________________
સુરિજીની આત્મકથા
૪૦પ
મેં કહ્યું, માતાજી ! મારા પરમપુયે આ અજાણ્યા પ્રવર નગરે આ૫નું મિલન થયું છે. આપ મને આ નગરને પરિચય કરાવશે અને દાર્શનીક સ્થળે દેખાડશે. નગર દશન :
ચક્કસ. એમ કહેવા પૂર્વક માતાજી સમા માસીબાએ એ ભવચક્રનગરનાં જુદા જુદા આદર્શ સ્થળે મને દેખાડ્યા. અનેક માહિતીઓ મને સંભળાવી. મને રાજી રાજી કરી દીધે.
નગરમાં ફરતાં ફરતાં એક અવાંતર નગર મારા જેવામાં આવ્યું. એ નગરની મધ્યમાં એક પર્વત દેખાતું હતું અને એ પર્વતના શિખર ઉપર એક ગામ વસેલું જણાતું હતું.
માસી માર્ગનુસારિતાને મેં કહ્યુંઃ માતાજી! આ સામે દેખાતું અવાંતર નગર કયું છે? એના મધ્યભાગે રહેલા પર્વતનું શું નામ છે ? વળી પર્વત ઉપર કયું નગર વસેલું છે?
હાલા પુત્ર! આ નગરને હજુ તને ખ્યાલ ન આવ્યા? આ નગર વિશ્વમાં સુખ્યાત છે. “સાત્ત્વિકમાનસ” એનું નામ છે. આ વિવેક પર્વત પણ સુપ્રસિદ્ધ છે. એના શિખરને “અપ્રમત્તાચળ” સૌ કહે છે. પર્વતીય નગર એ તે વળી વિશ્વના સૌથી વધુ પ્રસિદ્ધ સ્થળમાં ગણવામાં આવ્યું છે. “જેનપુર” એનું ગુણવાચક અભિધાન છે. વિશ્વવિખ્યાત સ્થળે માટે તારે કેમ પૂછવું પડ્યું ?
માસીબા આ વાત મને જણાવી રહ્યા હતા, ત્યાં એક નવી ઘટના બની ગઈ. આપ એ પણ જરા સાંભળી લો. ધ્યાન ખેંચે એવી ઘટના છે.