________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પર)
પિતાશ્રી ! હમણું આ કોણીના મુખથી ત્રો હતાળ પદ સાંભળી વિવેક વૃક્ષનાં બીજ તુલ્ય મને જાતિસ્મરણ જ્ઞાન થયું છે. અને તેથી જ મને મારો પૂર્વ જનમ (પૂર્વ ભવ) દેખાઈ આવ્યો છે, જે મેં આપ સર્વની આગળ નિવેદિત કર્યો છે.
પ્રકરણ અગિયારમું.
સુદર્શનાને વૈરાગ્ય-પુરેહિતનો ગૃહસ્થાશ્રમમાં
રહેવાને ઉપદેશ
જાતિસ્મરણ–(પૂર્વજન્મના) જ્ઞાનથી વાસિત થયેલી પિતાની પુત્રીને જાણું રાજા વિચારમાં પડ-શું આ મારી પુત્રી કહે છે તે વાત સત્ય હશે ? તે શહેર અને તે મુનિવરે કયાં? તે સમળી ભરીને મારી પુત્રી પણે ઉત્પન્ન થઈ છે તે વાત કેમ સંભવી શકે? આ પ્રમાણે વિચાર કરતા રાજાએ ઘણું આગ્રહ અને આદરપૂર્વક જણાવ્યું–રાજકુમારી ! આવો જૂઠો વૈરાગ્ય શું તું આણે છે? આ તારી માતા તારી આ સ્થિતિ થવાથી મહાદુઃખી થઈ રહી છે. આ પરિવાર શોકથી પીડાય છે. જે તો ખરી, તારી બાળસખીઓ કેટલું આક્રંદ કરે છે. તે સર્વને તું મીઠાં વચનોથી શાંત કર. આ ઊંચા અને ઉત્તમ રાજમહેલો, વિસ્તારવાળી રાજ્યલક્ષમી અને પાંચ ઈદ્રિયોને આહલાદ થાય તેવા ભાગ્ય પદાર્થો, તે સર્વે તારે ઉપભોગ કરવાને માટે જ છે ને.
પુત્રી! જાતિ, કુલ, રૂપ, વય, વિદ્યા અને વિજ્ઞાનાદિ ગુણો તારામાં છે. આજ્ઞા ઉઠાવનાર તારો પરિવાર છે, છતાં તું આમ વૈરાગિત શા માટે થાય છે?
For Private and Personal Use Only