. તેમનું જ્ઞાન અગાધ હતું. ચારિત્ર ખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #271 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ૧૧ નિર્મળ હતું. તેમણે કુમારપાળના લક્ષણપરથી પારખ્યું કે ભવિષ્યમાં આ ગજરાતને રાજા થશે. એટલે ત્યાંના મંત્રી ઉદાયનને ઘેર આશ્રય અપાવ્યું. આ વાતની પણ સિદ્ધરાજને જાણ થઈ ગઈ, એથી કુમારપાળને પકડી લાવવા લકર મોકલ્યું. લશ્કરે આવીને ઉદાયનના મકાનની જડતી લેવા માંડી એટલે કુમારપાળ ત્યાંથી છટકી ઉપાશ્રયમાં ગયા અને એક પુસ્તકના ભંડારમાં સંતાયા. લશ્કરી સિપાઈઓ ત્યાં પણ આવી પહોંચ્યા. પરંતુ કાંઈ પત્તો લાગે નહિ એટલે પાછા ગયા. અહીં શ્રી હેમચંદ્રાચાર્યે કુમારપાળને કહ્યું કે હવે દુઃખના દહાડા લાંબો લખત નથી. થોડા વખતમાં તમને ગુજરાતનું રાજ્ય મળશે. કુમારપાળ પિતાની હાલત જોઈ બેલ્યા કે ગુરુ મહારાજ ! આ તે શી રીતે મનાય? ત્યારે આચાર્ય મહારાજ ખાત્રીપૂર્વક કહ્યું. આ સાંભળી કુમાWાળ બેલ્યા જે આપનું વચન સાચું પડશે તે હું જૈનધર્મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #272 -------------------------------------------------------------------------- ________________ ૧૨ કુમારપાળ પાળીશ.” પછી ઊદાયન મંત્રી પાસેથી ચડી વાટખર્ચ લઈને દક્ષિણમાં ચાલ્યા. આમ ઘણું ઘણું રખડીને પિતાના કુટુંબને મળવા તેઓ માળવામાં ગયા. ત્યાં ખબર પડી કે સિદ્ધરાજ ખૂબ માં છે. એટલે કુટુંબ સાથે ગુજરાતમાં આવ્યા. સિદ્ધરાજ આખર પથારીમાં છે. તેમણે ઉદાયન મંત્રીને પુત્ર ચાહડને દત્તક લીધે છે. રાજય કુમારપાળને ન મળતાં ચાહડને મળે તે બાબત કરે છે. પણ બંદોબસ્ત પૂરા થતાં પહેલાં તે મરણ પામ્યા. આ સમાચાર સાંભળતાં જ કુમારપાળ પાટણ આવ્યા. રાજસભા કુમારપાળની લાયકાત સમજતી હતી. વળી તેમના બનેવી કૃષ્ણદેવે ખૂબ સહાય કરી એટલે ગાદી તેમને મળી. આ વખતે તેમની ઉમ્મર પચાસ વર્ષની હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #273 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળી - ૧૩ કુમારપાળને ગાદી મળતાં તેમણે પિતાનાં બધાં ઉપારી જનને યાદ કર્યા. ભોપાળદેને પટરાણું બનાવી. ભીમસિંહને પિતાને અંગરક્ષક બનાવ્યું. શ્રીદેવીના હાથે રાજ્યતિલક કરાવ્યું ને ધોળકા ગામ ઈનામમાં આપ્યું. સજજનને સાત ગામને સુબે કર્યો. સિરીને લાટ દેશનો હાકેમ નિમે. ઉદાયન મંત્રીને પ્રધાન બનાવ્યા. તેમના દીકરા વાટને નાયબ દિવાન કર્યા. શ્રી હેમચંદ્રાચાર્યને ગુસ્થાને સ્થાપા ને કસ્ટક વાણિયાને વડોદરા ગામ ઈનામમાં આપ્યું. કુમારપાળ ગાદીએ આવતાં ઘણા રાજાઓ એમ માનવા લાગ્યા કે તે નિર્બળ છે. એટલે કેઈએ ખંડણી ભરવાની ના કહી. કોઇએ બંડ કરવા માંડયા. પણ કુમારપાળ ખૂબ બહાદુર હતા, તેમણે પોતાના મજબૂત લકરથી અજમેરના અર્ણોરાજને વશ કર્યો, માળવાના બલ્લાલને વશ , કંકણના મલ્લિકાજુનને વશ કર્યો, સેરઠના સમરસિંહને વશ કર્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #274 -------------------------------------------------------------------------- ________________ ૧૪ કુમારપાળ બીજા પણ નાના મોટા ઘણા રાજાઓને જીત્યા ને અઢાર દેશમાં પિતાની આણ ફેલાવી. કુમારપાળના રાજ્યની સરહદ ઉત્તરમાં પંજાબ સુધી ને દક્ષિણમાં વિંધ્યાચળ સુધી હતી. પૂર્વમાં ગંગ સુધીને પશ્ચિમમાં સિંધુ સુધી હતી. એમના જેટલો રાજયવિસ્તાર ગુજરાતમાં કોઈ રાજાએ કર્યો નથી. તેઓ પિતાના ગુરુ શ્રી હેમચંદ્રાચાર્યની ખૂબ ભકિત કરતા ને દરેક કામમાં તેમની સલાહ લેતા. ગુરુરાજ પણ એવા હતા કે રાજાને બરાબર સલાહ આપતા ને તેનું કલ્યાણ થાય તેમ કરતા. કુમારપાળે આ ગુરુરાજના કહેવાથી જ વાંઝીયાનું ધન લેવું બંધ કર્યું. તેની સરેરાશ ઉપજ ૭૨ લાખ હતી. પિતાની આણમાં આવેલા અઢારે દેશમાં જીવહિંસા નહિ કરવાનો હુકમ કાઢો. તેમનાથ મહાદેવના મંદિરને સમરાવ્યું. અને બીજા નાના મોટાં અનેક દહેરાસર તથા પ્રજાને ઉપયોગી કામ કર્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #275 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ તારગા, ઈડર, ધંધુકા વગેરેનાં દહેરાં એમના બંધાવેલાં છે. કુમારપાળનાં રાજ્યમાં હેતે દુકાળ, નહોતે ચોરચખારને ભય. બધા સુખી ને આનંદી હતા. અઢારે આલમ સંપીને રહેતી હતી. પશુપંખી પણ શિકાર બંધ થવાથી નિર્ભયપણે ફરતા હતા. - કુમારપાળ દિવસે દિવસે પિતાનું જીવન પવિત્ર કરવા લાગ્યા ને છેવટે તેમણે પોતાના મન, વચન અને કાયાને ઘણું પવિત્ર બનાવ્યાં. આથી તેઓ મહર્ષિ કહેવાયા. તેમણે કરેલા કામની ટુંકી ગણત્રી આ રહી ૧૪૦૦ જિનમંદિર બંધાવ્યા. ૧૬૦૦ જીર્ણ મંદિરને ઉદ્ધાર કરાવ્યું. સાત વખત તીર્થયાત્રા કરી. તેમાં પહેલી યાત્રામાં નવલખી પૂજા કરી. વાંઝીયાનું ધન લેવું માપ્ત કર્યું. પ્રતિવર્ષ એક કોડ રૂપિયા શુભ માર્ગમાં ખર્ચા. ૨૧ જ્ઞાન ભંડાર કરાવ્યાં ને હજારે પુસ્તક લખાવ્યાં. ૭૨ સામંત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #276 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ પર પિતાતી આજ્ઞા ચલાવી ને અઢાર દેશમાં અહિંસા પળાવી. - ત્રીસ વર્ષ સુધી આ રાજર્ષિએ રાજ્ય કર્યું. તે દરમ્યાન તેમણે બધી જગાએ સુખશાંતિ ફેલાવી. પ્રજાની ખૂબ આબાદી કરી. પછી થોડા વખતે ગુરુરાજને દેહ પડયો એટલે બહુ શોક થે. આ શેકની તેમના શરીર પર બહુ અસર થઈ હવે તેમની ઉમ્મર પણ ૮૧ વર્ષની થઈ હતી. એટલે તે મરણ પામ્યા. કુમારપાળ જેવા રાજા ને હેમચંદ્રાચાર્ય જેવા ગુર આ કાળમાં કઈ થયા નથી. એમનાં જેટલાં વખાણ કરીએ તેટલાં ઓછાં છે. કુમારપાળ જેવા અનેક રાજાઓ થાવ ને જિન ધર્મને વિષે વાવટા ફરકાવે. शिवमस्तु सर्वजगतः। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #277 -------------------------------------------------------------------------- ________________ પથડકુમાર નિમાડ દેશમાં નાંદુરી ગામ. ત્યાં પેથડ નામે એક શ્રાવક રહે. તેના પિતા દેદાશાહ ઘણું પૈસાદાર. પણ તે મરણ પામ્યા ને ધન ચાલ્યું ગયું. એટલે પેથડ ખુબ ખરાબ હાલતમાં આવી પડે. બિચારાને ન મળે પૂરું ખાવા કે ન મળે પૂરું ઓઢવાપહેરવા. જેમતેમ કરીને પેટગુજારે કરે. તેને પદ્મિની નામે એક સ્ત્રી હતી, ઝાંઝણ નામે એક પુત્ર હતું. ત્રણે માણસ ખુબ ભલા ને ધર્મના અનુરાગી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #278 -------------------------------------------------------------------------- ________________ પેથડકુમાર એક વખત ગામમાં કોઈ વિદ્વાન મુનિમહારાજ પધાર્યા એટલે બધા તેમને ઉપદેશ સાંભળવા ગયા. પેથડ પણ ગયા. ત્યાં મુનિ મહારાજે અમૃત શી મીઠી વાણીથી પવિત્ર જીવન સમજાવ્યું. બ્રહ્મચર્યનું પાલન કરે, સંતોષને ધારણ કરે, તપથી શરીર ને મનને સંયમ કેળવો, પ્રભુભકિતથી હૃદયને પવિત્ર બનાવો. આ ઉપદેશની ઘણાને અસર થઈ. કોઈએ બ્રહ્મચર્યોના વ્રત લીધાં, કોઈએ અમુક જ માલમિલકત રાખી બાકીની મિલક્ત સારા કામે ખર્ચ નાંખવાનાં વ્રત લીધાં, કેઈએ અમુક તપ કરવાનાં વ્રત લીધી ત્યારે પેથડ બિચારે પિતાના દુખી જીવનને વિચાર કરતો બેસી રહે. ચિંથરેહાલ પેથડને જોઈ કેટલાક મશ્કરાઓ બોલ્યા “ગુરુ મહારાજ ! બધાને આપે કંઈ કંઈ વ્રત ઉચરાવ્યા પણ આ પેથડ તો રહી ગયે! એને પરિગ્રહ ( માલ મિલક્ત ) નું માપ કરાવો એ પણ લાખ વરસે લખેસરી થાય તેમ છે!” ભા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #279 -------------------------------------------------------------------------- ________________ પેથડકમાર આ સાંભળી સાધુ બોલ્યાઃ “મહાનુભાવો ! આવું બોલવું ઠીક નથીઃ ધનને મદ કદી કોઈએ કરજ નહિ. ધન તે આજ છે. ને કાલે નથી. કોણ જાણે છે કે કાલ સવારે એ પેથડ તમારા સહુના કરતાં વધારે પૈસાદાર નહિ થાય !” માહ પછી સાધુએ પેથડને કહ્યું: “મહાનુભાવ ! તમે પરિગ્રહનું માપ કરે.” પેથડ કહે, “ગુરદેવ મારી પાસે માલ મિલક્ત છે જ ક્યાં કે માપ કરવાનું હોય?” સાધુ કહે, આજ એવી હાલત છે ને કાલ સુધરી જાય. માટે તમે પરિગ્રહનું માપ તે કરી જ છે. પેથડ કહે, “તે જેવી આપની આજ્ઞા.” સાધુ મુનિરાજે પેથડને વ્રત આપ્યું: “પાંચ લાખ રૂપિયા સુધીની મિલક્ત રાખી બાકીની ધર્મના કામમાં ખર્ચી નાંખવી.” પેથડને લાગ્યું કે આ છુટ તે ઘણી વધારે છે. જ્યાં પાંચ હજાર મળવાના સાંસા છે ત્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #280 -------------------------------------------------------------------------- ________________ પેથડકુમાર પાંચ લાખની છુટ તે રખાય ? પણ ગુરુજીએ એ છુટ આપી છે તે બહુ વિચાર કરીને આપી હશે.” એમ જાણી પેથડ ઘેર ગયે. પેથડની હાલત દિવસે દિવસે બગડવા લાગી. બે ટંક ખાવાનું પણ મુશ્કેલીથી મળવા લાગ્યું. એટલે તે પોતાનું ગામ છોડી કુટુંબ સાથે બહાર ગામ ચાલી નીકળે. એ વખતે માળવામાં માંડવગઢ નામે જબરજસ્ત શહેર હતું. ત્યાં હજારો શ્રીમંત રહેતા હતા. લાખો ને દોડેને વેપાર કરતા હતા. પેથડે ધાર્યું કે માંડવગઢ જવા દે. ત્યાં પેશુજારો સહેલાઈથી થઈ શકશે. એટલે તે માંડવગઢ આવ્યું. અહીં બાપ દીકરાએ ઘીની દુકાન કરી. ગામડાની ભરવાડણો ધી વેચવા આવે તેમની પાસેથી ઘી ખરીદે ને દુકાને તે વેચે. બાપ દિીકરો બંને વચનના સાચા, દાનતના ચોખા. તેમની દુકાને નાનું આવ્યું તે એક ભાવ ને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #281 -------------------------------------------------------------------------- ________________ પેથડકુમાર મોટું આવ્યું તે એક ભાવ. વળી માલમાં સેળભેળ નહિ. જેવો માલ બતાવે તેવોજ માલ આપે. આથી થડા વખતમાં તેમની છાપ બહુ સારી પડી. એક વખત એક ભરવાડણ ઘીને ગાડવો લઈને પેથડની દુકાને આવી. તેણે પેથડને કહ્યું શેઠ ! રાખવું છે ઘી? પેથડે થી જોયું. અહા ! શું સરસ ધી ? દાણાદાર ને ખૂબ સુગંધી. પેથડે કહ્યું: “હા બાઈ ! લાવો ધી.” ભરવાડણે ઘીને ગાડવો ઉતાર્યો ને પેથડ તેમાંથી ધી જોખવા લાગે. પેથડ ગાડવામાંથી ઘી કાઢે પણ ઘી ખૂટેજ નહિ. આ જોઈ તે વિચારમાં પડેઃ “જરૂર આ ગાડવામાં કાંઇક કરામત છે.” એટલે ગાડવો ઊંચે કરીને જે તે નીચે એક વેલની ઈંઢોણી. તે પારખી ગયે કે નક્કી આ ચિત્રાવેલી છે. તે સિવાય ગાડવામાં થી ફરી પરીને બરાય નહિ. આથી તેણે ભરવાડણ પાસેથી ઢાણી સહિત ગાડ ખરીદી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #282 -------------------------------------------------------------------------- ________________ પેથડકુમાર લીધે. ભરવાડણ ચાલી ગઈ. પેથડ તથા ઝાંઝણ ખૂબ રાજી થયા. ગરીબ પેથડનું નશીબ થોડા વખતમાં જ પલટાઈ ગયું. તેને પુષ્કળ ધન મળવા લાગ્યું. હવે આ બાપદીકરા સહુને હેશિયાર લાગવા માંડયા. તેમના ખૂબ વખાણ થવા લાગ્યા. ત્યાંના રાજા સિંહે આ વખાણ સાંભળ્યા એટલે તેમને બોલાવ્યા ને તેમની ચતુરાઈની પરીક્ષા કરી. રાજાને ખાતરી થઈ કે બંને મહા ચતુર છે એટલે પેથડને પ્રધાન ને ઝાંઝણને નગરને કોટવાલ બનાવ્યું. જુના પ્રધાનને પેથડની અદેખાઈ થઈ કે. આ આજકાલને વાણિયે શું માંડવગઢને મંત્રી બની જાય ? એટલે તેણે રાજા આગળ આવી ચાડી કરી: “ મહારાજા ! આ પેથડ પાસે ચિત્રાવેલી છે. તે આપને બરાબર કામની છે. જો આપની પાસે એ આવે તે આપના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #283 -------------------------------------------------------------------------- ________________ પેથડકુમાર ભંડાર કદી ખાલી ન થાય. રાજાએ પેથડને બોલાવીને તે વિષે પૂછયું. પેથડે જેવું હતું તેવું કહી દીધું અને ઉમેર્યું: “મહારાજ ! આજથી એ ચિત્રાવેલી આપને ભેટ છે. રાજા બહુ હરખા. પેથડમંત્રીએ પ્રજાના ઘણું કર ઓછા કરાવી નાંખ્યા, રૈયતને બને તેટલી સુખી કરી. એક વખત તેઓ થોડા વખતની રજા લઈ જાત્રાએ ગયા. જીરાવલા પાર્શ્વનાથની યાત્રા કરીને આબુ ગયા. આબુના સુંદર મંદિર જોઈ તેમને અત્યંત આનંદ થશે. આબુ પર અનેક જાતની વનસ્પતિઓ ને જડીબુટ્ટીઓ થાય છે. એમ કહેવાય છે કે પેથડ મંત્રીને અહીંથી એવી વનસ્પતી મળી કે જેથી સોનું બનાવી શકાય. ભાગ્યશાળીની બલિહારી છે કે ચિત્રાવલી ગઈ ને સુવર્ણ– સિદ્ધિ મળી ! પેથડકુમારની રિદ્ધિસિદ્ધિ ખૂબ વધી ગઈ. રાજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #284 -------------------------------------------------------------------------- ________________ પેથડકુમાર મહારાજાના ખજાના પણ એની પાસે ઝાંખા પડે. જે માલ કોઈ ન ખરીદી શકે એ પિથડકુમાર ખરીદે એવી તે બજારમાં એમની આંટ. એક વખત ગામમાં અત્તર વેચવાવાળો આવે. એની પાસે ઊંચામાં ઊંચું અત્તર. એની કિંમત સાંભળી ભલભલા ગભરાઈ જાય. અત્તરવાળો ગામમાં પૂબ ફર્યો પણ અત્તર ન વેચાયું. આખરે નિરાશ થઈ એ બીજે ગામ જવા તૈયાર છે. એ વખતે કોઈએ પિથડકુમારનું નામ લીધું. અત્તરવાળાને લાગ્યું કે જયારે રાજા અત્તર ન લઈ શક્યો ત્યારે એનું શું ગજું? પણ લેકેએ બહુ કહ્યું એટલે અત્તરવાળે પેથડકુમાર પાસે ગયે. પેથડકુમાર નહાવા બેઠા હતા. ત્યાં અત્તરવાળો જઈ પહોંચ્યો. અત્તર કાઢીને આગળ મૂક્યું. તેમણે અત્તરને ભાવ પૂછયે. અત્તરવાળે હસી પડ. પેથડકુમારે પૂછ્યું: “ભાઈ ! કેમ હસે છે ?” અત્તરવાળાએ કહ્યું: “આ ગામમાં ભાવ પૂછનારા ઘણા છે પણ લેનાર કોઈ દેખાતું નથી. આ જવાબ સાંભળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #285 -------------------------------------------------------------------------- ________________ પિચડકુમાર પેથડકુમારે આજ્ઞા કરી : “ તારૂં બધું અત્તર આ પાણીની કુંડીમાં નાંખી દે.” અત્તરવાળે અજાયબ થઈ ગયા. એણે બધું અત્તર રંડીમાં ઢાળી દીધું. પેથડકુમારે એનાથી સ્નાન કર્યું. થોડીવારમાં ખજાનચીએ હાજર થઈ અત્તરવાળાને મૂલ્ય ચૂકાવી દીધું. અને સરવાળાના આશ્ચર્યને પાર ન રહ્યા. એક વખત નગરમાં એક વિદ્વાન આચાર્ય પધાર્યા. પેથડકુમારે તેમને ભક્તિથી વંદન કરીને વિનયથી પ્રશ્ન કર્યો. ગુરુદેવ ! મારે પાંચ લાખ રૂપિયાનું માપ છે. હાલમાં ધન તેથી વધી ગયું છે. સારા કામમાં ખર્ચવાની મારી ઇચ્છા છે. તો આપ કહે કે કયા માર્ગમાં ખર્ચ કરૂં ?” મુનિ કહે, “ભાઈ !આ સમયમાં જિનેશ્વરનાં મંદિરે બાંધવાની જરૂર છે. તમારું ધન તે રસ્તે વાપરો. પેથડકુમારને આ વાત ગમી ગઈ. તેમણે પોતાના નોકરને બોલાવ્યા. દેરાસરની બધી સામગ્રી તૈયાર કરવાની આજ્ઞા આપી. દેશ દેશથી શિપીઓ બોલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #286 -------------------------------------------------------------------------- ________________ - -- ૧૦. પેથડકુમાર વ્યા. દૂર દૂરથી હોંશિયાર કારીગર નોતર્યા. જોતજેતામાં હજારો મજૂરે ને કામ કરનારાઓ હાજર થઇ ગયા. જમીનની પસંદગી થઈ. સારા દિવસે મુહૂર્ત થયું ને કામ ઝપાટાબંધ આગળ ચાલ્યું. થોડા વખતમાં માંડવગઢમાં મોટું દહેરાસર બંધાઈ ગયું. એની સુંદરતાની શી વાત ? દેશ દેશાવરથી લેકે જોવા આવ્યા. જિનેશ્વર દેવનાં દર્શન કરી પવિત્ર થયાં. પેથડકુમાર પણ ખૂબ હરખાયા. ધનને સુંદર ઉપયોગ થયો. પેથડકુમારે એમાં અઢાર લાખ રૂપિયા ખર્ચા. હવે તે તેમના મનને ઉમંગ વળે. જયાં જયાં જિનેશ્વરનાં મંદિરે નહતાં ત્યાં બંધાવવા માંડયાં.. આવું જ એક દહેરાસર દેવગિરિ ઉપર બાંધ્યું. બીજાં પણ ઘણાં દહેરાસર બંધાવ્યાં. કહેવાય છે કે તેમણે બધાં મળીને ચોરાશી દહેરાં બંધાવ્યાં. પેથડકુમારનું ધન વધ્યું તેમ ગુણ પણ વધ્યા. જેમ ફળ આવે અને આંબે નમતો જાય તેમ પેથડકુમારમાં પૈસાની નમ્રતા વધતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #287 -------------------------------------------------------------------------- ________________ ૧૧ પેથડકુમાર ગઈ. મનમાં જરાય મોટાઈ નહિ, જરાય અહંકાર નહિ. ધર્મ ઉપર અટલ શ્રદ્ધા, જિનેશ્વર પર અત્યંત ભક્તિ. પિતાના ધર્મબંધુએ તરફ પણ ખૂબ પ્રેમ. કોઈને જરા દુખી જુએ તે પોતે દુઃખી થાય. કાઈને આગળ વધતે જુએ તે આનંદ પામે. bઈ પણ સ્વધામ મળે તે તેમને હરખ થાય. જે પોતે ઘોડે બેઠા હોય ને તે મળે તે નીચે ઉતરે ને માન આપે. મોટાઈ તો રૂંવાડામાંય નહિ. કેઈ સ્વધમી ખરાબ રસ્તે ચાલતો હોય તે ખાનગીમાં બેલાવી સારી સલાહ આપે. કોઈ ભીડમાં હેય તે ગુપ્ત મદદ કરે. કેઇના માથે આફત આવે તે તરત પડખે જઈને ઊભા રહે. જયારે જાઓ ત્યારે પેથડકુમાર મદદ માટે તૈયારજ હેય. પિતાનું બગાડીને પણ બીજાનું સુધારવાની તેમની ઈચ્છા. આ ગુણથી પેથડકુમાર બધે ખૂબ વખણાવા લાગ્યા. લેકે તેમને માન આપવા લાગ્યા ને સારા કામમાં આગળ કરવા લાગ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #288 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પેથડકુમાર પેથડકુમાર બત્રીસ વર્ષના થયા. આ વખતે તેમણે બ્રહ્મચર્યનું વ્રત લીધું. વ્રત લઈને તેને દીપાવ્યું. એવી શુદ્ધતા જાળવી કે લેકમાં અજબ પ્રભાવ પડે. કોઈ રોગી એમના ઘેર જાય ને પેથડકુમાર હાથ અડાડે કે રોગી સારો. થઈ જાય. કેઈને કંઈ દુઃખ હોય કે તેમને ત્યાં પહેચે. શીલના પ્રભાવે લેકની શ્રદ્ધા ફળવા લાગી. ધારેલા કામ સિદ્ધ થવાં લાગ્યાં. લોકોમાં ખૂબ વાહવાહ બેલાવા લાગી. એક વખત જયસિંહના રાણી લીલાવતીને તાવ ચઢયે. તે એવો ચઢયો કે કેમે કરતાં ઉતરેજ નહિ. ભલભલા વૈદહકીમો આવી ગયા, ભૂવાભગત ધુણી ગયા પણ કંઈ ન થયું. રાણીને શરીરે બળતરા ચાલુજ રહી. આખું અંગ જાણે શેકાઈ જાય. ઉંધ કે આરામનું તે નામજ નહિ. રાણી ચીસ પર ચીસ નાખે. એવામાં કોઈએ વાત કરી કે પેથડકુમારનું વસ્ત્ર લાવીને ઓઢાડો. તરતજ શાન્તિ થઈ જશે. અને નેકરને હુકમ થયે. પેથડકુમારનું વસ્ત્ર આવ્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #289 -------------------------------------------------------------------------- ________________ પેથડકુમાર ને રાણીને ઓઢાડયું. ત્યાં ચમત્કાર જેવી વાત બની. રાણીની બળતરા સમી ગઈ ! તાવ ઉતરી ગ! આખું શરીર ઠંડુ પડયું ને થોડી વારમાં આંખ મીંચાઈ ગઈ. રાણી ધસઘસાટ ઉંધવા લાગી. આ બનાવ જોઈ એક અદેખી દાસીએ રાજાને ભંભે કે લીલાવતી પ્રધાન સાથે પારમાં છે. તેથી તે એમનું વસ્ત્ર ઓઢીને સુઈ ગઈ છે. રાજા આ સાંભળી ખૂબ ખરસે થયા. મંત્રીને કેદ કર્યો. રાણીને જંગલમાં લઈ જઈ મારી નાંખવાને હુકમ કર્યો. રાજાના એકાએક આવા હુકમથી સહુને નવાઈ લાગી. મારાઓ લીલાવતીને લઈ જંગલમાં ગયા. પણ મારતાં તેમની જીગર ચાલી નહિ એટલે છોડી મૂકી. રાણી વેશ પલટીને નગરમાં આવી. ઝાંઝણકુમારે કુશળતાથી તેને પોતાના ઘરમાં છુપાવી. ૪ ૫: એક વખત રાજાના હાથીએ ખૂબ દારૂ પી એટલે ગાંડે થઈ ગયે. ડીવાર તેજાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #290 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પેથડકુમાર કરી બેભાન થયે ને ધરણી પર ઢળી પડે. રાજાને વહાલા હાથીની આ હાલત જોઈ ખૂબ દુ:ખ થયું. ઘણા ઘણા ઉપાય કર્યા પણ હાથીને ઠીક થયું નહિ. એવામાં પેલી દાસીએ કહ્યું : “મહારાજ ! જે પેથડકુમારનું વરસ લાવીને હાથીને ઓઢાડે તે હાથી ઊભે થાય. રાજાએ તેમ કર્યું તે હાથી એકદમ સાજો થયા. પછી દાસીએ બધી વાત કહી : “રાણી લીલાવતીને સખત તાવ આવે હતો એટલેજ આ વસ્ત્ર ઓઢાડયું હતું વગેરે. આ સાંભળી રાજાને ખૂબ શક થે. તેમણે પેથડકુમારને કેદમાંથી છોડી મૂક્યા ને માફી માગી. જયસિંહ હવે લીલાવતીને શોક કરવા લાગ્યા. આ જોઈ પેથડે કહ્યું: “મહારાજ ! રાણી લીલાવતીને થોડા વખતમાં મેળવી આપીશ. આપ શેક કરશો નહિ.” “શું રાણી લીલાવતી જીવતી છે ?” જયસિંહ આશ્ચર્ય પામ્યા. પછી પેથડે બધી વાત જાણી હતી તે રાજાને કહી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #291 -------------------------------------------------------------------------- ________________ પેથડકુમાર પ રાજાએ લીલાવતીને તેડાવી ને તેની માફી માગી. ત્યારબાદ બને સુખેથી રહેવા લાગ્યા. : ૬ : હવે પેથડકુમારને ધડપણ આવવાની શરૂઆત થઇ. આ વખતે તેમનું મન વધારે સેવાભાવવાળું બન્યું અને કાઢવાની મરજી થઇ. પવિત્ર બન્યું, વધારે તેમને સિદ્ધાચળના સંધ માટેા સંધ કાઢી તે સિદ્ધાચળ ( શત્રુંજય ) ગયા. ત્યાં આદિનાથ પ્રભુની ખખ ભક્તિ કરી. ત્યાંથી તે ગિરનાર ગયા. ત્યાં એક સંધવી સાથે ચડસાચડસી થતાં ૫૬ મણ્ સનું બેાલી ઇંદ્રમાળ પહેરી. આ યાત્રા કરીને પેથડકુમાર માંડવગઢ પાછા આવ્યા. ત્યાં પેાતાના જાતભાઇઓને ઘણી મંદા કરી. વળી લાંહુઆએ બેસાડી અનેક પુસ્તકા લખાવ્યા ને તેના માટા મેાટા સાત ભંડારા કરાવ્યા. હવે પેથડકુમાર ઘણા વખત પ્રભુભકિતમાંજ ગાળે. સવાર સાંજ પ્રતિક્રમણ કરે, ત્રણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #292 -------------------------------------------------------------------------- ________________ ૧૬ પેથડકુમાર મત્રીશ્વરના આ વખત પ્રભુપૂજા કરે. આમ કરતાં તેમને લાગ્યું કે હવે મારા મરણુકાળ નજીક છે એટલે તેમણે તીર્થંકર દેવનું ધ્યાન ધરી લીધું અને શાંતિથી આયુષ્ય પૂરૂં કર્યું. આયુ માંડવગઢ મરણથી ઢીલગીર થયું. ઝાંઝણકુમારના શાકને પાર રહ્યો નહિ. તે શાક દૂર કરવાને તેમણે શત્રુંજયના એક મહાન સંધ કાઢયા. એ સધમાં બાર હજાર ગાડાંને પચીશ હજાર 1ઠીયા હતા. ક્ષણા સાધુ મુનિરાજ ને બે હજાર તા ચાકી કરનાર સિપાઇઓ હતા. આપ ઢીકરાની જોડી ધમ ભાવનાથી ભરપૂર હતી. તેમણે પેાતાના ઊંચા જીવનથી જૈન ધર્મને દીપાવ્યા છે. આવા અનેક રત્ના જૈન સમાજમાં પાા ને જગતમાં શાંતિ ને પ્રેમની સ્થાપના કરી. જૈન શિક્ષણ પત્રિકા ( માસિક ) તંત્રી: ધીરજલાલ ટાકરશી શાહ. વાર્ષિક લવાજમ ફક્ત રૂા. ૧). આજેજ ગ્રાહક અનેા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #293 -------------------------------------------------------------------------- ________________ વિમળશાહ ગુજરાતના પહેલા રાજા વનરાજ થયા. તેમના સેનાધિપતિ લાહિર નામે શ્રાવક હતા. તે ખૂબ પ્રતાપી ને બહાદુર હતા. તેમની નસેનસમાં ક્ષત્રિયનું લેહી વહેતું હતું. તેમને વીર નામે એક પુત્ર થયે. તે પણ ખૂબ સાહસિક ને શૂર હતે. ધર્મ પર અત્યંત પ્રેમ રાખતે હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #294 -------------------------------------------------------------------------- ________________ વિમળશાહ તેને વીરમતી નામની કન્યા સાથે પરણાવ્યઆ વીરમતીથી તેને બે પુત્રો થયા. એકનું નામ ને ને બીજાનું નામ વિમળ. વિમળ બત્રીસલક્ષણ બાળ છે. બીજના ચંદ્રની માફક હંમેશ વધતું જાય છે. તે પાંચ વર્ષને થયે એટલે પિતાએ તેને નિશાળમાં મૂક. ત્યાં શેડા વખતમાં તે ખૂબ સારું ભણીને ઘેર બેઠે. પિતાએ જાણ્યું કે પુત્રો હવે ગ્ય ઉમ્મરના થયા છે એટલે ઘરને બધે ભાર તેને માથે નાખ્યું અને પોતે દીક્ષા લઈને ચાલી નીકળ્યા. જતાં જતાં તેમણે શિખામણું આપીઃ “પુત્ર ! નિડર થજો ને જીને ભગવાનની આજ્ઞા માથે ચડાવો.” વિમળને આ વચનેએ ખૂબ અસર કરી. | ૨ : જમ વખત જાય છે તેમ વિમળ દરેક રીતે ખીલતે જ જાય છે. તેના શત્રુઓ આ જુએ છે ને મનમાં બહુ દાઝે બળે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #295 -------------------------------------------------------------------------- ________________ વિમળશાહ માતા વીરમતીએ આ જાણ્યું એટલે વિચાર કર્યોઃ “વિમળના દુશ્મનો આ નગરમાં ઘણું છે. માટે તે ઉમ્મર લાયક થાય ત્યાં સુધી બીજે જઈને રહેવું.”તે નેઢ તથા વિમળને લઈને પોતાના પિયર ગઈ. પિયરમાં ગરીબાઈ ખૂબ છે. ધરડાં માણસે પણ મહેનત મજૂરી કરે છે ત્યારે પેટગુજારો ચાલે છે. એટલે વીરમતી, નેટ તથા વિમળ આવ્યા તે ભાઈને ગમ્યું નહિ. પણ બહેનને ના કેમ કહેવાય? એટલે તેણે આદર સત્કાર આપો. વીરમતી બંને પુત્ર સાથે ત્યાં રહેવા લાગી. ૩ઃ પાટણના વીર મંત્રીને વિમળ હવે ગરીબાઈમાં ઉછરે છે. કોઈ વખત તે ખેતરમાં જાય છે ને મામાને ખેતીના કામમાં મદદ કરે છે. કોઈ વખત તે ઘોડી વછેર કે ગાયભેંસ લઈ જંગલમાં જાય છે ને ત્યાં તેમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #296 -------------------------------------------------------------------------- ________________ વિમળશાહ ચાશ ચરાવે છે. નથી તેને એ કામમાં જરાયે ન્હાનમ કે નથી જરાયે દીલગીરી. ઉલટું તેને તે એ કામમાં ખૂબ આનંદ આવે છે. જંગલમાં જાય છે ત્યાં તીર કામઠા ખેલે છે ને ઘોડેસવારી કરે છે. ઝાડ પર ચઢે છે ને તળાવમાં તરે છે. દિવસભર આવો આનંદ માણીને સાંજે પાછા ઘેર આવે છે. આ જીવન જીવતાં વિમળનું શરીર ખબ કદાવર થયું. બાણવિઘામાં તે એક્કો થ. ધીમે ધીમે તેની બાણવિદ્યાની પ્રશંસા સઘળે ઠેકાણે થવા લાગી. પાટણના નગરશેઠ શ્રીદત્તને શ્રી નામે એક જુવાન કન્યા છે. તેના માટે તે લાયક વર શોધી રહ્યા છે. તેમણે ઘણું ઘણું ઠેકાણાં જેમાં પણ એકે ગમ્યું નહિ. એવામાં તેમણે વિમળની પ્રશંસા સાંભળી એટલે તેની સાથે પિતાની કન્યાનું સગપણ કર્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #297 -------------------------------------------------------------------------- ________________ વિમળશાહ મામાં હવે વિચારવા લાગ્યાઃ “આના લગ્નનું ખરચ શી રીતે થશે ?” વીરમતી હવે વિચારવા લાગીઃ “વિમળનાં લગ્ન મારા ઘરને છાજે તેવાં કરવાં જોઈએ; લાહિર મંત્રીને એ પીત્ર છે.’ પણ ભાઇની સ્થિતિ ખ્યાલમાં હતી એટલે તેણે નિશ્ચય કર્યો “ જ્યાં સુધી પુરતું ધન ન મળે ત્યાં સુધી વિમળને પરણાવવો નહિ.” તેણે વિમળને બોલાવીને કહ્યું : “ પુત્ર! જ્યારે મને ધન મળશે ત્યારે તેને પરણાવીશ.” વિમળે શાંતિથી આ સાંભળી લીધું. બીજા દિવસે ઢોરને લઈ વિમળ જંગલમાં ગયે. ત્યાં એક ઝાડ નીચે બેસીને ચિંતા કરવા લાગ્યો : “હવે ધન મેળવવું જ પડશે ! શું કરું? કેવી રીતે ધન મળે ? ' આમ વિચાર કરતાં કરતાં હાથમાંની લાકડી મૂળિયાના પિલાણમાં ખસી કે તરતજ ધબ ધબ ઢેફાં તૂટી પડયાં. વિમળ તે ઢેફાં દૂર કરી જુએ છે તે માહિ સોનામહેરનો ચરૂ. આ જોતાં વિમળના આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #298 -------------------------------------------------------------------------- ________________ ૬ વિમળશાહ નંદના પાર રહ્યા નહિ. તે ચરૂ ઘેર લાવ્યે તે વીરમતીના ચરણે મૂક્યા. વીરમતી આ જોઇને ખૂબ હરખાણી ને થાડા વખતમાં તેણે વિમળનાં લગ્ન લીધાં. પેાતાના કુટુ બને છાજે તેવી રીતે ધણી ધામધુમથી લગ્ન થયાં. શ્રીદેવી ઘેર આવી. વિમળ ને શ્રીદેવી ખનેની સરખે સરખી જોડ છે. કાઇ કાઈનાથી ઉતરે તેમ નથી. નૈઢના લગ્ન પણ એક ખાનદાન કુટુંબની કન્યા સાથે થયા. વિમળ હવે શત્રુથી ડરે તેમ નથી એટલે તે પાટણમાંજ રહેવા લાગ્યાં. અહીં વમળે પેાતાનું નશીબ અજમાવવાનું શરૂ કર્યું. એક દિવસ તે અજારમાંથી જાય છે. ત્યાં રાજાના ચાદ્ધાએ નિશાન માંડી રહ્યા છે. સારા સારા યાહ્નાએ નિશાન માંડયાં પણ કાઈ તાકી ચક્યું નહિ. આ જોઇ વિમળ હુસવા લાગ્યા ને મૉટેથી બેલ્યા : ‘ સૈનિકા તા ખૂબ બહાદુર છે. મહારાજા ભીમદેવનું જતું રાજ્ય રાખે તેવા છે. આ સાંભળી તે ખૂબ ચીડાયા. એવામાં મહારાજ ભીમદેવ પણ આવ્યા. તેમણે નિશાન માંડયું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #299 -------------------------------------------------------------------------- ________________ વિમળશાહ ને તે પણ ચૂકી ગયા. એટલે વિમળ હસીને બે : “ બધા ભેટજ ભેગા થયા લાગે છે ! આમના હાથમાં રાજ છે તે શું કરવાના?” ભીમદેવના કાને આ શબ્દ પડતાં તે ચમ. વિમળને પૂછ્યું : “ શેઠ ! કાંઈ બાણવિદ્યા જાણે છો ? જાણતા હે તે આ આ તરફ.' વિમળ કહે, “ બાણવિદ્યા તે તમારા જેવા ક્ષત્રિય જાણે. અમે તો વેપારી કહેવાઈએ. અમને એવું શું આવડે ?' આ સાંભળી ભીમદેવે જાણ્યું કે માણસા કોઈ જાણકાર લાગે છે. જોઉં તે ખરે તેને કેવી બાણવિદ્યા આવડે છે. તેણે કહ્યું : “શેઠ ! વિઘા જે કેળવે તેના બાપની. તમને જે બાણ વિઘા આવડતી હોય તે બતાવે.” વિમળ કહે, આપને જે બાણકળા જેવી જ હેય તે એક બાળકને જમીનપર સુવાડા ને તેના પેટ પર નાગરવેલનાં એને આઠ મન મૂકે. એ પાનમાંથી આપ કહે તેટલા પાન બાણથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #300 -------------------------------------------------------------------------- ________________ વિમળશાહ વિધી નાખું. એમ કરતાં બાળકના શરીરને જરાએ વાગે નહિ. તમે કહા તેમાં એક પણ પાન ઓછુંવત્તું થાય તે। આપની તલવાર ને મારૂં માથુ અથવા આપ કહે। । વલાણું વલાવતી સ્ત્રીના કાનની ઝબકતી ઝાલ વિદ્યું. એમ કરતાં જો સ્ત્રીના ગાલને જરા ધાધસારા થાય તે આપને ચાગ્ય લાગે તે કરા. , એમ કહીને વળે પાતાની ખાણુકળા બતાવી. રાજા ભીમદેવ આ જોઇ ખૂબ ખુશ થઈ ગયા. વિમળને તેણે પાંચસે ધેડા આપ્યા ને દંડનાયક ( સેનાધિપતિ ) ની પદવી આપી. વિમળા મહા ચતુર હતા.