________________
૧૬૮
ઉપમિતિ કથા સાહાર
વિમર્શત્રુભાઈ! એ વિષયમાં ઘણાં વખત પહેલાં આપ્તવડિલે પાસે સાંભળેલું છે, તે તને કહું, તું શાંતિથી સાંભળ.
ભવચક્ર” નામનું એક મહાનગર છે. એની આદિ ક્યાંથી થાય અને અન્ત કયાં આવે એ જાણી શકાતું નથી. વળી અનેક આશ્ચર્યકારી ઘટનાઓથી સંકળાએલું છે. વિવિધ ભાતના અને વર્ગના પ્રાણીઓ આ મહાનગરમાં વસે છે.
મારી માન્યતા છે કે આ મહાશત્રુઓને પરાભવ આપનારા ફટિક હદથી મહાત્માઓ “ભવચક્ર” મહાનગરના નિવાસી હશે.
પ્રકર્ષ–મામા ! તે નગર અંતરંગ છે કે બહિરંગ?
વિમર્શ–ભાણું ! તે નગર અંતરંગ પણ છે અને બહિ. રંગ પણ છે.
ભવચક નગરમાં બહિરંગ પ્રાણીઓ વસે છે, તેમજ મહામહાદિ વિગેરે અંતરંગ લેકે પણ વસે છે. મહામહ વિગેરેની સેનાને પણ ત્યાં જ વાસ છે. આ રીતે બાહ્ય અને આંતર લોકોના વસવાટથી એ મહાનગર બહિરંગ પણ ગણાય અને અંતરંગ પણ ગણાય.
પ્રક–મામા ! મહામહ રાજા વિગેરે ચિત્તવૃત્તિ અટવીમાં મોટા મંડપની ભીતર બેઠેલાં જોયા હતા, તે એ ભવચક નગરમાં કેમ સંભવે? એક સાથે બે ઠેકાણે એઓ કેવી રીતે
રહી શકે?
વિમર્શ–ભાઈ આ લકે ગીપુરૂષ કહેવાય. ઘડીકમાં પ્રગટ થવું અને ઘડીકમાં અદશ્ય થવું એ એમની વિશિષ્ટ