Book Title: Upmiti Saroddhar Part 02
Author(s): Kshamasagar
Publisher: Vardhaman Jain Tattvagyan Pracharak Vidyalay

View full book text
Previous | Next

Page 456
________________ સૂરિજીની આત્મકથા ૪૦૭ પનેતા પુત્ર ! જેવી તારી ઈચ્છા. અમે બંનેએ પર્વત ઉપર ચડવું ચાલુ કર્યું. ધીરે ધીરે ગિરિવરના નગરે આવી પહોંચ્યા. રાજસભામાં નિવેદન . જૈનપુરના “ચિત્તસમાધાન ” મંડપમાં મહારાજા શ્રી ચારિત્રધર્મરાજ રાજ્ય સિંહાસને બિરાજી રહેલા હતા. એમની બાજુમાં બીજે ના રાજવી સમુદાય બેઠેલો હતે. અમે ત્યાં પહોંચ્યા એટલામાં પેલા સૈનિકે સંયમને રાજસભામાં લઈ આવ્યા. સેનીકેએ સંયમની દશાને ચિતાર જણાવ્યું. શત્રુઓએ અનીતિને આશ્રય લઈ એના ઉપર કઈ રીતે ધાવે બેલાવ્યો એ વિગેરે જણાવ્યું. યુગાન્ત સમયે પૃથ્વીના પ્રલયને સજવા સાગર ધમધમી ઉઠે, એમ પ્રતિપક્ષીઓ દ્વારા પરાભવ પામેલા સંયમને જોતાં જ શત્રુઓના નાશ માટે ત્યાં રહેલા દરેક રાજાએ ધમધમી ઉઠ્યા. કેટલાક રાજવીઓ ભવાં ચડાવી જોરથી હુંકાર ગર્જના કરવા લાગ્યા, કેટલાક રાજવીઓના નેત્રો ચોંઠી જેવા લાલ બની ગયા. અંગારવર્ષો વર્ષતી દેખાવા લાગી. “મારે, કાપે, શત્રુઓને ખાતમે બેલા.” વિગેરે ત્રાડ નાખી કહેવા લાગ્યા. કેટલાક તે આજાનબાહુ બળથી ભૂજાએ અફાળવા લાગ્યા. કેટલાક તે વળી શ ઉપર નજર કરી યુદ્ધના આહાહનની ઝંખના બતાવવા લાગ્યા. બધા જ રાજવીઓ કૈધથી વિકરાળ બની ગયા અને વાતાવરણમાં ખૂબ જ ઉગ્રતા આવી ગઈ. રાજવીઓના પુણ્યપ્રકેપને જોઈ સબંધ મહામંત્રીએ

Loading...

Page Navigation
1 ... 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486