________________
વિમળને વિકાસ
ઉ૪૭
નાશી જઉં. યુદ્ધમાં વિદ્યાધરીઓને મારો ખ્યાલ ન રહ્યો. તારા દર્શનની ઈચ્છાથી હું આ તરફ આવવા રવાના થયા. - નગર તરફ આવતાં રસ્તામાં તારા અનુચરે મને મલ્યા. એ અનુચરે ક્ષેમકુશળ મને અહીં લાવ્યા છે. આ મેં મારી આપવીતી વાત તને કહી. . વિમળ સરલ હતું અને મારા તરફ અકૃત્રિમ પ્રેમ રાખતે હતો. મારી વાત સાંભળી એને ભારે આશ્ચર્ય થયું. મારા શરીરમાં રહેલી માયા આ વાત સાંભળી ઘણું ખુશ બની. માયાને થયું કે વામદેવે ભેળ વિમળને ઠીક બનાવ્યા. કપટક્રિયા એ તે માયાની પ્રિય વસ્તુ છે. શળની વ્યથા :
હું વિમળને વાત જણાવી રહ્યો હતો. એટલામાં અચાનક મારા અંગેઅંગમાં મહાવ્યથા ચાલુ થઈ. જાણે કે મગરમચ્છ પિતાના જડબામાં લઈ મને દાબતે ન હોય, એવી કારમી વેદના થવા લાગી. જાણે મારા અંગેઅંગના કટકા થતાં હોય એવું મને લાગ્યું. - શ્વાસની ગતિ ખૂબ તીવ્ર બની ગઈ. આંખે ઉંચી થઈ ગઈ. જીભ બહાર નિકળવા લાગી. શરીર લાકડાં જેવું અક્કડ બની ગયું. મરણતેલ દશામાં મૂકાઈ ગયે. - અણધારેલે બનાવ જોઈને વિમળ ગભરાઈ ગયો. બૂમાબૂમ કરી મૂકી. શ્રી ધવલ મહારાજા અને નગરજને ઘણાં ત્યાં આવી પહોંચ્યા. મને પ્રાથમિક સારવાર અને ઔષધે આપવામાં આવ્યા, પરંતુ એ સારવારથી મને કશે લાભ ન થયો.