________________
ઉપમિતિ કથા સદ્ધાર
પ્રકર્ષ—આપણે એ પુરૂષની પાસે જઈએ અને એની સાથે વાર્તાલાપ કરીએ.
મામા-ભાણેજ મિથ્યાભિમાન પાસે પહોંચી ગયા અને પૂછયુઃ આર્ય ! આ નગર સમૃદ્ધ હોવા છતાં જનસંખ્યા ઘણું ઓછી છે એનું શું કારણ?
મિથ્યાભિમાન–આ વાત જગતપ્રસિદ્ધ છે, છતાં તમે એ વાતથી અજાણ છે, ભારે આશ્ચર્ય ગણાય?
વિમ–આર્ય! આપે અમારા ઉપર ગુસ્સે ન થવું. અમે અજાણ્યા મુસાફીર છીએ. અમને એ વાતને ખ્યાલ ન હેય એમાં શું આશ્ચય ?
મિથ્યાભિમાન–ખરેખર એમ જ હોય તે સાંભળે. આ નગરના નાયક વિશ્વવિખ્યાત શુભનામધેય શ્રી “રાગકેશરી” મહારાજા છે. સુગૃહીત નામધેય મહામહિમ શ્રી “મહામહ” એમના પૂજ્ય પિતાજી છે. “વિષયાભિલાષ” વિગેરે એમના મહામંત્રીઓ છે.
એ બધા વડેરા પુરૂષે યુદ્ધયાત્રા માટે ગએલા છે. એમને ગયાને આજે અનંતકાળ થઈ ગયો છે. એટલે આ નગરની જનસંખ્યા અલ્પસંખ્યક જણાય છે.
વિમર્શ–ભાઈ મિથ્યાભિમાન ! શ્રી રાગકેશરી મહારાજાને કેની સાથે યુદ્ધ ચાલે છે?
મિથ્યાભિમાન–પાપામા “સંતેષ” નામના માનવ સાથે.
વિમર્શ–મિથ્યાભિમાન ! “સંતેષ” સાથે યુદ્ધ થવાનું શું કારણ છે?