________________
૧૫e.
ઉપમિતિ કથાસાદ્ધિાર
એવું એનું ગુણવાચક નામ છે. ભાઈસાહેબ ભયનું શરીર સદા કંપમાન જ હોય છે.
બહિરંગ પ્રદેશના પ્રાણીઓની ચિત્તવૃત્તિમાં જ્યારે એ ભય પિતાનું સ્થાન જન્માવે છે, ત્યારે એ પ્રાણીઓના મુખકમળો શ્યામ, નિસ્તેજ અને દયામણું બની જાય છે. એમના નયને દયાની પ્રાર્થના કરતાં હોય છે.
હાય અમારું શું થશે ? હાય અમારું શું થશે ?” એવા ભાવે હૃદયમાં ઉત્પન્ન થવાના કારણે ભયથી ગભરા બનેલા હરણીયા જેવા મૂઢ બની જાય છે. શું કરવું અને કેમ બચવું, એ બુદ્ધિ નષ્ટ થઈ જાય છે.
કેટલાક પ્રાણ ભયના પ્રતાપે સત્વહીણું બની જાય છે. ભયના માર્યા પિતાના શત્રુને નમે છે. કાંઈક બિહામણું વાતાવરણ સર્જાય તે તરત જ જ્યાં ત્યાં પલાયન થવાને પ્રયાસ આદરે છે.
ભયના અર્ધ આસને બિરાજી રહેલા છે એ એમના વહાલા પત્ની છે. એમનું નામ “હીનસત્તા” છે. પતિદેવના પ્રત્યેક કાર્યમાં તન મનથી સહયોગ આપી પિતાનું નામ સાર્થક કરે છે. પતિદેવને પ્રસન્ન રાખવામાં પિતાની ફરજ સમજે છે.
શેક :
ભદ્ર! ભયની બાજુમાં જ પેલે કાક જે શ્યામ માનવી દેખાય છે તે “શોક” છે. આને પરિચય આપણને અગાઉ