________________
જંબુસ્વામી માબાપ બેલ્યાઃ “બેટા ચારિત્ર લેવું ખૂબ દેહ્યલું છે. વ્રત ખાંડાની ધાર જેવું છે. તું તે હજી બાળારાજા કહેવાય. તારાથી સાધુનાં આકરાં વ્રત કેમ પળાશે? વળી તારા વિના અમને ઘડીયે ગોઠે નહિ.”
જંબુકુમાર બેલ્યા: “પૂજ્ય માતાપિતા ! ચારિત્ર બહુ દેહ્યલું છે એ વાત ખરી. પણ તેનાથી તે કાયરજ ડરે. હું તમારી કૂખે જન છું. વ્રત લઈને જીવ જતાં પણ ભાંગીશ નહિ. આપનું હેત મારા પર અપાર છે. એટલે મારા વિના આપને નજ ગોઠે. પણ એવા વિજોગનું દુઃખ સહન કર્યા વિના છૂટકો નથી. માટે મને રાજી થઇને આજ્ઞા આપ ”
માબાપ કહે, “પુત્ર ! જે તને સંજમ લેવાની ખૂબ ઈચ્છા હોય તે પણ અમારું માન રાખ. અમે પણ તારા વડીલે છીએ. તારા માટે જે કન્યાએ અમે સ્વીકારી છે તેની સાથે લગ્ન કર. પછી તારી ઇચ્છા હોય તે સુખેથી દીક્ષા લેજે.”
જંબુકુમારે કહ્યું: “આપની આજ્ઞા હું માથે ચડાવીશ. પણ પછી મને દીક્ષાથી આપ રેકશે નહિ.”
માબાપે કહ્યું : “બહુ સારુ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com