લશ્કરને કાબુમાં ફ્રેમ રાખવું, રાજયમાં પેાતાની લાગવગ કેમ વધારવી તે ખરાખર જાણતેા હતેા. તેના તાપ ધણા હતા. ગુજરાતના બધા ખંડીઓ રાજા તેનાથી ખીતા હતા. થોડા વખતમાં વિમળ પેાતાની ચતુરાઇથી ભારે લાગવગવાળા ખની ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #301 -------------------------------------------------------------------------- ________________ વિમળશાહે. હવે તે ખૂબ ભપકાથી રહેવા લાગ્યા. તેણે પેાતાને માટે રાજાના કરતાં પણ સુંદર મહેલ બાંધ્યા, સુંદર ધરદહેરાસર બાંધ્યું અને તેના ફરતા સુંદર કોટ બાંધ્યા. દેશ દેશાવરથી ઉત્તમ હાથી ધાડા મંગાવ્યા ને પેાતાના લડવૈયાઓ વધાર્યો. જીનેશ્વર તરફ વિમળની ભક્રિત અપાર હતી. તે પાતાની વીંટીમાં જિનેશ્વરની નાનીશી છબી રાખતા ને તેથી કાઈને પણ વંદન કરતાં પહેલું વંદન તેમનેજ થતું. વિમળની આ સ્થિતિ જોઈ દુશ્મને ભીમદેવને ખાટી ભંભેરણી કરવા લાગ્યાઃ ‘ મહારાજ ! વિમળશાહ આપનું રાજ્ય લેવા ઈચ્છે છે. તેણે ધણુ લશ્કર તૈયાર કર્યું છે. તે જિનેશ્વર સિવાય કાઇને નમતા નથી. આ પ્રમાણે ખૂબ ભંભેરણી થઇ એટલે રાજા ભીમદેવને લાગ્યું કે વાત ખરી હશે. એટલે તેનું ધર જોવાને એક દિવસ રાજાએ કહ્યું : ‘મંત્રીશ્વર ! તમારાં ઘર એકે વખત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #302 -------------------------------------------------------------------------- ________________ ૧૦ વિમળશાહ જયાં નહિ. અમને તે જોવાની ખૂબ હોંશ છે.” વિમળશાહના મનમાં કંઇ પટ ન હતું એટલે તે બેઃ “ સ્વામી ! ઘર આપનાં છે. પધારે, ભજન ત્યાં જઈને કરીશું.’ - રાજા થોડા ઘોડેસવાર ને પાયદળ સહિત વિમળશાહના મકાને ચાલે. ત્યાં દહેરાસરની બાંધણી જોઈ ચકિત થઈ ગયે. મહેલના બીજા ભાગ જોઈને મોંમાં આંગળી નાંખવા લાગે. અને મજબૂત કિલ્લે જોઈ ધારેલી શંકા ખરી છે એમ માનવા લાગ્યું. તે મનમાં બે “ અહે! આ વિમળને આટલી બધી રિદ્ધિસિદ્ધિ! મારો વૈભવ તેના આગળ શા હિસાબમાં છે?” તે જમીને પાછા ગયે. - હવે તે બીજા પ્રધાને સાથે વિચાર કરવા લાગ્યો કે વિમળને અહીંથી શી રીતે દૂર કર. વિચાર કરતાં એક પ્રધાને યુતિ સુઝાડી કે મહારાજ ! જયાં સુધી તે ગળે મરે ત્યાં સુધી થી કામ મારે ? એમ કરે કે મલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #303 -------------------------------------------------------------------------- ________________ વિમળશાહ બરાબર ભેજન વેળાએ વાઘને છોડી મૂકો. એટલે તરત આખા શહેરમાં ત્રાસ વર્તાઈ રહેશે. એ વખતે વિમળને ઉશ્કેરજે. એટલે તે શાંત બેસી રહેશે નહિ. તે વાઘને પકડવા જશે એટલે જ થશે. રાજાને આ વિચાર પસંદ પડશે. બીજો દિવસ છે એટલે રાજાએ બધી તૈયારી કરી રાખી. વિમળ આવ્યો ને રાજાને નમન કરી વાત કરવા લાગ્યું. બરાબર તેજ વખતે વાઘને છોડી મૂક્યું. એટલે આખા નગરમાં ત્રાસ ફેલાઈ ગયે. એકે આવીને રાજા તથા વિમળશાહ બેઠા હતા ત્યાં ખબર આપી કે મહારાજ ! વાઘ છુટ છે ને નગર આખું ત્રાસી ગયું છે. આ સાંભળી વિમળ એકદમ ઊભો થઈ ગયે. વાઘને વશ કરવાને તૈયાર . રાજાને તો એ જોઈતું જ હતું. ગામમાં ચારે કોર સુનસુખાકાર છે. જેને જેમ ફાવ્યું તેમ ભાગીને ઘરમાં ભરાઈ ગયા છે. વાઘ એક ગામમાં ત્રાડ દેતે ફરે છે. એવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #304 -------------------------------------------------------------------------- ________________ વિમળશાહ વિમળ દેખાય. વાઘ એને જોતાંજ ધુર. ફાળ ભરીને સામે આવ્યું, વિમળ તેની ખબર લેવાને તૈયાર જ હતું. તેણે એક થપાટ મારીને વાઘના બંને કાન પકડયા. વાઘ ઘણે છંછેડાયે, પણ વિમળના હાથમાંથી છુટે તેમ ન હતું. વિમળે તેને લાવીને પાંજરામાં પૂર્યો. આખા નગરમાં વિમળની જય બોલાણું. ભીમદેવ વગેરે નિરાશ થયા. આ તે વિમળને હેઠે પાડવા કર્યું ને ઉલટી તેની કીર્તિ વધી. હવે કરવું શું? તેમણે બીજો ઉપાય શોઃ “રાજમલ જેડે તેને કુસ્તીમાં ઉતારે ને ત્યાં જ પૂરે કરાવ.” મલને બધી વાતે વાકેફ કર્યો. થોડા દિવસ થયા એટલે રાજાએ કહ્યું: “મહેતા ! આપણે મલ્લ પિતાના બળનું બહુ અભિમાન રાખે છે. માટે એની પરીક્ષા કરે.” મલ જોડે વિમળશાહે કુરતી માંડી. કુસ્તીના ઘણા દાવ ખેલ્યા. તેમાં મલને સખત પટકી આપી ને વિમળશાહે જીત મેળવી. બધાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #305 -------------------------------------------------------------------------- ________________ વિમળશાહ મોઢામાંથી વાહવાહ વાહવાહના શબ્દો નીકળી પડયા. રાજા ને પ્રધાન હવે માનવા લાગ્યા કે વિમળમાં દૈવી શક્તિ છે. એટલે તે મરવાનો તે નથી. પણ તે દૂર થાય એ કાંઈક ઉપાય શેધીએ. એથી તેમણે નક્કી કર્યું કે તેના દાદાના વખતનું ૫૬ ક્રોડ કંકા લેણું કાઢીને માગીએ. જો તે લેણું આપવાનું કબુલ કરશે તે ભીખારી થશે. જો નહિ આપે તે રાજ્ય છોડશે. બીજા દિવસે વિમળશાહ રાજદરબારે ગયા. ત્યારે ભીમદેવ પુંઠ વાળીને બેઠા. વિમળ કહે, આમ કેમ ? ” પ્રધાન કહે, “ સાંભળે. રાજાને હિસાબને માટે રીસ છે. કાં તે તમારા ખાતે નીકળતા પ૬ કોડ ઢંકા આ કાં તે નવું ખાતું ખોલી આપ.” આ સાંભળી વિમળમંત્રી સમજી ગયા કે રાજા કાચા કાનને છે. તે બીજાની ભંભેરણી-- Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #306 -------------------------------------------------------------------------- ________________ ૧૪ વિમળશાહ થી છેડા છે. માટે તે કંઈ પણ ખરાબ પગલું ભરે તે પહેલાં હું જ મારી જાતે ચાલ્યા જઉં. આમ વિચારી તેમણે ત્યાંથી ઉપડવાની તૈયારી કરી. સેળસે સાંઢ પર સોનું ભર્યું. હાથી, ઊંટ ને રથ તૈયાર કર્યા. પાંચ હજાર ઘોડા ને દશ હજાર પગપાળા સાથે લીધા. પછી ભીમદેવની રજા લેવા ગયા. ત્યાંથી વિદાય લેતાં રાજાને કહ્યું. “મહારાજ ! મને જવી હેરાનગતી પહોંચાડી તેવી હેરાનગતી મહેરબાની કરી બીજા કોઈને પહોંચાડશો નહિ.' વિમળમંત્રી પિતાને વૈભવ લઈને આબુ તરફ ચાલ્યા. તેની તળેટીમાં ચંદ્રાવતી નામે શહેર હતું. ત્યાંના રાજાએ સાંભળ્યું કે વિમળમંત્રી પોતાના લકર સહિત આવે છે એટલે તે નગર છોડી ચાલ્યા ગયે. વિમળમંત્રી અહીં ભીમદેવના દંડનાયક તરીકે જ કામ કરવા લાગ્યા. અહીં રહી તેમણે ઘણા વિજય મેળવ્યા. સિંધ દેશ રાજા પંડિ બહુ ગર્વિષ્ટ થઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #307 -------------------------------------------------------------------------- ________________ વિમળશાહ ૧૫ ગયા હતા તેને સજ્જડ હાર ખવરાવી. પરમાર રાજા ધદેવ જે ભીમદેવની આણુ માનતા ન હુડ્ડા તેને આણુ મનાવી. વિળે પેાતાના પરાક્રમથી વિજય મેળવ્યા અને આણુ રાજા ભીમદેવની ફેલાવી. આથી ભીમદેવ સમજ્ગ્યા કે વિમળ મંત્રીને દૂર કરવામાં મેં માટી ભૂલ કરી છે. તેને ખૂબ પતાવા થયે.. ચારે બાજુ પેાતાને દાખ બેસાડીને વિમળશાહે ચદ્રાવતીમાં રાજગાદી ધારણ કરી. આ વખતે ભીમદેવે પેાતાના તરફથી છત્ર ચામર ભેટ મેાકલાવ્યાં. વિમળે પણ મનમાંથી રીસ કાઢી નાંખી તેને સ્વીકાર કર્યો, રાઓ બન્યા પછી વિમળશાહ એક દિવસ મહેલની અગાશી પર ચડીને નગરને જોવા લાગ્યા. પણ શહેર ખરાબર દેખાવડું લાગ્યું નહિ. એટલે તે ફરીથી વસાવવાના નિશ્ચય કર્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #308 -------------------------------------------------------------------------- ________________ ૧૬ વિમળશાહ ચંદ્રાવતી ફરીથી બંધાયું. તેની બજારે સીધી ને સુશોભિત બની. તેના ચોક વિશાળ ને દેખાવડા બન્યા. તેમાં સુંદર છેતરણીથી ભરપુર આરસનાં અનેક જિનમંદિરે થયાં. શાંતિના પરમ ધામ ઉપાશ્રયે બંધાયા. વાવ કૂવા તથા તળાવ પણ પુરતી સંખ્યામાં જણાવા લાગ્યા. આ પ્રમાણે વિમળશાહ દુનિયાની બધી સંપત્તિ મેળવી આનંદ કરવા લાગ્યા. એવામાં એક વખત ધર્મઘોષ નામના આચાર્ય આવ્યા. તેમણે પવિત્ર જીવન સમજાવ્યું, ધર્મ સમજાવ્યું અને વિમળશાહને કહ્યુંઃ “વિમળશાહ! તમે આખી જીંદગી ધન ને સત્તા મેળવવામાં ગાળી છે. માટે હવે કાંઈક ધર્મકાર્ય કરે. કઈક પરલકનું ભાથું બાંધે.” વિમળશાહને ગળે આ વાત ઉતરી. પિતાની જીંદગીમાં કરેલી અનેક ખૂનખાર લડાઈઓ યાદ આવી. ખૂબ પશ્ચાત્તાપ થશે. છેવટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #309 -------------------------------------------------------------------------- ________________ વિમળશાહ ૧૭ તે ગદ્ગદ કંઠે માલ્યા ‘ ગુરુદેવ ! આપ પૂરમાવા તે કરવા તૈયાર છુ. મને આજ્ઞા કરી.’ ' ગુરુ કહે, આબુ જેવા સુંદર પહાડ ઉપર એક પણ જૈન મંદિર નથી. માટે ત્યાં જૈન મંદિર બંધાવા. વિમળે તે કબુલ કર્યું. ? વિમળશાહ દહેરાસર બંધાવવાને કુટુંબ સહિત આબુ ઉપર ગયા. ત્યાં બ્રાહ્મણાનું ખૂબ જોર હતું. શિવમંદિરના પાર ન્હાતા ફક્ત શિવમંદિરના પૂજારીએ જ અગ્યાર હાર હતા. વિમળશાહે તે જગાની મંદિરને માટે માગણી કરી. પૂજારીઓએ તેના સાફ ઇન્કાર કર્યો. વિમળશાહે તેમને ખૂબ ખૂબ સમજાવ્યા. આખરે પૂજારીઓએ કહ્યું: જો તમારે આ જગા જોઇતીજ ઢાય તે! સાનાના સિક્કા પાથરીને જમીન હ્યા, ' વિમળશાહે તે ક્ષુલ કર્યું અને સેનાના સિક્કા પાથરીને જમીન લીધી. જમીન મેળવ્યા " Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #310 -------------------------------------------------------------------------- ________________ ૧૮ વિમળશાહ. પછી દેશભરમાંથી કારીગરા મેલાવ્યા. આરાસણપહાડમાંથી આરસ ખાદાગ્યા ને ત્યાંથી હાથી મારફતે આણુપર લાવવા લાગ્યા. કહે છે કે એ પત્થર લગભગ રૂપાની કિસ્મતે પડવા લાગ્યા. વિમળશાહને ઉત્તમાત્તમ દહેરાસર બંધાવવાની ભાવના હતી એટલે તેમણે સલાટાને કહ્યું કે તમારી બધી ળા બતાવજો. પત્થરમાં કાતરણી કરતાં જેટલા ભૂંકા પડશે તેટલું હું રૂપું આપીશ. બે હજાર કારીગરો ચૌદ વર્ષ સુધી કામે લાગ્યા. અઢાર ક્રોડ તે ત્રીશ લાખ રૂપિયાના ખર્ચે એક ભ જિનમંદિર તૈયાર થયું. ૧૪૦ ફૂટ લાંબા અને ૯૦ ફૂટ પઢાળા મંદિરમાં કળાની અદ્ભુત સુષ્ટિ ખડી થઇ. એના થાંભલાઓ ઉપર હાથી ઘેાડાની હાર અને દેવદેવીઓનાં મનેાહર નાચ મુખ્ય મંદિરની આસપાસ બાંધી તેની આગળ ખરાખર ઉતર્યો. નાની નાની દહેરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #311 -------------------------------------------------------------------------- ________________ વિમળશાહ છતાં પણ બહુ સુંદર કામ કર્યું. દરેક છતમાં નવી જ ભાત ! એમાં કોતરેલાં મેળે તે જાણે હાથ અડકતાંજ તૂટી પડશે એટલાં કેળ જણાતાં હતાં! એ ઉપરાંત નેમિનાથની જાન, વહાણના દેખાવ અને બીજા પ્રસંગો પણ બહુ મનહર હા. મુખ્ય મંદિરમાં શ્રી રીખવદેવ પ્રભુની મૂર્તિ સ્થાપી. આ દહેરાસર આજે પણ આબુ પર શેભી રહ્યું છે. દુનિયામાં તેની કારીગરીને જે નથી. પ્રિય વાંચક ! જીંદગીમાં એક વખત તે આ અદ્ભુત દહેરાસરના દર્શન જરૂર કરજે. વિમળમંત્રીએ જગતની આ સુંદર વસ્તુ તૈયાર કરીને સંધને સોંપી. તેના ખર્ચ પેટે કેટલાક ગામો આપ્યા. પછી ચંદ્રાવતી પાછા આવ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૦ વિમળશાહ આરાસણ અથવા કુંભારિયાજીનાં દહેરા પણ આ વિમળશાહનાં જ બનાવેલાં છે. થોડા વર્ષે વિમળશાહ કાળધર્મ પામ્યા, ધન્ય છે વીર વિમળશાહને જે પિતાના બાહુબળથી આગળ વધ્યા ને જેણે જગતને અમૂલ્ય વસ્તુની ભેટ આપી! જેનાનાં શિક્ષણને લગતાં સર્વ પ્રશ્નો ચર્ચાતી જૈન શિક્ષણુ પત્રિકા તંત્રી ધીરજલાલ કરશી શાહ વાર્ષિક લવાજમ ફક્ત રૂ. ૧). પરદેશમાં રૂા. ૧-૮-૦. દરેક જૈન કુટુંબમાં આ પત્રિકા આવવી જ જોઈએ આજેજ મનીઓર્ડર કરો :નેતિ કાર્યાલય, રતનપળઃ અમદાવાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #313 -------------------------------------------------------------------------- ________________ assessessesses @ બાળ કન્યાવળી : પ્રથમ શ્રેણી : ૧૦ @ @ વસ્તુપાળ-તેજપાળ @ @ @ : : લેખક : : ધીરજલાલ ટોકરશી શાહ. @ sssssssssssssssssssssss6======== @ @@ @ @ : સર્વ હક સ્વાધીન : @ આવૃત્તિ થી : કુલ નકલ ૪૫૦૦ : સં. ૧૯૯૧ @ મૂલ્ય સેવાઓને. ==== @ @ BERKEBEBEEBICARAEDAERADO == Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #314 -------------------------------------------------------------------------- ________________ : : પ્રકાશક : : ધીરજલાલ ટોકરશી શાહ તિ કાર્યાલય નગરશેઠ મારકીટ, રતનપોળ અમદાવાદ. આ પુસ્તક મુંબઈ ઇલાકા કેળવણી ખાતા તથા વડોદરા રાજ્ય કેળવણી ખાતા તરફથી ઈનામ લાયબ્રેરી માટે : : મંજુર થયું છે. : : : ધી “વીરવિજય” પ્રીન્ટીંગ પ્રેસમાં મણિલાલ છગનલાલ છાયું. સાગરની ખડકી, રતનપોળઃ અમાવા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #315 -------------------------------------------------------------------------- ________________ વસ્તુપાળ-તેજપાળ તેરમા સૈકાની વાત છે. જ્યારે ગુજરાતમાં સેલંકી રાજાઓની સત્તા નબળી પડી ગઈ હતી અને રાણા વિરધવળની સત્તા જામતી હતી. વિરધવળના એક મંત્રી આશરાજ શ્રાવક સંહાલક ગામમાં રહેતા હતા. તેમને કુમારદેવી નામે એક ગુણીયલ સ્ત્રી હતી. તેનાથી થયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #316 -------------------------------------------------------------------------- ________________ વરતુપાળ-તેજપાળ ત્રણ દીકરા ને સાત દીકરીઓ. દીકરાના નામ મલદેવ, વસ્તુપાળ ને તેજપાળ. દીકરીના નામ જહુ, માક, સાઉ, ધનદેવી, સોહગા, વયજુ ને પડ્યા. આશરાજ મંત્રીએ બધા દીકરાદીકરીને સારી રીતે ભણાવ્યા. એમાં વસ્તુપાળ ને તેજપાળ સહુથી વધારે ઝળક્યા. તેમને વિદ્યા પર અથાગ પ્રેમ. કળા પર ઊંડી પ્રીતિ. ધર્મ પર અડગ શ્રદ્ધા. આ બે ભાઈની બેલડી સહુના મનનું હરણ કરતી. સહુના પર પ્રભાવ પાડતી. તેઓ ઉમ્મર લાયક થયા એટલે પિતાએ ગુણવાન કન્યાઓ પરણાવી. વરસ્તુપાળને લલિતા ને તેજપાળને અનુપમા. થોડા વખત પછી પિતા મરણ પામ્યા. પિતૃભકત પુત્રને આથી ખૂબ દુ:ખ થયું. તે દુઃખ ભુલવાને તેઓ માંડળ આવીને વસ્યા. માતાની ખૂબ સેવાભકિત કરવા લાગ્યા. અહીં પોતાના સારા આચરણથી તેઓએ થોડા વખતમાં સારી નામના મેળવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #317 -------------------------------------------------------------------------- ________________ વસ્તુપાળ-તેજપાળ થોડા વખત પછી પ્રેમાળ માતા પણ ગુજરી ગયાં એટલે તેમને બહુ શોક થશે. તે તે શોક દૂર કરવા તેઓ શત્રુંજયની યાત્રાએ ગયા. પવિત્ર તીર્થ શત્રુંજયની યાત્રા કરતાં કેનું મન શાંત ન થાય? તેના પવિત્ર વાતાવરણે આ બન્ને ભાઈઓને શેક દૂર કર્યો. ત્યાંથી તેઓ પાછા ફર્યા ને રાજસેવાની ઈચ્છાથી રસ્તામાં ધોળકા ગામે રોકાયા. અહીં તેમને રાજગોર સેમેશ્વર સાથે ભાઈબંધી થઈ. આ વખતે ગુજરાતની સ્થિતિ બહુ ડામડળ છે. તેથી રાણે વિરધવળ વિચાર કરે છે: “જે બાહોશ પ્રધાન ને બાહોશ સેનાધિપતિ મળી જાય તો મારા મનોરથ ફળે.' રાજગોરે જાણ્યું કે રાજાજી પ્રધાન ને સેનાધિપતિને શોધવાની ચિંતામાં છે એટલે તે રાજા પાસે ગયા ને વાત કરીઃ “મહારાજ ! ચિંતા દૂર કરો. જેની આપ શોધ કરી રહ્યા છો એવા બે રત્ન આ નગરમાં આવેલાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #318 -------------------------------------------------------------------------- ________________ વસ્તુપાળ તેજપાળ રાજ તે ન્યાય આપવામાં નિપુણ નિપુણ્ છે, ચલાવવામાં કુશળ છે. તે જૈન ધર્મના ધારી તેમા છે પણ્ સ પર સરખી માટે આપ આજ્ઞા આપતા હૈ। તે તેમને આપની પ્રીતી રાખનાર છે. આગળ હાજર કરૂં, ' રાજાએ આજ્ઞા આપી એટલે સામેશ્વર આ અને ભાઇઓને રાજસભામાં લઈ ગયા. ત્યાં રાજા આગળ સુંદર ભેટા મૂકીને બંને ભાઇઓએ વંદન કર્યું. રાજા વીરધવળે જેવું જાણ્યું હતું તેવુંજ જોયું. એટલે તે બાલ્યા · તમારી મુલાકાતથી હું બહુ ખુશ થયા છું. આ રાજયના સધળા કારભાર તમને સોંપુ છું. અને ભાઈ આ સાંભળી આનંદ પામ્યા. પછી વસ્તુપાળે રાજાને કહ્યું: મહારાજ ! અમારૂં અહાભાગ્ય કે આપની અમારા પર આવી કૃપા થઈ. પશુ અમારે અમારે એક વિનતિ કરવાની છે. તે આપ ધ્યાન દઇને સાંભળા ‘જ્યાં અન્યાય હશે ત્યાં અમારાથી ડગલું ભરાશે નહિ. ગમે તેવા રાજકાજમાં પણ દેવગુરુની સેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat 6 www.umaragyanbhandar.com Page #319 -------------------------------------------------------------------------- ________________ વસ્તુપાળ-તેજપાળ ચુકાશે નહિ. અને રાજસેવા કરતાં આપની પાસે કોઈ ચાડી ચુગલી કરે ને અમારે જવાનો વખત આવે તે પણ અમારી પાસે જ ત્રણ લાખ ટકા ધન છે તે રહેવા દેવું પડશે. જો આપ આ બાબતોનું વચન રાજગોરની સાક્ષીએ આપે તે અમે આપની સેવા કરવા તૈયાર છીએ. નહિતર આપનું કલ્યાણ થાઓ.’ રાજાએ તે પ્રમાણે વચન આપી વસ્તુપાળને ધોળકા તથા ખંભાતના મહામંત્રી બનાવ્યા અને તેજપાળને સેનાધિપતિ બનાવ્યા. વસ્તુપાળ મહામંત્રી બન્યા તે વખતે તિજોરીમાં પૈસે હોતે, રાજયમાં ન્યાય નહોતે. અમલદારે ભારે લાંચ લેતા ને રાજની ઉપજ પિતાનાજ ખીસ્સામાં મુકતા. તેમને દબાવી શકે એવું બળ કોઇનામાં હતું. આ બધી હકીકત બરાબર ધ્યાનમાં લઈ વસ્તુપાળે પિતાનું કામ શરૂ કર્યું. - તેઓ સજજનેને સત્કાર કરવા લાગ્યા અને લાંચિયા અમલદારોને પકડી તેમને દંડ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #320 -------------------------------------------------------------------------- ________________ વસ્તુપાળ-તેજપાળ કરવા લાગ્યા. આ ઈંડમાંથી થોડું ઘણું ધન મળ્યુ એટલે કેટલુ ક લશ્કર તૈયાર કર્યું. પછી બધા રાજકારભાર થાડા વખત માટે તેજપાળને સોંપ્યા અને પોતે લશ્કર લઈને રાજાની સાથે ચાલ્યા. જે જે ગામના મુખીએ રાજ્યનું લેણું આપતા ન્હાતા તેમની પાસેથી વસુલ કર્યું. જે ટાંકારીએ ખ’ડણી ભરવી બંધ કરી હતી તેમની પાસેથી બધી ખ’ડણી વસુલ કરી. આ પ્રકારે આખા રાજ્યમાં ફરી રાજ્યની તિજોરી તર કરી. સધળી જગાએ વ્યવસ્થા ને શાંતિ દાખલ કરી. હવે વસ્તુપાળે મળેલા ધનથી મજબૂત લશ્કર તૈયાર કર્યું અને સરહદ પરના રાજને જીતવાની તૈયારી કરી. તે વખતે કાઠિયાવાડમાં બહુ અંધાધુંધી ચાલતી હતી. રાજાએ પણ યાત્રાળુઓને લૂટતા હતા. આથી વસ્તુપાળ સહુ પહેલાં કાઠિયાવાડ તરફ ચાલ્યા. ત્યાં ધણાખરા રાજાએાને વશ કરી લીધા. એમ કરતાં તે વણથલી આગળ આવ્યા. ત્યાં રાણા વીરધવળના સાળા સાંગણુ ને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #321 -------------------------------------------------------------------------- ________________ વસ્તુપાળ-તેજપાળ ચામુંડ રાજય કરતા હતા. તેમના અભિમાનને પાર હેતે. તેમને ઘણું સમજાવ્યા પણ તેઓ તાબે ન થયા એટલે લડાઈ થઈ. તેમાં સાંગણ ને ચામુંડ માર્યા ગયા. વસ્તુપાળને વિજય થયો. વસ્તુપાળે તેના પુત્રને ગાદી આપી. આમ આખા કાઠિયાવાડમાં વિજયનો ડંકો વગાડી વસ્તુપાળ રાજા સાથે ગિરનાર ગયા. ત્યાં ભકિતપૂર્વક યાત્રા કરી તેઓ પાછા ફર્યા. ભદ્રેશ્વરનો રાણો ભીમસિંહ વિરધવળને ખંડીઓ રાજા હતા. પણ હવે તેણે ખંડણી આપવા ના પાડી હતી. તેના લશ્કરમાં ત્રણ બહાદુર લડવૈયા હતા. એટલે તેને અભિમાન હતું કે મને કંઈજ થનાર નથી. વસ્તુપાળ તથા રાણા વીરધવળે તેના પર ચડાઈ કરી. વિરધવળ આ લડાઈમાં હારી ગયા. પણ એવામાં વસ્તુપાળ લકર લઇને આવી પહોંચ્યા. તે ખૂબ કુશળતાથી લડ્યા ને અંતે જીત મેળવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #322 -------------------------------------------------------------------------- ________________ ૧૦. વસ્તુપાળ-તેજપાળ : ૫ : વસ્તુપાળ આ આકરે વિજય કરીને પાછા ફર્યા. ત્યાં સાંભળ્યું કે ગધરાનો રામ ધુંધુલ ખૂબ છકી ગયો છે. તે પોતાની પ્રજાને ગમે તે ત્રાસ આપે છે. આથી વસ્તુપાળે તેને કહેણ મોકલ્યું કે રાણું વીરવળને વશ થાઓ. તેણે તે એ સાંભળ્યું નહિ પણ ઉલટું એક દૂત સાથે કાજળ, કાંચળી ને સાડી વીરધવળને ભેટ તરીકે મેકલ્યાં. આવા અપમાનથી રાણે વરધવળ ખૂબ ચીડાયે. તેની આંખમાંથી અગ્નિ ઝરવા લાગ્યા. તેણે લાલચોળ આંખે બધા સામું જોયું પણ કોઈ ઘુઘુલને જીતી લાવવા તૈયાર ન થયું. તેની ધાક બહુ હતી. આખરે તેજપાળ ઉઠયા ને ધુપુલને જીતી લાવીશ એમ જાહેર કર્યું. આથી રાણે વીરધવળ ખૂબ ખુશ થયા. પછી તેજપાળ મોટું લશ્કર લઈને ગોધરા તરફ ગયા. ત્યાં ખૂનખાર લડાઈ થઈ. તેમાં ઘુપુલ પકડાયે. તેને પાંજરામાં પૂરી ધોળકા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #323 -------------------------------------------------------------------------- ________________ વસ્તુપાળ-તેજપાળ લાવવામાં આવ્યો. અહીં તેણે ભેટ મોકલાવેલી કાંચળી ને સાડી તેને પહેરાવ્યા. પોતાનું આવું અપમાન થવાથી તેણે આપઘાત કર્યો. ખંભાતમાં સિટીક નામે મટે વેપારી હતે. તે ત્યાંના ધણીધોરી જે થઇ પડયે હતું. તેણે એક વખત નવા ગુન્હા બદલ નગરશેઠની માલ મિલકત લૂંટી લીધી ને તેનું ખૂન કરાવ્યું. નગરશેઠના દીકરાએ આ જુલમની વસ્તુપાળ આગળ ફરિયાદ કરી. વસ્તુપાળે તેને યોગ્ય સજા કરવાનો નિશ્ચય કર્યો. સિદીકને એ ખબર પડી એટલે શંખ નામને એક રાજા તેને મિત્ર હતું તેને તેડા. બંનેને લડાઈ થઈ તેમાં શંખ માર્યો ગયે. વસંતુપાળને વિજય થયે. ત્યાર પછી ખંભાતમાં જઇને સિદ્દીકનું ઘર ખોદતાં તેમને પુષ્કળ સેનું ને ઝવેરાત હાથ લાગ્યા. કહે છે કે એની કિસ્મત ત્રણ અબજ જેટલી થઇ. એક વખત દિલ્હીને બાદશાહ મજુદી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #324 -------------------------------------------------------------------------- ________________ ૧૨ વસ્તુપાળ-તેજપાળ ગુજરાત પર ચડાઈ લાગે. આ ભાઈઓને ખબર પડતાં તે પિતાનું લકર લઈને આબુ સુધી સામે ગયા. ત્યાં ખૂનખાર લડાઈ કરી ને મજુદ્દીનના હજારો માણસોનો સંહાર કરી નાખે. બિચારે મોજુદ્દીન હતાશ થઈને પાછો ગયે. . આ બધી લડાઈઓ પછી તેમણે સમુદ્ર કિનારા તરફ ચડાઈ કરી ને ત્યાં મહારાષ્ટ્ર સુધી પિતાની આણ ફેલાવી. આ પ્રમાણે બંને ભાઈઓએ નાના મોટાં ઘણાં યુદ્ધ કરીને ગુજરાતની સત્તા બરાબર જમાવી. ચારે બાજુ શાંતિ ને વ્યવસ્થા થાપી વિજ્યને ડંકો વગાડે. આ બંને ભાઈઓ લડાઈમાં ને રાજકાજમાં જવા કુશળ હતા તેવા જ ધર્મમાં અડગ શ્રદ્ધાવાળા હતા. તેઓ આઠમચૌદશને તપ કરતા. સામાયિક પ્રતિક્રમણ પણ નિયમિત કરતા. ધર્મબન્ધ તરફને પ્રેમ તો તેમને અથાગ હતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #325 -------------------------------------------------------------------------- ________________ વસ્તુપાળ-તેજપાળ વરસ દિવસે એક કોડ રૂપિયા ધર્મબંધુઓને માટે ખર્ચવાનું તેમણે વ્રત લીધું હતું. તેમની ઉદારતાને કાંઈ સુમાર હેતે. તેઓ ખુલ્લા હાથે દાન કર્યું જ જતા હતા. અને બનતું પણ એમજ કે જેમ તેઓ ધન વાપરે તેમ ધન વધ્યાજ કરે. આથી બંને ભાઈઓ વિચાર કરવા લાગ્યાઃ “આ ધનનું શું કરવું?' તેજપાળની સ્ત્રી અનુપમાદેવી બુદ્ધિને ભંડાર હતી. એટલે તેની સલાહ પૂછી. તેણે જવાબ આપે કે આ ધન વડે પહાડનાં શિખરોને શોભા એટલે કે ત્યાં સુંદર દહેરાં બંધા. આ સલાહ બધાને ગમી એટલે શત્રુંજય, ગિરનાર ને આબુ પર ભવ્ય દહેરાં બંધાવ્યા. એમાં યે આબુનાં દહેરાસર બંધાવતાં તે તેમણે ખર્ચ માટે પાછું વાળીને જોયુંજ નહિ. તેમણે સારામાં સારા કારીગરો બોલાવ્યા. કતરણી કરતાં ભૂકે પડે તેટલું સોનું અને રૂપું આપ્યું. આ દહેરાસરો જલદી પૂરા કરાવવા માટે પોતાના તરફથી રસોડું ખેલ્યું ને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #326 -------------------------------------------------------------------------- ________________ વસ્તુપાળ-તેજપાળ શિયાળામાં દરેકની પાસે સગડી મૂકવાની ગાઠવણુ કરી. આશરે બાર ક્રોડ રૂપિયાના ખર્ચે એ દહેરાસર તૈયાર થયું જેના જોટા આજે જગતમાં નથી. વિમળશાહના દહેરાની પાસેજ એ દહેરાસરી આવેલાં છે. પ્રિય વાંચક ! એ દેલવાડનાં દહેરા જીંદગીમાં એક વખત તા જરૂર જોજે. ૧૪ આ ઉપરાંત તેમણે બીજા પણ ઘણાં મદિરાને ઉપાશ્રયે મધ્યાં. ધણા પુસ્તકભડારા તૈયાર કયા શત્રુંજય ને ગિરનારના કાઢયા. એ સંધ એટલા ખાર વખત તે સધ મોટા હતા કે આપણને તે તેને ખ્યાલ પણ ન આવે. એક સંધમાં તેા સાત લાખ માણસ હતા. એ ભાઇઓની સખાવત કેવળ જૈન માટે કે કેવળ ગુજરાતી માટેજ ન્હાતી. તેમણે એક એક ધર્મવાળાને અને હિંદુસ્તાનભરમાં સખાવતા કરેલી છે. કેદારથી કન્યાકુમારી સુધી એવું એક પણ નાતુ મેઢુ તી નથી કે જ્યાં આ ભાઈઓની સખાવત ન થઇ હાય. સામનાથ પાટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #327 -------------------------------------------------------------------------- ________________ વ તુપાળ તેજપાળ ૧૫ માં દરવર્ષે દશ લાખ ને કાશી દ્વારિકા વગેરે ઠેકાણે એક લાખ ટકા માકલાવતાં. તેમણે શિવાલા ને મા પણ ધણી ચણાવી છે. વાવ, કૂવા તે તળાવ પણ બેસુમાર ખાંધ્યા છે. આ અને ભાઇઓના કુશળ કુશળ કારભારમાં પ્રજા સુખી હતી. રાજ્યમાં દાખત સુંદર હતા. બધા ધર્માંના લૉકા પાતપાતાના ધમ સારી રીતે પાળી શકતા. દેશમાં દુકાળનું નામ હતું. હવે રાણા વીરધવળ મરણ પામ્યા. આ ભાઇઓએ તેની ગાઢી તેના પુત્ર વિસલદેવને આપી. પેાતે પહેલાંની માફક રાજકારભાર કરવા લાગ્યા. વે અંતકાળ નજીક આવે છે એમ વસ્તુપાળને લાગ્યું એટલે તેમણે બધાની સાથે શત્રુંજયના સંધ કાઢયા. રાજા વિસલદેવ અને રાજગાર સામેશ્વર આંસુ પાડતાં જુદા પડયા. રસ્તામાં એમને મઢવાડ થા. અને તે મરણુ પામ્યા. તેમના શબને શત્રુંજય પર બાળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #328 -------------------------------------------------------------------------- ________________ ૧૬ વસ્તુપાળ-તેજપાળ વામાં આવ્યું અને ત્યાં એક જૈન મંદિર બંધાવ્યું. લલિતાદેવી તેમની પાછળ અણુશણ કરી મરણ પામી. પાંચ વર્ષે તેજપાળ પણ ગુજરી ગયા ને અનુપમા દેવીએ પણ અણશણ કરી પ્રાણ છોડ. જગતના મહામેંઘા રત્ન જવાથી કોને દિલગીરી ન થાય? માનવજાતિના આભૂષણ રૂપ આવી અનેક જોડીઓ પાક ને માનવજાતિને ઝળકો. દરેક શાળા, પાઠશાળા તથા કુટુંબે ગ્રાહક થવા યોગ્ય માસિક જૈન શિક્ષણ પત્રિકા તંત્રી : ધીરજલાલ ટોકરશી શાહ. વાર્ષિક લવાજમ ફક્ત રૂ. ૧). આજેજ ગ્રાહક બને. તિ કાર્યાલય, રતનપોળ : અમદાવાદ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #329 -------------------------------------------------------------------------- ________________ ખેમો–દેદરાણી : ૧ : ચાંપશી મહેતા ચાંપાનેરના નગરશેઠ. સાદુલખાન ચાંપાનેરનો ઉમરાવ. બંને એક દિવસ સાથે રાજદરબારે જાય. એવામાં હુક્કો ગગડાવતે બંભભાટ સામે મળે. ઉમરાવને જોઈને બોલ્યા: “ઘણું જ સાદુલખાન, ક્ષાત્રત્યાગનિષ્કલંક પ્રધાન” અને ચાંપશી શેઠ સામે જોઈ કવિત લલકાર્યું “બરદ કહે કાલદેહત્ય, રાયે બંધણ છોડ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #330 -------------------------------------------------------------------------- ________________ ખેમા દેદરાણી સમરથ કરણ કુબેર બીરદ બહુધા, વડહત્ય જગડુ અવતાર.” હે શેઠ ! આપનું બિરૂદ તે “દકાળ દેહથ” ( દુકાળમાં ખૂબ મદદ કરનાર) છે. આપ રાજાઓને બંધનમાં નાંખવા કે છોડાવવા સમર્થ છો. હે શેઠ ! આપની કરણી કુબેર જેવી છે. આપ ઘણું ઘણું બિરૂદના ધારણ કરનાર છે અને મહાદાનેશ્વરી જગડુના અવતાર સમા છે.” ચાંપશી મહેતાનાં આટલાં બધાં વખાણ સાંભળી સાર્દુલખાનને બહુ માઠું લાગ્યું. બંને રાજદરબારમાં આવ્યા ને બાદશાહ મહમ્મદ બેગડાને સલામ ભરીને બેઠા. બાદશાહ સાથે કેટલીક વાતચીત કરી ચાંપશી મહેતા વિદાય થયા. પાછળથી સાર્દુલખાને બાદશાહના કાન ભંભેર્યા “ગરીબ પરવર ! નેક નામદાર ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #331 -------------------------------------------------------------------------- ________________ ખેમ દેદરાણ ભિખારી ભાટની જાત આપને ગરાસ ખાય છે અને વખાણ તે બકાલભાઈનાં કરે છે. આજે મારી સામેજ પેલા બંભભાટે આપથી પણ વધુ વાણિયાઓનાં વખાણ કર્યું. માટે નામદારે તેની ખબર લેવી જોઈએ.” બાદશાહ આ સાંભળી ચે. તેણે બંભભાટને બોલાવી લાવવા સિપાઈ મકલ્યા. ખંભભાટે આવીને બાદશાહને સલામ કરી તથા કવિત ગાઈ વખાણ કર્યા. આ સાંભળી પાસે ઊભેલા વજીરે કહ્યું “બારોટ! આપ બાદશાહ સલામતનાં વખાણ કરે છે એ તે ઠીક છે પણ બકાલનાં વખાણ કરે છો તેનું કાંઈ કારણ? ખંભભાટ કહે, “નામદાર ઘણું છે. હું શાહ લેનાં વખાણ કરું છું કારણ કે તેઓ એ વખાણને લાયક છે. એમના વડવાઓએ જે કામ કર્યો છે તે બીજા કોઈથી થાય તેમ નથી.” લ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #332 -------------------------------------------------------------------------- ________________ ખેમ દેદરાણી બાદશાહ–શાહ તે બાદશાહ જે ધારે તે જીવાડી શકે. બાદશાહ કહેવાય. દુનિયા આખીને ખંભભાટ-જી હજુર ! આ શાહ લકોએ પણ એવાં કામો કરેલાં છે. તેરસ પનોતરે ભયંકર દુકાળ પડયે ને ક્યાંઈ ખાવા ધાન્ય રહ્યું નહિ, ત્યારે જગડુશાહે દુનિયાને દાણે પૂર્યો હતો. જગે જગે અનાજના ભંડાર ભરાવ્યા હતા. રાજા મહારાજાએને પણ અનાજ ધર્યું હતું ને મોતના મોઢામાંથી સૌને બચાવ્યા હતા. તે દિવસથી એમને “દકાલ દેહત્ય”નું માનવંતુ બિરૂદ મળ્યું છે.” બાદશાહ કહે, “ઠીક વખત આવતાં પરીક્ષા થશે. અત્યારે જાવ.' બંભભાટ રવાના થશે. બાદશાહે મનમાં ગાંઠ વાળી કે ભાટનાં વખાણ ખોટા પાડવાં. ૨ - ગુજરાતમાં ભયંકર દુકાળ પડ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #333 -------------------------------------------------------------------------- ________________ ખેમ દેદરાણું નથી મળતો ઘાસચારો કે નથી મળતાં અન્ન વસ્ત્ર. ઢોરઢાંખર મરવાં પડયાં છે. માણસના ટેળાં “ અન્ન અન્ન ” કરતાં રખડવા લાગ્યાં છે. બાદશાહે આ જાણ્યું એટલે નક્કી કર્યું કે આ વખતે વાણિયાઓની પરીક્ષા લેવી. એટલે તેણે ભાટને બેલા ને કહ્યું. “અબે ભાટ ! જો તું કહેતે હતો એમ શાહ સાચા શાહ હોય તો આખા ગુજરાતને એક વરસ સુધી છવાડે. નહિતર શાહ કહેનાર ને કહેવડાવનાર બંને ગુન્હેગાર છે.” ભાટ કહે, “નામદાર ! કબૂલ.” તેણે આવીને ચાંપશી મહેતાને વાત કરી કે બાદશાહ સાથે હેડ થઈ છે. જે ગુજરાતને આ દુકાળમાં એક વરસ સુધી છવાડે તો શાહ ખરા. નહિતર શાહ કહેનાર ને કહેવડાવનાર બંને ગુન્હેગાર છે. આ સાંભળી કેટલાક ચા નીચા થઈ ગયા પણ ચાંપશી મહેતાએ વિચાર કરી જણાવ્યું “ જે બિરૂદ બાપદાદાઓમહામહેનતે મેળવ્યું તેને આમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #334 -------------------------------------------------------------------------- ________________ ખેમા દેદરાણી છાડી તા નજ દેવાય. ભાટનાં વખાણ જાડાં ન પડવાં જોઈએ. ભાટ ! એક મહિનાની મુદત માગ, મહિનાની આખરે મહાજન કર્યાં તે ગુજરાતને વરસ સુધી જીવાડવાનું માથે લેશે; કાં ા શાહુ શાહ અટક મૂકી દેશે. ’ જઇને મહિનાની ભા બાદશાહે તે મજુર રાખી. : 3: મુદત માગી. ચાંપશી મહેતાએ મહાજનને એકઠું કર્યું ને બધી વાત વિસ્તારથી કહી સંભળાવી. મહાજન કહે, શેઠિયાઓના ‘ કરી ટીપ. ' ચાંપાનેરના બધા નામ ઉતાયા. ભરાવા એક પછી એક દિવસ લાગ્યા. બધા દિવસ ભરાવી રહ્યા ત્યારે ચાર મહિના થયા. હવે બીજા આઠ મહિનાનું શું કરવું ? એટલે બીજે ગામ જવા વિચાર કર્યો. પાટણ તે વખતે માટું શહેર. ત્યાં ઘણા શેઠ–શ્રીમંત રહે. ચાંપશી મહેતા તથા સીન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #335 -------------------------------------------------------------------------- ________________ ખેમ દેદરાણી ચેડા આગેવાને પાટણ ચાલ્યા. પાટણના મહાજને તેમની બહુ સરભરા કરી ને મહાજનને ભેગું કરી ટીપ કરી. ત્યાં બે મહિના નેંધાયા. પછી ટીપ કરનારા ચાલ્યા જોળકા. ધોળકામાં દશ દિવસ નોંધાયા. આ ટીપ કરતાં કરતાં વિશ દીવસ તે ચાલ્યા ગયા. ફકત દશ દિવસ બાકી રહ્યા. દશ દિવસમાં ધોળકાથી ચાંપાનેર જવું એટલે મહાજન ઝડપથી ધંધુકે જવા નીકળ્યું. રસ્તામાં હડાળા ગામ આવ્યું. હડાળામાં પ્રેમ કરીને એક શ્રાવક રહે. તેને ખબર પડી કે ચાંપાનેરનું મહાજન મારી ભાગોળે થઈને જાય છે. એટલે તે દેડતે ગામ બહાર આવ્યું ને હાથ જોડી વિનંતિ કરવા લાગે “ મારી એક વિનંતિ સ્વીકારે.” ચાંપશી મહેતા તથા બીજા આ ચિંથરેહાલ વાણિયાને જોઈ મનમાં કચવાયા. થા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #336 -------------------------------------------------------------------------- ________________ ખેમા દેદરાણી જ્યાં જઇએ ત્યાં આપણી પાસે માંગનારા તા ખરા જ. આને વળી શું વિનંતિ કરવાની હશે ?’ . 6 તે બાલ્યા : “ શેઠ! અવસર જોઇને જે માગવું હાય " તે માગે. ' ખેમા ત્યાં પધારા. - કહેઃ - શિરામણી માટે મારે ચાંપશી મહેતાને નિરાંત થઈ થઈ કે એને કાંઈ મદદ માગવાની નથી. પછી તેમણે જવાબ આપ્યા કે ભાઇ ! અમારે ડીકે રાકાનું પાલવે તેમ નથી. બહુ અગત્યના કામે જવાનુ છે. ખેમા કહે, ગમે તેમ થાય પણ તમારા સ્વામીભાઈનું આંગણું પાવન કરો. બરાબર શિરામણી ટાંણે અહીંથી એમને એમ જવાય નહિ. સ્વામીભાઇનું નાતરૂં પાછું ન ઠેલાય. એટલે સહુ શિરામણી માટે ખેમાને ત્યાં ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #337 -------------------------------------------------------------------------- ________________ એમે દેદરાણી ખેમાએ ખાખરા દહીંની શિરામણી કરાવી. એટલે મહાજન કહે, ‘હવે અમે જઈશુ.’ ખેમા કહે, · શેઠજી ! હુંવે જમવાને થોડી વાર છે. થાડીવારમાં ગરમ રસોઈ તૈયાર થઇ જશે. માટે આપ જમીને ખુશીથી પધારજો.' ખેમાએ તે શીરાપૂરી ભજીયાં વગેરે મિષ્ટાન્ન કર્યાં તે મહાજનને ખૂબ હેતથી જમાડયું. " મહાજન જમી ઊઠયું એટલે ખેમાએ પૂછ્યું': ‘ આપને શા કામે નીકળવુ પડયું છે તે જણાવેા. ' ચાંપશી મહેતાએ કહ્યું: ‘જુએ શેઠ ! અમે ચાંપાનેરથી ટીપ કરવા નીકળ્યા છીએ. બાદશાહે અમને હુકમ કર્યાં છે કે એક વરસ સુધી આ આ દુકાળમાં લોકાને જીવાડેા નહિતર શાહુપદ છેાડી દો. આપણા પૂર્વજોએ કેટકેટલાં કામ કરીને આ પદ મેળવ્યું છે ? એ પઢ કાંઈ એમ છેડી દેવાય એટલે મહાજને મહિનાની મુદત માગી છે. ચાંપાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #338 -------------------------------------------------------------------------- ________________ ૧૦ એમ દેદરાણી રમાં ચાર મહિના નેંધાઈ ગયા છે. પાટણના મહાજને બે મહિના નેંધાવ્યા છે. ધોળકાના મહાજને દશ દિવસ નેંધાવ્યા છે. પણ હજી પાંચ મહિનાને વિશ દિવસ બાકી રહ્યા! અને બાદશાહે આપેલી અમારી મુદતમાં હવે દસ દિવસ જ બાકી રહ્યા છે. ખેમા શેઠ ! શાસનદેવ બધાં સારાં વાનાં કરશે. પણ આ કારણે અમને જવાની ઉતાવળ છે માટે રજા આપે. તમે અમારી બહુ સેવાભકિત કરી છે! હવે કોઈ વખત ચાંપાનેર પધારે તે જરૂર અમારે ત્યાં આવજે.” એમાએ આ બધી વાત સાંભળી કહ્યું. “આપ આમ જવાની ઉતાવળ કરશે નહિ. મારા ઘરડા પિતાએ તો હજી તમારાં દર્શન પણ કર્યા નથી. માટે એમને મળીને હું આવું છું. વળી આપની ટીપમાં ફૂલ નહિ તે ફૂલની પાંખડી પ્રમાણે હું પણ કંઈક લખાવવા ઈચ્છા રાખું છું.' આ સાંભળી ચાંપશી મહેતા મૂછમાં હયા. બીજા પણ અંદર અંદર ઇસારો કરવા લાગ્યા. Shree Sudhrattaswamt Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #339 -------------------------------------------------------------------------- ________________ ખેમ દેદરાણી ૧૧ બધાને લાગ્યું કે આ ચીંથરેહાલ શ્રાવક ટીપમાં શું ભરશે? ખે પિતાના ઘરડા પિતા દેદરાણી પાસે ગયા. ત્યાં જઈને બધી વાત કરી. દેદરાણી કહે, “બેટા ! ધન કેઈની સાથે ગયું નથી ને જશે પણ નહિ. નાણું મળે છે પણ ટાણું મળતું નથી. આ તે ઘેર બેઠાં ગંગા આવી છે. આ તે બાપદાદાની આબરૂ સાચવવાની વાત છે. જરાય સકેચ કરીશ નહિ લેવાય તેટલો લાભ લે. એમાએ પિતાની પાસેથી પાછી આવી ટીપ માગી. અને તેમાં ૩૬ ૦ દિવસ ભરી ટપ ચાંપશી મહેતાના હાથમાં મૂકી. આ જોઈ સહુ હેબતાઈ ગયા. ઘડીભર વિચારવા લાગ્યા કે ખેમાને ગાંડપણ તે નથી આવ્યું? ચાંપશી મહેતા કહે, “ખેમા શેઠ ! જરા વિચાર કરીને લખે. ખેમા શેઠ કહે, “બહુ થોડું લખ્યું છે. શેઠજી ! કૃપા કરીને એ રહેવા દે. શહેરમાં રહેનારાઓને તે આવા સારા કામને ઘણા પ્રસંગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #340 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ખેમ દેદરાણું મળે. પણ અમને તો કોઈ દહાડો મળે. માટે કૃપા કરે!” પછી બે મહાજનને પિતાના ઝુંપડા જેવા દેખાતા ઘરની અંદર લઈ ગયે. ત્યાં મેયરું હતું તેમાં લઈ ગયું અને ત્યાં રહેલું ધન બતાવ્યું. બધા તે મોંમાં આંગળી નાંખી જોઈજ -રહ્યાઃ “આટલા ધનને માલિક આવા વેશે અને આવા ઘરમાં ? ધન્ય છે એમા ! આટઆટલું ધન છતાં તારે નથી જરાએ માન કે નથી જરાએ મેટાઈ!' પછી બધાએ કહ્યું: “ખેમા શેઠ ! હવે આ કપડાં કાઢી નાખે ને સારાં કપડાં પહેરી લે, કારણ કે તમારે બાદશાહની આગળ જવાનું છે. એમ કહે, “ભલે ! બાદશાહની આગળ જવાનું હોય એમાં ભપકાદાર કપડાં પહેરવાની શી જરૂર છે ? શેઠજી ! અમે તે ગામડિયા આવા પિશામાં સારા. અમારે શાલદુશાલાનું કામ નહિ.' ચાંપશી મહેતા કહે, “ખરેખર ! શેઠ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #341 -------------------------------------------------------------------------- ________________ એમે દેદરાણી તે તમે છે. અને તે તમારા ગુમાતા છીએ.” પછી ખેમા શેઠને પાલખીમાં બેસાડી ચાંપાનેર લીધા. બીજે દિવસે ચાંપશી મહેતા ને મહાજન ખેમા શેઠને લઈને કચેરીમાં ગયા. - ખેમા શેઠે તે એજ ફાટેલા તુટેલ અંગરખું ને ચિંથરિયા પાઘડી બાંધેલી. હાથમાં એક નાની સરખી પાટલી. બાદશાહે ચાંપશી મહેતાને જોઈ પૂછયું: “કેમ મહેતા ! શું કરી લાવ્યા ?” ચાંપશી મહેતાએ ખેમા શેઠને બતાવીને કહ્યું ગરીબ પરવર ! અમારી કેમના આ શેઠ આખા ગુજરાતને ૩૬૦ દિવસ સુધી મફત અનાજ પુરૂં પાડશે. બાદશાહ, ખેમાને મેલેઘેલે વેશ જોઈ ચમક્યા. તેણે ખેમાને પૂછયું: “શેઠ ! કાંઈ મશ્કરી તે નથી કરતા ને?” -જહાંપનાહ ! અમારી શી તાકાત કે ખુદાવિંદની મશ્કરી કરીએ? ચાંપશી મહેતાએ જ વાત કહી તે બરાબર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #342 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ખે દેદરાણી બાદશાહ-તમારું નામ ? ખે–ખે. બાદશાહ-ક્યાં રહે છે ? ખેમો-હડાળા ગામમાં. બાદશાહતો આપ એક વર્ષને બરાબર બંદોબસ્ત કરી શકશે ? બે-જી હજુર ! મારા પિતાજીની એવી આજ્ઞા થઈ છે. બાદશાહ–તો શું તમારા પિતા હજી જીવે છે? ખેમ-છ હજુર. બાદશાહ-તેમની ઉમ્મર શું છે? ખેમ-નવાણું વરસ. બાદશાહ-અને તમારી ઉમ્મર. ખેમો–એંશીમાં બે વર્ષ ઓછાં છે. બાદશાહ-એટલી ઉમ્મર તમારા શરીર પરથી દેખાતી નથી. વાર તમારે કેટલાં ગામો છે? ખેમો–બે ગામો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com www Page #343 -------------------------------------------------------------------------- ________________ ખેમા દેદરાણી બાદશાહ કર્યાં કર્યાં ? ખેમે-પળી અને પાલી. એ વખતે ખેમાએ પેાતાની પાસેની નાની સરખી પાટલી છેાડી અને તેમાંથી તેલ ભરવાની પળી અને અનાજ માપવાની પાલી કાઢી. બાદશાહે આગળ તે અને વસ્તુએ રજી કરીને કહ્યું: ૧૫ · આપળી ભરીને આપું છું ને પાલીથી લઉં છું. ” બાદશાહુ આથી ખૂબ ખૂશ થયા અને ખેમાને ધન્યવાદ આપી કહ્યું, શેઠ ! તમારૂં જીવન સકૂળ છે. પૈસા તેા ધણા ભેગા કરી જાણે છે પણ આવી રીતે કાઇને વાપરતા આવડતા 9 નથી. ખરેખર તમે ‘ શાહુ ' પૃથ્વીને લાયક છે.' એમ કહી બાદશાહે મેાતીને કઠ પાતાના હાથેજ ખેમા શેઠના ગળામાં પહેરાવ્યેા. એ વખતે ભભભાટ પણ હાજર હતા. તેને તમે કરેલાં વખાણુ જોઈને બાદશાહે કહ્યું કે સાચાં પડયાં છે. માટે તમને ૧ ગામ, ૧ હ્રાથી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #344 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ખેમા દેદરાણી ૨ ધોડા, અને ૨૦૦૦ રૂા. રાડા ઇનામ તરીકે આપું છું. ખેમાશાહે એક વરસ સુધી આખા ગુજરાતને મત અનાજ વહેંચ્યું. લાખો માણસ ભૂખમરાથી મરતા ખેંચી ગયા, ખેમાશાહને આશી વીંદ આપવા લાગ્યા. ધન્ય છે ખેમાશાહની ઉદાર સખાવતને ! હિંમૈખીમે દુકાળમાંથી k ગુજરાત એટલે પ્રેમાશાહે શત્રુંજયની યાત્રા કરી. પછી પવિત્ર જીવન ગાળી પેાતાનું આયુષ્ય પુરૂં કર્યું. આ દાનવીરના વખતથી એક કહેવત ચાલતી આવે છે કે એક શાહ વાણિ ને ખીજો શાહુ " બાદશાહ. ભારતવર્ષમાં આવા અનેક ખેમા-દેદરા ણી થાવ ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #345 -------------------------------------------------------------------------- ________________ જગડૂશાહ કરછ દેશમાં ભદ્રેશ્વર ગામ. ત્યાં રહે એક શેઠશેઠાણી. શેઠનું નામ સલક ને શેઠાણીનું નામ લખમી. તેમને થયા ત્રણ દીકરા. એકનું નામ જગડુ, બીજાનું નામ રાજ ને બીજાનું નામ પદ્મ. ત્રણે ભાઈ સાહસિક, બહાદુરને હેશિયાર. પણ તેમાં જગડૂ સહુથી ચડે. સલક શેઠને વેપાર ધમધોકાર ચાલે. શું દેશ કે શું પરદેશ! એથી અનેક આડતિયા એમને ત્યાં આવે ને જાય. જગડુ એ બધાને જોઈ આનંદ પામે, તેમની પાસેથી નવી નવી વાત સાંભળે. ઘણી વખત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #346 -------------------------------------------------------------------------- ________________ જગડું શાહ એ પિતાની માતાને કહે કે “મા હું. મોટો થઈશ ત્યારે સે વહાણે લઈને મુસાફરી કરીશ અને પુષ્કળ પિસે માઈ લાવીશ.” માતા એ સાંભળી તેને છાતી સરસો ચાંપી લે. એમ કરતાં ત્રણે ભાઈએ ઉમ્મર લાયક થયા એટલે ત્રણેને સારા ઘરની કન્યાઓ પરણાવી. જગહૂને યશોમતી, રાજને રાજલ્લદે અને પાને પડ્યા. દીકરા હજી પહેલી વીશીમાં છે ત્યાં સોલક શ્રાવક મરણ પામ્યા. ત્રણે ભાઈને ખૂબ શોક થયો. પણ શોક કર્યો શું વળે ? જગડુએ ધીરજ ધરી ઘરને બધો કારભાર ઉપાડી લીધે. ત્રણે ભાઈમાં જગડુ ખૂબ હોશિયાર. તેનું મન : ઘણું મોટું. હૈયું હેતથી છલછલ. દાનમાં છે તેની જેડીજ નહિ. કોઈ પણ ગરીબગરખું કે માગણભિખારી આવ્યું તે જગડૂના આંગણેથી પાછું ન જાય. જગડુ સમજો કે ધન તે આજ છે ને કાલ નથી. માટે તેને લેવાય તેટલે લાભ લઈ લે. એટલે દાન દેવામાં જગડુ પાછું વાળીને જુવે જ નહિ. ધન ધીમે ધીમે ઘટવા લાગ્યું. જગડુને ચિંતા થવા લાગી કે “શું એ વખત આવશે કે મારા આં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #347 -------------------------------------------------------------------------- ________________ જગશાહ ગણેથી કાઈન ખાલી હાથે જવું પડશે ? હૈ નાથ ! એવા વખત લાવીશ નહિ. " જગડ઼ આવી ચિંતામાં રહે છે ત્યાં એક દિવસ તેના ભાગ્યે જોર કર્યું. ગામની ભાગાળે તેણે એક બકરાનું ટાળુ જોયું. એ ટાળામાં એક બકરીના ગળે મણિ આંધેલા. તે ધણેાજ કિમ્મતી પણ ભરવાડને એની શી ગમ હોય ? એણે તા કાચ માનીને બકરીની ડાંકે ખા હતા. જગડૂએ વિચાર્યું કે આ મણુિ ઢાય તેા જગમાં ધાર્યું કામ થાય. માટે લાવ્ય આ બકરીને જ ખરીી લઉં. તેણ થાડા પૈસા આપી એ બકરીને ખરીઢી લીધી. હવે તેને ધનની ખેાટ રહી નહિ. તેણે દેશદેશાવર વેપાર કરવા માંડયે. શું જમીન પર ! શું દરિયા પર ! જમીન કરતાં યે જગડૂશાહના વેપાર દરિયામાં ખૂબ ચાલે. દૂરદૂરના દેશામાં પણુ જગડૂનાં વહાણ જાય ને ત્યાં માલની લેવડદેવડ કરી પાછા આવે. એક વખત જગડૂશાહના જયંતસિહુ નામે એક ગુમાસ્તા ઈરાન દેશના ઢા`ઝ ખદરે ગયા. ત્યાં દરિયા કિનારે એક માટી વખાર રાખી. તેની પાડેાશની વખાર ખભાતના એક મુસલમાન વેપારીએ લીધી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #348 -------------------------------------------------------------------------- ________________ જગડુશાહ હવે એક વખત એવું થયું કે બે વખારો વચ્ચેથી એક સુંદર પત્થર નીકળે. જયંતસિંહ કહે, “એ પત્થર મારોને મુસલમાન વેપારી કહે, “એ પત્થર મારે.” એમ કરતાં તકરાર થઈ. મુસલમાન–આ પત્થર માટે હું અહીંના રાજાને હજાર દિનાર આપીશ. જયંતસિંહ–હું બે હજાર દિનાર આપીશ. મુસલમાન–હું ચાર હજાર દિનાર આપીશ. જયંતસિંહ–હું એક લાખ દિનાર આપીશ. મુસલમાન–હું બે લાખ દિનાર આપીશ. જયંતસિંહ–હું ત્રણ લાખ દિનાર આપીશ. મુસલમાન વેપારી આખરે ઠંડો પડી ગયે. જયંતસિંહે ત્રણ લાખ દિનાર આપી પત્થર લઈ લીધે. પછી તેને વહાણમાં નાંખી ભદ્રેશ્વર લા. કઈ જઈને જગડુને આ સમાચાર કહ્યા કે તમારે ગુમાસ્તા બહુ ધન કમાઇ લા ત્રણ લાખ દિનાર દઈને એક પત્થર લાવ્યા. જગડુ કહે, “ધન્ય છે એને કે મારી આબરૂ વધારી.” પછી ધામધુમથી જયંતસિંહને તથા તે પથરને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #349 -------------------------------------------------------------------------- ________________ જગડુશાહ ઘેર લાવ્યા. યંતસિંહે બધી વાત કરી અને કહ્યું: અપની આબરૂ ખાતર મેં આટલા બધા પિયા ખર્ચા છે. હવે આપને જે શિક્ષા કરવી ઘટે તે કરો.” જગડુ કહે, “જયંતસિંહ ગાંડે થે કે શું? તે તો મારી આબરૂ વધારી એટલે તને તો મારે શરપાવ આપ જોઈએ.” એમ કહી એક કણબી પાઘડી અને મોતીની કંઠીને શિરપાવ આપે. આ પત્થર તેણે ઘરના આંગણામાં જડ. એક વખત એક જોગી બાવા ભિક્ષા લેવા આવ્યા. તેમણે આ પત્થર જઈને જગડુને કહ્યું: “બચ્ચા ! આ પત્થરમાં કિસ્મતી રત્ન છે, માટે એને તેડીને લઈ લે.' જગડુએ તેમ કર્યું. તેને પિતાને પાર રવો નહિ. : ૩ જગડુશાહને રિદ્ધિ સિદ્ધિ ખૂબ થઈ પણ પુત્ર ન થ. એક દીકરી થઈ. તે પણ પરણાવતાંજ રાંડી. આથી તેમને ખૂબ દુઃખ થયું. પણ એ દુઃખના રોદણી ન રોતાં તેમણે ધર્મનાં કાર્યો કરવા માંડયાં અને એથી પોતાના આત્માને શાંત કર્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #350 -------------------------------------------------------------------------- ________________ જગડુશાહ એક વખત પાર દેશના પીઠદેવ રાજાએ ભર પર ચડાઈ કરી ગામને ભાંગી નાંખ્યું. ઘણી માલમત્તા હટી લીધી. પછી તે પોતાના દેશ પાછો ફર્યો. આ જોઈ જગડૂશાહે ભદ્રેશ્વરને કિલ્લે ફરી બાંધવા માંડે. અભિમાની પીઠદે આ સમાચાર સાંભળ્યા એટલે જગને કહેવરાવ્યું: “જે ગધેડાને શીંગડાં ઉગે તેજ તું એ કિલ્લો કરાવી શકીશ. જગડુશાહ કહે, “ગધેડાને શીંગડા ઉગાડીને પણ એ કિલ્લો હું કરાવીશ. અને તેમણે પીઠદેવની દરકાર કર્યા વગર કિલ્લે કરાવવા માંડશે. કિલ્લાની દિવાલમાં તેમણે એક ગધેડ કતરા ને તેના માથે બે સેનાના શીંગડા મૂક્યા. હવે મોટા સાથે વેર થયું માટે ચેતતા રહેવું એમ વિચારી તે ગુજરાતના રાજ વિસલદેવને મળ્યા અને બધી હકીકત કહી એક મેટું લશ્કર લઈ આવ્યા. પીઠદેવને આ સમાચાર મળ્યા ત્યારે તે ઠંડો પડી ગયે. ગુજરાતના લશ્કર સાથે લડવાની તેની હિમ્મત ન હતી. પણ તેને વિચાર થયો કે કિલ્લો બનાવવાનું કામ તે રાજાઓનું છે. વાણિયા ભાઈએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #351 -------------------------------------------------------------------------- ________________ જગડુશાહ બંધાવેલા કિલ્લામાં શી ભલીવાર હશે? એટલે એક વખત એને નજરે જોવો. આમ વિચાર કરી એણે જગડુશાહને સંદેશે કહેવડાઃ “પહેલાંની વાતો ભૂલી જશો. હવે તે તમારી સાથે સંબંધ રાખવા ઈચ્છું છું.” નિર્ભય જગડુશાહે તેને સ્વીકાર કર્યો અને કહ્યું: “આપ ખુશીથી પધારે. પીઠદેવ જગડૂશાહને જ મહેમાન છે. જગદશાહે તેની સારી રીતે બરદાસ કરી. ભોજન વગેરેથી પરવાર્યાં પછી પીઠદેવે કિલ્લે જોવાની ઈચ્છા પ્રગટ કરી. જગડુશાહ પિતાના માણસ સાથે પીઠદેવને કિલા પર લઈ ગયા. ત્યાં ફરી ફરીને બધી વસ્તુઓ બતાવી અને પેલો ગધેડો પણ બતાવે ! પીઠદેવને આ જોઈ રૂંવે રૂંવે ઝાળ લાગી ગઈ. પણ કરે શું? તે અહીંથી પાછા ફર્યા પછી બિમાર પડી ગયો ને મરચું પામ્યો. જગડુશાહ ચુત જૈન હતા. પણ દરેક ધર્મના લેકે સાથે પ્રેમથી વર્તતા હતા. તેમણે શત્રુજ્ય અને ગીરનારના ભવ્ય સંઘ કાઢીને યાત્રા કરી. અનેક મંદિરોનો અને તળાને જીર્ણોદ્ધાર કરાવ્યું અને બીજાઓનાં મંદિરને પણ ચગ્ય મદદ કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #352 -------------------------------------------------------------------------- ________________ જગડુશાહ તેમને ત્યાં દેશાવરથી મુસલમાન વેપારીઓ આવતા તેમને નમાઝની અડચણ ન પડે તે માટે ખીમલી નામની એક મજીદ પણ ચણવી. એક વખત પરમદેવસૂરિ નામના આચાર્ય ભદ્રેશ્વર પધાર્યા. જગડુશાહ તેમનું વ્યાખ્યાન સાંભળવા ગયા. તેમાં આચાર્યો દાન ઉપર જ વ્યાખ્યાન ચલાવ્યું. લોકો એ સાંભળી માથું ધુણાવવા લાગ્યા. આચાર્યો આ જોઈ વ્યાખ્યાન પુરું થયા પછી જગડુશાહને એકતે બોલાવીને કહ્યું: “હે શેઠ! તમારી લક્ષ્મીને વાપરવાને એક ખરો પ્રસંગ આવી રહ્યો છે, સેવાનું એ મોટું કામ છે. બોલો એ કરી શકશે? જગડુશાહે નમ્રતાથી કહ્યું: “એમાં શું ? ગુરુદેવનું વચન શિર સાટે પણ હું કબુલ રાખીશ.” પણ એ કામ લાખ બે લાખ રૂપીયાનું નથી!' ગુરુજીએ મૂળ વાત ઉપર આવવા માંડયું. એ કામ ગમે તેટલું હોય તો પણ ફીકર નહિ. મારી શકિતનું તો છે ને?” જગડૂશાહે શાંતિથી ઉત્તર આપે. હા, તારી શકિતનું તો જરૂર છે.' ઠીક, ત્યારે ફરમાવો.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #353 -------------------------------------------------------------------------- ________________ જગફૂશાહ પરમદેવસૂરિએ તેને જણાવ્યું કે સવત ૧૩૧૩ -૧૪ અને ૧૫ ની સાલમાં ત્રણ વર્ષ ઉપરાઉપરી ભયંકર દુકાળ પડશે જેથી દુનિયા બેહુાલ થઈ જશે. માણસે। કીડી મકોડીની જેમ મરવા માંડશે માટે અગમચેતીથી તારાથી બને તેટલુ ધાન્ય તું ભરી રાખ અને દુકાળમાં સહુને એ ધાન્યથી છવાડે. મનુબ્યસેવાના આવે મનુાન લાભ ફરી મળવા મુશ્કેલ છે. ગુરુના જ્યોતિષજ્ઞાન પર જગડૂશાહને અચળ અહ્વા હતી. હૃદયમાં પરાપકાર કરવાની વૃત્તિ પણ ભરપૂર હતી. જે વખતે દુનિયા માથે દુ:ખ તૂટી પડે તે વખતે પેાતાના પૈસા કામ આવે એવા સ ભાગ્ય ક્યાંથી હાય ! એ વિચારે જગચાહે તરતજ પેાતાની પેઢી પર કાગળા લખ્યા કે જે ભાવે જેટલુ અનાજ મળે તે તમામ સધરવા માંડા અને ત્યાંજ તેના કાઠાર ભરા, આ વખતે જગડૂશાહની દુકાના ઉત્તરમાં ગીઝનીકંદહાર સુધી, પૂર્વ માં બંગાળા સુધી, દક્ષિણમાં રામેશ્વર સુધી અને દરિયા પારના મુલકમાં પણ ઠેર ફેર હતી. એ વખતે તે હિંદુસ્થાનના અજોડ શાહ સાદાગર લેખાતા. તેમની પેઢીઆને પત્ર મળતાં જ આ જાતની ખરીદ્યીએ શરૂ થઇ અને લાગલાગઢ બે વર્ષ સુધી એ ચાલુ રહી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #354 -------------------------------------------------------------------------- ________________ १० જગશાહે જગડ઼ેશાહુના ધાન્યના કાઠારા ભરાઈ ગયા. આ અધા કાઠારમાં જગડૂશાહે અકેક તાંખાનું પતરૂંનખાવ્યુ` અને તેમાં ફકત આટલાજ શબ્દો લખ્યા : “ આ કણ ગરીમાને માટે છે. ” જગડુંશાહ. સંવત ૧૩૧૩ની સાલ હતી. ખેડુતાએ જમીના ખેડીને તૈયાર રાખી હતી. મેઘરાજાની મહેર થવાની સહુ કાઈ રાહ જોતું હતું પણ અષાડી મેહુ આન્યા નહિ. શ્રાવણ ને ભાદરવા પણ ખાલી ગયા. ખરેખર ભયકર દુકાળની શરૂઆત થઇ! લેાકેા લમણે હાથ મુઠ્ઠી નિરાશ થયા અને આવતા વરસે તેા ભગવાન કૃપા કરશે એમ આશા રાખી જેમ તેમ દિવસેા પસાર કરવા લાગ્યા. જગડૂશાહે આ વખતે કેટલીક સદાવ્રતશાળાઓ ખાલી દ્વીધી ને તદ્દન નિરાધાર માણસાને દુકાળમાંથી ઉગારી લીધા. આ ઉડાઉડના સમય મુરકે લીથી પસાર કરતા સવત ૧૩૧૪ના જેઠ મહિને આવ્યા અને અધારિયાની શરૂઆત થઈ. પણ આકાશમાં વરસાદે ગારભા ધાણ્યા નહિ. લોઢાના જીવ તાળવે ચાટી ગયા. હવે અષાડ તરફ મીટ માંડી. પરંતુ અષાડ પશુ ઠગારા નીકળ્યા ! શ્રાવણ માસમાં પાણીના બે ચાર યુ≠ નાંખી મેધરાજા રિસાઈ ગયા ને ફરી ન દેખાયા. તે નજ દેખાયા ! ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #355 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ગુજારવા દુકાળ ઉપર દુકાળ પડવાથી લાકા હિમ્મત હારી ગયા. એક વરસ તા મહા મુશીબતે પસાર કર્યું હતું. પણ હવે કેવી રીતે દિવસે ? ખાવા અન્ન નહાતું અને આ દુકાળ દેશના એકજ ભાગમાં નહિ પણ આખાએ હિંંદુસ્તાનમાં હતા. એટલે બીજા ભાગમાંથી મદદ મળે તેમ નહેાતી. દુકાળના આ ત્રાસથી હુારા ગામડાં ઉજ્જડ થઇ ગયાં ને ચારે બાજુ લુટાટ થવા લાગી. અનાજના ભાવ ચારથી પાંચ ગણા થઈ ગયા છતાં જોઈતાં અનાજનાં સાંસા પડવા લાગ્યા. વેપારીઓના તમામ કાઠારા પણ ખલાસ થઈ ગયા હતા ! જગદ્રશાહે આ વખતે પણ લેાકાને ભારે રાહત આપી અને અનેક નવી સમ્રાત્રતશાળાઓ ખાલી ઢીધી. લેકા જગશાહની આ ઉદારતા જોઇ તેની પરમેશ્વરની જેમ પૂજા કરવા લાગ્યા પણ નિાભિમાની જગડૂને એનું કાંઇ નહેાતું. હજી ભયંકર આકૃતનું એક વર્ષ બાકી હતુ તે એ સારી રીતે જાણતા હતા. અને એ ભયંકર વર્ષ પણ ધીમે ધીમે આવી પહેાંચ્યું. નિષ્ઠુર મેધરાજાએ ૧૩૧૫ ની સાલમાં પણ રંગા દ્વીધા. પાણીનું મુંદ્ર મૂક્યું નહિ અને લૉકાનાં હૃદય ભયંકર ભવિષ્યના વિચારે ચિરાઇ જવા લાગ્યા. અનાજના ભાવ પાવલીના તેર ચણા પર જઇ પહોંચ્યા. જગ‘શાહે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #356 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જગદૂશાહે અને ખાવા માટે ઠેરઠેર હુલ્લડો થવા લાગ્યા. વૃક્ષાનાં પત્તાં તથા ધાસ સુદ્ધાં આ દુકાળિયાએ સાચટ કરી નાંખ્યા ! કેટલેક ઠેકાણે તેા બાળકાને ત્રુંજીને પણ લોકાએ ભૂખ મટાડી ! કાઇ રાજાના કાઠારમાં પણ અનાજ રહ્યું નહિ ! આ વખતે બધાની નજર જગડૂશાહ ઉપર પડી અને જગડુશાહ પણ બરાબર દાતાર થયા. ગુજરાતના મહારાજા વીસલદેવે જગડૂશાહને બાલાગ્યા અને કહ્યું: ‘ જગડુશાહ ! તમે લેાકાની જે સેવા કરે છે. તેથી અમે બહુ રાજી થયા છીએ પણ હવે અમારૂ પણ થોડું કામ પડશે. ' જગડૂશાહે નમ્રતાથી કહ્યું: ‘મહારાજ ! એ શું બોલ્યા ? સેવકને દાઈ પણ હુકમ ફરમાવો, ’ વિસલદેવે કહ્યું: અમે સાંભળ્યું છે કે આ પાટણમાંજ તમારા ધાન્યના ૭૦૦ કાઠારા છે. તા એમાંથી થાડુક ધાન્ય અમેાર્ન પણ આપે.’ જગડુશાહે કહ્યું: ‘મહારાજ ! મારી વતીનુ જરા પશુ અનાજ આ પાટણમાં નથી. ખાતરી કરવી ઢાય તા એ કાઠારા ઉધાડીને જુા. ' મહારાજા વીસલદેવે એક કાઠાર ખાલાવીને જોયું તા . અંદરથી ત્રાંબાની તકતી નીકળી. તેમાં લખ્યું હતું કે આ કણુ ગરીમા માટે છે. નગઢાહ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #357 -------------------------------------------------------------------------- ________________ જગડુશાહ ૧૩ જગડુશાહે આ દુકાળમાં જુદા જુદા રાજાઓને આપેલા અનાજની સામાન્ય યાદિ નીચે મુજબ છે – મણ ગુજરાતના રાજા વસલદેવને ૪૦૦૦૦૦ સિંધના રાજા હમીરદેવને १००००० મેવાડના રાજાને १६००००० માળવાનારાજા મદનવર્માને ૯૦૦૦૦૦ કાશીને રાજા પ્રતાપસિંહને ૧૬૦૦૦૦૦ કંદહારના રાજાને દિલ્હીના બાદશાહ નાસિરૂદીનને ૧૦૫૦૦૦૦ ६२१०००० આ સિવાયના પણ નાના મોટા રાજાઓને તેમણે ઘણું અનાજ આપ્યું હતું. જગડુશાહ તરફથી નાની નાની સદાવ્રતશાળાઓ ઘણું ચાલતી હતી. પણ આ દુકાળને પહોંચી વળવા માટે તેમણે મેટી દાનશાળાઓ નીચે મુજબ ચાલુ કરી હતી રેવાકાંઠા, સોરઠ અને ગુજરાતમાં ૩૩ મારવાડ, ધાર અને કચ્છમાં ૩૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #358 -------------------------------------------------------------------------- ________________ જગડુશાહ ૧૪ મેવાડ, માળવા અને ઢાલમાં ઉત્તર ભાગમાં ૧૧૫ આ દાનશાળામાં બધા થઈને હંમેશના પાંચ લાખ માણસને ભેજન આપવામાં આવતું હતું. એક પાટણની દાનરાળામાંજ હંમેશાં વીસ હજાર માણસને જમાડવામાં આવતા હતા ! જગડુશાહે આ દુકાળમાં ૪૯૯૫૦૦૦૦ મણ દાનશાળાઓમાં માત વાપર્યું અને ૧૮ ક્રોડ માસા એટલે કા કોડ રૂપિયા નગદ વાપર્યા ! મોટા મોટા રાજા મહારાજાઓ પણ જગડુશાહની આ ઉદારતા જોઈ તેની પ્રશંસા કરવા લાગ્યા અને તેને “જગતના પાલનહાર 'નું બિરૂદ આપ્યું. આજે પણ કોઈ મહાન દાનેશ્વરીને જગડુશાહની ઉપમા અપાય છે તે આટલાજ માટે. સંવત ૧૩૧૬ ની સાલમાં વરસાદ સારો થે અને દુકાળ મટી ગયે. આટલું ધન વાપર્યા પછી પણ જગડુશાહને ધનની ખોટ નહતી પડી. લક્ષ્મી તે પ્રતિદિન વધતી જતી હતી. એક વખત ચાંચિયા લેકને મીણથી ભરેલું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #359 -------------------------------------------------------------------------- ________________ જગશાહ એક વહાણ સમુદ્રમાંથી મળી આવ્યું. તેમને સમજ ન પડી કે એનું શું કરવું. બધા વિચારમાં પડયા. એવામાં એકને જગqશાહ યાદ આવ્યા એટલે તે બેલી ઉઠે ચાલે જગડુશાહ પાસે. આ વહાણ તેમને વેચીને ધન મેળવીએ.” બધાને આ વાત ગમવાથી જગડશાહ પાસે આવ્યા અને કહેવા લાગ્યાઃ “હે શેઠ! અમને મીણથી ભરેલું એક વહાણ મળી આવ્યું છે. આપને તે કામ લાગશે માટે ખરીદવાની ઈચ્છા હોય તે કહે.' જગડુશાહને મીણની ખાસ જરૂર નહતી પણ બિચારા પિતાનું નામ પૂછતા આવ્યા છે માટે નિરાશ ન કરવા એમ વિચારી એ મીણ ખરીદી લીધું. એમાં મીણના ૫૦૦ મોટા ચોરસા હતા. કેટલાકને આ વાત ન ગમી પણ જગડુશાહને કહેવાની હિમ્મત કેણ કરે ? આ વાતને ત્રણ માસ પસાર થઈ ગયા. પછી એક વખત કામ પ્રસંગે સગડી સળગાવવામાં આવી અને તેમાં કેઇએ રમતમાં પેલા મીણનું ચેરમું ફેંકયું. થોડીવારમાં મીણ ઓગળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #360 -------------------------------------------------------------------------- ________________ જગડુશાહ ગયું ને અંદરથી સેનું ઝળક્યું. જગડુશાહે તપાસ કરી તે સેનું શુદ્ધ જણાયું. એ પાંચસે ચારસામાંથી તેમને અઢળક ધન મળ્યું. જો કે તે બધું એમણે પરેપકારના કામમાંજ ખરચી નાખ્યું. આ રીતે જગડુશાહને વેપાર ઉપરાંત અણધાર્યા પ્રસંગોમાંથી અઢળક ધન મળેલું અને એથી એમને ધનની ખોટ પડી જ નહિ ! - ભારતવર્ષના આ મહાન દાનવીરે પિસે સારા ઠેકાણે વાપરી પૈસાદારને જુદે જ માર્ગ બતાવે. કેટલાંક વર્ષ પછી જ્યારે તેમનું મરણ થયું ત્યારે દેશભરમાં શોક ફેલાઈ ગયે. હજારે લેકે છુટા મોંએ રડવા લાગ્યા. જગતને પાલનહાર' જતાં કાને દુખ ન થાય? જો કે જગડુશાહને પિતાને વંશ ચાલે નથી પણ જગતપર જયાં સુધી દાનનો મહિમા રહેશે ત્યાં સુધી એમનું નામ અમર રહેશે. જગતને આવા અનેક જગડૂચાહ પ્રાપ્ત થાય! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #361 -------------------------------------------------------------------------- ________________ 19 ©©©©©©©©; બાળગ્રંથાવલી : પ્રથમ શ્રેણી :: ૨૦ $ ધર્મ માટે પ્રાણ આપનાર મહાત્માઓ ૧. લેખક . ધીરજલાલ ટેકરશી શાહ ક Sweet આવૃત્તિ ચોથી સર્વ હક સ્વાધીન પ્રત ૧૨૫૦ મૂલ્ય સવા આને. સંવત ૧૯૯૧ ક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #362 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : ધીરજલાલ ટોકરશી શાહ જ્યતિ કાર્યાલય નગરશેઠ મારકીટ, રતનપોળ, અ મ દા વા દ. આ પુસ્તક મુંબઈ ઇલાકા કેળવણીખાતા તથા વડોદરા રાજ્ય કેળવણીખાતા તરફથી ઇનામ-લાઈબ્રેરી માટે મંજૂર થયેલું છે, તેમજ જૈન શ્વે એજ્યુકેશનલ બોર્ડની ધાર્મિક પરીક્ષાના બાળ ઘેરણું પ્રથમ તથા કન્યા ધરણ પ્રથમમાં પાઠયપુસ્તક તરીકે સ્વીકારાયેલું છે. ધી, ટે શાહ ... મુદ્રકમણિલાલ છગનલાલ શાહ. મુદ્રણસ્થાનઃ વીરવિજયઃ પ્રી. પ્રેસ કાળુપુર ટંકશાળ : અમદાવાદ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #363 -------------------------------------------------------------------------- ________________ ધર્મચિ અણગાર. નાગિલા બ્રાહ્મણીએ ભાતભાતનાં ભોજન કર્યા. તીખા તમતમતાં શાક કર્યો. તેમાં તુંબડાનું શાક કરતાં કેઈએ તુંબડાં ચાખ્યાં નહિ. પછી તૈયાર થયે જ્યાં કામ ઊઘાડીને એક પીતે જીભે અડાડ્યું ત્યાં કહે છે! તે સમજી ગઈ કે શાક કડવા તુંબડાનું થયું. કોઈથી આ ખવાશે નહિ. એટલે તે બાજુએ મૂક્યું. ભજનને સમય થયે એટલે સહુ આવ્યા ને જમી ઉઠ્યા. એવામાં “ધર્મલાભ કહેતા ધર્મચિ નામના એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #364 -------------------------------------------------------------------------- ________________ ધમાચ અણગાર સાધુ તેને ત્યાં ભિક્ષા લેવા આવ્યા. એક માસના તે ઉપવાસી હતા. નાગિલાએ વિચાર્યું “લાવ! આ શાક આ સાધુનેજ આપી દઉં. કોણ બહાર નાખવા જાય છે ! બધું શાક સાધુને વહેરાખ્યું.” ધર્મચિ આ આહાર લઈ પિતાના ગુરુ ધર્મઘોષ આગળ આવ્યા. ગુરુ આહાર સુંધીને જ બેલ્યા: “હે શિષ્ય! આ આહાર વાપરીશ નહિ. નહિતર તારું મરણ થશે. જ્યાં જીવડાં ન હોય એવી ભૂમિમાં તેને પાઠવી આવ ! હવેથી આવો આહાર લાવીશ નહિ.” - ઘર્મરુચિ આહારને પરઠવવા ગામ બહાર ચાલ્યા. એવામાં શાકના રસનું ટીપું ભેય પડયું. એ ટીપાની સુગંધથી લેભાઇ કેટલીક કીડીઓ ત્યાં આવી ને ચોટી ગઈ. તરત જ તે મરણ પામી. આ જોઇ ધર્મચિ મુનિએ વિચાર્યું “અહો! આ શાકના એક ટીપાથી આટલા બધા જીવ મરણ પામ્યા તો આ બધા શાકથી કેટલા જીવોને સંહાર થશે?માટે મને જ મરવા દે. મારા મરવાથી ઘણુ જીવ બચી જશે.” એમ વિચારી બધું શાક ખાઈ ગયા. પછી ધ્યાન ધરી લીધું ને જગતના સર્વ છની ક્ષમા માગી લીધી. થોડીવારમાં ઝેરી શાકની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #365 -------------------------------------------------------------------------- ________________ ગજસુકુમાળ અસરથી મુનિરાજનું મરણ થયું. છેલ્લી ઘડી સુધી શુભ ભાવના રાખવાથી તે દેવલોકે ગયા. આટલી હદ સુધી અહિંસા પાળનાર કેટલા મહા ભાએ હશે ? ગજસુકુમાળ : ૨: શ્રી નેમનાથ મધુર વાણીથી ઉપદેશ દેતા હતા. ત્યાં શ્રીકૃષ્ણ મહારાજના નાના ભાઈ ગજસુકુમાળ આવ્યા. તેમણે તે ઉપદેશ સાંભળ્યે ને વૈરાગ્ય થયા. એટલે પેાતાની માતા દેવકીજીપાસેગયા ને ઢીક્ષા લેવાની રજા માગી. દેવકીજીએ તેમને ધણું ધણુ સમજાવ્યા કે “પુત્ર ! તારી ઉમ્મર નાની છે. સંજમ ખૂબ દેવલો છે. તારાથી એ નહિ પળાય.''પણ ગજસુકુમાળની ભાવના દૃઢ હતી એટલે છેવટે રજા આપી. ગજસુકુમાળે દીક્ષા લીધી. " દીક્ષા લઇને તેમણે પ્રભુને કહ્યું કે “ પ્રભા ! મેાક્ષ જલદી મળે તેવા ઉપાય બતાવા!'' પ્રભુ તેમનાથ કહે, “ધ્યાન ધરીને ઉભા રહેા. મન વચન ને કાયાને બરાબર પવિત્ર કરી ! ‰ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #366 -------------------------------------------------------------------------- ________________ ગજસુકુમાળ. ગજસુકુમાળે શ્મશાનમાં જઇને ધ્યાન લગાવ્યું. આ વખતે ગજસુકુમાળના સાસરા સામિલ બ્રાહ્મણ ત્યાં થઇને નીકળ્યા. તેણે ગજસુકુમાળને આ હાલતમાં જોયા. એટલે ખૂબ ચીડાયા. દાંત પીસીને બાલ્યું : “અરે ! તે તા મારી દીકરીના ભવ બગાડયા ! તારે જો એને નહેાતી પરવી તો સગપણ શા માટે કર્યું?” આમ બેાલતાં ભાલતાં તેના ક્રોધ ખૂબ વધી ગયા. ગજસુકુમાળને શું કરી નાપુ' એવા વિચારમાં ધૂંધવાવા લાગ્યો. જ્યારે તેના ક્રોધની હ્રદ ન રહી ત્યારે ધગધગતા અંગારા એક ધડાની ડીખમાં ભર્યાં ને તે ઠીબ ગજસુકુમાળના માથે મૂકી. ક્ ગજસુકુમાળનું હૈયું ક્ષમાનુ સાવર હતું. તેમનુ શરીર દાઝે પણ મન દાઝે એમ હતું નહિ. એ તા ઉલટા વિચાર કરવા લાગ્યા કે “ કાઈ સસરા તે વીસ પચીસની પાધડી બચાવે પણ આ સસરાએ તેા મેક્ષ મળે એવી પાઘડી બંધાવી ! હું જીવ ! શાંતિથી આ પ્રસંગ સહન કરી લે. આવા પ્રસ’ગ ધડીએ ઘડીએ નહિ મળે.' એમ વિચાર કરતાં તેમના હૃદયમાંથી ક્ષમા ઊભ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #367 -------------------------------------------------------------------------- ________________ અવંતિસુકુમાળ રાવા લાગી. સમતા છલકાવા લાગી. અને તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. અંગારાથી માથું તપતાં થોડીવારમાં તે મરણ પામ્યા ને મોક્ષે ગયા. હે નાથ! આવા સમાસાગરની ક્ષમા અમારામાં આવજે ! અવંતિસુકમાળ ૨ ૩ ૪ ઉજેણી નગરીમાં ખીલતા જોબનને એક બાળ શ્રીમંત. બત્રીશ સ્ત્રીઓને તે સ્વામી છે. અનેક મેડી મહેલા તેને ધણી છે. તેના પિતા ધનદ શેઠ ગુજરી ગયા છે. અને ભદ્રામાતા ઘરનો બધો કારભાર ચલાવે છે. એક વખત આર્યમહાગિરિ મહારાજ ભદ્રા શેઠાણીની પરસાળમાં ઉતર્યા. ત્યાં એક વખત સઘળા સાધુ નલિની ગુલ્મ વિમાનની સઝાય ભણે. અવંતિસુકમાળે એ સજઝાય સાંભળી એટલે તેમને થયું કે મેં કયાંઇક આવું અનુભવ્યું છે. એટલે ગુરુ આગળ આવ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #368 -------------------------------------------------------------------------- ________________ અવંતિસુકમાળ ને હાથ જોડી બોલ્યા “ગુરુમહારાજ !આવું સુખ શી રીતે મળે તે સમજાવે !” ગુરુમહારાજ કહે “જે શુદ્ધ ચારિત્ર પાળે તે મેક્ષે જાય. મેહસહિત ચારિત્ર પાળે તે દેવલેકે જાય.” અવંતિસુકમાળ કહે “તે આપ મને દીક્ષા આપે.” ગુરુ કહે: “તમારી માતાની રજા લાવે તે દીક્ષા આપીએ. ” અવંતિસુકમાળ માતા પાસે ગયા, ને દીક્ષા લેવાની રજા માગી. માતા ખૂબ દુઃખી થયાં. સ્ત્રીઓ ખૂબ દુઃખી થઈ. પણ આખરે સમજીને તેઓએ રજા આપી. અવંતિસુકુમાળે દીક્ષા લીધી પછી ગુરુને કહ્યું કે “ગુરુરાજી મારે તે જલદી મોક્ષ મળે એવો રસ્તે લે છે. એટલે જે આપ આજ્ઞા આપો તો કંથેરીના (ારના) વનમાં જઈને અનશન કરું.” ગુરુ કહે : “તમને સુખ ઉપજે તેમ કરે.” અવંતિસુકમાળ ચાલ્યા. નગરથી છેડે દૂર કથેરીનું ભયાનક વન હતું ત્યાં ગયા. કેથેરીના વનમાં પેસતાં કઠેર કાંટે વાગે. પગે લેહીની ધાર થઈ. પણ અવંતિસુકમાળે મનમાં જરાપણ દુઃખ આપ્યું નહિ. તેમણે અનશન શરૂ કર્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #369 -------------------------------------------------------------------------- ________________ અવંતિસુકમાળ હજી અનશન શરૂ કર્યાને થોડીવાર થઈ છે ત્યાં તો એક શિયાળ લેહીની ગંધ આવી પહોંચી. તે નવી વિઆયેલી ને ભૂખીડાંસ એટલે અવંતિસુકમાળ મુનિના પગ કરડવા માંડ્યા. અહ! કેવું સંકટ ! પણ જેનું મન મજબૂત એને શું? એ તે ધ્યાનમાં જ ઉભા રહ્યા. શિયાળ બટાક બટાક બચકાં ભરતી આખે પગ ખાઈ ગઈ. પણ અવંતિસુકમાળ ધ્યાનમાંથી ડગ્યા નહિ. ડીવાર થઈ એટલે બીજો પગ કરડી ખાધે છતાં મનમાં જરા પણ દુઃખ કે અકારે નહિ ! કેવળ શુભ ધ્યાન ! શુભ ચિંતવન ! શિયાળ તે આજ ખાઉં ખાઉં કરી રહી હતી. તેની ભૂખ કાંઈ એટલેથી અટકી નહિ. તેણે પેટ ખાધું, છાતી ખાધીને માથું પણ ખાઈ ગઈ. સાંજ ટાંણે ત્યાં કેવળ હાંડકાં બાકી રહ્યાં. ભડવીર અવંતિસુકમાળ અડગ ધ્યાનથી નલિનીગુભ વિમાનમાં ઉત્પન્ન થયા. બીજા દિવસનું વહાણું વાયું એટલે ભદ્રામાતા તથા તેમની સ્ત્રીઓ આર્યમહાગિરિ મહારાજના દર્શને આવી. અવંતિસુકમાળના ખબર પૂછવા લાગી. આર્યમહાગરિ મહારાજ કહે, “ કચેરીને વનમાં અવંતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #370 -------------------------------------------------------------------------- ________________ ૧૦ અવતિસુકુમાળ સુકુમાળે અનશન કર્યું છે.” માતા તથા સ્રીએ તેમને વાંઢવા કથેરીના વનમાં ગયાં. પણ ત્યાં શું જુએ ? કૅલૈયા વરની જગાએ લેાહી ખરડયાં હાડકાં પડેલાં દીઠાં. ભદ્રા આ જોતાં બેભાન થઈ ગઈ. સ્ત્રીઓ કારમુ રુદન કરવા લાગી પણ આ બધાથી શું વળે ? આ બનાવ પર વિચાર કરતાં તેમને પણ વૈરાગ્ય થયા ને માતા તથા ૩૧ સ્રીએએ દીક્ષા લીધી. ફક્ત એક ગર્ભવતી સ્ત્રી બાકી રહી. આ ગર્ભવતી સ્ત્રીને એક પુત્ર થયા, તેણે પેાતાના પિતાના યાદગાર મરણની જગાએ મહાકાળ નામે સુંદર દહેરું બાંધ્યું. આજે પણ ઉજ્જૈણીથી થોડે છેટે અવ ંતિપાર્શ્વનાથને નામે એ કહેવું એળખાય છે. હુરા જંત્રાળુઓ ત્યાં જઇને એ કથા સાંભળે છેને સમતાના ભંડાર અવતિસુકુમાળનાં વખાણ કરે છે. આપણાથી આ મહાપુરુષનાં ગુણ શી રીતે ગવાય? