________________
પ્રકરણ દસમું
અવાંતર નગર
નગાધિરાજ શ્રી વિવેકગિરિના શંગ ઉપર મામા ભાણેજ ભવચક્રની ભયાનકતા જોઈ રહ્યા છે. ભાણે જે પૂછે એનું મામા સમાધાન કરતા જાય છે. પછી મામાએ કહ્યું.
ભાણ ! ભવચકનગર તે મહા વિશાળ છે. એના દરેક કૌતુક તને કેવી રીતે બતાવું? જ્યાં જોઈશ ત્યાં નવું જ દેખાશે. તને ટુંકમાં સમજાવી દઉં એટલે સંપૂર્ણ ચીતારને ખ્યાલ આવી જશે. ભવચકની દરેક દરેક વસ્તુનું વર્ણન કરવું શક્ય નથી.
હે વત્સ ! હાલ આપણે વિવેક પર્વત ઉપરથી જોઈ રહ્યા છીએ. સામું દેખાય તે ભવચક્રનગર છે. એના અવાંતર નગરે પાર વિનાના છે પરંતુ એમાં ચાર નગરોની મુખ્યતા છે. માનવાવાસ :
સામે નજર કર. એ દેખાય છે, તે “માનવાવાસ” નામનું નગર છે. એમાં રહેનારા પ્રાણીઓને મહામોહાદિ અંતરંગ વ્યક્તિ ખૂબ હેરાન કરતા હોય, પિતાની શક્તિએની અજમાશ ખૂબ અજમાવતા હોય છે.
તેથી આ માનવાવાસમાં કેટલેય ઠેકાણે મહાપાપ કરનારા પ્રાણીઓ વસતા હોય છે અને કેઈક ઠેકાણે હૃદયમાં ધર્મની