________________
૧૮૮
ઉપમિતિ કથા સારિદ્વાર
મધના કેફી નશામાં ચકચૂર બની ભાન ભૂલેલા મદ્યપ કયું વિવેકહીને વર્તન ન આદરે? રતિલલિતાને નાચ :
મદ્યના નશામાં મસ્ત બનેલે લેલાલ રાજા આ તમાસે જોઈ રહ્યા હતા. એમની બાજુમાં એમને લઘુબંધુ રિપુકંપન યુવરાજ બેઠે હતે. એણે મદ્યપાન વધુ પ્રમાણમાં કર્યું હેવાથી ઉત્કટ ન ચઢેલ હતે.
યુવરાજ રિપુકંપને પિતાના પડખે બેઠેલી પિતાની પ્રિય તમાં રતિલલિતાને વિવેકવિહીન બની કહ્યું. અરે એ વહાલી ! જુવે છે શું ? ઉભી થા. નાચવા લાગ, તારું મત્તમયૂર નૃત્ય દેખાડ.
રતિલલિતાને વડિલની સન્મુખ નૃત્ય કરતાં લજજા આવતી હતી. નૃત્ય કરવા માટે મન માનતું ન હતું, પણ પતિદેવની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાની એનામાં શક્તિ ન હતી.
રતિલલિતા લજજાપૂર્ણ હૃદયે નૃત્ય માટે ઉભી થઈ અંગૂલીમડ, હાવભાવ, શરીરડોલનની નૃત્ય પ્રક્રિયાઓમાં એ ઘણુ નિપુણ હતી. એણીના શરીરનું લાવણ્ય મદ ઉભરાવે તેવું હતું. નયને મદ સભર અને કટાક્ષ કરવામાં પાવરધા હતા.
લેલાલ રાજા એ નમણું નારીના નૃત્યને નિહાળી રહ્યો. નૃત્ય નીહાળતા નયનમાં કેફ વધવા લાગ્યા. આ અવસરને લાભ લઈ મકરધ્વજે લેલાલ ઉપર પિતાના પંચજાતીય બાણેને સખ્ત મારે ચાલુ કર્યો. એ ઘણું જ ઝડપથી ઘવાઈ ગ અને મકરધ્વજની આધીનતામાં આવી ગયે.