________________
શ્રી રીખવદેવ હાથી પર ચડે ને જંગલમાં ફરે. એ માણસનું નામ વિમળવાહન.
કાળનો મહિમા અજબ છે. ધીમે ધીમે ફળફળાદિ થયાં ઓછાં ને માણસોએ માંડયું લડવા. એક કહે કે મારું ઝાડ અને બીજે કહે કે મારું ઝાડ. એક કહે એનાં ફળ હું લઉં ને બીજો કહે એનાં ફળ હું લઉં. એવામાં નીકળ્યા વિમળવાહન. તે હાથી પર બેઠા છે ને દેવ જેવા શોભે છે. માણસે લડતા લડતા એમની પાસે ગયા અને કહ્યું :
બાપજી ! અમારી તકરાર પતાવો.' વિમળવાહન કહે, “આ ઝાડ તમારું ને આ ઝાડ તમારુ. જા કેઈ લડશો મા ! ખાઓ પીઓ ને મોજ કરો ? આ વિમળવાહન આ ટોળીના–કુળના સ્વામી થયા એટલે ગણાયા કુળકર.
આ વાતને વરસ વીતી ગયાં. વિમળવાહન ગુજરી ગયા ને તેમની છ પેઢીઓ પણ ચાલી ગઈ. સાતમી પેઢીએ થયા નાભિ કુળકર. તેમની સ્ત્રીનું નામ મરૂદેવા. તેમને રૂપ રૂપના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com