________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૦).
આશા છે કે “કરી ન શકે તો કરતાને મદદ આપે, પણ વિનભૂત ન થાઓ.” મારે પણ તે પ્રમાણે જ વર્તન કરવું ઈત્યાદિ વિચાર કરતા રાજાએ પ્રયાણને માટે સર્વ સામગ્રી તૈયાર કરવાને જુદા જુદા મનુ
ને આજ્ઞા કરી. રાજાની આજ્ઞા થતાં જ મનુષ્યો તે તે કાર્યની તૈયારી કરવા લાગ્યા.
બીજે દિવસે પ્રાતઃકાળ થતાં જ પૂર્વે નિયોજેલા મનુષ્યોએ સર્વ સામગ્રી તૈયાર કરી રાજાને નિવેદિત કર્યું.
રાજાની આજ્ઞા થતાં જ સેનાપતિએ બંદર જવા માટે પ્રયાણની ભેરી વગાડી. પ્રયાણ ઢકાનો શબ્દ સાંભળતાં જ સુભટો સન્નબ્દબદ્ધ થયા, અવે પાખરાયા, ર સજજ કરાયા અને હાથાઓ શણગારાયા.
આ પ્રમાણે અન્ય તૈયાર થતાં રૂષભદત સાથે પૂજા, દેવાર્ચન કરી રાજા રથમાં આવી બેઠો. રાણી ચંદ્રલેખા પણ પિતાના ખોળામાં સુદર્શનાએ બેસારી શીલવતીની સાથે એક શિબિકામાં (નરવાહન પાલખીમાં) આવી બેઠી.
રાજકુમારે, પ્રધાનો, વિલાસિનીએ, સખીઓ અને નગરના લોકો સવે સુદર્શનાને બંદર ઉપર વળાવવા માટે તેની પાછળ ચાલવા લાગ્યા. વાજીત્રના શબ્દોથી દિગંતરને પૂરતો સર્વ પરિવાર સહિત રાજા વેલાતટ બંદર) ઉપર આવી પહોંચ્યો.
ઉત્તમ સ્થળે ડેરા-તંબુ તાણવામાં આવ્યા હતા, તેમાં થોડે વખત રાજા પ્રમુખે વિશ્રાંતિ લીધી. તેટલામાં નિર્યાસકોએ આવી રાજાને વિનંતિ કરી કે-મહારાજા ! આપની આજ્ઞા મુજબ સર્વ વહાણ તૈયાર કરી રાખ્યાં છે.
આ અરસામાં રૂષભદત્ત શ્રાવક (સાર્થવાહ) પણ પિતાને માલ, કરીયાણાં પ્રમુખ વેચી નાખી સર્વ તૈયારી કરી રાજાની પાસે આવી પહોંચ્યો. રાજાએ રૂષભદત્તના કરિયાણુ સંબંધી માલની સર્વ જગત (દાણ) માફ કરી, સામું ભેટ તરીકે કેટલું ધન આપ્યું. તેમજ ઉત્તમ રત્ન, સોનું, કર્પર, વસ્ત્ર અને ભાવના ચંદન પ્રમુખ
For Private and Personal Use Only