________________
ઉપમિતિ કથા સદ્ધાર
વર્તનથી અટકાવવા અસમર્થ હતા. હિતલાગણીથી કાંઈ કહેવામાં આવતું તે નફફટા ઉત્તર આપતા. મારા આસન ઉપર બેસી જવું અને અન્ય કુમાર વિદ્યાર્થીઓને રંજાડવા એ એની ખાસીયત હતી.
નરવાહન–આર્ય ! આપ કુમારના વર્તનને જાણતા હતા, એના અભ્યાસ વિશે પણ આપને ખ્યાલ હતું, તે શા માટે કુલક્ષણા કુમારને પરીક્ષા માટે સભામંડપમાં લઈ પધાર્યા?
કળાચાર્ય–નરનાથ ! હું કુમારને લઈ સભામાં આવ્યો નથી. મારા ત્યાંથી કુમારને નિકળ્યાને બાર વર્ષના વહાણું વીતી ગયા છે. આપના આમંત્રણથી હું મારી શાળાથી આ છું. કુમાર બીજા કેઈ ઠેકાણેથી આવ્યું છે. એ ક્યાંથી અહીં ઉપસ્થિત થયે એ અમારી જાણમાં પણ નથી.
નરવાહન–આર્ય ? આપના વિદ્યાગ્રહને તજે કુમારને બાર વરસ થયાં? બાર વર્ષ કયાં રહ્યો? આટલા વર્ષ હેમકુશળ એના ગયા અને હાલમાં જ શા માટે અપમાનિત થવાને અવસર આવ્યો ?
કળાચાર્ય–કુમારને અંતરંગ પ્રદેશને પુણ્યોદય નામને મિત્ર હતું. એ મિત્રના પ્રભાવથી સુખ, સંપત્તિ, આબાદી અને સૌભાગ્ય પ્રાપ્ત થતાં હતા.
નરવાહન–હાલમાં એ પુણ્યદય કયાં છે?
કળાચાર્ય–કુમારની પાસે જ હાજર છે. પરંતુ અસભ્યવનના કારણે એ દુર્બલ, નિસ્તેજ અને સત્ત્વ વિહૂણે બની ગયા છે. એથી આ આપત્તિ ટાળવા જેવું એનું બળ જણાતું નથી.