________________
અવાંતર નગરે
૨૩૩
ના મટે. પણ એમને ખાવા કાંઈ મળતું નથી. સમુદ્રના પાણી પી જાય તેય તૃષા શાંત ના બને, એવી ભયંકર તૃષા હોય છે છતાં પીવા બિંદુ પણ ન મળે.
શીતની ભયંકર વેદના અને ઉષ્ણુતાની ગમી અસહ્ય હોય છે અને ભગવ્યા વિના છૂટકવારે થતું નથી. બચાવ માટે કેઈ નાનું મોટું સાધન પણ મેળવી શકતા નથી અને બનાવી શકતા નથી.
ભાણ ! આ લોકેની વેદનાનું વર્ણન કરવું અશક્ય છે. અનેક વર્ષો થાય અને આયુષ્ય પૂરું થાય તે પણ વર્ણન ના થઈ શકે. ઈશ્વર પણ વાણુથી ના વર્ણવી શકે.
ભાઈ ! ભવચકનગરના હજારે અવાંતર નગરે છે. એમાંના મુખ્ય ચાર નગરનું ટૂંક વર્ણન તને સમજાવ્યું છે. આ ચાર નગરેએ સર્વ નગરને લગભગ આંતરી લીધું છે. તને આ ચાર નગરનું સ્વરૂપ ખ્યાલમાં આવી ગયું હશે તે ભવચકનગરને લગભગ ખ્યાલ આવી ગયો હશે, એમ તારે માની લેવું. સાત રાક્ષસીએ :
મામા ભવચકની સમજુતી આપતાં હતા અને ભાણે બારીકાઈથી ભવચક જોઈ રહ્યો હતો. એના જેવામાં સાત સ્ત્રીઓ આવી. એ જોઈને પ્રકર્ષ ચમકી ઉઠ્યો. ' અરે મામા ! મામા ! આમ તે જુવે ! આ સ્ત્રીઓ કેવી વિચિત્ર દેખાય છે? શરીરે કાળી, મુખે બિહામણા, આંખે ક્રૂર અને લાલ. માથું મોટું અને દીઠું ન ગમે તેવું.