Book Title: Upmiti Saroddhar Part 02
Author(s): Kshamasagar
Publisher: Vardhaman Jain Tattvagyan Pracharak Vidyalay

View full book text
Previous | Next

Page 445
________________ ૩૯૬ ઉપમિતિ કથા સાદાર માંથી નવપલ્લવિતા બાળા બહાર આવી. એ ભારે ચપળ અને ચબરાક જણાતી હતી. હાસ્ય વેરતી બાળાએ નમસ્કાર કર્યા અને કહ્યું, પ્રજો ! પધારે. હું આપ બંનેનું ભાવભીનું સ્વાગત કરું છું. આપે આપના પવિત્ર દર્શન આપી અમને ખૂબ જ આનંદ આપે છે. આપે અમારા ઉપર ખૂબજ અનુગ્રહ કર્યો છે. આપની પ્રસન્નતા એ અમારી પ્રસન્નતા છે. આજ મારે દિવસ રળીયામણે ઉગે છે. નવેદિતા બાળાના મધુવચને સાંભળી મંદકુમારને અમંદ આનંદ થયો. બાળાની બલવાની કળાથી એ આકર્ષાઈ ગયે. એ બાળા ઉપર મંદકુમારને પણ અનુરાગ થયું. એણે પ્રશ્ન કર્યો, હે બાળે ! સુલોચને ! તું કેણ છે? આ ગિરિગુફામાં શા માટે તું રહે છે? આ બિના અમને જણાવશે? મંદકુમારના પ્રશ્નો સાંભળી બાળાના શેકને પાર ન રહ્યો. શક સહન કરવા એ અબળા બાળા અસમર્થ બની. એને ત્યાં જ મૂર્છા આવી અને ધરતી પર ઢળી પડી. પવનથી વેલડી ધરતી પર ફેંકાઈ જાય એમ એ બાળા ફેંકાઈ પડી. નંદકુમાર તરત જ પવન નાખવા લાગે. અન્ય પણ શીતે પસાર કર્યો. બાળાની મૂછ ઉતરી એટલે મંદે એને આશ્વાસન આપ્યું અને આશ્ચર્ય વ્યક્ત કરતાં પૂછ્યું, સુભ્ર ! આ અચાનક શું થયું? રૂંધાએલા ગદગદિત સ્વરે બાળાએ કહ્યું કે આપ મારા સ્વામીનાથ છે, હું આપની એક સામાન્ય પરિચારિકા છું.

Loading...

Page Navigation
1 ... 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486