________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧૩)
આ સમકૂવ તેથી પણ વિશેષ દુર્લભ છે. મનમાં વિચાર કરવાની સાથે જ સમગ્ર ઈષ્ટ પદાર્થો આવીને હાજર થાય છે. એવું અમર (દેવ) પદ મેળવવું સુલભ છે. તેવા અમરના સમુદાય જેના ચરણરવિંદમાં નમે છે તેવું ઈદ્રપદ મેળવવું તે પણ સુલભ છે પણ સમ્યવિરત્ન મેળવવું તે દુર્લભ છે. ધન્ય પુરૂષે જ આ સમ્યક્ત્વ પામે છે. અને નિરતિચારપણે પાળનાર તેનાથી પણ વિશેષ ધન્યતમ છે. ઉપસર્ગ જેવા પ્રસંગે ધર્મમાં અડગ રહેનાર વીરપુરૂષ જ હોય છે, માટે હે રાજન ! કપાસ અને ચિંતામણિના માહાત્મ્યને હઠાવનાર આ સમકુવરત્નને પામીને તું પ્રમાદી ન થતાં, નિરંતર નિશ્ચલપણે તેનું પાલન કરજે.
રાજાએ કહ્યું. ગુરૂરાજ ! આપની આજ્ઞા મસ્તક પર ચડાવું છું આ પ્રમાણે કહી ગુરૂને નમસ્કાર કરી, પિતાને કૃતાર્થ માન મંત્રિમંડળ સહિત રાજા શહેર તરફ પાછો ફર્યો. ગુરૂરાજ પણ ત્યાંથી અન્ય સ્થળે વિહાર કરી ગયા.
આ વાત તે નિર્વિવાદ છે કે, ઉત્તમ નિમિત્તોથી જીવે ગુણવાન બને છે. હજારે જીવોને જન લેનાર આજ નાસ્તિકવાદી રાજા ગુરૂના ઉત્તમ સમાગમથી ગુણવાન થયો. તે નિરંતર અપૂર્વ જ્ઞાનમાં વધારે કરે છે. જ્ઞાનીઓને ઉપષ્ટભ (મદદ) આપે છે. દીન, અનાથ જીવોને ઉદ્ધાર કરે છે. સાત ક્ષેત્રોમાં જરૂરીયાતવાળા પ્રસંગે માં દ્રવ્ય ખરચે છે. પોતાના દેશમાં અમારો પડ૯ ફેરવે છે. ઊંચતતા પ્રમાણે શીયળ પાળે છે. યથાશકિત તપશ્ચરણ કરે છે. અને નાના પ્રકારના ઉત્તમ મને
વાળી સદ્દભાવનાઓ ભાવે છે. આ પ્રમાણે નાસ્તિક સ્વભાવને પણ ધર્માત્મા બનેલે રાજા આત્મ-ઉંજવળતા કરવામાં આગળ વધતો જાય છે. એક વખત વનપાળ કે, નરસુંદર રાજાને વધામણી આપી કે-મહારાજા ! આપણા ઉધાનમાં શશીકભાચાર્ય આવીને ઉત્તર્યા છે. વધામણી લાવનારને પ્રીતિદાન આપી, હર્ષાવેશથી પુલકિત અંગવાળે રાજા, ઘણું પરિવાર સાથે ગુરૂને વંદન કરવા ગયે. ભકિતથી
For Private and Personal Use Only