SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ જગડુશાહ તેમને ત્યાં દેશાવરથી મુસલમાન વેપારીઓ આવતા તેમને નમાઝની અડચણ ન પડે તે માટે ખીમલી નામની એક મજીદ પણ ચણવી. એક વખત પરમદેવસૂરિ નામના આચાર્ય ભદ્રેશ્વર પધાર્યા. જગડુશાહ તેમનું વ્યાખ્યાન સાંભળવા ગયા. તેમાં આચાર્યો દાન ઉપર જ વ્યાખ્યાન ચલાવ્યું. લોકો એ સાંભળી માથું ધુણાવવા લાગ્યા. આચાર્યો આ જોઈ વ્યાખ્યાન પુરું થયા પછી જગડુશાહને એકતે બોલાવીને કહ્યું: “હે શેઠ! તમારી લક્ષ્મીને વાપરવાને એક ખરો પ્રસંગ આવી રહ્યો છે, સેવાનું એ મોટું કામ છે. બોલો એ કરી શકશે? જગડુશાહે નમ્રતાથી કહ્યું: “એમાં શું ? ગુરુદેવનું વચન શિર સાટે પણ હું કબુલ રાખીશ.” પણ એ કામ લાખ બે લાખ રૂપીયાનું નથી!' ગુરુજીએ મૂળ વાત ઉપર આવવા માંડયું. એ કામ ગમે તેટલું હોય તો પણ ફીકર નહિ. મારી શકિતનું તો છે ને?” જગડૂશાહે શાંતિથી ઉત્તર આપે. હા, તારી શકિતનું તો જરૂર છે.' ઠીક, ત્યારે ફરમાવો.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034598
Book TitleRikhavdev
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJyoti Karyalay
Publication Year1992
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy