________________
મહામે હતું સામ‘તચક્ર
૧૯૧
અને ઉત્તેજનાજનક પ્રભાવ કેવા પાથર્યાં છે, તે તને મે જણાવી દીધું છે. વનશ્રીની શાભા વસ'તને આભારી છે. મકરધ્વજના રાજ્યાભિષેક :
પ્રક ! વસંતની વિદાય પછી મકરધ્વજે શ્રી વિષયાભિલાષ મંત્રીશ્વરને વિન ંતિપૂર્વક જણાવ્યું કે પૂર્વપરંપરાથી ચાલતી આવેલી રાજકીય મર્યાદાઓનું સુચેાગ્ય પરિપાલન થવું જોઇએ.
મહારાજા શ્રી મહામેાહદેવે વસંત જ્યારે માનવાવાસ નગરે જાય એ વખતે ત્યાંના રાજ્યનું સુકાન મને સેાંપવામાં આવશે એવું ફરમાવેલું. એ કૃપાના આધારે દર વર્ષે મને વસંતના સાથે જવાનું અને રાજ્યપાલન કરવાનું મળે છે.
તા પ્રતિવર્ષની જેમ આ વખતે પણ મહારાજાની કૃપાથી ત્યાંનું રાજ્ય મને મળવું જોઇએ.
વિષયાભિલાષ મંત્રીએ આ નિવેદન શ્રી રાગકેશરી મહારાજાને જણાવ્યું અને શ્રી રાગકેશરી મહારાજાએ પેાતાના પૂજ્ય તાતપાદ શ્રી મહામહ મહિપતિ સમક્ષ વિજ્ઞપ્તિરૂપે રજી કર્યું' અને સાથે નમ્રતાપૂર્વક જણાવ્યું.
“ દૃઢ પ્રતિજ્ઞ અને પ્રભુતાને વરેલા નાયકાએ પોતાના વક્ાદાર અને વિશ્વસનીય સેવકેાની સેવાથી સુપ્રસન્ન બની જે ઉત્કર્ષ કરી આપ્ચા હાય, એની મર્યાદાઓનું સુવ્યવસ્થિત રીતે પાલન થવું જોઇએ. ”
એકવચની મહામેાહ મહારાજાએ એ વિજ્ઞપ્તિના સહર્ષ