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #371 -------------------------------------------------------------------------- ________________ સુનિશ્રી મેતાય - ૧૧ મુનિશ્રી મેતાર્ય ખરા બપોરને સમય છે. અંગારા જે તાપ પડે છે. આ વખતે રાજગૃહી નગરીમાં માસના ઉપવાસી એક સાધુ ભિક્ષા લેવા ફરી રહ્યા છે. ધીમે પગલે ને નીચી નજરે ચાલતાં તેઓ એક સનીના ઘર આગળ આવ્યા. ત્યાં સોની સેનાને હાર પડે છે. તેના માટે સેનાના જવલાં તૈયાર કરે છે. સોની મુનિરાજને જોઈ ખૂબ હરખાણે. બે હાથ જોડી વિનંતિ કરવા લાગ્યા. “હે મુનિરાજ ! મારું આંગણું પાવન કરે. મારા ઘેરથી ભિક્ષા લે.” “ધર્મલાભ બેલીને મુનિરાજ તેના ઘરમાં દાખલ થયા. સોની સેનાના જવલાં એમને એમ મૂકી રસેડામાં ચાલ્યું. ત્યાં જઈ ભિક્ષા આપવાની તૈયારી કરવા લાગે. એવામાં ત્યાં એક દોંચ પક્ષી આવ્યું.તે સોનાના જવલા ચરી ગયું. જવલાં ચરીને તે પાસેના ઝાડની ડાળીએ બેઠું. મુનિરાજે આ જોયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #372 -------------------------------------------------------------------------- ________________ ૧૨ મુનિશ્રી મેતાર્ય સેની રસોડામાંથી બહાર આવ્યું. મેદક મિઠાઈને થાળ લાગે. ઉત્તમ ભાવે મુનિરાજને તે ભિક્ષા વહેરાવી. મુનિરાજ ચાલ્યા. સની દુકાને આવ્યું. જએ તે સેનાના જવલાં નહિ! અરે ! અહીંથી સેનાના જવલાં કયાં ગયાં? તેના પેટમાં ફાળ પડી. અહીં જોયું, તહીં જોયું, પણ ક્યાંય સેનાના જવલાં નહિ તેને લાગ્યું કે જરૂર પેલા સાધુ આ જવલાં ઊપાડી ગયા લાવ તેને પકડીને તપાસ કરું. મુનિરાજ તે માસના ઉપવાસી હતા. એટલે હજી આંગણું છોડયું નહોતું. સનીએ સાધુને પકડીને ઉભા રાખ્યા અને પૂછયું“ સેનાના જવલાં કયાં છે?” મુનિરાજે વિચાર કર્યો. જે કોંચ પક્ષીની વાત કહીશ તો બિચારાનો જીવ જશે. માટે શાંતજ રહેવા દે, તેમણે કાંઈ જવાબ આપે નહિ. સનીની શંકા મજબુત થઈ. તેણે બે ત્રણ વખત મુનિને પૂછયું પણ જવાબ મળે નહિ. આથી તે ખૂબ ક્રોધે ભરાયે. પાસે આળું ચામડું પડયું હતું. તે કસકસીને મેતાર્ય મુનિના માથે બાંધ્યું. પણ મેતાર્ય મુનિ સમતાના ભંડાર. તે કાંઈ પણ બેલ્યા નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #373 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી મેતાય ૧૩ સાનીએ તેમને પકડીને તડકામાં બેસાડ્યા. છતાં તે શાંત રહ્યા. તાપથી ચામડું સંકોચાવા માંડયું ને માથામાં ચસકા આવવા લાગ્યાઃ “ હે જીવ ! આવેલુ દુઃખ શાંતિથી સહન કરી લે ! દુઃખથી જરાયે ડરીશ નહિં.' આ વિચાર કરતાં તેમનું મન પવિત્ર થવા લાગ્યું ને ચોડીવારમાં તે એટલી હદે પહેૉંચ્યું' કે તેમને દેવળજ્ઞાન થયું'. અહીં તાપથી ચામડું ખૂબ સકાચાણું ને મેતા મુનિની અને આંખો બહાર નીકળી ગઈ. તેમની ખેાપરી ફાટી ગઇ. સમતાના સાગર મેતા મુનિરાજ નિર્વાણ પામ્યા. એવામાં કાઇ કઠિયારણે આવી ખાક લેતાં કાઠીના ભારા પછાડયા. અચાનક ધબકારાથી કોચપક્ષી તુ ને ચરકી ગયું. સાની જુએ તે ચરકમાં સાનાનાં વલાં ! તરતજ તેને કમકમાટી છૂટી. મેં દુષ્ટ શું કર્યું ? નિર્દોષ મુનિરાજના પ્રાણ લીધા! પણ હવે શું થાય ! રાજાને ખબર પડશે તે ગરદન મારશે. એટલે તેણે એજ મુનિરાજનાં કપડાં પહેર્યાં ને સાધુ થઈ ચાલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #374 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સુકેશલ મુનિ નીકળે. પછી દોહ્યલ સંજમ પાળે ને આત્માનું કલ્યાણ કર્યું. ખરેખર ! “મેતાર્ય મુનિવર ધન્ય ધન્ય તુમ અવતાર !” સુકેશલ મુનિ : ૫ : રાજર્ષિ કીર્તિધર ને તેમના પુત્ર રાજર્ષિ સુકેશલ બને એક ભયંકર વનમાં થઈને પસાર થતા હતા. ત્યાં એકાએક વિકરાળ વાઘણ દેખાણી. ક માણસ આની આગળથી નાશી જઈને જીવ બચાવવાની મહેનત ન કરે? પણ આ રાજર્ષિઓ તો નાસવાને પ્રયત્ન કરતા નથી. તે તે ઊલટી અંદર અંદર વાત કરે છે. કીર્તિધર કહે, “સુકેશલ ! તમે પાછળ રહો! પહેલાં મને સંકટ સહેવા દે.” સુકેસલ કહે : “ક્ષમાશ્રમણ ! આવું શું બેલો છો? સંકટને કદી હું ગણકારતો નથી. લડવા નીકળે બહાદુર લડવૈ શું પાછું વળે? માટે કૃપા કરી મને જ એ ઉપસર્ગ સહેવાની તક આપે !' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #375 -------------------------------------------------------------------------- ________________ ૧૫ મુકેશલ મુનિ સુશલ મુનિ આગળ આવીને ઉભા રહ્યા. ઇષ્ટદેવનું ધ્યાન ધર્યું. વિચારવા લાગ્યા. “અરે જીવ ! આ શરીરના મેહને લીધે તું ઘણું કાળ સંસારમાં રખડ છે માટે હવે તે શરીરને મોહ છોડી દે. અને સર્વ જેને સરખા ગણી તેમની ક્ષમા માગ!” પછી તે મનમાં બોલ્યા: खामेमि सव्व जीवे, सव्वे जीवा खमंतु मे। मित्ती मे सव्वभूएस, वेरं मज्जं न केणइ॥ એટલે સર્વ ની ક્ષમા માગું છું. સર્વ જીવો મને ક્ષમા આપજે. મારે તેની સાથે મિત્રતા છે. કોઈ પણ સાથે વેર નથી. એવામાં વાઘણ તરાપ મારીને સુકેશલ મુનિના શરીર પર કુદી. પિતાના ભયંકર પંજા ને વિકરાળ દાંતથી તેમના શરીરને પાડવા લાગી. પણ સુકેશલ મુનિ શાંત દશામાં છે. હૃદયને પવિત્ર કરી રહ્યા છે. થોડા વખતમાં તે પવિત્રતા છેલ્લી હદે પહોંચી. તેમને કેવળજ્ઞાન થયું. વાઘણ તેમના શરીરને ભક્ષ કરી ગઈ. તે નિર્વાણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #376 -------------------------------------------------------------------------- ________________ બંધક મુનિના પાંચસે શિષ્ય પામ્યા. કીર્તિધર બચી ગયા. તેમણે આકરાં તપ કર્યો ને તેના પ્રભાવથી મોક્ષ મેળવ્યું. ધન્ય છે ભડવીર સુકેશલને ! બંધક મુનિના પાંચસે શિષ્ય વીસમા તીર્થંકર પ્રભુ મુનિસુવ્રત આગળ રાજપુત્ર અંધકે પાંચસો માણસ સાથે દીક્ષા લીધી. પછી ધર્મને ખૂબ અભ્યાસ કરવા લાગ્યા. થડા વખતમાં તે મહાજ્ઞાની થયા એટલે પ્રભુએ તેમને પાંચસો સાધુના આચાર્ય નીમ્યા. એક વખત પિતાના બનેવીને બેધ આપવા તેમણે કુંભાર, નગરે જવાની પ્રભુ આગળ આજ્ઞા માગી. પ્રભુ કહે, “ ત્યાં જવામાં તમારા બધાના જીવનું જોખમ છે.” ત્યારે અંધકાચાર્યે પૂછ્યું, “પણ એથી અમારું કલ્યાણ થશે કે નહિ?” પ્રભુ કહે, “તમારા સિવાય સહુનું કલ્યાણ થશે.” અંધકાચાર્ય કહે, “તે મારું કલ્યાણ થયું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #377 -------------------------------------------------------------------------- ________________ ૧૭ બંધક મુનિના પાંચસે શિષ્ય માનીશ.” તે પાંચસે સાધુ સહિત કુંભારકટ નગરની પાસે આવ્યા. કુંભારકટ નગરને રાજા દંડક હતા. તેને પ્રધાન પાલક હતો. એક વખત તે બંધક મુનિના ગામ આવે ત્યારે રાજકુમાર બંધક સાથે ચર્ચા થયેલી તેમાં તે હારેલ. ત્યારથી તેને બંધક પર વેર બંધાયું હતું. તે મૂળથી સાધુઓને શત્રુ હતો. તેમાં વળી અંધકાચાર્યને જોયા એટલે તેનું વેર તાજું થયું. કોઈ પણ રીતે આ સાધુઓને ઘાટ ઘડવા વિચાર કર્યો. ખંધકાચાર્ય જે બાગમાં ઊતરવાના હતા ત્યાં કેટલાંક હથિયાર દટાવ્યાં. ખંધક મુનિ પિતાના શિષ્ય સહિત બાગમાં ઊતર્યા. ત્યાં રાજા, પ્રધાન તથા બધી રેયત તેમને ઉપદેશ સાંભળવા આવ્યાં. પછી રાત્રે પાલક પ્રધાને જઈને રાજાને કહ્યું: “મહારાજ ! આ બંધક તે બડો બગભગત જણાય છે. સાધુના વેશમાં સારામાં સારા લડતૈયાઓને લાગે છે. એમની મદદથી તે આપણું રાજ્ય લેવા ઈચ્છે છે. એની ખાત્રી કરવી હોય તો તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #378 -------------------------------------------------------------------------- ________________ બંધક મુનિના પાંચસે શિષ્ય સાધુઓ ઊતર્યા છે તેની નીચે ખેદા એટલે બધું માલૂમ પડશે.” દંડક રાજાએ તેમ કર્યું તે ત્યાંથી હથિયાર નીકન્યાં. હથિયારને જોતાંજ દંડક રાજા ચિડાય ને પ્રધાનને આજ્ઞા કરી કે “આ દુષણોને ઠીક લાગે તે શિક્ષા કરો. એમના માટે મને કાંઈ પૂછશે નહિ.” પાલક પ્રધાનને દાવ સફળ થયો. તેણે માણસને મારવાની ઘાણી તૈયાર કરાવી અને તે બાગમાં ગોઠવી. પછી ખંધકાચાર્યને હુકમ ફરમાવ્યું કે રાજના ગુન્હેંગાર તરીકે તમને ઘાણીએ ઘાલીને પીલી નાંખવામાં આવશે. બસ! હુકમ ફરમાવીને તેણે પોતાનું કરપીણ કામ શરૂ કર્યું. અંધકાચાર્ય દરેક સાધુને છેવટની શાંતિ રાખવા માટે ઉપદેશ દે છે. દરેક સાધુ શાંતિને ધારણ કરી ઈષ્ટદેવનું નામ લેતે ઘણીપર જઈને ઉભે રહે છે. પાલક પ્રધાન તેને પીલે છે ને રાજી થાય છે. આ પ્રકારે ચારસે નવાણું સાધુને સંહાર કર્યો. છેવટે સહુથી નાના એક સાધુને ઘાણી આગળ લાવનામાં આવ્યા ને ખંધકાચાર્યનું હૈયું દયાથી ઊભ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #379 -------------------------------------------------------------------------- ________________ ખંધક મુનિના પાંચસે શિષ્ય ૧૯ રાઈ ગયું, તે પાલકને કહેવા લાગ્યાઃ “ મહાનુભાવ ! પહેલાં મને પીલ જેથી આ બાળસાધુની હત્યા મારે જોવી ન પડે. મારું આટલું વચન માની જા ! '' પાલક પ્રધાનને તે। દુઃખ થાય તેમ કરવુ જ હતું એટલે તેણે તે ખાળમુનિને ધાણીએ ધાલ્યા ને ખધકાચાર્યના દેખતાં પીલી નાંખ્યા. બધા મુનિ શુદ્ધ ભાવે મરવાથી નિર્વાણુ પામ્યા. હવે આવ્યો આચાર્યના વારા. તેમને તે છેલ્લી હત્યાથી રગેરગમાં ક્રોધ વ્યાપી ગયા હતા. એટલે છેલ્લી ધડીએ માગી લીધું કે ‘“જો મારા જપતપતુ ફળ હાય તે। આ રાજા, પ્રધાન તથા આખા દેશના નાશ કરનાર થાઉં.' ખધક મુનિ ધાણીમાં પીલાયા. તે પરલેાક ગયા. કહે છે કે તે અગ્નિકુમાર દેવ થયા. તેમણે દંડક રાજાના આખા દેશ ખાળીને ભરમ કરી નાંખ્યા. ફાલ્ગે ફૂલ્યા દેશ વેરાન થઈ ગયા. દંડકારણ્યને નામે હજી પણ તે આળખાય છે. ધન્ય છે ! ખધક મુનિના પાંચસી શિષ્યને જેમણે મરી જાણ્યું ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #380 -------------------------------------------------------------------------- ________________ ૨૦ બંધક મુનિ બંધક મુનિ. : ૭ : નમો નમો ખંધક મહામુનિ. ખંધક મુનિ ક્ષમાના ભંડાર હતા. શ્રાવતીના રાજા કનકકેતુ તેમના પિતા ને મલયાસુંદરી તેમની માતા હતી. એક વખત સાધુ મુનિરાજના ઉપદેશથી તેમને વૈરાગ્ય થ અને દીક્ષા લીધી. જેવી શુદ્ધ ભાવનાએ દીક્ષા લીધી હતી તેવીજ તે પાળતા હતા. સદાયે આકરાં તપ કરે. સંકટ આવ્ય હસતે મોઢે સહન કરે. એમ કરતાં એક દિવસ પોતાની બહેનના શહેરમાં આવ્યા. બહેન બનેવી ગેખે બેઠાં નગરની શોભા જુએ છે. ત્યાં દૂરથી મુનિરાજ દેખાયા. બહેને ગોખમાં બેઠાં જ પારખ્યું કે મુનિરાજ મારે માડીજા વીર છે. તે સાધુ સામું જોઈ રહી. દડ દડ તેની આંખમાંથી આંસુ સયાં. આ જોઈ રાજા ચમળે. મનમાં વિચારવા લાગ્યો. આ તે કેવો સાધુ કે જેને જોઈને રાણીને રડવું આવે છે ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #381 -------------------------------------------------------------------------- ________________ બંધક મુનિ નક્કી રાણીને એની સાથે આડે સંબંધ હશે. ચાલ ! ત્યારે એ દુષ્ટની ખબર લઉં. રાજા ત્યાંથી છૂટો પડયે. પિતાના સેવકેને હુકમ કર્યો કે પેલા સાધુની જીવતાં ચામડી ઊતારી લો. સેવકે દોડયા. ખંધક મુનિ પાસે પહોંચ્યા અને તેમને જાહેર કર્યું “રાજાને હુકમ થયે છે કે તમારી જીવતાં ચામડી ઊતારવી.ખંધક મુનિવર કહે: વાહ સમતાની કસોટીને ઘણે સુંદર પ્રસંગ મળે. ભાઈ ! ખુશીથી તમારા રાજાને હુકમ બજ. પણ મને કહે કે હું કેવી રીતે ઉભો રહું જેથી તમને તમારું કામ કરતાં હરત ન થાય. અમૃતનું સરોવર છલકાય એવી મુનિવરની વાણી ! આ સાંભળતાંજ સેવકના હાથ ઢીલા પડી ગયા. પણ રાજાને હુકમ યાદ આવ્યું ને પોતાનું કામ કરવા તૈયાર થયા. રાજસેવકોએ ફરસી તૈયાર કરી. બંધક મુનીશ્વર શાંતભાવે મનમાં બોલ્યાઃ चत्तारि सरणं पवज्जामि। अरिहंते सरणं पवज्जामि। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #382 -------------------------------------------------------------------------- ________________ --- ૨૨ બંધક મુનિ सिद्धे सरणं पवज्जामि । साहू सरणं पवज्जामि । केवलीपनतं धम्म सरणं पवज्जामि । એટલે ચારનું શરણ અંગીકાર કરું છું. અરિહંતનું શરણ અંગીકાર કરું છું. સિદ્ધનું શરણ અંગીકાર કરું છું. સાધુનું શરણ અંગીકાર કરું છું. કેવળી ભગવાને કહેલા ધર્મનું શરણ અંગીકાર કરું છું. બસ આટલું બોલીને બંધક મુનિએ ધ્યાન લગાવી રાજસેવકે ફરસીથી તેમની ચામડી ઉતારવા લાગ્યા. ચડ ચડ ચામડી ઊતરે પણ મુનીશ્વર દયાનમાંથી ડગે નહિ, મનમાં જરા પણ ખેટે વિચાર લાવે નહિ, સમતાને જ ધારણ કરે ! એમ કરતાં સમતા ભરપૂર થઈ એટલે ત્યાંજ બંધક મુનિને કેવળજ્ઞાન થયું. અહીં તેમના આખા શરીરની ચામડી ઊતરી ગઈ એટલે તે નિર્વાણ પામ્યા. આ હત્યાકાંડની જગાએ સમડીઓ ઊડવા માંડી. ને માંસ ખાવા લાગી. તેમાંથી એક સમડીઓ લેહી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #383 -------------------------------------------------------------------------- ________________ બંધક મુનિ ૨૩ ખરડી મુહપત્તિ ને માંસ જણને ઊપાડચાં. બન્યું એવું કે છેડે જતાં સમડીના પગમાંથી તે સરકી ગયાં ને બરાબર રાજમહેલની અગાશીમાં પડ્યાં. બહેને આ જોયું ને જાણ્યું એટલે મૂચ્છ આવી. તેના દુઃખને પાર રહ્યો નહિ. ભાન આવતાં તેને વૈરાગ્ય થયે ને તે સાધ્વી બની. લાંબે વખત પવિત્ર જીવન ગાળીને તે નિર્વાણ પામી. વાંચક! શાંતભાવે એકાદ વખત આ બંધક મુનિની સઝાય ગાજે કે નમે નમે બંધક મહામુનિ, બંધક ખીમા ભંડાર રે ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #384 -------------------------------------------------------------------------- ________________ - prOSGC19 વિવિધ પુસ્તકો માટે તમારે લાયબ્રેરી ઓર્ડર કયાં આપશે? વર્ષોથી જાણીતા થયેલા - - જ્યોતિ કાર્યાલયમાં જ કારણ કે I તેની -In ત્રણ વિષેશતાઓ છેઃ -LE નિયમિતતા રોગ્ય કમિશન ચેક વ્યવહાર = 6 આજે જ લખે તિ કાર્યાલય. નગરશેઠ મારકોટ, રતનપોળ-અમદાવાદ. = = Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com