SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ કુમારપાળ માટે કોઈ પણ ઉપાયે તેને ગાદીએ ન આવવા દે. જો તે જીવત હશે તે જ ગાદીએ આવશે ને? માટે ચાલ એને મારી નંખાવું.”તે કુમારપાળને મારી નાંખવાને લાગ શોધવા લાગ્યા. કુમારપાળ દેથળીના ધણી ત્રિભુવનપાળના પુત્ર. તેમની સ્ત્રીનું નામ ભેપાળદે. તેમને મહિપાળ ને ને કિર્તિપળ નામે બે ભાઈ હતા. પ્રેમળદેવી ને દેવળદેવી નામે બે બહેન હતી. પ્રેમળદેવીને સિદ્ધરાજના સામંત કૃષ્ણદેવ સાથે પરણાવી હતી. દેવળદેવીને સાંભરના રાજા અર્ણરાજ સાથે પરણાવી હતી. કુમારપાળને ખબર પડી કે મહારાજા સિદ્ધરાજની મારા પર કરડી નજર છે. મને મારી નાંખવાને લાગે શોધે છે. એટલે તે પરદેશ જવાને વિચાર કરવા લાગ્યા. એવામાં સિદ્ધરાજે તેમના પિતાનું ખૂન કરાવ્યું. આ ખૂનની ખબર પડતાં કુમારપાળ સમજ્યા કે હવે મારે વારે આવે એટલે રાતોરાત પિતાનું કુટુંબ છોડીને ચાલી નીકળ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034598
Book TitleRikhavdev
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJyoti Karyalay
Publication Year1992
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy