________________
૩૯૮
ઉપમિતિ કથા સારાદ્વાર
અન્યા અને આપને આ સુંદર “ નાસિકા ’” શુક્ા દાનમાં આપી. એ ગુફાના રખેવાળ “ ઘ્રાણુ ” નામના હતા. આપના ધ્રાણુ રખેવાળ સાથે સ્નેહસબધ થયા અને મિત્ર બન્યા.
પરન્તુ ક પરિણામ મહારાજાએ એને નાસિકા શુક્ામાં રહેવાના આદેશ આપ્યા. એ આદેશને અનુસરી ઘ્રાણુ સદાને માટે ગુફામાં જ રહે છે. કઢી પણ એ બહાર નિકળ્યા જ નથી.
આપે એ ગુફાવાસી ઘ્રાણુનું સુર્યાગ્ય રક્ષણ, લાલન અને પાલન કર્યુ છે. આપ ત્રિકરણ અને એના ઉપરના નગરામાં ગયા ત્યાં પણ ઘ્રાણને આપે સાથે જ એ ગુફામાં રાખ્યો.
મનુષ્ય ગતિમાં ગયા ત્યારે આપે એ મિત્રની સારવારમાં મને નીમી હતી. આપના આદેશનું પરિપાલન કરતી હું સદા ઘ્રાણુ સાથે રહું છું. એ મારા નાથ ! આપ આપની દાસીને કાં ભૂલી ગયા ? શું આ શેકનું મારા માટે કારણ નથી ? શું આ મારૂં દુઃખ ઓછુ છે ?
..
હશે, પણ હવેથી આ દાસીને ભૂલશે મા. પૂર્વની જેમ સ્નેહાળ નજરે જોશે. આ પ્રમાણે કાલાં વચને વદતી બાળા બુધકુમાર અને મકુમારના ચણામાં ઝૂકી પડી. ચરણ રજ મસ્તકે ચડાવી.
'કુમારની દશા :
ભુજંગતા દાસીના મધુલિસ વચન સાંભળી મહંદકુમારના હૃદય નિકુંજમાં ખૂબ પ્રીતિ ઉભરાવા લાગી. ચરણામાં ઝુકેલી ભુજ ગતાના સુકામળ ખાડું ઝાલી ઉભી કરી અને કહ્યું, અરે ચદ્રવદન ! વિષાદના ત્યાગ કર. અરે વરલેાચને ! શાંત થા.