________________
વિમળને વિકાશ
૨૪
થઈ જશે કાં ખવાઈ જશે.
આ રત્નને આપણે અહીં કેઈ સ્થળે જમીનમાં દાટી દઈએ તે સારૂં. પછી આપણે જઈએ. આ પ્રમાણે કહીને વસ્ત્રના છેડેથી રત્ન છેડયું અને મારા હાથમાં મૂકયું. - વનના એક વિભાગમાં મેં ખાડે ખેદી એ રત્ન મૂકયું. ઉપર ધૂળ ઢાંકી દીધી. કેઈ ઓળખી ન શકે એ ભૂમિપ્રદેશ મેં બનાવી દીધું. ત્યારબાદ અમે પિતપતાના ઘરે ગયા. મિત્ર તેયનું તેકાન :
તેય અને માયાએ મારા શરીરમાં અડ્ડો જમાવેલ હતું. ઘરે ગયા પછી મને વિચાર આવ્યો કે રત્નચૂડે વિમલને
જ્યારે રત્ન આપેલું એ વેળા કહ્યું હતું કે આ ચિંતામણિ રત્ન જેવું શ્રેષ્ઠ રત્ન છે. - હું હમણાં જ પાછો ક્રીડાનંદન વનમાં જઉં અને એ સુમેચક રત્ન એરી લાવું. આ વિચાર કરી હું મારી પથારીમાંથી ઉભે થયે. મિત્રના ગુણે, પ્રેમ, વાત્સલ્ય વિગેરેને વિચાર ન કર્યો. વિશ્વાસઘાત થઈ રહ્યો છે એ પણ ન વિચાર્યું. વનમાં ગયો અને દાટેલા રત્નને કાઢી લઈ બીજે સ્થળે દાટી દીધું. ઘરે આવી સૂઈ ગયે.
વળી વિચાર આવ્યું કે કદાચ વિમલ હમણાં જ અહીં આવી ચડે અને રત્નના સ્થાને રત્ન ન જુવે તે એના મનમાં થાય કે મિત્ર વામદેવ રત્ન ચરી ગયો હશે. એ વિના રત્ન જાય ક્યાં?
રનના સ્થાને રત્ન જેવડે ગોળમટેળ પત્થરને ટુકડો